Aug 10, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-893

 

मामुपेत्य पुनर्जन्म दुःखालयमशाश्वतम् ।नाप्नुवन्ति महात्मानः संसिद्धिं परमां गताः ॥१५॥

आब्रह्मभुवनाल्लोकाः पुनरावर्तिनोऽर्जुन ।मामुपेत्य तु कौन्तेय पुनर्जन्म न विद्यते ॥१६॥

એ પરમ સિદ્ધિ પ્રાપ્ત મહાત્માઓ પછી દુઃખનું સ્થાન અને અશાશ્વત એવા 'જન્મ' ને પામતા નથી.(૧૫)

 હે અર્જુન ! બ્રહ્મલોક સુધીના સર્વલોક ઉત્પતિ અને વિનાશને આધીન છે.

પરંતુ હે કાંતેય ! ફક્ત મારી પ્રાપ્તિ થયા પછી પુનર્જન્મ થતો નથી.(૧૬)

Aug 9, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-892

 

અધ્યાય-૩૨-અક્ષરબ્રહ્મયોગ (ગીતા-૮-અક્ષરબ્રહ્મયોગ)


अर्जुन उवाच--किं तद्ब्रह्म किमध्यात्मं किं कर्म पुरुषोत्तम ।अधिभूतं च किं प्रोक्तमधिदैवं किमुच्यते ॥१॥

अधियज्ञः कथं कोऽत्र देहेऽस्मिन्मधुसूदन ।प्रयाणकाले च कथं ज्ञेयोऽसि नियतात्मभिः ॥२॥

અર્જુન કહે છે-હે પુરુષોત્તમ,બ્રહ્મ એટલે શું? અધ્યાત્મ એટલે શું? કર્મ એટલે શું? અધિભૂત શાને કહે છે? 

અને અધિદૈવ કોને કહે છે?હે મધુ સુદન ! આ દેહમાં અધિયજ્ઞ કોણ છે ? તે કેવો છે ? 

જેણે અંત:કરણને જીતી લીધુ છે,એવો યોગી મરણ સમયે તમને કેવી રીતે જાણે છે ? (૨)

Aug 8, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-891

 

चतुर्विधा भजन्ते मां जनाः सुकृतिनोऽर्जुन ।आर्तो जिज्ञासुरर्थार्थी ज्ञानी च भरतर्षभ ॥१६॥

तेषां ज्ञानी नित्ययुक्त एकभक्तिर्विशिष्यते ।प्रियो हि ज्ञानिनोऽत्यर्थमहं स च मम प्रियः ॥१७॥

उदाराः सर्व एवैते ज्ञानी त्वात्मैव मे मतम् ।आस्थितः स हि युक्तात्मा मामेवानुत्तमां गतिम् ॥१८॥

હે ભરતશ્રેષ્ઠ,આર્ત,જિજ્ઞાસુ,અર્થાર્થી અને જ્ઞાની,એમ ચાર પ્રકારના મનુષ્યો મને ભજે છે.તેમાં જ્ઞાનીજનો,

નિરંતર મારામાં લીન રહી એકનિષ્ઠાથી મારી ભક્તિ કરે છે,તેથી તેઓ શ્રેષ્ઠ છે.આવા જ્ઞાનીજનોને 

હું અત્યંત પ્રિય છું અને તેઓ મને અત્યંત પ્રિય છે.એ સર્વશ્રેષ્ઠ છે,પરંતુ 'જ્ઞાની તો મારો આત્મા છે'

એમ હું માનું છું કારણકે તે મારામાં ચિત પરોવી મને જ સર્વોતમ માની મારો આશ્રય કરે છે.(૧૮) 

Aug 7, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-890

 

અધ્યાય-૩૧-ઉપાસનાકાંડ-જ્ઞાનયોગ (ગીતા-૭-જ્ઞાન-વિજ્ઞાન-યોગ)


मय्यासक्तमनाः पार्थ योगं युञ्जन्मदाश्रयः ।असंशयं समग्रं मां यथा ज्ञास्यसि तच्छृणु ॥१॥ 

ज्ञानं तेऽहं सविज्ञानमिदं वक्ष्याम्यशेषतः ।यज्ज्ञात्वा नेह भूयोऽन्यज्ज्ञातव्यमवशिष्यते ॥२॥

ભગવાન કહે છે-હે પાર્થ,મારામાં ચિત્ત પરોવીને,કેવળ મારો જ આશ્રય કરી યોગાભ્યાસ દ્વારા 

મારા પૂર્ણ સ્વરૂપને તું જાણી લેશે,એમાં જરાય શંકા નથી.હું તને વિજ્ઞાનસહીત તે જ્ઞાન કહીશ.

તે જાણ્યા પછી આ લોકમાં બીજું કંઈ જાણવાનું બાકી રહેતું નથી.(૨)

Aug 6, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-889

 

यतो यतो निश्चरति मनश्चञ्चलमस्थिरम् ।ततस्ततो नियम्यैतदात्मन्येव वशं नयेत् ॥२६॥

प्रशान्तमनसं ह्येनं योगिनं सुखमुत्तमम् ।उपैति शान्तरजसं ब्रह्मभूतमकल्मषम् ॥२७॥

युञ्जन्नेवं सदात्मानं योगी विगतकल्मषः ।सुखेन ब्रह्मसंस्पर्शमत्यन्तं सुखमश्नुते ॥२८॥

આ ચંચળ મન જ્યાં જ્યાં ભટકે ત્યાંથી નિગ્રહ વડે પાછું વાળીને આત્મસ્વરૂપમાં જ સંલગ્ન કરવું.જે યોગીનું ચિત્ત સંતોષ પામ્યું છે,જેનો રજોગુણ નાશ પામ્યો છે અને જે બ્રહ્મસ્વરૂપ બની નિષ્પાપ બની ગયો છે,તે યોગી બ્રહ્મસુખ મેળવે છે.આ પ્રમાણે સતત આત્મ વિષયક યોગ કરનાર નિષ્પાપ યોગી,'જેમાં બ્રહ્મનો અનુભવ રહેલો છે' એવું અત્યંત સુખ અનાયાસે મેળવે છે.

Aug 5, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-888

 

અધ્યાય-૩૦-અધ્યાત્મયોગ (ગીતા-૬-આત્મ-સન્યાસ-યોગ)


श्रीभगवानुवाच--अनाश्रितः कर्मफलं कार्यं कर्म करोति यः ।स संन्यासी च योगी च न निरग्निर्न चाक्रियः ॥१॥

શ્રી ભગવાન કહે છે-હે પાર્થ,કર્મના ફળને ન ચાહીને કરવા યોગ્ય કર્મ કરે છે તેજ સંન્યાસી

અને કર્મયોગી છે.કેવળ અગ્નિનો ત્યાગ કરનારો સંન્યાસી નથી તેમજ કેવળ ક્રિયાઓને 

ત્યાગનારો પણ સંન્યાસી કે યોગી નથી.(૧)