વિશ્વામિત્રે કહ્યું કે –હે રામ,ગંગાવતરણની કથા એ તમારા સૂર્યવંશની કથા છે.તપના માહાત્મ્યની કથા છે.સૂર્યવંશમાં પૂર્વે સગર રાજા થઇ ગયા.તેમને બે રાણીઓ હતી.મોટી રાણીના દીકરાનું નામ હતું અસમંજસ.અને નાની રાણી ને સાઠ હજાર પુત્રો હતા.પાટવીકુંવર અસમંજસ ક્રૂર નીવડ્યો હતો,તેથી રાજાએ તેને દેશનિકાલ કરી દીધો હતો પણ અસમંજસનો પુત્ર અંશુમાન દાદાની જોડે રહેતો હતો.
Aug 29, 2021
Aug 28, 2021
Gujarati-Ramayan-Rahasya-57-ગુજરાતી-રામાયણ-રહસ્ય-57
વિશ્વામિત્ર ના યજ્ઞનો ભંગ કરવા મારીચ આવ્યો છે,પણ એક દરવાજે ઉભેલા રામને જોઈ તેનું મન દ્ર્વ્યું એટલે બીજે દરવાજે ગયો ત્યાં પણ તેને રામ દેખાયા. યજ્ઞ મંડપના ચારે દરવાજે ગયો પણ દરેક દરવાજે રામના દર્શન થાય છે. એ વિચારમાં પડી ગયો કે-બધે એક જ જાતના બાળકો કેમ દેખાય છે? એ એક જ છે કે જુદા જુદા છે? જુદા જુદા હોય તો એક જેવા કેમ દેખાય છે?
Aug 27, 2021
Gujarati-Ramayan-Rahasya-56-ગુજરાતી-રામાયણ-રહસ્ય-56
ઈશ્વર તો અખંડ (સતત) જીવની સામે જોયા કરે છે,પણ જીવ ઈશ્વરની સામે જોતો નથી.શ્રીરામ તો જીવને અપનાવવા તૈયાર છે,પણ અભાગિયો જીવ ક્યાં તૈયાર છે?(એને ફુરસદ નથી) દેહના મિલનમાં સુખ નથી.જો દેહના મિલનમાં સુખ હોય તો મડદાને કોઈ કેમ ભેટતું નથી? મડદાને પણ હાથ,પગ,આંખ,કાન બધું છે!!પણ એમાં પ્રાણ નથી એટલે,એનું મિલન સુખદ નથી.એટલે એમ પણ કહી શકાય કે-દેહના મિલનથી નહિ પણ પ્રાણના મિલનથી સુખ છે.
પ્રાણના મિલનનો આનંદ થાય છે તો પ્રાણના યે પ્રાણ (ઈશ્વર)ના મિલનનો આનંદ કેવો હશે?
Aug 26, 2021
Gujarati-Ramayan-Rahasya-55-ગુજરાતી-રામાયણ-રહસ્ય-55
શ્રી રામને હાથે તાડકાનો વધ થયો અને તાડકાનો ઉદ્ધાર થયો.
પ્રભુની સામે થનારનો પણ પ્રભુ ઉદ્ધાર કરે છે.ભલે દુષ્ટ હોય પણ વિરોધ-ભાવે પણ તે મનમાં રામજીનું ચિંતન કરતો હોય છે,એટલે પ્રભુ તેનો પણ ઉદ્ધાર કરે છે.
કોઈ પણ ઉપાયે મન પ્રભુમાં પરોવવાનું છે. ભક્તો ભક્તિ-ભાવે અને દુષ્ટો વેર ભાવે,મન પ્રભુમાં પરોવે છે.પ્રભુના દરબારમાં સંતનું-ભક્તનું સ્થાન છે તેમ દુષ્ટનું પણ સ્થાન છે.સાધુઓ (ભક્તો)ના પરિત્રાણ (રક્ષણ) કાજે અને દુષ્ટોના વિનાશ માટે પ્રભુ અવતાર ધરે છે.એટલે એમના અવતાર-કાર્ય માટે દુષ્ટોની યે આવશ્યકતા હોય છે.
પ્રભુની સામે થનારનો પણ પ્રભુ ઉદ્ધાર કરે છે.ભલે દુષ્ટ હોય પણ વિરોધ-ભાવે પણ તે મનમાં રામજીનું ચિંતન કરતો હોય છે,એટલે પ્રભુ તેનો પણ ઉદ્ધાર કરે છે.
કોઈ પણ ઉપાયે મન પ્રભુમાં પરોવવાનું છે. ભક્તો ભક્તિ-ભાવે અને દુષ્ટો વેર ભાવે,મન પ્રભુમાં પરોવે છે.પ્રભુના દરબારમાં સંતનું-ભક્તનું સ્થાન છે તેમ દુષ્ટનું પણ સ્થાન છે.સાધુઓ (ભક્તો)ના પરિત્રાણ (રક્ષણ) કાજે અને દુષ્ટોના વિનાશ માટે પ્રભુ અવતાર ધરે છે.એટલે એમના અવતાર-કાર્ય માટે દુષ્ટોની યે આવશ્યકતા હોય છે.
Aug 25, 2021
Gujarati-Ramayan-Rahasya-54-ગુજરાતી-રામાયણ-રહસ્ય-54
શ્રીરામ એ પરબ્રહ્મ છે અને લક્ષ્મણજી એ શબ્દબ્રહ્મ છે.શબ્દબ્રહ્મ અને પરબ્રહ્મ સાથે રહે છે,શ્રીરામની સાથે હંમેશાં લક્ષ્મણજી હોય છે.શબ્દબ્રહ્મ વગર પરબ્રહ્મ પ્રગટ થાય નહિ.વ્યક્તિગત આધ્યાત્મિક કલ્યાણની બાબતમાં વશિષ્ઠજી શ્રીરામના ગુરૂ બન્યા હતા અને આજે સામાજિક કલ્યાણની બાબતે વિશ્વામિત્ર ગુરૂ બન્યા છે.શ્રીરામને તે સમાજ સમક્ષ લઇ જાય છે.અયોધ્યાથી ચાલતાં ચાલતાં છ કોશ દૂર રસ્તામાં ફરીથી સરયુ નદી આવે છે,ત્યાં વિશ્વામિત્રે બંને ભાઈઓને સરયુ ના જળમાંથી આચમન આપી અને તેમને “બલા-અને અતિબલા” નામની બે વિદ્યા આપી કહ્યું કે-આ વિદ્યાના પ્રતાપે તમને તરસ કે ભૂખ પીડશે નહિ,અને તમારી કીર્તિ દિગંતમાં ફેલાશે.
Aug 24, 2021
Gujarati-Ramayan-Rahasya-53-ગુજરાતી-રામાયણ-રહસ્ય-53
તે પછી રાજા દશરથે વિશ્વામિત્રને કહ્યું કે-હે,બ્રહ્મન,આપનાં અહીં પગલાં થવાથી હું કૃતાર્થ થયો છું,કહો આપની શી આજ્ઞા છે?હું નિશ્ચયપૂર્વક કહું છું કે આપનું કાર્ય હું કરીશ.જરાય વાર નહિ લગાડું.ત્યારે વિશ્વામિત્રે કહ્યું કે-હે રાજન મારી ઈચ્છા પુરી કરવાની તમે પ્રતિજ્ઞા કરી છે એટલે મને ખાતરી છે કે મારું કામ સિદ્ધ થશે.હે રાજા,મારીચ અને સુબાહુ નામના રાક્ષસો મારા યજ્ઞમાં આવી વિઘ્ન કરે છે.ક્રોધ કરી શાપ આપી એમનો હું નાશ કરી શકું તેમ છું,પણ તેમ કરવાની મારી ઈચ્છા નથી.તમારા પુત્ર શ્રીરામ સત્ય-પરાક્રમી અને શૂરવીર છે,તેમના સિવાય બીજો કોઈ આ રાક્ષસોને હણી શકે તેમ નથી,તેથી અત્યારે હું થોડા દિવસ માટે તમારા પાસે શ્રી રામની માગણી કરવા આવ્યો છું.
માટે હે રાજા,મને શ્રી રામ આપો.(દેહી મે રામમ).
માટે હે રાજા,મને શ્રી રામ આપો.(દેહી મે રામમ).
Aug 23, 2021
Gujarati-Ramayan-Rahasya-52-ગુજરાતી-રામાયણ-રહસ્ય-52
વિશ્વામિત્રે ઘોર તપશ્ચર્યા આદરી છે,તેમને “બ્રહ્મર્ષિ” પદની કામના છે.
આ વખતે તેમને ચળાવવા ઇન્દ્રે રંભા નામની અપ્સરા ને મોકલી,પણ વિશ્વામિત્ર તેનામાં ફસાયા નહિ,પણ ક્રોધમાં આવી રંભાને શાપ આપી દીધો.
આ વખતે તેમને ચળાવવા ઇન્દ્રે રંભા નામની અપ્સરા ને મોકલી,પણ વિશ્વામિત્ર તેનામાં ફસાયા નહિ,પણ ક્રોધમાં આવી રંભાને શાપ આપી દીધો.
એટલે ફરીથી આ શાપમાં પાછું તેમનું તપ રોળાઈ ગયું.
વિશ્વામિત્રનો “વેર” અને “કામ” પર વિજય થયો પણ હજુ “ક્રોધ” પર વિજય મેળવાનો બાકી હતો.અને તેથી ક્રોધ પર વિજય મેળવવાનો આ વખતે તેમનો અડગ નિશ્ચય હતો.હાર કબૂલ કરવાનું તેમના સ્વભાવમાં નહોતું.અખંડ પુરુષાર્થની તે મૂર્તિ હતા. નાની સિદ્ધિથી તેમને સંતોષ નહોતો.આ વખતે વિશ્વામિત્રે અડગ નિશ્ચય કર્યો હતો કે –હવે કદાપિ ક્રોધ નહિ કરું,કોઈની સાથે વાત પણ નહિ કરું.
વિશ્વામિત્રનો “વેર” અને “કામ” પર વિજય થયો પણ હજુ “ક્રોધ” પર વિજય મેળવાનો બાકી હતો.અને તેથી ક્રોધ પર વિજય મેળવવાનો આ વખતે તેમનો અડગ નિશ્ચય હતો.હાર કબૂલ કરવાનું તેમના સ્વભાવમાં નહોતું.અખંડ પુરુષાર્થની તે મૂર્તિ હતા. નાની સિદ્ધિથી તેમને સંતોષ નહોતો.આ વખતે વિશ્વામિત્રે અડગ નિશ્ચય કર્યો હતો કે –હવે કદાપિ ક્રોધ નહિ કરું,કોઈની સાથે વાત પણ નહિ કરું.
Aug 22, 2021
Gujarati-Ramayan-Rahasya-51-ગુજરાતી-રામાયણ-રહસ્ય-51
હિમાલયની તળેટીમાં વિશ્વામિત્રે એક ચિત્તે ભગવાન શંકરનું ધ્યાન કર્યું.શંકર પ્રસન્ન થયા ને વરદાન માગવા કહ્યું.વિશ્વામિત્રના મનમાં હજુ પણ વશિષ્ઠ પર “વેર” લેવાની ધૂન સવાર હતી.અને શસ્ત્રાસ્ત્રથી જ તેમને (વશિષ્ઠ ને) જીતી શકાય તેવો તેમને ખ્યાલ હતો.તેથી તેમણે માગ્યું કે-દેવો,દાનવો,યક્ષો,કિન્નરો,ઋષિઓ એ બધાયની પાસે જે કંઇ અસ્ત્ર-શસ્ત્ર છે તે તમામનું મને સંપૂર્ણ જ્ઞાન આપો. ત્યારે શંકરે કહ્યું-તથાસ્તુ.
Aug 21, 2021
Gujarati-Ramayan-Rahasya-50-ગુજરાતી-રામાયણ-રહસ્ય-50
શ્રીરામ વશિષ્ઠજીને કહે છે કે-મારું મન આ રાજવૈભવમાંથી ઉઠી ગયું છે.આ જીવનનો કોઈ ભરોસો નથી.સંસાર અનિત્ય છે છતાં મનુષ્યને આ સંસારનો મોહ છે.આ શરીર જેવી નકામી કોઈ ચીજ નથી,છેવટે તો તે મોતનો કોળિયો બને છે.
કાળ બહુ ક્રૂર છે,તે કોઈની પર દયા કરતો નથી.મને તો આ સંસારમાં ક્યાંય સુખ દેખાતું નથી.ક્યાં શાંતિ દેખાતી નથી.પિતા-પુત્ર,પતિ-પત્ની,બંધુ-સખા-વગેરે એવો જગતનો સંબંધ કેવળ કાલ્પનિક છે.સાચો સંબંધ ઈશ્વર સાથે છે.અનિત્ય જગને સાચું માનીને મનુષ્ય ફસાયો છે.પણ જીવન ક્ષણમાં ક્યારે પુરુ થઇ જશે તે કહી શકાતું નથી.એટલે બાજી હાથમાંથી જાય તે પહેલા ચેતવાની જરૂર છે.જેને લોકો વિષ કહે છે તે વિષ નથી પણ વિષયો જ વિષ જેવા છે.
Aug 20, 2021
Gujarati-Ramayan-Rahasya-49-ગુજરાતી-રામાયણ-રહસ્ય-49
Subscribe to:
Posts (Atom)