અધ્યાય-૯-ભારતવર્ષનું વર્ણન
II धृतराष्ट्र उवाच II यदिदं भारतं वर्षं यत्रेदं मुर्च्छितं बलम् I यत्रातिमात्रलुब्धोऽयं पुत्रो दुर्योधनो मम II १ II
ધૃતરાષ્ટ્રે કહ્યું-આ ભારતવર્ષ કે જેમાં આટલું મોટું સૈન્ય એકઠું થયું છે,જેમાં મારો પુત્ર દુર્યોધન,અત્યંત લુબ્ધ થયો છે,
જેમાં પાંડવો લલચાય છે અને જેમાં મારું મન પણ આસક્ત થયું છે,તેનું યથાર્થ વર્ણન કહી સંભળાવ.
સંજયે કહ્યું-હે રાજા,આ ભારતવર્ષને માટે પાંડવો લલચાયા નથી પણ શકુનિ અને દુર્યોધન એ બંને લલચાયા છે.
વળી જુદાજુદા દેશોના રાજાઓ પણ ભારતવર્ષને માટે લોભાય છે,તેથી તેઓ એકબીજાને સાંખી શકતા નથી.





