Aug 30, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-913

 

અધ્યાય-૪૨-સંન્યાસ-યોગ(ગીતા-૧૮-મોક્ષસંન્યાસ-યોગ)


अर्जुन उवाच--संन्यासस्य महाबाहो तत्त्वमिच्छामि वेदितुम् ।त्यागस्य हृषीकेश पृथक्केशिनिषूदन ॥१॥

અર્જુન કહે છે-હે મહાબાહો ! હે ઋષિકેશ ! હે કેશિનીષૂદન ! હું ‘સન્યાસ’ શબ્દનો ખરો અર્થ અને 

’ત્યાગ’ શબ્દનો પણ સત્ય અર્થ પૃથક જાણવા ઈચ્છું છું.(૧)

Aug 29, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-912

 

देवद्विजगुरुप्राज्ञपूजनं शौचमार्जवम् ।ब्रह्मचर्यमहिंसा च शारीरं तप उच्यते ॥१४॥

अनुद्वेगकरं वाक्यं सत्यं प्रियहितं च यत् ।स्वाध्यायाभ्यसनं चैव वाङ्मयं तप उच्यते ॥१५॥

मनः प्रसादः सौम्यत्वं मौनमात्मविनिग्रहः ।भावसंशुद्धिरित्येतत्तपो मानसमुच्यते ॥१६॥

દેવ,દ્વિજ,ગુરુ અને પ્રાજ્ઞનું પૂજન,પવિત્રતા,સરળતા,બ્રહ્મચર્ય અને અહિંસા એ શરીરસંબંધી તપ કહેવાય છે.

કોઈનું મન ન દુભાય તેવું,સત્ય,મધુર,સર્વને પ્રિય અને હિતકારક એવું વચન બોલવું તથા યથાવિધિ વેદશાસ્ત્રનો 

અભ્યાસ કરવો તેને વાણીનું તપ કહેવામાં આવે છે.મનની પ્રસન્નતા,સૌજન્ય,મૌન,આત્મસંયમ 

અને અંત:કરણની શુદ્ધિને માનસિક તપ કહેવામાં આવે છે.(૧૬) 

Aug 28, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-911

 

અધ્યાય-૪૧-શ્રદ્ધાત્રય-વિભાગયોગ(ગીતા-૧૭-શ્રદ્ધાત્રય-વિભાગયોગ)


अर्जुन उवाच--ये शास्त्रविधिमुत्सृज्य यजन्ते श्रद्धयान्विताः ।तेषां निष्ठा तु का कृष्ण सत्त्वमाहो रजस्तमः ॥१॥

અર્જુન કહે છે-હે શ્રી કૃષ્ણ,જે મનુષ્યો શાસ્ત્રવિધિનો ત્યાગ કરીને,શ્રદ્ધાયુક્ત થઇ દેવતાઓનું યજન  કરે છે,

તેમની તે નિષ્ઠા કેવા પ્રકારની છે? સાત્વિક, રાજસ કે તામસ?(૧)

Aug 27, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-910

 

अनेकचित्तविभ्रान्ता मोहजालसमावृताः ।प्रसक्ताः कामभोगेषु पतन्ति नरकेऽशुचौ ॥१६॥

आत्मसंभाविताः स्तब्धा धनमानमदान्विताः ।यजन्ते नामयज्ञैस्ते दम्भेनाविधिपूर्वकम् ॥१७॥

'હું ધનવાન છું,હું કુળવાન છું,મારા જેવો અન્ય કોણ હોઈ શકે ? હું યજ્ઞ કરીશ,હું દાન આપીશ' આ પ્રકારે આસુરી 

મનુષ્ય અજ્ઞાનમાં મોહ પામેલા હોય છે.પોતેજ પોતાની પ્રશંસા કરનાર,અક્કડ થઈને વર્તનાર તથા ધન અને માનના 

મદથી ઉન્મત્ત બનેલા આવા મનુષ્યો શાસ્ત્રવિધિ છોડી કે બળ,દંભથી જ યજ્ઞકાર્યો  કરે છે.(૧૭) 

Aug 26, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-909

 

અધ્યાય-૪૦-દૈવાસુરસંપત-વિભાગયોગ(ગીતા-૧૬-દૈવાસુર સંપદ્વિભાગ યોગ)


श्री भगवानुवाच--अभयं सत्त्वसंशुद्धिर्ज्ञानयोगव्यवस्थितिः ।दानं दमश्च यज्ञश्च स्वाध्यायस्तप आर्जवम् ॥१॥

अहिंसा सत्यमक्रोधस्त्यागः शान्तिरपैशुनम् ।दया भूतेष्वलोलुप्त्वं मार्दवं ह्रीरचापलम् ॥२॥

तेजः क्षमा धृतिः शौचमद्रोहो नातिमानिता ।भवन्ति संपदं दैवीमभिजातस्य भारत ॥३॥

શ્રીભગવાન કહે છે-અભય,ચિત્તશુદ્ધિ,જ્ઞાન તથા યોગમાં એકનિષ્ઠા,દાન,ઇન્દ્રિયોનો સંયમ,યજ્ઞ,વેદોનું પઠન-મનન,

તપ,સરળતા,અહિંસા,સત્ય,અક્રોધ,સંન્યાસ,શાંતિ,પીઠ પાછળ નિંદા ન કરવી તે,સર્વ પ્રાણી માત્ર પર દયા,

ઇન્દ્રિયોનું નિર્વિકારપણું,નમ્રતા,લોકલાજ અને સ્થિરતા,તેજ,ક્ષમા,ધૈર્ય,પવિત્રતા,અદ્રોહ,નમ્રતા વગેરે બધા,

દૈવી ગુણોવાળી સંપત્તિને સંપાદન કરીને જન્મેલા મનુષ્યને પ્રાપ્ત થાય છે.(૩)

Aug 25, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-908

 

અધ્યાય-૩૯-પુરુષોત્તમ-યોગ (ગીતા-૧૫-પુરુષોત્તમ-યોગ)


श्री भगवानुवाच--ऊर्ध्वमूलमधःशाखमश्वत्थं प्राहुरव्ययम् ।छन्दांसि यस्य पर्णानि यस्तं वेद स वेदवित् ॥१॥

अधश्चोर्ध्वं प्रसृतास्तस्य शाखा गुणप्रवृद्धा विषयप्रवालाः ।अधश्च मूलान्यनुसंततानि कर्मानुबन्धीनि मनुष्यलोके ॥२॥

શ્રી ભગવાન કહે છે-આ સંસારરૂપી પીપળાના વૃક્ષનાં મૂળ ઉપર તરફ અને શાખાઓ નીચે તરફ છે.એનો 

કદી નાશ થતો નથી.છંદોબદ્ધ વેદ એ વૃક્ષના પાન છે.જે આ રહસ્ય ને જાણે છે તે જ વેદવેત્તા છે.(૧)

તે વૃક્ષની શાખાઓ સત્વાદિ ગુણોથી વધેલી છે.શબ્દાદિ વિષયોના પાનથી તે ઉપર-નીચે સર્વત્ર પ્રસરેલી છે.

નીચે મનુષ્યલોકમાં આ વૃક્ષના કર્મરૂપી મૂળો એક બીજામાં ગૂંથાઈ રહ્યા છે.(૨)