અધ્યાય-૩૭-જ્ઞાનકાંડ-ક્ષેત્રક્ષેત્રજ્ઞ યોગ(ગીતા-૧૩-ક્ષેત્રક્ષેત્રજ્ઞ વિભાગયોગ)
अर्जुन उवाच--प्रकृति पुरुषं चैव क्षेत्रंक्षेत्रज्ञमेव च,एतद्वेदितुमिच्छामी ज्ञानंज्ञेयं च केशव I
અર્જુન કહે છે-પ્રકૃતિ અને પુરુષ,ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞ,જ્ઞાન અને જ્ઞેય-આ બધા વિષે હું જાણવા ઈચ્છું છું.
(નોંધ-આ શ્લોક ક્ષેપક છે,એમ ટીકાકારો માને છે,જો આ શ્લોકનો ઉમેરો કરવામાં આવે તો
ગીતાના કુળ શ્લોકોની સંખ્યા ૭૦૧ ની થશે.એટલે આ શ્લોકને નંબર આપ્યો નથી)
