બ્રહ્મા કહે છે કે-જ્ઞાન એ જ મોક્ષ થવાનું કારણ છે અને જ્ઞાન વડે જ દુઃખનો સંપૂર્ણ નાશ થાય તેવો અનુભવ છે.કર્મો તો સ્વર્ગ-આદિ ભોગોની પ્રાપ્તિના વિનોદ માટે મનુષ્યને શુભ પ્રવૃત્તિ કરાવી,અને નરકમાં લઇ જનાર અનર્થોમાં ના જવા દઈને,શુભ કલ્યાણમાં જ તેનું આયુષ્ય પસાર થાય તેને માટે છે.
હે પુત્ર,જેઓ જ્ઞાન-દ્રષ્ટિને પહોંચી શકતા નથી, તેઓને માટે કર્મ-એ આનંદનું મુખ્ય સાધન છે,કેમ કે,બીજું કોઈ સારું વસ્ત્ર (જેમ કે પીતાંબર) ના મળે ત્યાં સુધી કંબલનો (ધાબળાનો) કોઈ ત્યાગ ના કરે !!