Page list
- Home
- INDEX
- Pusatakalaya-Library-Gujarati Book
- Gita
- Gyaneshvari Gita
- Ramayan-Rahasya
- Ram Charit Manas
- Shrimad Bhagvat-Gujarati-As It Is
- Bhagvat Rahsya-Gujarati-ભાગવત રહસ્ય
- Yog-Vaasishth
- RajYog
- Mahabharat
- Darshan Shastro
- Veda
- Santo(Saints)
- Upnishads
- stotro
- Puran
- Yoga Shastro-Darshan-Shastro-Brahma Sutra
- Kunlini Chakro
- Shankaracharya Books
- Vishnu Sahastra Naam & Namavali
- Hindi Section-Sivohm
- Interesting Video
- Contact
Apr 12, 2024
ક્ષણોને-By અનિલ શુક્લ
Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-484
અધ્યાય-૨૦૦-દાનનું માહાત્મ્ય
II वैशंपायन उवाच II श्रुत्वा स राजा राजपिंरिंद्रध्युम्न्स्य तत्तदा I मर्कन्देयान्महाभागात्स्वर्गस्य प्रतिपादनम् II १ II
વૈશંપાયન બોલ્યા-આ પ્રમાણે મહાભાગ્યશાળી માર્કંડેયને મુખેથી યુધિષ્ઠિરરાજે રાજર્ષિ ઇંદ્રદ્યુમ્નને
ફરી થયેલી સ્વર્ગપ્રાપ્તિ વિશેનો વૃતાંત સાંભળ્યા પછી યુધિષ્ઠિરે ફરી મુનિને પૂછ્યું કે-હે મહામુનિ,
પુરુષ કેવી અવસ્થાઓમાં દાન આપવાથી ઇંદ્રલોકમાં જાય છે?માણસ ગૃહસ્થાશ્રમમાં,બાળપણમાં,
યુવાવસ્થામાં અથવા વૃદ્ધવયમાં દાનનું ફળ કેવી રીતે ભોગવે છે? તે વિષે કહો (3)
Apr 11, 2024
વૈરાગી-By અનિલ શુક્લ
Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-483
અધ્યાય-૧૯૯-ઇંદ્રદ્યુમ્નનું આખ્યાન
II वैशंपायन उवाच II मार्कण्डेयमृपयः पांडवा: पर्यप्रुच्छ्न्नस्ति कश्चिद्भवतश्विरजाततर इति II १ II
વૈશંપાયન બોલ્યા-ઋષિઓએ ને પાંડવોએ માર્કંડેયને ફરીથી પૂછ્યું કે-'તમારાથી પણ આગળ જન્મેલો કોઈ છે?'
માર્કંડેય બોલ્યા-હા,ઇંદ્રદ્યુમ્ન નામે એક રાજર્ષિ એવો છે.પુણ્ય ક્ષય થવાથી તે સ્વર્ગલોકમાંથી ભ્રષ્ટ થયો હતો,ત્યારે તેને વિચાર આવ્યો કે 'શું મારી કીર્તિ અહીં પૃથ્વી પર સાફ થઇ ગઈ હશે?' તે મારી પાસે આવીને મને પૂછવા લાગ્યો કે 'મને ઓળખો છો?' ત્યારે મેં કહ્યું કે-ના,પણ હિમાલયમાં પ્રાવારકર્ણ નામે એક ઘુવડ,મારાથી આગળ જન્મ્યો છે તે કદાચ તમને ઓળખાતો હોય.પણ હિમાલય તો ઘણો દૂર છે.
Apr 10, 2024
આકાશ-સમ-By અનિલ શુક્લ
Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-482
અધ્યાય-૧૯૮-ક્ષત્રિય માહાત્મ્ય ને શિબિચરિત્ર
II वैशंपायन उवाच II भूय एव महाभाग्यं कथ्यतामित्यब्रवीत्पांडवो मार्कण्डेयम् II १ II
વૈશંપાયન બોલ્યા-યુધિષ્ઠિર પાંડવે માર્કંડેયમુનિને કહ્યું-'તમે હજુ ક્ષત્રિયોના માહાત્મ્ય વિષે વધુ કહો'
ત્યારે માર્કંડેય બોલ્યા-વિશ્વામિત્રના પુત્ર અષ્ટકના અશ્વમેઘ યજ્ઞમાં સર્વ રાજાઓ ગયા હતા.યજ્ઞ સમાપ્ત થતાં,
એ અષ્ટક,પ્રતર્દન,વસુમના અને ઉશીનરપુત્ર શિબિ એ ત્રણ ભાઈઓ સાથે રથમાં જતો હતો ત્યારે માર્ગમાં નારદજી મળ્યા.અષ્ટકની પ્રાર્થનાથી નારદજી રથમાં વિરાજ્યા,ત્યારે તેમાંના એક ભાઈએ નારાજીને પૂછ્યું કે-'અમે સર્વ આયુષ્યમાન,ને સર્વ ગુણોથી સંપન્ન છીએ,તો અમે ચારે સ્વર્ગમાં જઈશું પણ ત્યાંથી પાછો અહીં કોણ પહેલો નીચે ઉતરશે?'
Apr 9, 2024
સુગંધમયતા-By અનિલ શુક્લ
Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-481
અધ્યાય-૧૯૭-શિબિરાજાની પરીક્ષા
II मार्कण्डेय उवाच II देवानां कथा संजाता महीतलं गत्वा महिपतिं शिविमौशिनरं साध्वेनं शिवि जिज्ञास्याम उति I
एवं भो इत्युक्त्वा अग्निंद्रावुपतिष्ठेताम II १ II
માર્કંડેય બોલ્યા-એકવાર દેવોમાં વાત નીકળી કે-આપણે પૃથ્વી પર ઉશીનરપુત્ર શિબિરાજની પાસે જઈને તેની સારી
રીતે પરીક્ષા લઈએ.તે પરીક્ષા લેવા અગ્નિ ને ઇન્દ્ર તૈયાર થયા.અગ્નિએ હોલાનું રૂપ લીધું ને ઇન્દ્રે બાજનું રૂપ લઈને
માંસની ઈચ્છાથી વેગથી તેની પાછળ પડ્યો.હોલો પણ ગતિથી દોડીને દિવ્ય આસન પર વિરાજેલા
શિબિરાજાના ખોળામાં જઈને પડ્યો.ને રાજાને કહેવા લાગ્યો કે-
Apr 8, 2024
શિવોહમ-By અનિલ શુક્લ
Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-480
અધ્યાય-૧૯૫-યયાતિનું ચરિત્ર
II मार्कण्डेय उवाच II इदमन्य्च्छ्रुयतां ययातिर्नाहुषो राजा राज्यस्थः पौरजनावृत आसांचक्रे I
गुर्वर्थि ब्राह्मण उपेत्याब्रवीत भो राज्न्गुर्वर्थे भिक्षेयं समयादिति II १ II
માર્કંડેય બોલ્યા-હવે આ બીજું ચરિત્ર સાંભળો.નહુષપુત્ર યયાતિરાજ એકવાર નગરજનોથી ઘેરાઈને
બેઠો હતો ત્યાં એક બ્રાહ્મણ ગુરુદક્ષિણા માટે તેની પાસે આવી બોલ્યો કે-
'હે રાજન,હું એક શરતે તમારી પાસેથી ગુરુદક્ષિણા માટે ભિક્ષા માગીશ' રાજા બોલ્યો-'આપ શરત કહો'
બ્રાહ્મણ બોલ્યો-આ જીવલોકમાં મનુષ્યની પાસે યાચના કરવામાં આવે તો તે મનુષ્ય યાચકનો મહાદ્વેષ કરે છે
આથી હે રાજન,હું તમને પૂછું છું કે-તમે આજે મારી પ્રિય વસ્તુ કેવી રીતે મને આપશો?








