અધ્યાય-૧૫-દુર્યોધનની દુઃશાસનને આજ્ઞા
II संजय उवाच II त्वद्युक्तोयमनुप्रश्नो महाराज यथार्हसि I न तु दुर्योधने दोषमिममासंक्तुमर्हसि II १ II
સંજયે કહ્યું-હે મહારાજ,આ તમારો પાછળનો પ્રશ્ન યોગ્ય છે ને તમને ઘટે તેવો છે,પરંતુ તમારે આ દોષ દુર્યોધન પર મુકવો યોગ્ય નથી કારણકે જે મનુષ્યને પોતાના દુશ્ચરિત્રથી નઠારું ફળ પ્રાપ્ત થાય તેણે તે પાપ બીજાના માથે નાખવું યોગ્ય નથી.નિષ્કપટ બુદ્ધિવાળા પાંડવોએ તમારી તરફ જોઈને અપકાર અનુભવ્યો અને વનમાં લાંબા કાળ સુધી સહન કર્યો છે.હવે હું રાજાઓના સંબંધમાં જે કંઈ નજરથી તથા યોગબળથી જોયું છે તે તમે સાંભળો.મનમાં શોક કરશો નહિ,કેમ કે આ પ્રમાણે થવાનું દૈવ પૂર્વથી જ નિર્માયેલું હતું.હું વ્યાસજીને નમસ્કાર કરું છું કે જેમની કૃપાથી મને દિવ્ય દ્રષ્ટિ મળી છે.હવે હું યુદ્ધ વિસ્તારથી ક્રમથી કહું છું.





