Sep 8, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-918

 

યુધિષ્ઠિર બોલ્યા-હે પિતામહ,જો આપ મારુ કલ્યાણ ઇચ્છતા હો તો,મને સલાહ આપો કે-કોઈથી પણ ન જીતી શકાય તેવા આપને હું યુદ્ધમાં કેવી રીતે જીતી શકું? યુદ્ધમાં બીજાઓ દ્વારા આપનો નાશ કરી શકાય તેવો ઉપાય મને કહો'

ભીષ્મ બોલ્યા-હે તાત,યુદ્ધમાં મને જીતી શકે તેવો કોઈ પુરુષ મને દેખાતો નથી,ને વળી,અત્યારે મારા મૃત્યુનો સમય પણ આવ્યો નથી,માટે તમે ફરીથી મારી પાસે આવજો,ત્યારે હું ઉપાય જણાવીશ'

Sep 3, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-917

 

અધ્યાય-૪૩-ગુરુઓ તથા વડીલોનું પૂજન 


॥ वैशंपायन उवाच ॥ गीता सुगीता कर्तव्या किमन्यै शास्त्रविस्तरेः I या स्वयं पद्मनाभस्य मुखपद्मानिद्विनिर्गता ॥१॥ 

વૈશંપાયને કહ્યું-જે સાક્ષાત ભગવાન શ્રીકૃષ્ણના મુખમાંથી નીકળી છે,તે ગીતાશાસ્ત્રનું જ સારીરીતે પઠન કરવું,બીજા શાસ્ત્રોનાં લાંબા લાંબા પઠન કરવાથી શું ફળ છે? જેમ,શ્રી ગંગાજી સર્વ તીર્થમય છે,ભગવાન વિષ્ણુ સર્વ દેવમય છે અને મનુ ભગવાન સર્વ વેદોમય છે તેમ,ગીતા સર્વ શાસ્ત્રમય છે.ગીતા,ગોવિંદ,ગાયત્રી અને ગોવિંદ-આ ચાર 'ગ'કાર યુક્ત નામો જો નિરંતર હૃદયમાં રહે,તો તેને ફરીથી જન્મમરણ પ્રાપ્ત થતાં નથી.આ ગીતામાં શ્રીકૃષ્ણે 620 શ્લોક,અર્જુને 57 શ્લોક,સંજયે 67 શ્લોક અને ધૃતરાષ્ટ્રે 1-શ્લોક કહેલો છે.આ બધા શ્લોકો મળીને એકંદરે ગીતાના 745 શ્લોકો થાય છે.(મહા)ભારતરૂપી અમૃતના સર્વસ્વરૂપ ગીતાનું મંથન કરીને,તેમાંથી સાર (તત્વ)કાઢીને શ્રીકૃષ્ણે,અર્જુનના મુખમાં તેનો હોમ કર્યો છે (5)

Sep 2, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-916

 

ईश्वरः सर्वभूतानां हृद्देशेऽर्जुन तिष्ठति ।भ्रामयन्सर्वभूतानि यन्त्रारूढानि मायया ॥६१॥

तमेव शरणं गच्छ सर्वभावेन भारत ।तत्प्रसादात्परां शान्तिं स्थानं प्राप्स्यसि शाश्वतम् ॥६२॥

इति ते ज्ञानमाख्यातं गुह्याद्‌गुह्यतरं मया ।विमृश्यैतदशेषेण यथेच्छसि तथा कुरु ॥६३॥

હે અર્જુન,એ ઈશ્વર,યંત્રો પર બેસાડેલાં સર્વ ભૂતોને માયા વડે ભ્રમણ કરાવતાં સર્વ ભૂતોના હૃદયમાં રહે છે.

હે ભારત,સર્વ પ્રકારે તે ઈશ્વરને જ શરણે તું જા જેની કૃપાથી તું પરમ શાંતિ તથા શાશ્વત સ્થાનને પામીશ.(૬૨)

એ પ્રમાણે મેં તને ગુહ્યથી અતિ ગુહ્ય ગીતાશાસ્ત્રરૂપી જ્ઞાન કહ્યું,

એનો સંપૂર્ણપણે વિચાર કરીને જેમ તારી ઈચ્છા હોય તેમ તું કર.(૬૩)

Sep 1, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-915

 

न तदस्ति पृथिव्यां वा दिवि देवेषु वा पुनः ।सत्त्वं प्रकृतिजैर्मुक्तं यदेभिः स्यात्त्रिभिर्गुणैः ॥४०॥

ब्राह्मणक्षत्रियविशां शूद्राणां च परन्तप ।कर्माणि प्रविभक्तानि स्वभावप्रभवैर्गुणैः ॥४१॥

પૃથ્વીમાં કે પાતાળમાં અથવા સ્વર્ગમાં દેવોને વિષે પણ એવું તે કંઈ વિદ્યમાન નથી કે જે પ્રાણી અથવા 

પદાર્થ પ્રકૃતિથી ઉત્પન્ન થયેલા આ સત્વાદિ ત્રણ ગુણોથી રહિત હોય.(૪૦)  

હે પરંતપ ! બ્રાહ્મણ,ક્ષત્રીય, વૈશ્ય તથા શુદ્રોનાં કર્મોના પ્રકૃતિથી ઉત્પન્ન થયેલા ગુણો વડે 

જુદા જુદા વિભાગો પાડવામાં આવ્યા છે.(૪૧)

Aug 31, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-914

 

सर्वभूतेषु येनैकं भावमव्ययमीक्षते ।अविभक्तं विभक्तेषु तज्ज्ञानं विद्धि सात्त्विकम् ॥२०॥

पृथक्त्वेन तु यज्ज्ञानं नानाभावान्पृथग्विधान् ।वेत्ति सर्वेषु भूतेषु तज्ज्ञानं विद्धि राजसम् ॥२१॥

यत्तु कृत्स्नवदेकस्मिन्कार्ये सक्तमहैतुकम् ।अतत्त्वार्थवदल्पं च तत्तामसमुदाहृतम् ॥२२॥

જે જ્ઞાનના યોગથી જીવ પરસ્પર ભેદવાળા સર્વ ભૂતોમાં અવિભક્ત એવા એક આત્મતત્વને જુએ છે તે જ્ઞાનને તું 

સાત્વિક જાણ.વળી પરસ્પર ભેદથી રહેલા સર્વ ભૂતોમાં એક બીજાથી ભિન્ન ઘણા આત્માઓને જે જ્ઞાન જાણે છે તે જ્ઞાનને તું રાજસ જ્ઞાન જાણ.વળી જે જ્ઞાન એક કર્મમાં પરિપૂર્ણની જેમ,અભિનિવેશવાળું,હેતુ 

વિનાનું તત્વાર્થથી રહિત તથા અલ્પ વિષયવાળું છે તે જ્ઞાનને તામસ કહ્યું છે.(૨૨) 

Aug 30, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-913

 

અધ્યાય-૪૨-સંન્યાસ-યોગ(ગીતા-૧૮-મોક્ષસંન્યાસ-યોગ)


अर्जुन उवाच--संन्यासस्य महाबाहो तत्त्वमिच्छामि वेदितुम् ।त्यागस्य हृषीकेश पृथक्केशिनिषूदन ॥१॥

અર્જુન કહે છે-હે મહાબાહો ! હે ઋષિકેશ ! હે કેશિનીષૂદન ! હું ‘સન્યાસ’ શબ્દનો ખરો અર્થ અને 

’ત્યાગ’ શબ્દનો પણ સત્ય અર્થ પૃથક જાણવા ઈચ્છું છું.(૧)