ત્યારે અર્જુન કહે છે-કે-હે શ્રીકૃષ્ણ,એમાં દોષ
કોનો છે ? તમે દર્પણને લુછીને સ્વચ્છ કરીને –પછી તે -આંધળા મનુષ્યને બતાવવાની ખટપટ કરો છો.
અથવા તો
જાણે બહેરાની સામે ગાયન લલકારવા બેઠા છો.
જે વિશ્વરૂપ-ઇન્દ્રિયો ને દેખાય તેવું નથી–જેને
માત્ર જ્ઞાનદૃષ્ટિ જ જોઈ શકે છે-
એવું શાસ્ત્રોએ વર્ણન કર્યું છે,અને એવું આપે પણ
કહ્યું હતું,
તે વિશ્વરૂપ ને તમે મારી આંખો (ચર્મચક્ષુ) સામે
રજુ કરો-તો હું તેને કઈ રીતે જોઈ શકું ?