અધ્યાય-૩૩-રાજવિદ્યા-રાજગુહ્યયોગ(ગીતા-૯-રાજવિદ્યા-રાજગુહ્યયોગ)
इदं तु ते गुह्यतमं प्रवक्ष्याम्यनसूयवे ।ज्ञानं विज्ञानसहितं यज्ज्ञात्वा मोक्ष्यसेऽशुभात् ॥१॥
राजविद्या राजगुह्यं पवित्रमिदमुत्तमम् ।प्रत्यक्षावगमं धर्म्यं सुसुखं कर्तुमव्ययम् ॥२॥
શ્રી ભગવાન બોલ્યાઃ હે અર્જુન,જે જાણવાથી તું આ અશુભ સંસારથી મુક્ત થઈશ.એવું અત્યંત ગુહ્ય જ્ઞાન છે તે
તારા જેવા નિર્મળને હું વિજ્ઞાન સહીત કહી સંભળાવું છું.આ જ્ઞાન સર્વ વિદ્યાઓનો રાજા છે,સર્વ ગુહ્યમાં શ્રેષ્ઠ છે,
પવિત્ર છે,ઉત્તમ છે,પ્રત્યક્ષ અનુભવમાં લેવાય એવું છે,ધર્માનુસાર છે,સુખપૂર્વક પ્રાપ્ત થનારું અને અવિનાશી છે.(૨)





