અધ્યાય-૫૦-બીજો દિવસ-યુધિષ્ઠિરનો ઉદ્વેગ ને કૌંચવ્યૂહ
॥ संजय उवाच ॥ कृतेवहारे सैन्यानां प्रथमे भरतर्षभ I भीष्मे च युध्धसंरब्धे हृष्टे दुर्योधने तथा ॥१॥
સંજયે કહ્યું-હે ભરતશ્રેષ્ઠ,એ પ્રમાણે પહેલે દિવસે,જયારે સૈન્યોને પાછાં વળ્યાં,ત્યારે ભીષ્મ ઘણા જ ક્રોધાયમાન હતા અને દુર્યોધન ઘણો જ આનંદિત થયો હતો,તેથી પોતાના પરાજયની શંકા કરીને શોકાતુર થયેલા યુધિષ્ઠિર,પોતાના ભાઈઓ અને પોતાના પક્ષના રાજાઓને સાથે,કૃષ્ણની પાસે જઈને,ભીષ્મના પરાક્રમ સંબંધી વિચાર કરી,તેમને કહેવા લાગ્યા કે-




