અધ્યાય-૨૫-અર્જુનવિષાદ યોગ(શ્રીમદ ભગવદ્ ગીતા)
II नीलकंठ II प्रणम्य भगवत्पादान श्रीधरादिश्च सदगुरून I संप्रदायानुसारेण गीताव्याख्यां समारभे II १ II
હું નીલકંઠ,શ્રી શંકરાચાર્યને તથા શ્રીધર આદિ સદ્દગુરુઓને પ્રણામ કરીને,સંપ્રદાયને અનુસરતું ગીતાનું વ્યાખ્યાન આરંભું છું.
શ્રી મહાભારતમાં સર્વ વેદોના અર્થનો સમાવેશ કરેલો છે અને મહાભારતના અર્થનો ગીતામાં સમાવેશ કરેલો છે,માટે ગીતાને સર્વ શાસ્ત્રમય માણેલી છે(2)કર્મ,ઉપાસના અને જ્ઞાન-આવા ભેદથી આ ગીતશાસ્ત્ર ત્રણ કાંડના સ્વરૂપવાળું છે,અને વળી બીજા કેટલાક આચાર્યો માને છે કે-ગીતામાં કર્મકાંડ અને ઉપાસનાકાંડ એ બે જ કાંડો આવે છે.(જ્ઞાનકાંડ નહિ)(3)





