Feb 8, 2024

Odhaji Mara Vahalane vadhine-By Lata-With Lyrics in Gujarati-ઓધાજી મારા વ્હાલાને વઢીને કે’જો -લતા




ઓધાજી મારા વ્હાલાને વઢીને કે’જો જી-હે મનાવી લેજો રે
હે ઓધાજી મારા વ્હાલાને વઢીને કે’જો જી-માને તો મનાવી લેજો જી...ઓધાજી....
મથુરાના રાજા થ્યા છો-ગોવાળોને ભૂલી ગ્યા છો-માનીતી ને મ્હોલે(મહેલે) ગ્યા છો,,ઓધાજી...

બેમુકામ-By-અનિલ શુક્લ

 

ભોગ-ત્યાગ-માયાની ઉલઝનો બહુ મોટી બનાવી છે,પ્રભુ 

હર કદમે,તારી માયાના જ સૌંદર્યને જોતા ઉલ્ઝનમાં રહ્યા.


હજારો રસ્તાઓ હતા,મુસીબતો હતી ને હજારો મુકામો હતા,

પણ,છેવટે આખરી બેમુકામ પર,પહોંચાડી દીધા,તેં જ પ્રભુ, 


અનિલ 

8-15-2022



comments? OR you want to publish your poetery? or any article?

email me-anamiyogi@gmail.com

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-420

 

અધ્યાય-૧૨૭-જંતુનું આખ્યાન 


II युधिष्ठिर उवाच II कथं वीर्यः राजाSभुत्सोमको वदतां वर I कर्माण्यस्य प्रभावं च श्रोतुमिच्छामि तत्वतः II १ II

યુધિષ્ઠિર બોલ્યા-'તે સોમક રાજા કેવો પરાક્રમી હતો?હું એનાં કાર્યો તથા એના પ્રભાવને યથાર્થ સાંભળવા ઈચ્છું છું'

લોમશ બોલ્યા-'ત્યારે સોમક નામે એક ધાર્મિક રાજા હતો,તેને એકસરખી સો પત્નીઓ હતી.તેને લાંબા સમય સુધી તે સ્ત્રીઓથી એકે પુત્ર થયો નહોતો.પણ તે વૃદ્ધ થયો ત્યારે યત્ન કરતાં તેને  જંતુ નામે એક પુત્ર જન્મ્યો હતો,

.તેથી તે સર્વ માતાઓ સર્વ કામ છોડીને તે જંતુને વીંટાઇને બેસી રહેતી હતી.

Feb 7, 2024

ઍંધાણ-By-અનિલ શુક્લ

 

હર શ્વાસે,દિલની ધડકન વધી રહી,

શું તારા આગમનના એ ઍંધાણ છે?


થડકાટ દિલનો શાંત થતો,અનિલ,

શું ખરેખર તે,સન્મુખ તો નથી થયો?


કંઠથી ના પુકારી શકું,રોમાંચ થયો ઘણો,

નથી નેત્ર સામે.તે પણ નેત્રો અશ્રુસભર થયાં.


(ભક્તિ-સૂત્રો લખતી વખતે થયેલ પ્રેરણા)

અનિલ 

8-25-2022



comments? OR you want to publish your poetery? or any article?

email me-anamiyogi@gmail.com

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-419

 

અધ્યાય-૧૨૬-માંધાતાનું ચરિત્ર 


II युधिष्ठिर उवाच II मांधाता राजशार्दूलस्रिपु लोकेषु विश्रुतः I कथं जातो महाब्रह्मन् यौवनाश्वो नृपोत्तमः II १ II

યુધિષ્ઠિર બોલ્યા-'હે મહાબ્રાહ્મણ,ત્રણે લોકોમાં વિખ્યાત અને રાજાઓમાં સિંહ સમાન એ રાજેન્દ્ર માંધાતા,કેવી રીતે યુવનાશ્વનો પુત્ર થયો? વળી,જે મહાત્માને વિષ્ણુની જેમ ત્રણે લોક વશ હતા,તે કેવી રીતે જન્મ પામ્યો હતો?

તેનું નામ માંધાતા શાથી પડ્યું હતું? તેનું ચરિત્ર હું સાંભળવા ઈચ્છું છું,તમે આ કહેવામાં કુશળ છો.

Feb 6, 2024

Meditation-Simple Explaination in Hindi

 
Very simple information of Meditation in Hindi.Yo will sure find it very interesting !!Hear ....it...

લેખકોને આમંત્રણ-Invitation to writers

આપના આધ્યાત્મિક લેખો,બુક,ચિત્ર,ઓડીઓ કે વિડિઓ વગેરે 
અહીં શિવોહમ પર પોસ્ટ કરવા માટે આપ સૌને આમંત્રણ છે.
પ્લીઝ ઈમેલ કરો-anamiyogi@gmail.com

બાલા જોગણ-By-અનિલ શુક્લ

 


માધવની મૂર્તિ પર મોહી,મીરા સજળ નયને રોઈ,

રે ફકીરા,તડપાવે શાને? માધવ મારો મને દઈ દેઈ.


માન્યો નહિ ને ચાલી ગયો ફકીરો,મૂર્તિ સંગમાં લેઇ,

અન્ન જળ છોડ્યા મીરાંએ,રોઈરોઈ માધવ વિરહી થેઇ.


આવ્યા માધવ સ્વપ્નમાં,રે ફકીરા,શાની રાખે છે ઠેસ?

સાચવનાર તું હતો મૂર્તિનો,જા,જઈને મીરાને જ દઈ દેઈ.


દોડ્યો ફકીરો,પડ્યો પગે મીરાંને,મોહન મૂર્તિ દેઇ,

હૃદયે ચાંપી,બની બાવરી મીરાં,બાલા જોગણ થેઈ 


અનિલ 

જૂન-16-2023



comments? OR you want to publish your poetery? or any article?

email me-anamiyogi@gmail.com

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-418

 

અધ્યાય-૧૨૫-અશ્વિનીકુમારોને સોમપ્રાપ્તિ 


II लोमश उवाच II ते द्रष्टा घोरवदनं मदं देवः शतक्रतुः I आयांतं भक्षयिष्यंतं व्याताननमिवांतकम् II १ II

લોમશ બોલ્યા-કાળની જેમ ખાવાને ધસી આવતા એ ભયંકર મોં વાળા રાક્ષસને જોઈને સ્થિર થયેલા હાથવાળો ઇન્દ્ર ભયથી વારંવાર પોતાનાં ગલોફાં ચાટવા લાગ્યો ને પછી ભયથી પીડાયેલા એ (શતક્રતુ)દેવરાજે ચ્યવનને કહ્યું કે-'હે ભાર્ગવ,આ મારુ સત્ય વચન છે કે આજથી આ અશ્વિનીકુમારો સોમપાનના અધિકારી ગણાશે,તમે મારા પર પ્રસન્ન થાઓ.તમે કૃપા કરો અને ઇચ્છામાં આવે તે કરો' ત્યારે તે ચ્યવનનો કોપ એકદમ ઓસરી ગયો અને તેમણે ઇન્દ્રને એકદમ મુક્ત કર્યો.અને મદ રાક્ષસને,મદ્યપાન,સ્ત્રી,જુગાર ને મૃગયામાં વહેંચીને તેનો નિકાલ કર્યો.

Feb 5, 2024

રહ્યું બાકી-By-અનિલ શુક્લ

 


કૃપા થઇ 'તે'ની,બતાવી દીધો છે સત્યનો સીધો મારગ જેણે,

તો હવે તે જ મારગે મારે પગલું ભરવું રહ્યું બાકી.


'હું' 'મારું' નો કરાવી ત્યાગ કરાવી,વૈરાગ્યના ભણાવ્યા પાઠ જેણે,

તે ગીતાના જ મારગે પગલું ભરવું રહ્યું બાકી.


આ ભવમાં ભટકતાં,પાસે રહી કરાવ્યું છે,આત્માનું જ્ઞાન જેણે,

તેના જ શરણે જ માત્ર રહેવું રહ્યું બાકી.


સંસાર સાગરના તોફાનમાં,નાવ આપીને બેસાડ્યા જેણે,

એ નાવમાં બેસીને જ હવે તરવું રહ્યું બાકી.


ઈડા-પિંગલાની રમતો તો ઘણી રમી જાણી આ જીવનમાં,

હવે સુષુમ્ણામાં જ ઠરીને રહેવું જ રહ્યું બાકી.


અનિલ 

ઓગસ્ટ-8-2023


comments? OR you want to publish your poetery? or any article?
email me-anamiyogi@gmail.com