અધ્યાય-૩૮-ગુણયત્રવિભાગયોગ(ગીતા-૧૪-ગુણયત્રવિભાગયોગ)
श्री भगवानुवाच--परं भूयः प्रवक्ष्यामि ज्ञानानां ज्ञानमुत्तमम् ।यज्ज्ञात्वा मुनयः सर्वे परां सिद्धिमितो गताः ॥१॥
इदं ज्ञानमुपाश्रित्य मम साधर्म्यमागताः ।सर्गेऽपि नोपजायन्ते प्रलये न व्यथन्ति च ॥२॥
શ્રીભગવાન કહે છે-જે જ્ઞાનને,જાણીને સર્વ મુનિઓ આ સંસારમાંથી પરમ સિદ્ધિને પામ્યા છે,તે,જ્ઞાનનો આશ્રય લઈને,
જે મારામાં એકરૂપ થઇ ગયા છે,તે સૃષ્ટિના ઉત્પતિ કાળમાં જન્મતા નથી કે પ્રલયમાં વ્યથા પામતા નથી.(૨)