Jun 25, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-848

 

અધ્યાય-૧૯૬-પાંડવસેના રણભૂમિ પર આવી 


II वैशंपायन उवाच II तथैव राजा कौन्तेयो धर्मपुत्रो युधिष्ठिरः I ध्रुष्ट्ध्युम्न मुखान्विरांश्चोदयामास भारत II १ II

વૈશંપાયને કહ્યું-તે જ પ્રમાણે,કુંતી અને ધર્મના પુત્ર યુધિષ્ઠિર રાજાએ ધૃષ્ટદ્યુમ્ન વગેરે વીરોને રણભૂમિ પર જવાની આજ્ઞા આપી.ચેદિ,કાશી ને કુરુષ દેશોની સેનાના નેતા,ધૃષ્ટકેતુ,વિરાટ,દ્રુપદ,સાત્યકિ,શિખંડી તથા યુધામન્યુ ને ઉત્તમૌજાને રણભૂમિ પર જવાની સૂચના કરી.પછી,સર્વ સેનાનો યથાયોગ્ય સત્કાર કરીને તેને રણભૂમિ પર જવાની આજ્ઞા આપી.યુધિષ્ઠિરે તે સર્વના માટે ઉત્તમ ખાવાના પદાર્થોની વ્યવસ્થા કરી દીધી હતી.પછી,યુધિષ્ઠિરે,સેનાના પ્રથમ વિભાગમાં,ધૃષ્ટદ્યુમ્નને આગળ કરી,અભિમન્યુ,બૃહન્ત અને દ્રૌપદીના પાંચ પુત્રોને વિદાય કર્યા.બીજા સૈન્ય વિભાગમાં ભીમસેન,યુયુધાન ને અર્જુનને મોકલ્યા.ને બાકી રહેલા રાજાઓ તથા વિરાટ અને દ્રુપદને લઈને યુધિષ્ઠિર પોતે રણભૂમિ પર જવા નીકળ્યા.

Jun 24, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-847

 

અધ્યાય-૧૯૫-કૌરવસેના રણભૂમિ પર આવી 


II वैशंपायन उवाच II ततः प्रभाते विमले धार्तराष्ट्रेण चोदिताः दुर्योधनेन राजानः प्रययुः पांडवान्प्रति II १ II

વૈશંપાયને કહ્યું-પછી,નિર્મળ પ્રભાત થતાં,ધૃતરાષ્ટ્ર પુત્ર દુર્યોધનને આગળ કરી,તેના પક્ષના રાજાઓ પાંડવો પર ચડાઈ કરવા નીકળ્યા.તેઓએ સ્નાન કરી શુદ્ધ થઇ,શ્વેત વસ્ત્રો ને પુષ્પમાળાઓ ધારણ કરી,સ્વસ્તિવાચન ભણાવી,અગ્નિમાં હોમ કરીને શસ્ત્રો તથા ધજાઓ ગ્રહણ કર્યાં હતાં.પ્રથમ,અવંતિના વિંદ-અનુવિંદ અને બાહલીકની સાથે કેકયો-એ સર્વે દ્રોણાચાર્યને આગળ કરીને નીકળ્યા.તેમની પાછળ,અશ્વસ્થામા,જયદ્રથ,શકુનિ,ચારે દિશાના રાજાઓ,શકો,કિરાતો,યવનો,શિબીવંશના રાજાઓ વગેરે પોતપોતાના સૈન્યની સાથે મહારથી ભીષ્મને વીંટાઇને નીકળ્યા.તેઓની પાછળ,કૃતવર્મા,ત્રિગર્ત,ભાઈઓથી વીંટાયેલો દુર્યોધન,શલ,ભૂરિશ્રવા,શલ્ય,બૃહદ્રથ આદિ નીકળ્યા અને કુરુક્ષેત્રના મેદાનમાં વ્યૂહ રચના મુજબ આવી પહોંચ્યા.

Jun 23, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-846

 

અધ્યાય-૧૯૩-ભીષ્મ વગેરેની શક્તિનું વર્ણન 


II संजय उवाच II प्रभातायां तु शर्वर्यां पुनरेव सुतस्तव I मध्ये सर्वस्य सैन्यस्य पितामहमप्रुच्छत II १ II

સંજયે કહ્યું-હે ધૃતરાષ્ટ્ર,તે રાત્રિ વીતીને પ્રભાત થતાં જ દુર્યોધને સર્વ સૈન્યની વચ્ચે ભીષ્મપિતામહને પૂછ્યું કે-

'હે ગંગાપુત્ર,યુધિષ્ઠિરનું આ સૈન્ય કે જે અનેક મહારથીઓથી સજ્જ છે ને ખાળી ન શકાય તેવા આ સૈન્યનો તમે કેટલા દિવસે નાશ કરી શકશો? વળી આપણી સેનાના દ્રોણ,કૃપ,કર્ણ,અશ્વસ્થામા આદિમાંનો એક એક જણ કેટલે દિવસે પાંડવોની સેનાનો ક્ષય કરી શકશે? આ જાણવાની મારા મનમાં ઈચ્છા છે તો તે તમારે મને કહેવું જોઈએ.'

Jun 22, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-845

 

અધ્યાય-૧૯૨-શિખંડીને પુરુષપણાની પ્રાપ્તિ 


II भीष्म उवाच II शिखंडीवाक्यं श्रुत्वाथ यक्षो भरतर्षंम I प्रोवाच मनसा चिंत्य दैवेनोपनिपीडित II १ II

ભીષ્મે કહ્યું-હે રાજા,શિખંડીનું કહેવું સાંભળીને,દૈવના સપાટામાં સપડાયેલા તે યક્ષે મનમાં વિચાર કરીને તેને કહ્યું કે-

'હે કલ્યાણી,તું મારો ઠરાવ સાંભળ,હું મારું પુરુષપણું તને થોડા સમય માટે આપું છું,પરંતુ સમય પૂરો થતાં તારે અહીં પાછા આવવું,એને માટે તું સત્યના સોગન લે.મારી કૃપાથી તું તારા માતપિતા ને નગરનું રક્ષણ કર.હું તારું પ્રિય કરીશ'

શિખંડીએ કહ્યું-'હે સદાચારી નિશાચર,હું તમારું પુરુષપણું સમય પૂરો થતાં પાછું આપીશ.હિરણ્યવર્મા પાછો જશે 

ત્યારે હું ફરીથી કન્યા થઇ જઈશ અને તમે પુનઃ પુરુષ થજો'

Jun 21, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-844

 

અધ્યાય-૧૯૧-શિખંડીને સ્થૂણાકર્ણ યક્ષનો સમાગમ 


II भीष्म उवाच II ततः शिखण्डिनो माता यथातत्वं नराधिप I आचचक्षे महाबाहो भर्त्रे कन्यां शिखण्डिनिं II १ II

ભીષ્મે કહ્યું-હે મહાબાહો,પછી,રાણીએ શિખંડીની ખરી વાત,પોતાના ભર્તાને જાહેરમાં કહી કે-'હે રાજા,મને પુત્ર ન હોવાથી,શોક્યોના ભયને લીધે આ શિખંડીની કન્યા હતી તો પણ તે પુરુષ છે એમ મેં જણાવ્યું હતું.હે રાજા તમે પણ મારા પર પ્રીતિને લીધે તે વાતને અનુમોદન આપ્યું હતું.'કન્યા અવતરીને તે પુરુષ થશે' એવા શંકરનાં વચન તરફ નજર રાખીને મેં આ સાહસ કર્યું હતું ને અનર્થની દરકાર કરી નહોતી પણ હવે સ્થિતિ બદલાઈ ગઈ છે.ને આ વાત દુઃખરૂપ થઇ છે.

Jun 20, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-843

 

અધ્યાય-૧૮૯-હિરણ્યવર્માનો દૂત દ્રુપદની પાસે આવ્યો


II भीष्म उवाच II चकार यत्नं द्रुपदः सुतायाः सर्वकर्मसु I ततो लेख्यादिषु तथा शिल्पेषु च परंतप II १ II

ભીષ્મે કહ્યું-'પછી,દ્રુપદરાજાએ પોતાની પુત્રીને લેખન,શિલ્પકળા વગેરે સર્વ કર્મો શીખવાડવાનો યત્ન કર્યો.તે શિખંડી ધનુર્વિદ્યા શીખવામાં દ્રોણનો શિષ્ય થયો હતો.ત્યારબાદ,શિખંડીની માતાએ,તે શિખંડીને પુત્રની જેમ,લગ્ન કરીને સ્ત્રી લાવી આપવા દ્રુપદને પ્રેરણા કરી.ત્યારે કન્યાને યૌવન આવેલું જોઈને,દ્રુપદ પોતાની રાણી સાથે ચિંતા કરવા લાગ્યો કે 'હવે શું થશે?'

રાણીએ કહ્યું-'ત્રણેલોકના કર્તા મહાદેવનું વચન કોઈ રીતે મિથ્યા થશે નહિ.હું કહું છું તે જો તમારી બુદ્ધિ કબુલ કરે,તો તેમ કરો.આ શિખંડીનાં યત્નથી તમે વિધિ પ્રમાણે લગ્ન કરો,કારણકે શંકરનું વચન સત્ય જ થશે એવો મારી બુદ્ધિનો નિશ્ચય છે.'