May 7, 2024
મસ્તીની દશા-By અનિલ શુક્લ
Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-509
દ્રૌપદી-સત્યભામા સંવાદ પર્વ
અધ્યાય-૨૩૩-પતિને વશ કરવાનો દ્રૌપદીએ કહેલો મહામંત્ર
II वैशंपायन उवाच II उपासिनेपु विप्रेयु पांडवेपु महात्मसु I द्रौपदी सत्यभामा च विविशाते तदा समम् II १ II
વૈશંપાયન બોલ્યા-મહાત્મા પાંડવો બ્રાહ્મણો સાથે બેઠા હતા,તે વખતર દ્રૌપદી અને સત્યભામાએ સાથે જ એક સ્થાનમાં પ્રવેશ કર્યો.લાંબે સમયે એકમેકને મળીને આનંદ પામીને તે બંને સખીઓ બેઠી અને વાતો કરવા લાગી.
કૃષ્ણની પ્રિય પટ્ટરાણી અને સત્રાજિતની પુત્રી સત્યભામાએ દ્રૌપદીને પૂછ્યું-'હે દ્રૌપદી,તમે આ વીર પાંડવો પર કેમ કરીને સત્તા ચલાવો છો? તેઓ કેમ તમારા પર કોપ કરતા નથી?ને સદા તમારે વશ રહે છે? શું કોઈ વ્રતાચરણ,
તપ,મંત્ર,ઔષધિ,વિદ્યાનો પ્રભાવ,જપ,હોમ કે કોઈ ઓસડ આમાં કારણરૂપ છે?મને આનું રહસ્ય કહો (8)
May 6, 2024
માયા-કાયા-By અનિલ શુક્લ
Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-508
અધ્યાય-૨૩૨-સ્કંદના નામો-કાર્તિકેય સ્તોત્ર
II युधिष्ठिर उवाच II भगवन श्रोतुमिच्छामि नामान्यस्य महात्मनः I त्रिपु लोकेपु यान्यस्य विख्यातानि द्विजोत्तम II १ II
યુધિષ્ઠિર બોલ્યા-'હે ભગવન,હું કાર્તિકેયનાં,ત્રણ લોકમાં પ્રસિદ્ધ થયેલાં નામો સાંભળવા ઈચ્છું છું'
માર્કંડેય બોલ્યા-આગ્નેય,સ્કંદ,દીપ્તકીર્તિ,અનામય,મયુરકેત,ભૂતેશ,મહિષાર્દન,કામજીત,કામદ,કાંત,સત્યવાક,
ભુવનેશ્વર,શિશુ,શીઘ્ર,શુચિ,ચંડ,દીપ્તવર્ણ,શુભાનન,અમોઘ,અનઘ,રૌદ્ર,પ્રિય,ચંદ્રાનન,દીપ્તશક્તિ,પ્રશાંતાત્મા,
ભદ્રકૃત,ફૂટમોહન,ષષ્ઠીપ્રિય,ધર્માત્મા,માતૃવત્સલ,કન્યાભર્તા,વિભક્તિ,સ્વાહેય,રેવતીસુત,પ્રભુ,નેતા,વિશાખ,
નૈગમેય,સુદુશ્વર,સુવ્રત,લલિત,બાલક્રીડનપ્રિય,ખચારી,બ્રહ્મચારી,શૂર,શરવણોદભવ,વિશ્વામિત્રપ્રિય,દેવસેનાપ્રિય,
વાસુદેવપ્રિય,પ્રિય અને પ્રિયકૃત-એ કાર્તિકેયનાં નામો છે.આ નામનો પાઠ કરનાર કીર્તિ ને ધન પામે છે.(9)
May 5, 2024
ફુરસદ નથી-By અનિલ શુક્લ
Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-507
અધ્યાય-૨૩૧-સ્કંદે મહિષાસુરને માર્યો
II मार्कण्डेय उवाच II यदा स्कंदेन मातृणामेवमेतत्प्रियं कृतं I अथैवमव्र्वीत्स्वाहा मम पुत्रस्तवमौरस II १ II
માર્કંડેય બોલ્યા-સ્કંદે,માતૃકાઓનું પ્રિય કર્યું ત્યારે,સ્વાહાએ તેને કહ્યું કે-'તું મારો ઔરસ પુત્ર છે,તું મને પરમ દુર્લભ પ્રીતિ આપે એમ હું ઈચ્છું છું.હું દક્ષ પ્રજાપતિની સ્વાહા નામની કન્યા છું,બાળપણથી મને અગ્નિ વિષે કામના જાગી છે પણ તે અગ્નિ આ વાત જાણતા નથી,હું નિત્ય તે અગ્નિ સાથે વસવા ઈચ્છું છું'
May 4, 2024
કલમથી-By અનિલ શુક્લ
Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-506
અધ્યાય-૨૨૯-સ્કંદ દેવસેનાના પતિ થયા
II मार्कण्डेय उवाच II उपविष्टं तु तं स्कन्दं हिरण्यकवचस्त्रजं I हिरण्यचूडमुकुटं हिरण्याक्षं महाप्रभं II १ II
માર્કંડેય બોલ્યા-પછી,સોના જેવા નેત્રવાળા,મહા કાંતિવાળા અને તીક્ષ્ણ દાઢવાળા તે કાર્તિકેય (સ્કન્દ)એક સ્થાન પર બેઠા.ત્યારે ઇન્દ્રે તેમને ઇન્દ્રપદ સ્વીકારવાનું કહ્યું,પણ તે પદનો તેણે અસ્વીકાર કર્યો,અને છેવટે,દેવોના સેનાપતિ પદે તેમનો અભિષેક થયો.શિવજી,ઉમાદેવી સાથે ત્યાં આવ્યા ને અતિ પ્રસન્ન થઇ તેનું સન્માન કર્યું.