અધ્યાય-૪૩-ગુરુઓ તથા વડીલોનું પૂજન
॥ वैशंपायन उवाच ॥ गीता सुगीता कर्तव्या किमन्यै शास्त्रविस्तरेः I या स्वयं पद्मनाभस्य मुखपद्मानिद्विनिर्गता ॥१॥
વૈશંપાયને કહ્યું-જે સાક્ષાત ભગવાન શ્રીકૃષ્ણના મુખમાંથી નીકળી છે,તે ગીતાશાસ્ત્રનું જ સારીરીતે પઠન કરવું,બીજા શાસ્ત્રોનાં લાંબા લાંબા પઠન કરવાથી શું ફળ છે? જેમ,શ્રી ગંગાજી સર્વ તીર્થમય છે,ભગવાન વિષ્ણુ સર્વ દેવમય છે અને મનુ ભગવાન સર્વ વેદોમય છે તેમ,ગીતા સર્વ શાસ્ત્રમય છે.ગીતા,ગોવિંદ,ગાયત્રી અને ગોવિંદ-આ ચાર 'ગ'કાર યુક્ત નામો જો નિરંતર હૃદયમાં રહે,તો તેને ફરીથી જન્મમરણ પ્રાપ્ત થતાં નથી.આ ગીતામાં શ્રીકૃષ્ણે 620 શ્લોક,અર્જુને 57 શ્લોક,સંજયે 67 શ્લોક અને ધૃતરાષ્ટ્રે 1-શ્લોક કહેલો છે.આ બધા શ્લોકો મળીને એકંદરે ગીતાના 745 શ્લોકો થાય છે.(મહા)ભારતરૂપી અમૃતના સર્વસ્વરૂપ ગીતાનું મંથન કરીને,તેમાંથી સાર (તત્વ)કાઢીને શ્રીકૃષ્ણે,અર્જુનના મુખમાં તેનો હોમ કર્યો છે (5)





