અધ્યાય-૨૦-સૈન્યવર્ણન
II धृतराष्ट्र उवाच II सूर्योदये संजय के नु पूर्व युयुत्सवो हृष्यमाणा इवासन I
मामका वा भीष्मनेत्राः समीपे पांडवा वा भीमनेत्रानदानिम II १ II
ધૃતરાષ્ટ્રે કહ્યું-હે સંજય,સૂર્યોદય થયો ત્યારે યુદ્ધ કરવાની ઈચ્છાથી ઉત્સુક થઈને પ્રથમ કોણ આગળ આવ્યા હતા?
કયી સેના તરફ ચંદ્ર,સૂર્ય અને વાયુ અશુભસૂચક હતા? કયી સેના તરફ પશુઓ અમંગળ શબ્દ કરતાં હતાં? અને
કયી સેનાપક્ષના યુવાનોનો મુખનો રંગ પ્રસન્ન હતો?તે સઘળું તું મને યથાર્થ રીતે કહે.





