યુધિષ્ઠિર બોલ્યા-હે પિતામહ,જો આપ મારુ કલ્યાણ ઇચ્છતા હો તો,મને સલાહ આપો કે-કોઈથી પણ ન જીતી શકાય તેવા આપને હું યુદ્ધમાં કેવી રીતે જીતી શકું? યુદ્ધમાં બીજાઓ દ્વારા આપનો નાશ કરી શકાય તેવો ઉપાય મને કહો'
ભીષ્મ બોલ્યા-હે તાત,યુદ્ધમાં મને જીતી શકે તેવો કોઈ પુરુષ મને દેખાતો નથી,ને વળી,અત્યારે મારા મૃત્યુનો સમય પણ આવ્યો નથી,માટે તમે ફરીથી મારી પાસે આવજો,ત્યારે હું ઉપાય જણાવીશ'





