નારદ,ભક્તિસૂત્રોના પ્રણેતા (આચાર્ય) છે.અને તેમણે ૮૪ સૂત્રોમાં ભક્તિ વિષે કહ્યું છે.
अथातो भक्तिं व्याख्यास्यामः (1)
હવે ભક્તિની વ્યાખ્યા કરીશું (1)
सा त्वस्मिन् परमप्रेमरूपा (2)
તે (ભક્તિ)કે જે તેના પ્રત્યે (પરમાત્મા પ્રત્યે) 'પરમ-પ્રેમ-રૂપ' છે(2)
અહીં 'તેના પ્રત્યે' અને 'પરમ-પ્રેમ' -એ બંને શબ્દો અત્યંત મહત્વના છે.
કશાક તરફ આંગળી ચીંધીને- નારદજીએ તેનું કશું નામ આપ્યું નથી,છતાં પણ 'તેના પ્રત્યે' કહીને,
કોઈ નિરાકાર-અનામ-નિષ્કામ એવા 'પરમાત્મા' (ઈશ્વર કે બ્રહ્મ) તરફ જ ઈશારો કર્યો છે.
આમ જુઓ તો,નારદ પોતે 'નારાયણ'ના ભક્ત છે,પણ તે 'નારાયણ' નામનો ઉલ્લેખ અહીં,કરતા નથી.
વળી,નારદજી માત્ર 'પ્રેમ' શબ્દ પણ કહી શકત,પણ તેમ નહિ કરતાં તેમને અહીં 'પરમ-પ્રેમ' શબ્દ કહ્યો છે.
ભક્તિને સમજવા,(ભક્તિની વ્યાખ્યામાં) આ બંને શબ્દોને બરોબર રીતે સમજવા જરૂરી લાગે છે.