અધ્યાય-૨૩૪-દ્રૌપદીનો સત્યભામાને ઉપદેશ
II द्रौपदी उवाच II
इमं तु ते मार्गमपेतमोहं वक्ष्यामि चित्तग्रहणाय भर्तुः I अस्मिन्यथावत्सखी वर्तमाना भर्तारमाच्छेत्स्यसि कामिनिभ्यः II १ II
દ્રૌપદી બોલી-હે સખી,સ્વામીના ચિત્તને આકર્ષવા માટે હું તમને આ નિઃસંશય માર્ગ કહું છું,તમે જો એ માર્ગે યથાવત વર્તશો તો તમે તમારા પતિને બીજી કામિનીઓથી છોડાવી શકશો.પતિ જો પ્રસન્ન થાય તો સર્વ મનોરથો ફળે છે
ને જો કોપવશ થાય તો સર્વ નાશ આવે છે.પતિના પ્રસન્ન થવાથી સ્ત્રીઓને સંતાન,વિવિધ ભોગો,
શય્યાઓ,વસ્ત્રો,માળાઓ,સુગંધો,સ્વર્ગલોક ને કીર્તિ મળે છે.આ સંસારમાં સુખ કંઈ સુખપૂર્વક મળતું નથી.
તમે નિત્ય હૃદય,પ્રેમ ને સેવાપૂર્વક કૃષ્ણનું આરાધન કરો,સરળ સૌજન્યથી તેમને પ્રસન્ન કરો
જેથી 'હું આને વહાલો છું' એવું જાણીને કૃષ્ણ તમને જ વળગી રહેશે.



.jpg)





