Nov 18, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-985

 

અધ્યાય-૧૦૨-ભીમનું પરાક્રમ 


॥ धृतराष्ट्र उवाच ॥ कथं द्रोणे महेष्वासः पांडवश्च धनंजयः I समोयेतुरणे यतौ तावुभौ पुरुशर्षभौ ॥१॥ 

ધૃતરાષ્ટ્રે પૂછ્યું-મહાધનુર્ધર દ્રોણાચાર્ય અને અર્જુન એ બંને પુરુષશ્રેષ્ઠો રણસંગ્રામ કરવા કેવી રીતે સજ્જ થયા? દ્રોણાચાર્યને અર્જુન હંમેશાં પ્રિય હતો,તેમ જ અર્જુનને પોતાના ગુરુ દ્રોણાચાર્ય અત્યંત પ્રિય હતા તો પછી સિંહની જેમ ઉત્કટ થયેલા તે બંને મહારથીઓ હર્ષમાં આવી જઈને યુદ્ધ કરવા સામસામા કેવી રીતે સજ્જ થયા? તે મને કહે.

Nov 17, 2025

ભાગવત રહસ્ય-૧-ભાગવત માહત્મ્ય-Bhgavat Rahasya-1


ભાગવત માહાત્મ્ય

પરમાત્મા ના દર્શન કરવાથી માનવ જન્મ સફળ થાય છે.મનુષ્ય જન્મ પ્રભુને પ્રાપ્ત કરવા માટે છે.પ્રભુએ કૃપા કરી માત્ર માનવને જ એક એવી શક્તિ (બુદ્ધિ) આપી છે કે –જો માનવ આ બુદ્ધિનો સદુપયોગ કરી,વિવેકથી (સંયમથી),પવિત્ર જીવન ગાળે તો....મરતાં પહેલા તેને જરૂર પરમાત્મા ના દર્શન થાય...........
માત્ર માનવમાં જ બુદ્ધિ-શક્તિ હોવાથી તે આત્મ-સ્વરૂપને પરમાત્મ-સ્વરૂપને ઓળખી લઇ,પરમાત્માના દર્શન કરી શકે છે.માનવ ધારે તો પાપ છોડી શકે છે.પણ પશુ પાપ છોડી શકતા નથી.પશુ પાપ કરે છે, પણ તેમને-અજ્ઞાન-હોવાથી,પરમાત્મા તેના પાપ માફ કરે છે.

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-984

 

અધ્યાય-૧૦૧-નવમો દિવસ (ચાલુ) અલંબુશ તથા અભિમન્યુની ઝપાઝપી 


॥ धृतराष्ट्र उवाच ॥ आर्जुनिं समरे शूरं विनिघ्नन्तं महारथान I अलम्बुष: कथं युद्धे प्रत्ययुध्यत संजय ॥१॥ 

ધૃતરાષ્ટ્રે પૂછ્યું-હે સંજય,એ યુદ્ધમાં અભિમન્યુ સામે તે રાક્ષસ અલંબુશે કેવી રીતે યુદ્ધ કર્યું?વળી,એ યુદ્ધમાં 

મારાં સૈન્યોએ શું કર્યું? અર્જુન-આદિ પાંડવોએ કેવું યુદ્ધ કર્યું? તે સર્વ મને કહી સંભળાવ,તું બહુ જ કુશળ છે.

Nov 16, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-983

 

અધ્યાય-૧૦૦-નવમો દિવસ (ચાલુ) અભિમન્યુનો ઝપાટો 


॥ संजय उवाच ॥ अभिमन्यु रथोदारः पिशन्गैस्तुरगौतमेः I अभिदुद्राव तेजस्वी दुर्योधनबलंमहत् ॥१॥

મહારથી ને તેજસ્વી અભિમન્યુ,પીળા રંગના ઉત્તમ ઘોડાઓવાળા રથમાં બેસીને દુર્યોધનના મહાન સૈન્ય સામે ધસી આવ્યો.બાણોનો વરસાદ વરસાવતા,તેને કોઈ પણ યોદ્ધાઓ અટકાવી શક્યા નહિ.તે અર્જુનપુત્ર,રથીઓ સહીત રથોને,ઘોડેસ્વારો સહીત ઘોડાઓને ને માવતો સહીત હાથીઓને મારી તોડી પાડતો હતો.જેમ,વાયુ રૂના ઢગલાને ચારે બાજુ ઉરાડી મૂકે તેમ,તે અભિમન્યુએ તમારા સૈન્યોને ચારે દિશામાં નસાડી મૂક્યાં.તેને કોઈ પણ યોદ્ધાઓ સહન કરી શક્યા નહિ.કૃપ,દ્રોણ,અશ્વત્થામા,બૃહદબલ અને જયદ્રથને મોહ પમાડી દઈ,ઘણી ઝડપથી અભિમન્યુ સૈન્યમાં ઘૂમી રહ્યો હતો.

Nov 15, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-982

 

અધ્યાય-૯૯-નવમો દિવસ-વ્યૂહરચના 


॥ संजय उवाच ॥ ततः शांतनवो भीष्मो निर्ययौ सहसेनया I व्यूहं चाव्युहत महत्सर्वतो भद्र्मात्मनः ॥१॥

સંજયે કહ્યું-પછી,શાન્તનુકુમાર ભીષ્મ,સૈન્ય સહિત આગળ નીકળ્યા.એ વેળા એમણે સર્વતોભદ્ર નામનો મહાવ્યૂહ રચ્યો હતો.

હે ભારત,કૃપાચાર્ય,કૃતવર્મા,શૈલ્ય,શકુનિ,જયદ્રથ,સુદક્ષિણ અને તમારા પુત્રો સહીત ભીષ્મ-એ બધા સર્વ સૈન્યોની આગળ થઈને વ્યુહના મોખરામાં ઉભા રહ્યા.તેમ જ દ્રોણ,ભૂરિશ્રવા,શલ્ય ને ભગદત્ત જમણા પડખાંનો આશ્રય કરી ઉભા રહ્યા.અશ્વત્થામા,સોમદત્ત અને અવંતિના બે કુમારો મોટી સેનાને સાથે રાખી વ્યુહના ડાબા પડખે ઉભા રહ્યા હતા.ત્રિગર્તોથી વીંટાયેલો દુર્યોધન વ્યુહના મધ્ય ભાગમાં આવી પાંડવો સામે ઉભો રહ્યો.અલંબુશ ને સૃતાયુષ સર્વ સૈન્યની પાછળ ઉભા રહ્યા.

Nov 14, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-981

 

અધ્યાય-૯૮-દુર્યોધન પ્રત્યે ભીષ્મવચન 


॥ संजय उवाच ॥ वाक्शल्यैस्तव पुत्रेण सोतिविद्वो महामनाः I दुःखेन महाविष्टो नोवाचाप्रियमन्वपि हता ॥१॥

સંજયે કહ્યું-તમારા પુત્રનાં વચનબાણથી અત્યંત વીંધાયેલા ઉદાર મનવાળા ભીષ્મપિતામહને ઘણું દુઃખ લાગ્યું,પણ તેમણે જરા પણ અપ્રિય વચન કહ્યું નહિ.દુઃખ અને ક્રોધથી યુક્ત થયેલા પિતામહે સર્પની જેમ નિશ્વાસ નાખી લાંબા કાળ સુધી વિચાર કર્યો ને પછી દુર્યોધનને કહ્યું કે-'હે દુર્યોધન,તું શા માટે મને વચનબાણથી વીંધી નાખે છે?હું યથાશક્તિ યુદ્ધમાં જોડાયો છું,હંમેશા તારું પ્રિય કરું છું ને પ્રાણોની આહુતિ આપવા તૈયાર થયો છું.પરંતુ શૂરવીર અર્જુને યુદ્ધમાં ઇન્દ્રનો પણ પરાજય કરીને ખાંડવવનમાં અગ્નિને તૃપ્ત કર્યો હતો તે જ તેના અજિતપણા માટે સંપૂર્ણ પ્રમાણ છે.

Nov 13, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-980

 

અધ્યાય-૯૭-દુર્યોધનની ચિંતા-અને ભીષ્મ પ્રત્યે પ્રાર્થના 


॥ संजय उवाच ॥ ततो दुर्योधनो राजा शकुनिश्चापि सौबलः I दुःशासनश्वाचत्रस्ते सुत्पुत्र्श्चदुर्जयः ॥१॥

સંજયે કહ્યું-હે મહારાજ,તે રાત્રિમાં દુર્યોધન,શકુનિ,દુઃશાસન અને કર્ણ એકઠા મળીને વિચાર કરવા લાગ્યા કે-'આ યુદ્ધમાં પાંડવોને તેમના અનુયાયીઓ સહીત કેવી રીતે જીતવા?' દુર્યોધન,કર્ણ અને શકુનિને ઉદ્દેશીને કહેવા લાગ્યો કે-'ભીષ્મ,દ્રોણ,કૃપ,શલ્ય ને ભૂરિશ્રવા-એ મહાન યોદ્ધાઓ આ યુદ્ધમાં કયા કારણથી પાંડવોનો વધ કરી શકતા નથી,તેનું કારણ મને જાણવામાં આવતું નથી.પાંડવોનો નાશ થતો નથી અને મારા સૈન્યનો નાશ થતો જાય છે.દેવોથી પણ ન મારી શકાય તેવા પાંડવોએ મને હરાવી દીધો છે,તો મને સંશય છે કે હું તેઓની સાથે કેવી રીતે યુદ્ધ કરી શકીશ?


કર્ણે કહ્યું-હે દુર્યોધન,તમે શોક ન કરો.હું તમારું પ્રિય કરીશ.ભીષ્મને આ સંગ્રામમાંથી ખસવા દ્યો.તેઓ જયારે શસ્ત્રોનો ત્યાગ કરશે ત્યારે એ ભીષ્મના દેખતાં પાંડવોનો ને સર્વ સોમકોનો હું નાશ કરીશ,એ હું સત્ય પ્રતિજ્ઞા કરીને કહું છું.ભીષ્મ હંમેશાં પાંડવો પર દયા રાખે છે ને એ પાંડવોને જીતવા,તે ભીષ્મ અશક્ત પણ છે.વળી,એ રણમાં અભિમાન ધરાવનાર છે,તેમને હંમેશા યુદ્ધ કરવું ઘણું પ્રિય લાગે છે.હે ભારત,તમે ભીષ્મના તંબુમાં જાઓ અને તેમને સમજાવીને તેમની પાસેથી શસ્ત્રો છોડાવી દ્યો.પછી,હું એકલો જ તે પાંડવોનો,મિત્રો,અનુનાયીઓ અને બાંધવો સહીત નાશ કરીશ-તે તમે જો જો'


કર્ણના વચનથી,દુર્યોધન,ઘોડા પર બેસીને ભીષ્મના તંબુમાં જવા નીકળ્યો ને ત્યાં પહોંચતા વેંત જ તે ઘોડા પરથી ઉતારી ભીષ્મ પાસે જઈને તેમને પ્રણામ કર્યા અને આંખમાં આંસુ લાવી તેમને કહેવા લાગ્યો કે-'હે પિતામહ,આ યુદ્ધમાં અમે તમારો આશરો કર્યો છે,કે જેથી ઇન્દ્રસહીત દેવો અથવા અસુરોને જીતવા માટે ઉત્સાહ ધરાવીએ છીએ તો પાંડવોને અને તેમના મિત્રોને જીતીએ તેમાં શું નવાઈ છે? તમે મારા પર કૃપા કરવા યોગ્ય છે અને જેમ ઇન્દ્રે દાનવોનો સંહાર કર્યો હતો તેમ તમે પાંડવોનો નાશ કરો.


હે મહારાજ 'હું સર્વ સોમકોને,કેકય સહીત,પાંચાલોને તથા કરુષોને મારી નાખીશ' એ પૂર્વે કહેલાં વચનોને હવે સત્ય કરો.ને તેમને હણીને સત્યવચની થાઓ.હે પ્રભો,પાંડવો પર દયાથી ને મારા પ્રત્યે દ્વેષભાવથી કે મારા મંદ ભાગ્યથી તમે જાણે પાંડવોની રક્ષા કરતા હો તેમ મને લાગે છે.(જો આમ જ હોય) તો પછી,તમે રણસંગ્રામને શોભાવનાર કર્ણને યુદ્ધની આજ્ઞા આપો,કે જેથી તે કર્ણ જ આ યુદ્ધમાં પાંડવોને મારીને તેમને જીતશે.' આમ કહી તે મૌન ધારણ કરીને બેસી રહ્યો (43)

અધ્યાય-97-સમાપ્ત

Nov 12, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-979

 

અધ્યાય-૯૬-આઠમો દિવસ સમાપ્ત-ભયંકર રણભૂમિ 


॥ संजय उवाच ॥ पुत्रं विनिहतं श्रुत्वा इरावंतं धनंजयः I दुखेन भरताविष्टो निःश्चसन्पन्नगो यथा ॥१॥

સંજયે કહ્યું-પોતાના પુત્ર ઈરાવાનને યુદ્ધમાં માર્યો ગયેલો સાંભળી,મહાદુઃખી થયેલો અર્જુન સર્પની પેઠે નિશ્વાસ નાખવા લાગ્યો ને શ્રીકૃષ્ણને કહેવા લાગ્યો-'વિદુરે,'કૌરવો ને પાંડવોનો ભયંકર નાશ થશે'એમ પ્રથમથી જ નિશ્ચયપૂર્વક જોઈ લીધું હતું.આ યુદ્ધમાં આપણા અને તેઓના ઘણા વીરોનો નાશ થયો છે.માટે જે અર્થ (ધન) માટે આવું નિંદ્ય કર્મ કરાય છે તે અર્થને ધિક્કાર હજો.દુર્યોધન અને તેના દુષ્ટ સલાહકારોના વિચારોથી થયેલ આ યુદ્ધમાં બિચારા અનેક ક્ષત્રિયો માર્યા જાય છે.મરણ પામેલા આ ક્ષત્રિયોને જોઈને હું મારા આત્માને અતિ નિંદુ છું,મારા ક્ષત્રિય જીવતરને ધિક્કાર હો.જો કે આ બધા ક્ષત્રિયો,મને યુદ્ધ કરવામાં કાયર માનશે,આ જ્ઞાતિલાઓ સાથે મને યુદ્ધ કરવું લગાર પણ ગમતું નથી,છતાં આપના ઉપદેશને અનુસરીને હું યુદ્ધ કરવા તત્પર થાઉં છું,ચાલો જલ્દી કૌરવોની સેનાએ તરફ આપણો રથ હાંકો'

Nov 11, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-978

 

અધ્યાય-૯૫-આઠમો દિવસ (ચાલુ) ભીમ અને ભગદત્તનું યુદ્ધ 


॥ संजय उवाच ॥ तस्मिन्मति संक्रन्दे राज दुर्योधनस्तदा I गांगेयमृपसंगम्य विनयेनाभिवाद्य च ॥१॥

સંજયે કહ્યું-એ મહાન યુદ્ધ થઇ રહ્યું,ત્યારે રાજા દુર્યોધન,ભીષ્મ પાસે જઈને વિનયપૂર્વક પ્રણામ કરી,ઘટોત્કચનો વિજય અને પોતાનો પરાજય જે પ્રમાણે થયો હતો તે સઘળું કહીને તેમને કહેવા લાગ્યો કે-'હે પ્રભો,શત્રુઓએ જેમ વાસુદેવનો આશ્રય કરેલો છે તેમ મેં તમારો આશ્રય કરીને પાંડવો સામે આ ઘોર યુદ્ધ આરંભેલું છે.મારી સેના અને હું પોતે તમારી આજ્ઞાને આધીન છીએ.છતાં પણ ભીમ અને પાંડવોએ ઘટોત્કચનો આશ્રય કરીને મને યુદ્ધમાં હરાવ્યો છે તે મારા અંગોને બાળી મૂકે છે.

તમારી કૃપાથી હું પોતે જ એ રાક્ષસનો નાશ કરવા ઈચ્છું છું,તો મારાથી એ કામ બની શકે તેમ કરવા તમે યોગ્ય છો'

Nov 10, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-977

 

અધ્યાય-૯૪-આઠમો દિવસ (ચાલુ) ઘટોત્કચનું યુદ્ધ 


॥ संजय उवाच ॥ स्वसैन्यं निहतं द्रष्ट्वा राजा दुर्योधनः स्वयम् I अभ्यधावत संकृद्वो भीमसेनमरिंदमम ॥१॥

સંજયે કહ્યું-પોતાના સૈન્યને માર્યું ગયેલું ને ભાગતું જોઈને,દુર્યોધન પોતે ક્રોધાયમાન થઈને ભીમસેન તરફ દોડ્યો.ને મોટી બાણવૃષ્ટિ કરીને તેને ઢાંકી દીધો.વળી,અર્ધચંદ્રાકાર બાણને છોડીને તેના ધનુષ્યને છેદી નાખ્યું ને એ સમયનો લાભ લઈને તેણે પર્વતોને પણ તોડી નાખે તેવું તીક્ષ્ણ બાણ છોડીને ભીમની છાતી પર પ્રહાર કર્યો,કે જેનાથી વિંધાઈને વ્યથિત થયેલો ભીમ પોતાના ધ્વજને પકડીને ઉભો રહ્યો.ઉદાસ થયેલા ભીમને જોઈને ઘટોત્કચ અગ્નિની જેમ ક્રોધથી બળી ઉઠ્યો.ને તે અને  અભિમન્યુ તથા બીજા યોદ્ધાઓ ગર્જનાઓ કરતા દુર્યોધનની સામે દોડી ગયા.ક્રોધપૂર્વક ધસી આવતા તેમને જોઈને દ્રોણે બીજા મહારથીઓને દુર્યોધનનું રક્ષણ કરવાની આજ્ઞા કરી ને તે પોતે તથા ભૂરિશ્રવા,શલ્ય,અશ્વત્થામા-આદિ યોદ્ધાઓ દુર્યોધનને વીંટાઈ વળ્યા ને તુમુલ યુદ્ધની શરૂઆત થઇ.

Nov 9, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-976

 

અધ્યાય-૯૩-આઠમો દિવસ (ચાલુ) સંકુલયુદ્ધ 


॥ संजय उवाच ॥ विमुचोकृत्य सर्वास्तु तावकान्मुधिराक्षसः I जिधांसुर्भरतश्रेष्ठ दुर्योधनमुपाद्रवर ॥१॥

સંજયે કહ્યું-તે રાક્ષસ ઘટોત્કચ,તમારા સર્વ યોદ્ધાઓને પાછા હઠાવી દઈને દુર્યોધનને મારી નાખવાની ઈચ્છાથી તેની સામે વેગપૂર્વક ધસ્યો.તેને ધસી આવતો જોઈને તમારા પક્ષના મહારથીઓએ ફરી તેની સામે બાણોની વૃષ્ટિ કરીને તેને ચારે બાજુથી ઢાંકી દેવા લાગ્યા ને તેના પર બાણોથી પ્રહાર પણ કરવા લાગ્યા.તેમના પ્રહારથી વ્યથિત થયેલો તે રાક્ષસ આકાશમાં ઉડ્યો ને ભયંકર ગર્જનાઓ કરીને આકાશ,દિશાઓ અને વિદિશાઓને ગજાવી મૂક્યાં.એ ગર્જના સાંભળીને યુધિષ્ઠિરે ભીમને કહ્યું કે-

Nov 8, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-975

 

અધ્યાય-૯૨-આઠમો દિવસ (ચાલુ) ઘટોત્કચનું પરાક્રમ 


॥ संजय उवाच ॥ ततस्तद्राणवर्ष तु दुःसहंवानवैरपि I दधार युधि राजेन्द्रो यथावर्ष महाद्विपः ॥१॥

સંજયે કહ્યું-દાનવોને પણ સહન કરવાને અશક્ય એવી તે બાણવૃષ્ટિને,રાજેન્દ્ર દુર્યોધન,જેમ,મહાન હાથી મેઘવૃષ્ટિને સહન કરે તેમ,સહન કરી રહ્યો હતો.ક્રોધાવેશમાં આવેલો તે સર્પની જેમ શ્વાસોશ્વાસ લેતો,ને જીવિતના સંશયમાં આવી પડ્યો હતો.તે પછી,દુર્યોધને અત્યંત તીક્ષ્ણ પચીસ બાણો છોડ્યાં,કે જે બાણોના પ્રહારથી લોહીલુહાણ થયેલા ઘટોત્કચે દુર્યોધનના નાશનો વિચાર કરીને સામે વજ્રસમાન શક્તિને ઉગામી.તે શક્તિને જોઈને બંગદેશના રાજાએ ઘણી ઝડપથી પર્વત સમાન એક હાથીને વચ્ચે આડો ઉભો કરી દીધો.રાક્ષસે જેવી તે શક્તિ તે હાથી પર ફેંકી ત્યારે તે બળવાન મહાન હાથી મરણ પામ્યો.

Nov 7, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-974

 

અધ્યાય-૯૧-આઠમો દિવસ (ચાલુ) દુર્યોધન અને ઘટોત્કચનું યુદ્ધ 


॥ धृतराष्ट्र उवाच ॥ इरावंतं तु निहतं द्रष्ट्वा पार्था महारथाः I संग्रामे किमकुर्वत तन्ममाचक्ष्व संजय ॥१॥ 

ધૃતરાષ્ટ્રે પૂછ્યું-હે સંજય,એ સંગ્રામમાં અર્જુનના પુત્ર ઈરાવાનને માર્યો ગયેલો જોઈને પાંડવોએ શું કર્યું? તે કહે.

સંજયે કહ્યું-હે રાજા,ઈરાવાનને સંગ્રામમાં મરણ પામેલો જોઈને ભીમપુત્ર ઘટોત્કચ,મોટા શબ્દોથી ગર્જના કરવા લાગ્યો,જે સાંભળીને તમારા સૈન્યના યોદ્ધાઓના શરીરમાં કંપારી છૂટી ગઈ.તેમનાં મન દીન થઇ ગયાં ને આમતેમ નાસવા લાગ્યા.

ઘટોત્કચે તે પ્રમાણે ગર્જના કરીને હાથમાં ઝળહળતું ત્રિશુલ ઊંચું કરીને મહાભયંકર રૂપ ધારણ કર્યું.ને અનેક પ્રકારના હથિયારો અને સ્વરૂપો ધારણ કરનારા રાક્ષસોથી વીંટાઇને તેણે તમારા સૈન્યનો સંહાર કરવા માંડ્યો.

Nov 6, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-973

 

અધ્યાય-૯૦-આઠમો દિવસ (ચાલુ) અર્જુનપુત્ર ઈરાવાનનો વધ 

॥ संजय उवाच ॥ वर्तमाने तथा रौद्रे राजन वारंवारत्रये I शकुनिः सौबलः श्रीमान्पांडवान्समुपाद्रवम ॥१॥

સંજયે કહ્યું-હે રાજન,એ મહાન યોદ્ધાઓનો નાશ કરનાર સંગ્રામ થઇ રહ્યો હતો ત્યારે શકુનિ અને યદુવંશમાં જન્મેલો હાર્દિકય પણ પાંડવોની સેના સામે ધસી ગયો.કામ્બોજ દેશના અને બીજા અનેક દેશના રાજાઓ પણ પોતાની સેના સાથે પાંડવો સામે ધસી જઈને તેમનો ઘેરો ઘાલવા લાગ્યા.ત્યારે પાંડવો તરફે અર્જુનપુત્ર ઈરાવાન શસ્ત્રોથી સજ્જ થઈને તેમની સામે આવ્યો.એ અર્જુનનો પુત્ર મહાપરાક્રમી હતો ને તે નાગરાજ ઐરાવતની પુત્રીથી ઉત્પન્ન થયેલો હતો.જયારે ગરુડે,એ નાગપુત્રીના ધણીને મારી નાખ્યો હતો ત્યારે પોતાને કોઈ સંતાન નહિ હોવાથી તે અતિ શોકાતુર થઇ હતી,તેથી નાગરાજ ઐરાવતે એ પોતાની પુત્રીને અર્જુન સાથે પરણાવી હતી.આ અર્જુનનો પુત્ર ઈરાવાન પરક્ષેત્રમાં જન્મેલો હતો,ને એના દુષ્ટ કાકા અશ્વસેને અર્જુન પરના દ્વેષને લીધે તેનો ત્યાગ કર્યો હતો જેથી તેની માતાએ,તેને નાગલોકમાં રાખીને ઉછેર્યો હતો.એક વખતે જયારે અર્જુન સ્વર્ગલોકમાં ગયો છે તેમ ઈરાવાનના સાંભળવામાં આવ્યું ત્યારે તે ઇંદ્રલોકમાં ગયો હતો ને તે જયારે અર્જુનને મળ્યો ત્યારે અર્જુને પોતાના પુત્રને કહ્યું હતું કે-'જયારે અમારે યુદ્ધ કરવાનો પ્રસંગ થાય ત્યારે તારે અમને સહાય કરવી' એટલે અર્જુનને આપેલા વચનને સંભારીને ઈરાવાન અહીં યુદ્ધ કરવા આવ્યો છે.તે અનેક ઈચ્છા પ્રમાણે વેગવાળા ને વર્ણવાળા અનેક ઘોડાઓથી વીંટાયેલો છે.

Nov 5, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-972

 

અધ્યાય-૮૯-ભીમ,નકુલ અને સહદેવનું પરાક્રમ


॥ धृतराष्ट्र उवाच ॥ द्रष्ट्वा मे निहतान्त्पुत्रान् बहुनेकेन संजय I भीष्मो द्रोणः कृपश्चैव किमकुर्वत संयुगे ॥१॥ 

ધૃતરાષ્ટ્રે પૂછ્યું-હે સંજય,મારા ઘણા પુત્રોને એકલા ભીમસેને મારી નાખેલા જોઈને,ભીષ્મ,દ્રોણ અને કૃપે યુદ્ધમાં શું કર્યું? મારા પુત્રોનો ક્ષય થયા કરે છે તેથી મારે માનવું પડે છે કે તેઓ સર્વથા દુષ્ટ દૈવની ઈચ્છાથી જ માર્યા જાય છે.ભીષ્મ,દ્રોણઆદિ રણમાંથી પાછા ન હટે તેવા અનેક યોદ્ધાઓના મધ્યમાં રહેલા મારા પુત્રો જયારે સંગ્રામમાં માર્યા જાય છે એમાં ભાગ્ય સિવાય બીજું શું સમજવું? મંદબુદ્ધિ દુર્યોધને,મોહથી અમારું કહેવું માન્યું જ નહિ,તેથી જ આજે આ ફળ આવેલું છે.