May 7, 2024

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-509

 

દ્રૌપદી-સત્યભામા સંવાદ પર્વ 


અધ્યાય-૨૩૩-પતિને વશ કરવાનો દ્રૌપદીએ કહેલો મહામંત્ર 


II वैशंपायन उवाच II उपासिनेपु विप्रेयु पांडवेपु महात्मसु I द्रौपदी सत्यभामा च विविशाते तदा समम् II १ II

વૈશંપાયન બોલ્યા-મહાત્મા પાંડવો બ્રાહ્મણો સાથે બેઠા હતા,તે વખતર દ્રૌપદી અને સત્યભામાએ સાથે જ એક સ્થાનમાં પ્રવેશ કર્યો.લાંબે સમયે એકમેકને મળીને આનંદ પામીને તે બંને સખીઓ બેઠી અને વાતો કરવા લાગી.

કૃષ્ણની પ્રિય પટ્ટરાણી અને સત્રાજિતની પુત્રી સત્યભામાએ દ્રૌપદીને પૂછ્યું-'હે દ્રૌપદી,તમે આ વીર પાંડવો પર કેમ કરીને સત્તા ચલાવો છો? તેઓ કેમ તમારા પર કોપ કરતા નથી?ને સદા તમારે વશ રહે છે? શું કોઈ વ્રતાચરણ,

તપ,મંત્ર,ઔષધિ,વિદ્યાનો પ્રભાવ,જપ,હોમ કે કોઈ ઓસડ આમાં કારણરૂપ છે?મને આનું રહસ્ય કહો (8)

May 6, 2024

માયા-કાયા-By અનિલ શુક્લ

 

ના સમજાય હરિ,કે વળગી હતી માયા તને કે પછી વળગ્યો તું માયાને?
કે એકલો ગયો હતો અકળાઈ? બનાવી દીધી ન સમજાય તેવી કાયાને

ક્યાંથી લગાવું હું ભભૂતિ,તું તો પુરાઈ ગયો લગાવી ભભૂત એ કાયામાં,
મૂંઝાય છે તું?તે તો ખબર નથી,મૂંઝાઇ ગયા છે બધા તારી એ માયામાં

પતિ છે તું તો માયાનો,વશ હશે તને એ,અમારે વશ તો કેમે થાય માયા?
અખંડ એવા તેં બનાવ્યા ખંડો-બ્રહ્માંડો,ખોળું તને અદ્ભુત એવી કાયામાં  

કહે છે,સમાયો છે, તું ઘટઘટ માં,ખોળું તને,ઘડી ત્યાં તો કદી આ કાયામાં,
દયા,હોય થોડી તો,લગાવી દે ને ભભૂત થોડી,ના જાઉં લપટાઈ હું માયામાં

અનિલ
માર્ચ-30-2015 

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-508

 

અધ્યાય-૨૩૨-સ્કંદના નામો-કાર્તિકેય સ્તોત્ર 


II युधिष्ठिर उवाच II भगवन श्रोतुमिच्छामि नामान्यस्य महात्मनः I त्रिपु लोकेपु यान्यस्य विख्यातानि द्विजोत्तम II १ II

યુધિષ્ઠિર બોલ્યા-'હે ભગવન,હું કાર્તિકેયનાં,ત્રણ લોકમાં પ્રસિદ્ધ થયેલાં નામો સાંભળવા ઈચ્છું છું'

માર્કંડેય બોલ્યા-આગ્નેય,સ્કંદ,દીપ્તકીર્તિ,અનામય,મયુરકેત,ભૂતેશ,મહિષાર્દન,કામજીત,કામદ,કાંત,સત્યવાક,

ભુવનેશ્વર,શિશુ,શીઘ્ર,શુચિ,ચંડ,દીપ્તવર્ણ,શુભાનન,અમોઘ,અનઘ,રૌદ્ર,પ્રિય,ચંદ્રાનન,દીપ્તશક્તિ,પ્રશાંતાત્મા,

ભદ્રકૃત,ફૂટમોહન,ષષ્ઠીપ્રિય,ધર્માત્મા,માતૃવત્સલ,કન્યાભર્તા,વિભક્તિ,સ્વાહેય,રેવતીસુત,પ્રભુ,નેતા,વિશાખ,

નૈગમેય,સુદુશ્વર,સુવ્રત,લલિત,બાલક્રીડનપ્રિય,ખચારી,બ્રહ્મચારી,શૂર,શરવણોદભવ,વિશ્વામિત્રપ્રિય,દેવસેનાપ્રિય,

વાસુદેવપ્રિય,પ્રિય અને પ્રિયકૃત-એ કાર્તિકેયનાં નામો છે.આ નામનો પાઠ કરનાર કીર્તિ ને ધન પામે છે.(9)

May 5, 2024

Gita-2-11-Image

www.sivohm.com

ફુરસદ નથી-By અનિલ શુક્લ

 

અંગે લગાવી થરો ભભૂતના જુઓને દેખાવ કર્યા  છે કેવા?
અંતરમાં થોડીક પણ ભભૂત લગાવવાની હિંમત કરે છે કોણ?

અવળી અવળી જ વાતો છે,ને એ જ સાચી છે એવી કરે ઠાવકાઈ,
સત્ય ખુલ્લું જ  છે,પણ તે સત્યને ખોળવાની  દરકાર કરે છે કોણ?

ફુરસદ નથી પવન થી બનેલા એ સંગીત ને સાંભળવાની કોઈને,
તો નાદ અનહત નો તો ક્યાંથી સંભળાય,દરકાર તેની કરે છે કોણ?

જરૂર છે શું કહેવાની કે? છેડાં ના કરે એ પવન સાથે,નહિતર ચેતજો,
ખોટી ભભૂતિ એ તન પરની ઉડાવી,ખુલ્લા કરી દેશે,તમને ઓ,લોકો

અનિલ
30 એપ્રિલ,2015

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-507

 

અધ્યાય-૨૩૧-સ્કંદે મહિષાસુરને માર્યો 


II मार्कण्डेय उवाच II यदा स्कंदेन मातृणामेवमेतत्प्रियं कृतं I अथैवमव्र्वीत्स्वाहा मम पुत्रस्तवमौरस II १ II

માર્કંડેય બોલ્યા-સ્કંદે,માતૃકાઓનું પ્રિય કર્યું ત્યારે,સ્વાહાએ તેને કહ્યું કે-'તું મારો ઔરસ પુત્ર છે,તું મને પરમ દુર્લભ પ્રીતિ આપે એમ હું ઈચ્છું છું.હું દક્ષ પ્રજાપતિની સ્વાહા નામની કન્યા છું,બાળપણથી મને અગ્નિ વિષે કામના જાગી છે પણ તે અગ્નિ આ વાત જાણતા નથી,હું નિત્ય તે અગ્નિ સાથે વસવા ઈચ્છું છું'

May 4, 2024

કલમથી-By અનિલ શુક્લ

 

નથી ચંચળતા કે નથી અસ્થિરતા,તો પછી આ સ્તબ્ધતા કેવી?
નથી શક્ય કોઈ હલન-ચલન,સમય પણ જાણે થંભી ગયો લાગે.

રંગો, રંગબેરંગી ફૂલોના થયા અદૃશ્ય,ને એક-રંગી ફૂલો લાગે,
લાલમ-લાલ થઈ ગયું,બધું,લાલો ને લાલ પણ લાલ જ લાગે.

વહી જ્યાં સૂરાવલી બંસરીની,કાન્હા ની નાની સુગંધી ફૂંક થી,
થઈ ગયો ન્યાલ,એ અનિલ,બની સુગંધી,સ્થિરત્વને પામ્યો લાગે.

દિવાલોની અંદર બેસીને પવન ખોળે દુનિયા ના સુખિયાઓને,
ના મળ્યું કોઈ તો, પરમાનંદી અનિલ,કલમથી કંઈ કહેતો લાગે.

અનિલ
જુલાઈ,૧૭,૨૦૧૫

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-506

 

અધ્યાય-૨૨૯-સ્કંદ દેવસેનાના પતિ થયા 


II मार्कण्डेय उवाच II उपविष्टं तु तं स्कन्दं हिरण्यकवचस्त्रजं I हिरण्यचूडमुकुटं हिरण्याक्षं महाप्रभं II १ II

માર્કંડેય બોલ્યા-પછી,સોના જેવા નેત્રવાળા,મહા કાંતિવાળા અને તીક્ષ્ણ દાઢવાળા તે કાર્તિકેય (સ્કન્દ)એક સ્થાન પર બેઠા.ત્યારે ઇન્દ્રે તેમને ઇન્દ્રપદ સ્વીકારવાનું કહ્યું,પણ તે પદનો તેણે અસ્વીકાર કર્યો,અને છેવટે,દેવોના સેનાપતિ પદે તેમનો અભિષેક થયો.શિવજી,ઉમાદેવી સાથે ત્યાં આવ્યા ને અતિ પ્રસન્ન થઇ તેનું સન્માન કર્યું.

May 3, 2024

અનકહી-By અનિલ શુક્લ

 

કહેલી વાત તો અનકહી થઇ ગઈ કે શું?
નહિ કહેલી,વાત આજ થઇ ગઈ લાગે.

લખાઈ શું ગયું? તેની ખબર રહી નહિ,
પડેલા શબ્દો જમીનમાંથી ઉગતા લાગે.

પ્રવાસ તો હતો નહિ બહુ  લાંબો -પણ,
અધ-વચ્ચે જ મંઝિલ મળી ગઈ લાગે.

છૂટા-છવાયા વાદળો ને ભેગા કર્યા અનિલે,
તે જ આજ ઝરમર ઝરમર વરસતાં લાગે.

અનિલ શુક્લ 
જુલાઈ-૨૦૧૫

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-505

 

અધ્યાય-૨૨૭-સ્કંદનું ઇન્દ્ર સાથે યુદ્ધ 


II मार्कण्डेय उवाच II ग्रहाः सोपग्र्हाश्चैव ऋषयो मातरस्तथा I हुताशन मुखाश्चैव दप्ताः पारिपदां गणाः II १ II

માર્કંડેય બોલ્યા-હવે,ગ્રહો,ઉપગ્રહો,ઋષિઓ,માતૃકાઓ,હુતાશન આદિ દેવો,પાર્ષદો ને અનેક સ્વર્ગનિવાસીઓ માતૃગણોની સાથે તે મહાસેન (સ્કંદ)ને વીંટળાઈને રહ્યાં.વિજયનો સંદેહ હોવા છતાં,ઇન્દ્ર,ઐરાવતની પર બેસીને,

ને વજ્ર ધારણ કરીને,તે સ્કંદનો વધ કરવાની ઇચ્છાએ નીકળ્યો.તેની સાથે 'દેવસેના' ચાલી રહી હતી.તે ઉગ્ર હતી ને મહાગર્જના કરતી હતી.ઇન્દ્ર વેગથી તે સ્કંદ (કાર્તિકેય) તરફ ચાલી રહ્યો.