Mar 11, 2024

અનાવરણ-નિર્ગુણ-બ્રહ્મ-By અનિલ શુક્લ

 

ભોળી ભરવાડણ,મારા ભોળા લાલાને કેવી તો ભોળવી નાખે,
માખણ નહિ,પણ વાટકો છાસ આપીને,લાલાને  થૈ-થૈ નચાવે.

નસીબ તો જુઓ,આ ભરવાડનાં,કાન્હાને કેવાં ટાંપાં કરાવે,
કદી,વજનદાર પાટલો ઉપાડતાં,કાન્હાનું પીતાંબર છૂટી જાયે.

ધન્ય છે,ગોપી તને,જ્ઞાનીઓ જે બ્રહ્મના દર્શન માટે મથે જાયે,
તે અનાવરણ-નિર્ગુણ-શૂન્ય બ્રહ્મનાં,તું અદભૂત દર્શન પાયે!!

અનિલ
ફેબ્રુઆરી-૧૪-૨૦૨૦
(રસખાનના કાવ્ય પરથી પ્રેરિત)


comments? OR you want to publish your poetery? or any article?

email me-anamiyogi@gmail.com

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-452

 

અધ્યાય-૧૬૧-પાંડવોને કુબેરનાં દર્શન 


II वैशंपायन उवाच II श्रुत्वा बहुविधैः शब्दैर्नध्यमानां गिरेर्गुहाम् I अजातशत्रुः कौन्तेयो माद्रीपुत्राषुनावपि II १ II

વૈશંપાયન બોલ્યા-અનેક પ્રકારના શબ્દોથી ગાજી રહેલી ગુફાઓને સાંભળીને અજાતશત્રુ કુંતીપુત્ર,માદ્રીનંદન નકુલ-સહદેવ,ધૌમ્ય,ને દ્રૌપદી આદિ સૌ,ભીમસેનને ન જોવાથી અત્યંત ખિન્ન થઇ ગયાં.પછી,આર્ષ્ટિષેણને દ્રૌપદીની

સાંપણી કરીને તે સર્વ શૂરા હથિયાર સજીને એકસાથે પર્વત પર ચડવા લાગ્યા.પર્વતની ટોચ પર તેમણે

ભીમસેન અને પ્રાણરહિત થયેલા રાક્ષસોને જોયા.ભાઈઓ ભીમને ભેટ્યા પછી યુધિષ્ઠિર બોલ્યા-

'હે ભીમ,તેં આ પાપ સાહસથી કે અજ્ઞાનથી કર્યું છે,તારે એવો વ્યર્થ વધ કરવો જોઈતો નહોતો.

તેં આ દેવોને દ્વેષ થાય તેવું કર્યું છે,તું જો મારુ પ્રિય ઈચ્છતો હૉય તો ફરીથી આવું ના કરતો'

Mar 10, 2024

જુલ્મી ન બનો પ્રભુ-By અનિલ શુક્લ

 

વળગી રહ્યો પ્રેમથી તને,ને ધારાઓ પ્રેમની વહી રહી,
ત્યારે સતાવો કેમ? બહુ સારું નથી !જુલ્મી ન બનો પ્રભુ !!

તમારે તો ઠીક,પણ અઘરું ઘણું છે,સંસારમાં રહેવાનું,
ત્યજી સંસારને આવ્યો,તો પાછો ફેંકી,જુલ્મી ન બનો પ્રભુ !!

સળગી રહી દુનિયા,તેમાં બળી હરવું-ફરવું મુશ્કેલ છે,
થોડાક તો પાસે રહેવા દો,ઠંડક છે,જુલ્મી ન બનો પ્રભુ !!

આપ્યું,તન,આપ્યું મન ને ધન પણ આપ્યું,ઉપકાર ઘણો,
શુદ્ધ કરી સર્વ,પાસ આવ્યો તો છટકી જુલ્મી ન બનો પ્રભુ !!

ડાળીએ ડાળીએ ઝુલતા અનિલને સ્થિરતા બક્ષી દીધી,
પરમાનંદમાં આંગળી ઘોંચી,બહુ જુલ્મી ન બનશો પ્રભુ!!

અડગ-ખડકની જેમ ઉભો છું,તો ઘોંચ-પરોણા કેમ?
થાય તે કરી લેજો,પણ રહેમ તો રાખજો,જુલ્મી ન બનો પ્રભુ!!

અનિલ
માર્ચ-૨૧,૨૦૨૦


comments? OR you want to publish your poetery? or any article?

email me-anamiyogi@gmail.com

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-451

 

અધ્યાય-૧૬૦-ભીમનું પરાક્રમ 


II जनमेजय उवाच II आर्ष्टिषेणाश्रमे तस्मिन्नम पूर्वपितामहा: I पाण्डोः पुत्रा महात्मनः सर्वे दिव्यपराक्रमाः II १ II

જન્મેજય ઉવાચ-મહત્તમ ને દિવ્ય પરાક્રમી એવા મારા પૂર્વ પિતામહો,ત્યાં કેટલો વખત રહ્યા હતા? ત્યાં તેમણે શું કર્યું? તેઓ શું ભોજન લેતા હતા? ભીમસેનને યક્ષો સાથે તો કશું થયું નહોતું ને? તેમને કુબેરનો મેળાપ થયો હતો?

હે તપોધન,આ સર્વ હું વિસ્તારથી સાંભળવા ઈચ્છું છું.પાંડવોનાં ચરિત્ર સાંભળતા મને તૃપ્તિ થતી નથી.(6)

Mar 9, 2024

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-450

 

અધ્યાય-૧૫૯-આર્ષ્ટિષેણ અને યુધિષ્ઠિરનો સંવાદ 


II वैशंपायन उवाच II युधिष्ठिरस्तमासाद्य तपसा दग्धकिल्विपम I अम्यवादयत प्रीतःशिरसा नाम कीर्तयेन II १ II

વૈશંપાયન બોલ્યા-તપથી જેમનાં પાપ ખાખ થઇ ગયાં હતાં,એવા તે આર્ષ્ટિષેણ પાસે જઈ યુધિષ્ઠિરે પોતાનું નામ કહ્યું ને તેમને પ્રીતિપૂર્વક મસ્તક નમાવીને વંદન કર્યું.પછી ભાઈઓ ને દ્રૌપદીએ પણ તેમને વંદન કર્યું ને સર્વ તેમને વીંટાઇને ઉભા રહ્યા.તે તપસ્વીએ પણ તેમનો સત્કાર કરીને તેમના કુશળ પૂછીને યુધિષ્ઠિરને કહ્યું-

'હે પાર્થ તમે અસત્ય પર ભાવ તો રાખતા ને? તમે ધર્મમાં જ પ્રવૃત્ત છોને? ગુરુઓ,વૃદ્ધિ આદિ સર્વને સન્માનો છો ને? પાપકર્મમાં તમને ક્યારેય મન નથી થતું ને? દાન,ધર્મ,શૌચ,સરળતા ને તિતિક્ષા રાખીને તમે બાપદાદાનું અનુકરણ કરો છોને? તમે રાજર્ષિઓ સેવેલા માર્ગે જાઓ છો ને? હે પૃથાનંદન,પિતા,માતા,અગ્નિ,ગુરુ ને આત્મા,

એમને જે પૂજે છે તે આ લોક ને પરલોકએ બંને પર વિજય મેળવે છે.(14)

Mar 8, 2024

સ્થિર અનિલ-By અનિલ શુક્લ

 

સળગી રહી ધૂણી,રાખના ઢગલે ઢગલા થયા,
તન પર થયા થર ભભૂતિના,વરસો વીતી ગયા.

વૈરાગી થયો મનવો,ને ભજનમાં જ લાગી ગયો,
સંસારમાં લોકને મળ્યે.જાણે,વરસો વીતી ગયા.

ગમે નહિ કશું કરવું,નાદ અનંતનો લાગી ગયો,
વહેવાનું બંધ થયે અનિલને,વરસો વીતી ગયા.

છંછેડો નહિ,રહેમ કરો,હલાવો કાં અનિલને?
સ્થિર થયે તેને તો જાણે,વરસો જ વીતી ગયા.

અનિલ
માર્ચ-૨૨-૨૦૨૦


comments? OR you want to publish your poetery? or any article?

email me-anamiyogi@gmail.com

શિવ-મહિમ્ન-સ્તોત્ર-ગુજરાતી-શબ્દાર્થ સાથે-Shiv Mahimna-Stotra-Gujarati-with translation PDF

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-449

 

યક્ષયુદ્ધ પર્વ 

અધ્યાય-૧૫૮-ગંધમાદનનું વર્ણન 


II वैशंपायन उवाच II निहते राक्षसे तस्मिन्पुनर्नारायणाश्रमम् I अभ्येत्य राजा कौन्तेयो निवासमकरोत्प्रभुः II १ II

વૈશંપાયન બોલ્યા-તે જટાસુર રાક્ષસને માર્યા પછી સમર્થ કુંતીનંદન ધર્મરાજે ફરી નરનારાયણના આશ્રમે આવી નિવાસ કર્યો.એકવાર તેમને અર્જુન સાંભરી આવ્યો ને તેથી તેમણે દ્રૌપદી ને સર્વ ભાઈઓને બોલાવીને કહ્યું-

'વનમાં ફરતાં ફરતાં આપણને ચાર વર્ષ થઇ ગયાં.અર્જુને આપણી સાથે સંકેત કર્યો હતો કે-તે પાંચમે વર્ષે ગિરિઓમાં શ્રેષ્ઠ એવા કૈલાસ પર્વત ઉપર આવીને આપણને મળશે.અસ્ત્રસિદ્ધિને પ્રાપ્ત કરીને દેવલોકમાંથી આ લોકમાં પાછો આવશે ત્યારે આપણે તેને ત્યાં જોઈશું.તો આપણે હવે કૈલાસ તરફ પ્રયાણ કરવું જોઈએ'

Mar 7, 2024

Purn Yog No Bhakti Yog-By Arvind-Gujarati Book

This book is for Archive and online reading only-not downloadable


આંખ ભીની-By અનિલ શુક્લ

 

હૃદયમાં બંધ થઇ,સુકાઈ ગયા હતા શું આંસુ?
થયું શું આજ એવું કે?આંખ ભીની થઇ ગઈ !

દુર તો ક્યાં હતા તમે? પણ નજરનો જ હતો દોષ,
તન્મયતા થઇ જ્યાં -તો આંખ ભીની થઇ ગઈ.

આવ્યાં જ છો જો તમે હૃદયથી નજર સુધી,
સ્વાગત છે તમારું દિલથી,આમ જ વહેતાં રહો.

ભલે,સમજે નહિ કોઈ,કે હું કેમ -શું લખી રહ્યો !
વહ્યો અનિલ,તુજ સંગ તો સુગંધ વહેતી રહી !

અનિલ
માર્ચ-૨૫-૨૦૨૦


comments? OR you want to publish your poetery? or any article?

email me-anamiyogi@gmail.com

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-448

જટાસુરવધ પર્વ 

અધ્યાય-૧૫૭-જટાસુરનો વધ 

II वैशंपायन उवाच II ततस्तान्यरिविश्वस्तान्वसतस्तत्र पांडवान् I पर्वतेन्द्रे द्विजैः सार्ध पार्थागमनकांक्षया II १ II

વૈશંપાયન બોલ્યા-હવે,અર્જુનના આગમનની વાટ જોતા તે પાંડવો,તે શ્રેષ્ઠ પર્વત પર બ્રાહ્મણોની સાથે નિર્ભયતાથી વસતા હતા.એવામાં એક વખતે,જયારે ઘટોત્કચ,રાક્ષસો તથા ભીમ બહાર ગયા હતા ત્યારે જટાસુર નામનો એક રાક્ષસ ત્યાં બ્રાહ્મણનો વેશ લઈને આવ્યો ને 'હું મંત્રકુશળ બ્રાહ્મણ છું ને સર્વ શાસ્ત્રોનો જાણકાર છું' એમ કહીને તેણે ધર્મરાજ,નકુલ,સહદેવ ને દ્રૌપદીનાં ચિત્ત હરી લીધાં,ને ત્યાં તે તેમની સેવા કરવા લાગ્યો.

હકીકતમાં તો તે પાંડવોના ધનુષ્યબાણો ઉપાડી જવાનું ને દ્રૌપદીનું હરણ કરવાની ઈચ્છા ધરાવતો હતો.

ભોળા ધર્મરાજ તેનું પોષણ કરતા હતા,પરંતુ રાખમાં ઢંકાયેલા અગ્નિની જેમ તેને ઓળખી શક્યા નહોતા.(6)

Mar 6, 2024

બેખબર-By અનિલ શુક્લ

 

જે રાખતો જગની ખબર,કોણ જાણે બન્યો છે કેમ એ બેખબર?
ખબર રાખી નહિ,કે ભૂલ્યા તને,કે બીજું કારણ? ઓ બેખબર?

થયું હતું બેહોશ ને હોશમાં આવે તે પહેલાં બેહોશ કર્યું જગતને,
હોશમાં હોય કોઈ,તો ખબર જગની બેહાલીના દેશો એ બેખબરને?

અનિલ
એપ્રિલ,૧૮,૨૦૨૦-Corona Virus Pandemic


comments? OR you want to publish your poetery? or any article?

email me-anamiyogi@gmail.com

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-447

 

અધ્યાય-૧૫૬-પાંડવો નરનારાયણના આશ્રમે 


II वैशंपायन उवाच II तस्मिन्निवसमानोSय धर्मराजो युधिष्ठिरः I कृष्णया सहितान्भ्रात्रुनित्युवाच सह्द्विजान्  II १ II

વૈશંપાયન બોલ્યા-તે સ્થાને નિવાસ કરી રહેલા ધર્મરાજે,દ્રૌપદી તથા બ્રાહ્મણોની સાથે પોતાના ભાઈઓને કહ્યું કે-

આપણે જુદાંજુદાં પવિત્ર ને કલ્યાણકારી તીર્થોને જોયાં,ત્યાં અને વનોમાં ઋષિઓને મળી તેમનું પૂજન કર્યું,

તેમણે કહેલાં ચરિત્રો ને કથાઓ આપણે સાંભળી,પવિત્ર તીર્થોમાં આપણે દેવોને અને પિતૃઓને તૃપ્ત કર્યા છે.

મહાત્માઓ સાથે આપણે રમ્ય પર્વતો પર સર્વ સરોવરોમાં અને સાગરમાં સ્નાન કર્યા ને અનેક પવિત્ર નદીઓમાં પણ સ્નાન કર્યા છે.ગંગાદ્વારને ઓળંગીને આપણે હિમાલય પર્વત,વિશાલ બદ્રી ને નરનારાયણનો આશ્રમ જોયો.

Mar 5, 2024

કર્મ-સન્યાસ-By અનિલ શુક્લ

 

રસ્તો રહ્યો નથી,રસ્તો જ મંજિલ થઇ ગયો,
નથી રહી ઈચ્છા,પૂર્ણ બની પૂર્ણમય થઇ ગઈ.

ધ્યાતા,ધ્યાનના રસ્તે વહ્યો હતો ધ્યેય પ્રતિ,
ત્રિપુટી તૂટી અને માત્ર ધ્યેય સર્વત્ર વહી રહ્યો.

વસ્ત્ર-સન્યાસ નહિ,પણ કર્મ-સન્યાસ થઈ ગયો,
વહેતો અનિલ,સ્થિર થઇ આકાશમાં વસી રહ્યો..

અનિલ
એપ્રિલ,૨૩.૨૦૨૦


comments? OR you want to publish your poetery? or any article?

email me-anamiyogi@gmail.com

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-446

 

અધ્યાય-૧૫૫-પાંડવો ભીમને મળ્યા 


II वैशंपायन उवाच II ततस्तानि महार्हाणि दिव्यानि भरतर्षम I बहूनि बहुरूपाणि विरजासि समाह्रुदे II १ II

વૈશંપાયન બોલ્યા-હે ભરતોત્તમ,પછી,ભીમે તે મહામૂલ્યવાન,દિવ્ય,અનેક રૂપવાળા અને નિર્મળ એવાં ઘણાં કમળો લીધાં.ભીમ જયારે આ પરાક્રમ કરતો હતો ત્યારે યુધિષ્ઠિરના નિવાસસ્થાનમાં પ્રચંડ પવન વાવા લાગ્યો.

ત્યારે મોટી ઉલ્કાઓ કડાકા સાથે પાડવા લાગી ને અંધકાર છવાઈ ગયો.ઉત્પાતોને આ આશ્ચર્ય જોઈને યુધિષ્ઠિર બોલ્યા કે-શું આપણા પર કોઈ ચડી આવશે કે શું? સર્વ સજ્જ થાઓ,આપણે પરાક્રમ કરવાનો સમય આવી ગયો હોય તેમ લાગે છે' યુધિષ્ઠિરે ચારે તરફ દ્રષ્ટિ કરી પણ ભીમ જોવામાં ન આવ્યો એટલે તેમણે કૃષ્ણાને પૂછ્યું.કે-