Feb 18, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-099

 
અધ્યાય-૧૦૬-ધૃતરાષ્ટ્ર,પાંડુ તથા વિદુરની ઉત્પત્તિ 

II वैशंपायन उवाच II ततः सत्यवती काले वधूं स्नातामृतौ तदा I संवेशयन्ति शयने शनैर्वचन मव्रवित् II १ II

વૈશંપાયન બોલ્યા-પછી,ઋતુકાળે સ્નાનશુદ્ધ થયેલી,પુત્રવધુને,શયનગૃહમાં પ્રવેશ કરાવતાં,સત્યવતી ધીરેથી બોલી-'હે કૌશલ્યા,તારા પતિનો એક ભાઈ છે,તે આજે તારા ગર્ભમાં પુત્રરૂપે પ્રવેશશે.તું એકચિત્તે તેની રાહ જોજે,મધરાતે તે આવશે જ' સાસુનું આવું વચન સાંભળી,કૌશલ્યા શય્યામાં સૂતી અને ભીષ્મ ને બીજા 

કુરુસિંહોનુ ચિંતન કરવા લાગી.દીવાઓ ઝગમગી રહ્યા હતા ત્યારે,વ્યાસજી શયનગૃહમાં પ્રવેશ્યા (1-4)

Feb 17, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-098

અધ્યાય-૧૦૫-વ્યાસથી વંશવૃદ્ધિ 


II  भीष्म उवाच II पुनर्भरतवंशस्य हेतुं संतानवृद्धये I वक्ष्यामि नियतं मातस्तन्मे निगदतः शृणु II १ II

ભીષ્મ બોલ્યા-હે માતા,ભરતવંશની સંતાનવૃદ્ધિ માટે,હું ફરીથી નિશ્ચિત હેતુ કહું છું,તે સાંભળો.કોઈ 

ગુણવાન બ્રાહ્મણને ધન આપીને નિમંત્રો,કે જે વિચિત્રવીર્યની પત્નીઓમાં પ્રજોત્પત્તિ કરશે.(1-2)

Feb 16, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-097

અધ્યાય-૧૦૪-ભીષ્મએ કહેલી દીર્ઘતમાની કથા 

(કોઈ કોઈ આવૃત્તિઓમાં આ ઉપ-આખ્યાન આપણું નથી,આ અધ્યાય આ આવૃત્તિમાં  વધારાનો મુકેલ છે)


II  भीष्म उवाच II जामदग्नेय रामेण पित्रुर्वधममृप्यता I राजा परशुना पूर्व हैहयाधिपतिर्हतः II १ II

ભીષ્મ બોલ્યા-પૂર્વે,પિતાના થયેલા વધને સાંખી ન શકવાથી,જમદગ્નિના પુત્ર પરશુરામે,હૈહયોના અધિપતિ 

રાજા(સહસ્ત્રાર્જુન)ને પરશુથી હણી નાખ્યો હતો.તે સહસ્ત્રાર્જુનના હજાર હાથ કાપી નાખી,તેમણે,

આ લોકમાં અતિ દુષ્કર ધર્મ આચર્યો હતો.વળી,તેમણે ધનુષ્ય હાથમાં લઇ,રથમાં બેસી,

મહા અસ્ત્રો છોડીને,પૃત્વીને જીતતાં,ક્ષત્રિયોનો એકવીશ વાર નાશ કર્યો હતો.

Feb 15, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-096

 

અધ્યાય-૧૦૩-વંશવૃદ્ધિ માટે સત્યવતી ને ભીષ્મનો સંવાદ 


II वैशंपायन उवाच II ततः सत्यवती दीना कृपणा पुत्रगृद्धिनी I पुत्रस्य कृत्वा कार्याणि स्नुपाम्यां सह भारत II १ II

વૈશંપાયન બોલ્યા-હે ભારત,પછી,પુત્રની ઈચ્છાવાળી,દિન અને કૃપણ થયેલી,સત્યવતીએ,પુત્રવધૂઓ સાથે પુત્રની પારલૌકિક ક્રિયાઓ કરી અને બંને વહુઓ ને ભીષ્મને આશ્વાસન આપ્યું ને પિતૃવંશ-માતૃવંશ ને ધર્મની તરફ દ્રષ્ટિ રાખીને ભીષ્મને કહ્યું કે-'ધર્મપરાયણ શાંતનુની કીર્તિ,પિંડ ને વંશવર્ધનને હવે તારો જ આધાર છે.

હે ધર્મજ્ઞ,તું વેદો ને શાસ્ત્રોને જાણે છે,સત્યપ્રિય છે,ધર્મ વિશે તારો નિર્ણય અચળ છે,તારો કુલાચાર શ્રેષ્ઠ છે ને

વિપત્તિમાં શુક્ર ને બૃહસ્પતિ જેવું તારું કર્તવ્યજ્ઞાન છે તે હું જાણું છું,આથી તારામાં પૂરો વિશ્વાસ રાખીને,

હું તને એક કાર્યમાં યોજ્યુ છું-તે સાંભળીને તારે તેમ કરવું જોઈએ તેમ હું માનું છું.'(1-7)

Feb 14, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-095

અધ્યાય-૧૦૧-ચિત્રાંગદનું મૃત્યુ ને વિચિત્રવીર્યને રાજ્યપ્રાપ્તિ 


II वैशंपायन उवाच II ततो विवाहे निर्वुत्ते,स राज शान्तनुर्नृपः I तां कन्यां रूपसंपन्नां स्वगृहे संन्यवेशयत II १ II

વૈશંપાયન બોલ્યા-પછી,લગ્ન થયાં,અને શાંતનુએ તે રૂપ સંપન્ન કન્યાને પોતાના ઘરમાં નિવાસ આપ્યો.

સમય થયે,તે સત્યવતીમાં,ચિત્રાંગદ ને વિચિત્રવીર્ય નામના ને પુત્રોનો જન્મ થયો.

વિચિત્રવીર્ય,હજુ યુવાનીમાં આવે તે પહેલા જ શાંતનુ રાજા કાળધર્મને પામ્યો હતો.(1-4)

Feb 13, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-094


શાંતનુ બોલ્યો-હે દાશરાજ,તમે જે વરદાન માગવા ઈચ્છો છો,તે સાંભળીને હું વિચાર કરીશ,ને પછી જે તો 

આપવા યોગ્ય હશે તો આપીશ ને જો આપવા જેવો નહિ હોય તો કોઈ પણ રીતે આપીશ નહિ.

દાશ બોલ્યો-હે પૃથ્વીપતિ,આ કન્યામાં જે પુત્ર જન્મે,તેનો તમારા પછી રાજા તરીકે અભિષેક કરવો.

બીજા કોઈનો નહિ,એવી મારી શરત છે,તો એવો વર મને આપો 

Feb 11, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-093

 
અધ્યાય-૧૦૦-ભીષ્મપ્રતિજ્ઞા-તથા શાંતનુને સત્યવતીની પ્રાપ્તિ 

II वैशंपायन उवाच II स राजा शान्तनुर्धिमान देवराजर्षिसत्कृतः I धर्मात्मा सर्वलोकेषु सत्यवागिति विश्रुतः II १ II

વૈશંપાયન બોલ્યા-દેવો અને રાજર્ષિઓથી સત્કારાયેલો,તે બુદ્ધિમાન શાંતનુ રાજા,સર્વલોકમાં ધર્માત્મા અને સત્યવાદી તરીકે વિખ્યાત થયો હતો.ઇન્દ્રિયનિગ્રહ,દાન,ક્ષમા,બુદ્ધિ,લજ્જા,ધૃતિ અને તેજ-એ સર્વ ગુણોથી તે 

યુક્ત હતો.ધર્મ અને અર્થમાં કુશળ એવો તે ગુણસંપન્ન રાજા ભરતવંશનો ને સર્વ જનોનો સંરક્ષક હતો.(1-3)

Feb 10, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-092

અધ્યાય-૯૯-વસુઓને થયેલા શાપનું વર્ણન 


II शान्तनुरुवाच II आपवो नाम कोन्वेप वसूनां किंच दुष्कृतं I यस्याभिशापात्ते सर्वे मानुषीं योनिमागता  II १ II

શાંતનુ બોલ્યા-એ આપવ (વસિષ્ઠ) નામે (ઋષિ) કોણ હતા?વસુઓ તો સર્વ લોકના ઈશ્વરો છે,પણ તેમણે,

એવો તો શો અપરાધ કર્યો હતો કે તેમના શાપથી,તેઓએ મનુષ્યયોનિમાં આવવું પડ્યું? તે કહે (1-3)

Feb 9, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-091

અધ્યાય-૯૮-ભીષ્મની ઉત્પત્તિ 


II वैशंपायन उवाच II एत्च्छ्रुत्वा वचो राज्ञः सस्मितं मृदु वल्गु च I वसूनां समयं स्मृत्याथाम्याग्च्छद्निन्दिता  II १ II

વૈશંપાયન બોલ્યા-રાજાનું એવું મૃદુ,મનોહર અને સ્મિતયુક્ત વચન સાંભળીને તે આનંદિત ગંગા,

વસુઓના વચન સંભાળીને રાજની પાસે આવી અને તેના મનને પ્રસન્ન કરતી વાણીમાં બોલી કે-

'હે મહીપાલ,હું તમારી અધીન પટરાણી થઈશ,પણ મારી શરત છે કે-હું જે કાંઈ શુભ કે અશુભ કરું,તેમાં તમારે 

મને વારવી નહિ,તેમ જ મને કશું અપ્રિય કહેવું નહિ,હે રાજન,તમે જો આ રીતે વર્તશો તો હું તમારી સાથે રહીશ,

પણ જયારે તમે રોકશો કે અપ્રિય કહેશો ત્યારે હું તમને અવશ્ય ત્યજી દઈશ' 

શાંતનુએ કહ્યું કે-'ભલે તેમ જ હો' ને આમ,શાંતનુને પામીને ગંગા અપાર આનંદ પામી (1-5)

Feb 8, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-090

 
અધ્યાય-૯૭-શાંતનુ રાજાને ગંગાજીનો મેળાપ 

II वैशंपायन उवाच II ततः प्रतीपो राजासित्सर्वभूतहितः सदा I निपसाद समावहिर्गगा द्वारमतो जपन्  II १ II

વૈશંપાયન બોલ્યા-ભૂતમાત્રના કલ્યાણમાં તત્પર રહેલો રાજા પ્રતીપ,ગંગા દ્વારે વસીને,અનેક વર્ષો સુધી તપ 

કરતો બેઠો હતો.ત્યારે એક વખતે,અત્યંત આકર્ષક રૂપવતી ગંગા,સ્ત્રીરૂપ ધરીને બહાર આવી,

ને તે રાજર્ષિની શાલવૃક્ષના જેવી જમણી જાંઘ પર બેઠી,ત્યારે પ્રતીપે તેને પૂછ્યું કે-

હે કલ્યાણી,હું તારું શું પ્રિય કરું? તારી ઈચ્છા શી છે?તે મને કહે. (1-4)

Feb 7, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-089

અધ્યાય-૯૬-શાંતનુ રાજાનું ઉપાખ્યાન(મહાભારત કથાની શરૂઆત) 


II वैशंपायन उवाच II इक्ष्वाकुवंशप्रभवो राजासीत्पृथिवीयतिः I महाभिप इति ख्यातः सत्यवाक् सत्यविक्रमः II १ II

વૈશંપાયન બોલ્યા-ઇક્ષ્વાકુ વંશમાં મહાભિષ નામે એક સત્યવચની અને પરાક્રમી પૃથ્વીપતિ રાજા હતો,તેણે એક હજાર અશ્વમેઘ યજ્ઞો ને સો રાજસૂય યજ્ઞોથી ઇન્દ્રને પ્રસન્ન કરી સ્વર્ગલોકને પામ્યો હતો.(1-2)

કોઈ એકવાર,દેવો,બ્રહ્માજીની ઉપાસના કરી રહ્યા હતા,ત્યારે ગંગાજી ત્યાં આવ્યાં,તે વખતે,ચંદ્રકાંતિ જેવું તેમનું વસ્ત્ર પવનથી ઉડી ગયું,તેથી દેવગણો એકદમ નીચું જોઈ ગયા,પણ મહાભિષ,ગંગાને જોઈ રહ્યા હતા,

તેમને આમ કરતા જોઈને બ્રહ્માજીએ મહાભિષને કહ્યું કે-'તું મનુષ્યલોકમાં જન્મીને,

ફરી પાછો સ્વર્ગલોકને પામીશ,હે દુર્બુદ્ધિ,જે ગંગાથી તારું મન હરાયું છે,

તે ગંગા.મનુષ્યલોકમાં તારું અપ્રિય કરશે,તને જયારે ક્રોધ ઉત્પન્ન થશે ત્યારે તું શાપ મુક્ત થશે.(3-8)

Feb 6, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-088

 પણ,વિચિત્રવીર્ય,અપુત્ર જ મરી ગયો,એટલે સત્યવતીએ વિચાર્યું કે વંશનો નાશ થવો ન જોઈએ,તેથી,

તેણે,(પરાશર મુનિથી થયેલા પોતાના પુત્ર) વ્યાસજીનું સ્મરણ કરી તેમને  બોલાવીને કહ્યું કે-

'તારો ભાઈ વિચિત્રવીર્ય,અપુત્ર જ સ્વર્ગવાસી થયો છે તો તું તેની સ્ત્રીમાં સારી પ્રજા ઉત્પન્ન કર'

'બહુ સારું' એમાં કહીને વ્યાસ મુનિએ ધૃતરાષ્ટ્ર,પાંડુ ને વિદુર એ ત્રણ પુત્રો ઉત્પન્ન કર્યા.જ્યેષ્ઠ પુત્ર 

(અંધ) ધૃતરાષ્ટ્રને ગાંધારીથી સો પુત્રો થયા,જેમાં દુર્યોધન,દુઃશાસન,વિકર્ણ અને ચિત્રસેન-મુખ્ય હતા.

Feb 5, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-087

 
અધ્યાય-૯૫-પૂરુવંશનું વિશિષ્ટ વર્ણન (મહાભારતનાં પાત્રો)

II जनमेजय उवाच II श्रुतस्तवतो मया ब्रह्मन् पूर्वेषां संभवो महान् I उदाराश्वापि वंशेSस्मिन् राजानो मे परिश्रुताः II १ II

જન્મેજય બોલ્યા-હે બ્રહ્મન,તમારી પાસેથી,મેં પૂર્વ (પૂરૂવંશના) પુરુષોની જન્મવાર્તા ને એ વંશમાં થયેલા રાજાઓ વિશે સાંભળ્યું,પણ એ આખ્યાન સંક્ષિપ્ત અર્થમાં હોઈ મને પૂરી તૃપ્તિ આપતું નથી.તો તમે મને પ્રજાપતિથી માંડીને મનુની એ દિવ્યકથા ફરીથી કહો.આ પાવનકારી કથા સાંભળતાં મને તૃપ્તિ થતી નથી (1-5)

Feb 4, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-086

 
અધ્યાય-૯૪-પૂરુ(પૌરવ)વંશનું વર્ણન 

II जनमेजय उवाच II भगवन् श्रोतुमिच्छामि पूरोवंशकरानृपान I यद्विर्यान यादशांश्वापि यावतो यत्पराक्रमान् II १ II

જન્મેજય બોલ્યા-હે ભગવન,પૂરૂવંશ ચલાવનારા રાજાઓ વિષે હું સાંભળવા ઈચ્છું છું.તેઓ કેવા હતા?

કેવા વીર્યવાન ને પરાક્રમી હતા? કેટલા હતા? તેમનામાં કોઈ રાજા શીલ વિનાનો કે નિઃસંતાન થયો નથી,

તો તે પ્રસિદ્ધ ચારિત્ર્યવાળા રાજાઓના ચરિત્રને હું વિસ્તારથી સાંભળવા ઈચ્છું છું (1-3)

Feb 3, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-085

અધ્યાય-૯૩-યયાતિને પુનઃ સ્વર્ગપ્રાપ્તિ 


II वसुमान उवाच II वसुमानौपद्श्विर्यध्यस्ति लोको दियि मे नरेन्द्र I 

यद्यंतरिश्वे प्रथितो महात्मन क्षेत्रज्ञं त्वां तस्य धर्मस्य मन्ये II १ II

વસુમાન બોલ્યો-હે નરેન્દ્ર,હું ઉષદશ્વનો પુત્ર વસુમાન,હું તમને ધર્મના જ્ઞાતા જાણું છું,

એટલે તમને પૂછું છું કે-સ્વર્ગ કે અંતરિક્ષમાં મારા માટે પ્રસિદ્ધ લોક છે કે ?

યયાતિ બોલ્યો-સૂર્યનારાયણ પોતાના તેજથી જે અંતરિક્ષ,પૃથ્વી અને દિશાઓના લોકોને

 પ્રકાશિત કરે છે,તેટલા.અનંત એવા પુણ્યલોકો સ્વર્ગમાં તમારી રાહ જુએ છે.(1-2)