અધ્યાય-૪૯-શંખયુદ્ધ અને પ્રથમ દિનની સમાપ્તિ
॥ धृतराष्ट्र उवाच ॥ श्वेते सेनापतौ तात संग्रामेनिहते परै: I किंकुर्वन्महेष्वासाः पंचालाः पांडवैः सहा ॥१॥
ધૃતરાષ્ટ્રે કહ્યું-હે તાત,શ્વેતકુમાર સેનાપતિને શત્રુઓએ જયારે યુદ્ધમાં મારી નાખ્યો,ત્યારે મોટા ધનુર્ધારી એવા પાંચાલોએ અને પાંડવોએ શું કર્યું?તે શ્વેતકુમારને માટે પ્રયત્ન કરતા તથા યુદ્ધમાં નાસી જતા પાંડવોના યોદ્ધાઓનો પરાજય અને આપણો જય બતાવનારાં વાક્યોને સાંભળીને મારુ મન પ્રસન્ન થાય છે તથા આપણા પક્ષના અત્યાચાર-અપરાધથી મને શરમ ઉપજતી નથી.
પણ,ભીષ્મ જેવા ધર્મવ્રતે,શ્વેતકુમાર જે રથરહિત હતો તેનો યુદ્ધનીતિથી વિરુદ્ધ વર્તી કેમ નાશ કર્યો?




