અધ્યાય-૫૪-કલિંગરાજાનો વધ
॥ धृतराष्ट्र उवाच ॥ तथा प्रातिसमादिष्टः कालिंगोवाहिनी पतिः I कथमदभूतकर्माणं भीमसेनं महाबलं ॥१॥
શ્રુતરાષ્ટ્રે પૂછ્યું-હે સંજય,મારા પુત્ર દુયોધને જયારે કલિંગરાજને ભીમસેન સામે મોકલ્યો,ત્યારે તેણે,
હાથમાં યમરાજાની જેમ ગદા લઈને ફરતા ભીમ સામે કેવી રીતે યુદ્ધ કર્યું? તે મને કહે.
સંજયે કહ્યું-સામે,કલિંગોની સેનાને અને તેમની સાથે આવતા નિષાદપતિ કેતુમાનને જોઈને,ભીમ,ચેદીઓને લઈને તેમની સામે ગયો.અને ભયંકર તુમુલ યુદ્ધ શરુ થયું.તે વેળાએ યોદ્ધાઓ પોતાના તથા પારકાઓને જાણી શકતા નહોતા.અન્યોઅન્યનો સંહાર કરતા તે યોદ્ધોએ રણભુમીને લોહીથી ખરડી નાખી હતી.કલિંગોના પ્રમાણમાં થોડા એવા ચેદીઓએ પોતાનું યથાશક્તિ પરાક્રમ બતાવીને ભીમસેનને એકલો છોડીને પાછા હટવા લાગ્યા.ભીમસેન ચારેબાજુથી કલિંગોથી ઘેરાયેલો હતો પણ તે જરા પણ ચલિત થયા વિના કલિંગોની સેનાને તીક્ષ્ણ બાણોથી આચ્છાદિત કરવા લાગ્યો.





