સુરઘુ સ્વગત કહે છે કે -સંસાર પ્રત્યેની મારી દૃઢ આસક્તિઓ હવે ચાલી ગઈ છે.
ઉપાધિથી મુક્ત થઈને સ્થિર થયેલો છું.અને માટે જ સંસારના ભ્રમથી રહિત હોવાને લીધે,જગતમાં,જે જોવાનું હતું તે જોવાઈ ચુક્યું,અને જે પામવાનું હતું તે સંપૂર્ણ-પણે પમાઈ ચુક્યું.જગતમાં આ જે કઈ દૃશ્ય પદાર્થો જોવામાં આવે છે,તેમાંના કોઈ પણ અબાધિત છે જ નહિ.
ઉપાધિથી મુક્ત થઈને સ્થિર થયેલો છું.અને માટે જ સંસારના ભ્રમથી રહિત હોવાને લીધે,જગતમાં,જે જોવાનું હતું તે જોવાઈ ચુક્યું,અને જે પામવાનું હતું તે સંપૂર્ણ-પણે પમાઈ ચુક્યું.જગતમાં આ જે કઈ દૃશ્ય પદાર્થો જોવામાં આવે છે,તેમાંના કોઈ પણ અબાધિત છે જ નહિ.
(૧) માયાથી,જીવ-પણા-રૂપી-ભ્રમ,(૨) એ ભ્રમથી થયેલ,લિંગ-શરીર-રૂપી-ભ્રમ,
(૩) એ ભ્રમથી થયેલ બાહ્ય-વસ્તુઓ હોવાનો ભ્રમ (૪) અને એ ભ્રમ થી થયેલ જાગ્રત-સ્વપ્ન-રૂપી ભ્રમ,
એ વિના જગતનું સ્વરૂપ બીજું કંઈ નથી.