અધ્યાય-૪૫-દ્વંદ્વ યુદ્ધ
॥ संजय उवाच ॥ पुर्वाहुणे तस्य रौद्रस्य युध्धमहनो विशांपते I प्रावर्तत महाघोरं राज्ञां देहावकर्तन ॥१॥
સંજયે કહ્યું-હે રાજા,તે ભયંકર દિવસના પહેલા ભાગમાં જે મહાઘોર યુદ્ધ થયું,તેમાં ઘણા રાજાઓના શરીર કપાવા જ લાગ્યા હતા.પરસ્પરને જીતવાની ઈચ્છાવાળા રાજાઓની ગર્જનાઓના ભીષણ ધ્વનિએ આકાશમંડળને ગજાવી મૂક્યાં.
ધનુષ્યની દોરીના ટંકારો,પાળાઓના પગના શબ્દો,ઘોડાઓના હણહણાટો,હાથીઓની ચીસો અને રથના ઘડાઘડાટો વગેરેના તુમુલ અવાજોથી રૂવાં ઉભા થઇ જાય તેવું દૃશ્ય હતું.એ વેળાએ પોતાના જીવવાની આશા છોડીને સર્વ કૌરવો,પોતાના મનને ક્રૂર કરીને પાંડવોની સામે પહોંચ્યા પછી,યમ ના દંડ જેવું ભયંકર ધનુષ્ય લઈને ભીષ્મ અર્જુન સામે ધસ્યા.





