Jul 7, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-859

 

ભૂમિ પર્વ 

અધ્યાય-૧૧-શાકદ્વીપનું વર્ણન 

II धृतराष्ट्र उवाच II जंबुखंडस्त्वया प्रोक्तो यथावदिह संजय I विष्कम्भमस्य प्रब्रूहि परिमाणं तु तत्वतः II १ II

ધૃતરાષ્ટ્રે પૂછ્યું-હે સંજય,તેં મને જંબુખંડનું યથાર્થ વર્ણન કહ્યું,હવે એ ખંડનું માપ અને વિસ્તાર મને કહે.

વળી,શાકદ્વીપ,કુશદ્વીપ,શાલ્મલિદ્વીપ,ક્રૌંન્ચદ્વીપ,રાહુ,ચંદ્ર,અને સૂર્ય એ સર્વનું યથાર્થ વર્ણન મને કહે.

સંજયે કહ્યું-હે રાજા,જંબુપર્વતનો વિસ્તાર પુરા અઢાર હજાર ને છસો યોજનનો છે.અને ક્ષાર સમુદ્રનો વિસ્તાર 

તેનાથી બમણો છે.તેમાં અનેક દેશો રહેલા છે તથા તે મણિ અને વૈડૂર્યથી સંપન્ન છે.એ સમુદ્ર મંડળાકાર છે.

Jul 5, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-858

અધ્યાય-૧૦-યુગ પ્રમાણે આયુષ્યનું વર્ણન 


II धृतराष्ट्र उवाच II भारतस्यास्य वर्षस्य तथा हैमवतस्य च I प्रमाणमामुषः सुत बलं चापि शुभाशुभं II १ II

ધૃતરાષ્ટ્રે પૂછ્યું-હે સૂત,આ ભારતવર્ષ,હૈમવત,અને હરિવર્ષ-આ ત્રણે ખંડના લોકોનાં આયુષ્યનું 

પ્રમાણ અને બળ તથા ભૂત,ભવિષ્ય અને વર્તમાન કાળનું શુભાશુભ એ સર્વ તું મને વિસ્તારથી કહે.

સંજયે કહ્યું-હે ભરતશ્રેષ્ઠ,ભારતવર્ષમાં સત્ય(કૃત),ત્રેતા,દ્વાપર અને કળિ-એવા (ક્રમથી થતા) ચાર યુગો છે.એમાં સત્યયુગમાં મનુષ્યોનું આયુષ્ય ચાર હજાર વર્ષ,ત્રેતાયુગમાં ત્રણ હજાર વર્ષ અને દ્વાપરયુગમાં બેહજાર વર્ષનું છે.કળિયુગમાં મનુષ્યોના આયુષ્યનું કોઈ ઠેકાણું નથી,કારણકે કળિયુગના મનુષ્યો ગર્ભમાં પણ મરે છે ને ઉત્પન્ન થઈને પણ મરે છે.(7)

Jul 4, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-857

 

અધ્યાય-૯-ભારતવર્ષનું વર્ણન 


II धृतराष्ट्र उवाच II यदिदं भारतं वर्षं यत्रेदं मुर्च्छितं बलम् I यत्रातिमात्रलुब्धोऽयं पुत्रो दुर्योधनो मम II १ II

ધૃતરાષ્ટ્રે કહ્યું-આ ભારતવર્ષ કે જેમાં આટલું મોટું સૈન્ય એકઠું થયું છે,જેમાં મારો પુત્ર દુર્યોધન,અત્યંત લુબ્ધ થયો છે,

જેમાં પાંડવો લલચાય છે અને જેમાં મારું મન પણ આસક્ત થયું છે,તેનું યથાર્થ વર્ણન કહી સંભળાવ.

સંજયે કહ્યું-હે રાજા,આ ભારતવર્ષને માટે પાંડવો લલચાયા નથી પણ શકુનિ અને દુર્યોધન એ બંને લલચાયા છે.

વળી જુદાજુદા દેશોના રાજાઓ પણ ભારતવર્ષને માટે લોભાય છે,તેથી તેઓ એકબીજાને સાંખી શકતા નથી.

Jul 3, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-856

 

અધ્યાય-૮-રમણક વગેરે ખંડોનું વર્ણન 


II धृतराष्ट्र उवाच II वर्षाणां चैव नामानि पर्वतानं च संजय I आचक्ष्व मे यथातत्वं येच पर्वतवासि II १ II

ધૃતરાષ્ટ્રે પૂછ્યું-'હે સંજય,તું મને ખંડો-પર્વતોના નામો ને પર્વતવાસી લોકોનું યથાર્થ વર્ણન કહે'

સંજયે કહ્યું-શ્વેત પર્વતની દક્ષિણે અને નિષધ પર્વતની ઉત્તરે રમણક નામનો ખંડ છે.ત્યાં જે મનુષ્યો ઉત્પન્ન થાય છે તે સર્વે કુલીન,શત્રુરહિત અને આનંદ મનવાળા હોઈને અગિયાર હજાર ને પાંચસો વર્ષ જીવે છે.નીલ પર્વતની દક્ષિણે અને નિષધ પર્વની ઉત્તરે હિરણ્યમય નામનો ખંડ છે,તે ખંડમાં હૈરણવતી નામની નદી છે.એ ખંડમાં પક્ષીરાજ ગરુડ ને ધનસંપન્ન યક્ષના અનુચરો રહે છે.પ્રસન્ન મનવાળા ત્યાંના મનુષ્યો સાડાબાર હજાર વર્ષનું આયુષ્ય ભોગવે છે.

Jul 2, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-855

 

અધ્યાય-૭-ઉત્તરકુરુનું અને માલ્યવાનનું વર્ણન 


II धृतराष्ट्र उवाच II मेरोरथोत्तरं पार्श्व पूर्व चाचक्ष्व संजय I निखिलेन महाबुद्धे माल्यवंतं च पर्वतम् II १ II

ધૃતરાષ્ટ્રે કહ્યું-હે મહાબુદ્ધિમાન સંજય,તું મને મેરુપર્વતના ઉત્તરના તથા પૂર્વના પડખાનું અને માલ્યવાન પર્વતનું વર્ણન કહે.

સંજયે કહ્યું-હે રાજા,નીલ પર્વતની દક્ષિણે અને મેરુની ઉત્તરે સિદ્ધ પુરુષોએ સેવેલા ઉત્તરકુરુ નામના દેશો છે.ત્યાંનાં વૃક્ષો મધુર ફળવાળાં અને કેટલાંક વૃક્ષો ઈચ્છીત વસ્તુઓને આપનારાં છે.ક્ષીરી નામનાં વૃક્ષોમાંથી સદા અમૃત જેવા છ રસો ઝર્યા કરે છે,

વસ્ત્રો નીકળે છે અને તેનાં ફળોમાંથી આભૂષણો નીકળે છે.ત્યાંની સર્વ ભૂમિ મણિમય અને સુવર્ણની રેતીવાળી છે.

પુણ્ય ક્ષીણ થતાં,દેવલોકમાંથી ભ્રષ્ટ પામેલા સર્વ મનુષ્યો ત્યાં ઉત્પન્ન થાય છે.ર્ત્યાં સ્ત્રી-પુરુષની જોડી જ ઉત્પન્ન થાય છે ને સાથે જ વૃદ્ધિ પામે છે.તે રૂપ,ગુણ અને વેષમાં સમાન જ હોય છે.તે અગિયાર હજાર વર્ષ સુધી સાથે જ જીવે છે.અને તેઓ જયારે મરણ પામે છે ત્યારે તીક્ષ્ણ ચાંચવાળાં મોટાં ભારુંડ નામનાં પક્ષીઓ તેઓને ઉપાડીને પર્વતોની ખીણમાં નાખી દે છે.

Jul 1, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-854

 

અધ્યાય-૬-પૃથ્વી વગેરેનાં માપનું વર્ણન 


II धृतराष्ट्र उवाच II उक्तो द्वीपस्य संक्षेपो विधिवद् बुद्धिमंस्त्वया I तत्वज्ञश्चामि सर्वस्य विस्तरं ब्रुहि संजय II १ II

ધૃતરાષ્ટ્રે કહ્યું-હે સંજય,તેં મને વિધિ પ્રમાણે,એ દ્વીપનું સંક્ષેપથી વર્ણન કહ્યું,પણ મને તે વિસ્તારથી કહે.

પ્રથમ સસલાના જેવા લક્ષણમાં એટલે કે પરમાત્માને જણાવનારા,માયાશબલ હાર્દબ્રહ્મમાં આ માયાકલ્પિત પૃથ્વીનો 

જે અવકાશ દેખાય છે તેનું પ્રમાણ કહે અને તે પછી પીપળારૂપ ભાગનું વર્ણન કહેજે.

સંજયે કહ્યું-હે મહારાજ,હેમકૂટ,નિષધ,નીલ,શ્વેત અને શૃંગવાન-આ છ ખંડ પાડનારા પર્વતો,પશ્ચિમથી પૂર્વ તરફ લાંબા છે ને બંને તરફથી સમુદ્રમાં પેઠેલા છે.આ પર્વતો એકબીજાથી હજારો યોજનોના અંતરે આવેલા છે ને તેમાં રમણીય દેશો રહેલા છે જે પ્રદેશો 'વર્ષ' નામથી ઓળખાય છે.આપણે રહીએ છીએ તે 'ભારતવર્ષ' છે,તેનાથી ઉત્તરે 'હૈંમવત વર્ષ'છે,હેમકૂટથી પેલી તરફ આવેલો ખંડ 'હરિવર્ષ' કહેવાય છે.