Page list
- Home
- INDEX
- Pusatakalaya-Library-Gujarati Book
- Gita
- Gyaneshvari Gita
- Ramayan-Rahasya
- Ram Charit Manas
- Shrimad Bhagvat-Gujarati-As It Is
- Bhagvat Rahsya-Gujarati-ભાગવત રહસ્ય
- Yog-Vaasishth
- RajYog
- Mahabharat
- Darshan Shastro
- Veda
- Santo(Saints)
- Upnishads
- stotro
- Puran
- Yoga Shastro-Darshan-Shastro-Brahma Sutra
- Kunlini Chakro
- Shankaracharya Books
- Vishnu Sahastra Naam & Namavali
- Hindi Section-Sivohm
- Interesting Video
- Contact
Jan 26, 2026
Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-1028
અધ્યાય-૨૨-કર્ણ અને દુર્યોધનની વાતચીત
II धृतराष्ट्र उवाच II भारद्वाज भग्नेषु पांडवेषु महामृधे I पांचालेषु च सर्वेषु कश्चिदन्योम्पवर्तत II १ II
ધૃતરાષ્ટ્ર બોલ્યા-તે મહાન યુદ્ધમાં દ્રોણાચાર્યે પાંડવોના સૈન્યમાં ભંગાણ પાડ્યું તે વખતે બીજો કયો પુરુષ તેમની સામે યુદ્ધ કરવા આવ્યો હતો? અહો,એ આશ્ચર્યની વાત છે કે-એ પાંડવસૈન્યમાં તેવો કોઈ પુરુષ નહોતી કે જે દ્રોણાચાર્યને જોઈને ત્યાંથી પાછો ન હઠે!દ્રોણાચાર્યને ત્યાં ઉભેલા જોઈને કયા ક્યા શૂરવીર યોદ્ધાઓ યુદ્ધ કરવા પાછા ફર્યા હતા?
Jan 24, 2026
Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-1027
અધ્યાય-૨૧-આ તે દ્રોણ કે સાક્ષાત કાળ?
II संजय उवाच II ततो युधिष्ठिरो द्रोणं द्रष्ट्वान्तिकमुपागतम I महता शरवर्षेण प्रत्यगृहणादभीतवत II १ II
સંજય બોલ્યો-તે પછી,દ્રોણાચાર્યને લગભગ પોતાની પાસે આવેલા જોઈને યુધિષ્ઠિરે મોટી બાણની વૃષ્ટિ કરી નિર્ભયની જેમ તેમની સામે થયા.દ્રોણને જોઈને સત્યજિત,યુધિષ્ઠિરનું રક્ષણ કરવાની ઈચ્છાથી દ્રોણની સામે ધસ્યો.તેણે તીક્ષ્ણ બાણો છોડીને દ્રોણને વીંધી નાખ્યા અને તેમના સારથી,ઘોડા ને પૃષ્ઠરક્ષકને પણ વીંધી નાખ્યા.શત્રુના આ ચરિત્રને જોઈને દ્રોણાચાર્યે મનમાં વિચાર કર્યો કે-'આને તો હવે મારવો જ પડશે' પછી તેમણે દશ તીક્ષ્ણ બાણોથી સત્યજિતને વીંધી નાખ્યો અને તેના ધનુષ્યનાં ટુકડા કરી નાખ્યા.તે જોઈને પાંચાલવંશના વૃકે,બાણોનો વરસાદ કરી દ્રોણાચાર્યને છાઈ દીધા.
Jan 23, 2026
ભાગવત રહસ્ય-૪૪-Bhgavat Rahasya-44
બદ્રીનારાયણ જતાં રસ્તામાં કેશવ-પ્રયાગ આવે છે, ત્યાં વ્યાસજીનો-સમ્યપ્રાશ- આશ્રમ છે. ભાગવતની રચના ત્યાં થઇ છે.વ્યાસજીને કળિયુગના દર્શન થયાં. તેમને-તે વખતે-પાંચ હજાર વર્ષ પછી શું થશે?-તેના દર્શન થયાં.
(બારમાં સ્કંધમાં આનું વર્ણન કર્યું છે.વ્યાસજીએ જેવું (સમાધિમાં) જોયું તેવું લખ્યું છે.)
Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-1026
અધ્યાય-૨૦-સૈન્યોનો કચ્ચરઘાણ
II संजय उवाच II परिणाम्य निशां तां तु भरद्वाजो महारथः I उक्त्वा सुबहु राजेन्द्र वचनं वै सुयोधनम् II १ II
સંજય બોલ્યો-હે રાજેન્દ્ર,તે રાત્રિના બીજે દિવસે મહારથી દ્રોણાચાર્યે,દુર્યોધનને ઘણાં વચનો કહીને અર્જુન તથા સંશપ્તકોનો સામસામો ભેટો કરાવ્યો એટલે અર્જુન તે સંશપ્તકોનો વધ કરવા માટે ચાલી નીકળ્યો હતો.ત્યારે પોતાના સૈન્યની વ્યૂહરચના કરીને દ્રોણાચાર્ય ધર્મરાજને પકડવાની ઈચ્છાથી પાંડવોની સેના પ્રત્યે ધસી ગયા.તેમણે ગરુડવ્યૂહ રચ્યો હતો.સામે યુધિષ્ઠિરે મંડલાર્ધ નામનો વ્યૂહ રચ્યો હતો.ગરુડવ્યૂહના મોખરે દ્રોણ હતા અને તેના મસ્તકના પ્રદેશમાં પોતાના અનુચર ભાઈઓ સહીત દુર્યોધન ઉભો હતો.તેના ચક્ષુના સ્થાનમાં કૃપ અને કૃતવર્મા ઉભા હતા.
Jan 22, 2026
Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-1025
અધ્યાય-૧૯-અર્જુનનાં દિવ્યાસ્ત્રો
II संजय उवाच II द्रष्ट्वा तु संनिवृतौंस्तान् संशप्तकगणान पुनः I वासुदेव महात्मार्जुनः समभापत II १ II
સંજય બોલ્યો-આમ સંશપ્તકયોદ્ધોની ટુકડી ફરી યુદ્ધ કરવા માટે પાછી ફરેલી જોઈને અર્જુને શ્રીકૃષ્ણને કહ્યું કે-
'હે હૃષીકેશ,આપણા રથને તે સંશપ્તકોની ટુકડી સામે હંકારો.મને લાગે છે કે તેઓ જીવતા સંગ્રામ છોડશે નહિ.આજે તેમને હું રણમાં રોળી નાખીશ' ત્યારે શ્રીકૃષ્ણે મંદહાસ્ય કરીને અર્જુનની ઈચ્છા પ્રમાણે રથને હાંક્યો.સામે ક્રોધાયમાન થયેલી સંશપ્તકોની ટુકડીએ અનેક પ્રકારના આયુધોને હાથમાં લઈને અર્જુનને બાણોના સમૂહથી છાઈ દીધો ને અર્જુનને ઘેરી લીધો.
Jan 21, 2026
ભાગવત રહસ્ય-૪૨-Bhgavat Rahasya-42
શુદ્ધ -બ્રહ્મ- માયા- ના સંસર્ગ વિના અવતાર લઇ શકે નહિ. સો ટચનું સોનું એટલું પાતળું હોય છે કે-તેમાંથી દાગીના ઘડી શકાય નહિ. દાગીના બનાવવા તેમાં બીજી ધાતુ ઉમેરવી પડે છે.તેવીજ રીતે પરમાત્મા પણ માયાનો આશ્રય-કરી-અવતાર લઇ પ્રગટ થાય છે.પણ ઈશ્વરને માયા બાધક થતી નથી-જીવને માયા બાધક થાય છે.
Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-1024
અધ્યાય-૧૮-ત્રિગર્તોના નાશનું મંગલાચરણ-સુધન્વા માર્યો ગયો
II संजय उवाच II ततः संशप्तका राजन समे देशे व्यवस्थिताः I व्युह्यानिकं रथैरेव चन्द्राकारं मुदापुता:II १ II
સંજય બોલ્યો-હે રાજન,ત્યાર પછી હર્ષમાં આવી ગયેલા સંશપ્તક યોદ્ધાઓ પોતાના સૈન્યને રથો વડે ચંદ્રાકારે ગોઠવીને સપાટ પ્રદેશમાં ઉભા રહ્યા.અર્જુનને સામે આવતો જોઈને તેઓએ મોટા શબ્દથી હર્ષનાદો કરી મુક્યા.તેમને હર્ષમાં આવેલા જોઈને અર્જુને મંદહાસ્ય કરીને શ્રીકૃષ્ણને કહ્યું કે-હે દેવકીપુત્ર,યુદ્ધમાં મરવાની ઈચ્છાથી આવેલા આ ત્રિગર્તભાઈઓને તમે જુઓ.આ રડવાના સમયે તેઓ હર્ષયુક્ત થયેલા છે.આ પાપી પુરુષોને દુર્લભ એવા દિવ્યલોકને તેઓ આજે પામશે'









