અધ્યાય-૧૯૬-પાંડવસેના રણભૂમિ પર આવી
II वैशंपायन उवाच II तथैव राजा कौन्तेयो धर्मपुत्रो युधिष्ठिरः I ध्रुष्ट्ध्युम्न मुखान्विरांश्चोदयामास भारत II १ II
વૈશંપાયને કહ્યું-તે જ પ્રમાણે,કુંતી અને ધર્મના પુત્ર યુધિષ્ઠિર રાજાએ ધૃષ્ટદ્યુમ્ન વગેરે વીરોને રણભૂમિ પર જવાની આજ્ઞા આપી.ચેદિ,કાશી ને કુરુષ દેશોની સેનાના નેતા,ધૃષ્ટકેતુ,વિરાટ,દ્રુપદ,સાત્યકિ,શિખંડી તથા યુધામન્યુ ને ઉત્તમૌજાને રણભૂમિ પર જવાની સૂચના કરી.પછી,સર્વ સેનાનો યથાયોગ્ય સત્કાર કરીને તેને રણભૂમિ પર જવાની આજ્ઞા આપી.યુધિષ્ઠિરે તે સર્વના માટે ઉત્તમ ખાવાના પદાર્થોની વ્યવસ્થા કરી દીધી હતી.પછી,યુધિષ્ઠિરે,સેનાના પ્રથમ વિભાગમાં,ધૃષ્ટદ્યુમ્નને આગળ કરી,અભિમન્યુ,બૃહન્ત અને દ્રૌપદીના પાંચ પુત્રોને વિદાય કર્યા.બીજા સૈન્ય વિભાગમાં ભીમસેન,યુયુધાન ને અર્જુનને મોકલ્યા.ને બાકી રહેલા રાજાઓ તથા વિરાટ અને દ્રુપદને લઈને યુધિષ્ઠિર પોતે રણભૂમિ પર જવા નીકળ્યા.