અધ્યાય-૨૩-દુર્ગાસ્તોત્ર
II संजय उवाच II धार्तराष्ट्रबलं द्रष्टा युद्धाय समुपास्थितम् I अर्जुनस्य हितार्थाय कृष्णो वचनमब्रवीत II १ II
સંજયે કહ્યું-દુર્યોધનના સૈન્યને યુદ્ધ માટે આવી પહોંચેલું જોઈને શ્રીકૃષ્ણ અર્જુનના હિત માટે,તેને કહેવા લાગ્યા કે-
'હે મહાબાહુ,તું પવિત્ર સંગ્રામભૂમિની સન્મુખ ઉભો રહીને શત્રુઓના પરાજય માટે દુર્ગાસ્તોત્રનો પાઠ કર'
ત્યારે અર્જુન રથમાંથી ઉતરીને બે હાથ જોડીને દુર્ગાસ્તોત્ર ભણવા લાગ્યો





