Mar 4, 2022

Gujarati-Ramayan-Rahasya--ગુજરાતી-રામાયણ-રહસ્ય-૨૧૪

વૈશાખ સુદ પાંચમના દિવસે શ્રીરામે અયોધ્યામાં પુનઃપ્રવેશ કર્યો,અને સાતમના દિવસે અયોધ્યાના રાજસિંહાસન પર તેમનો રાજ્યાભિષેક થયો.
સૌ પ્રથમ શ્રીરામે ભરત અને લક્ષ્મણની જટા ઉતારી અને ત્રણે ભાઈઓને પોતાના હાથે સ્નાન કરાવ્યાં.અને પછી પોતે પણ જટા ઉતારી સ્નાન કર્યું.પોતે ભાઈઓની સેવા કરે છે પણ ભાઈઓની સેવા લીધી નહિ.શ્રીરામ કહે છે કે-રાજાથી સેવા કરાય,સેવા લેવાય નહી. શ્રીરામ આવા ઉચ્ચ આદર્શ સાથે શરૂઆત કરે છે!!

Gujarati-Ramayan-Rahasya--ગુજરાતી-રામાયણ-રહસ્ય-૨૧૩

ભરતજી ખૂબ જ આનંદમાં આવીને નાચતા નાચતા અયોધ્યામાં આવી સહુને ખબર આપે છે કે-“રામજી આવે છે.” અને આ ખબર સાંભળતાં જ આખા નગરમાં પણ આનંદની ભરતી આવી ગઈ.સૌ તાબડતોબ રામજીના સ્વાગતની તૈયારીમાં લાગી ગયા.આજે રામજી આવે છે,ને તેમના સ્વાગત માટે રસ્તાઓ પર જળ છંટાયા ને ફૂલો વેરાણા.આખા નગરમાં ધજા –પતાકાઓ ફરફરવા લાગી,સુવર્ણના થાળમાં દહી,દુર્વા,ફુલ,તુલસી-ભરીને સૌભાગ્યવતી સ્ત્રીઓ ગાતી ગાતી રામનું સ્વાગત કરવા ચાલી,ને માથે સુવર્ણ-કલશો લઇ કન્યાઓ ચાલી.

Mar 2, 2022

Gujarati-Ramayan-Rahasya--ગુજરાતી-રામાયણ-રહસ્ય-૨૧૨-ઉત્તરકાંડ

ઉત્તરકાંડ
તીર્થરાજ પ્રયાગમાં શ્રીરામે,હનુમાનજીને આજ્ઞા કરી કે-બ્રાહ્મણનું રૂપ લઇ તમે અયોધ્યા જાઓ,અને નંદીગ્રામમાં ભરતજીને અમારા કુશળ સમાચાર અને આગમનના સમાચાર કહી વહેલા પાછા આવો.પવન-પુત્ર હનુમાન તરત જ આકાશમાર્ગે ઉપડ્યા.ને ઘડીકમાં તો નંદીગ્રામ પહોંચી ગયા.હનુમાનજીએ બ્રાહ્મણ સ્વરૂપ લીધું છે,ને જુએ છે તો-વલ્કલ અને જટાધારી ભરતજી,દર્ભાસન પર બેસી,દીનભાવે શ્રીરામચન્દ્રજીની પાદુકાઓ નું પૂજન કરતા હતા,
તેમના મુખમાંથી અખંડ રામ-નામનો ધ્વનિ નીકળતો હતો.અને આંખમાંથી અશ્રુઓનો પ્રવાહ વહેતો હતો.

Mar 1, 2022

Gujarati-Ramayan-Rahasya--ગુજરાતી-રામાયણ-રહસ્ય-૨૧૧

ત્યાર પછી તો વિભીષણ પાલખી લઈને આવે છે ને સીતાજીને તેમાં બેસાડી રામજી પાસે લઇ જાય છે.હવે શ્રીરામે રાવણને મારવાની કરેલી લીલાનો અંત આવે છે.પંચવટીમાં શ્રીરામે સીતાજી ને કહેલું કે –હવે લીલા કરવાનો સમય આવ્યો છે.તમારા સ્વરૂપને મારામાં પ્રવેશ કરાવી ને છાયા- સ્વરૂપ થઇ જાઓ,ત્યારે સીતાજીએ અગ્નિને સમર્પિત થઇ પોતાના સ્વરૂપને શ્રીરામમાં પ્રવેશ કરાવ્યું હતું તે છાયા-સ્વરૂપને આજે ફરી અગ્નિને સમર્પિત કરીને અને પોતાના “લૌકિક કલંક”બાળીને સાચા સીતાજી પ્રગટ થાય છે.

Rajnish(Osho) Hindi PDF -E-Books-online free

Atma Puja Vol 1
Atma Puja Vol 2
Atma Puja Vol 3
Ari Main To Ram
Antar Ki Khoj
Asambhav Kranti
Anant Ki Pukar
Anand Ganga
Amrit Ki Disha
Amrit Dwar
Agyat Ki Aur
Aath Pahar Youn Jhumte
Aankhon Dekhi Sanch
Ajhoon Chet Ghawar
Ami Jharat Bigsat Kanwal
Athto Bhakti Jigyasa Vol1
Athto Bhakti Jigyasa Vol2
Bharat Ka Bhvishya
Bahuri Na Aisa
Bhakti Sutra
Bharat Ki Khoj
Bin Ghan Parat Puhar
Birhini Mandir
Chal Hansa
Dariya Kahe Sabad
Deepak Bara Nam Ka
Dekh Kabira Roya
Dhai Akhar Prem Ka
Ek Ek Kadam
Guru Pratap
Hansa To Moti Chuge
Hari Bolo Hari
Jagat Taraiya
Jeevan Rahashya
Jeevan Sangeet
Jo Bolein To Hari
Jyon Machhali Bin
Jyoti Se Jyoti Jale
Jyun Tha Tyun
Kahe Kabir Diwana
Kan Thore Kankar
Kano Suni So
Karuna Aur Kranti
Kashta Dukh Aur Shanti
Kople Phir Phoot
Kranti Sutra
Krishna Smrati
Kya Ishwar Mar Gaya Hai
Kya Sove Tu Bawari
Mahavir Vani Vol-1
Mahavir Vani Vol-2
Na Kano Suna Na Ankhon Dekha
Naam Sumir Man
Nav Sannyas
Neti Neti
Osho Dhyan Yog
Ek Omkar Satnam
Bahutere Hain Ghat
Phir Amrit Ki Bund
Padi Phir Patto Ki
Prabhu Mandir Ke Prem
Hai Dwar Prabhu Ka
Prem Ke Phool
Prem Rang Ras
Ram Duware
Samadhi Ke Saptdwar
Sambodhi Ke Kshan
Santo Magan Bhaya
Satya Ki Pahli Kiran
Shunya Ka Darshan

Feb 27, 2022

Gujarati-Ramayan-Rahasya--ગુજરાતી-રામાયણ-રહસ્ય-૨૧૦

રાવણ એ –અહંકાર,મોહ -વગેરે દુર્ગુણોનું પ્રતિક છે.રાવણનાં દશે માથાં અને વીસ હાથ સાથે કાપી નાખવા છતાં તે મરતો નથી.સામાન્ય રીતે,માથું એ બુદ્ધિ અને વિવેકનું પ્રતિક છે.અને હાથ એ કર્મનું પ્રતિક છે. તુલસીદાસજી કહે છે કે-શ્રીરામ વિવેકબુદ્ધિથી,અને હાથ દ્વારા બાણ ચલાવવાનું કર્મ કરી,મોહ રૂપી રાવણનું માથું કાપે છે,પણ પાછું તે મોહનું માથું ઉગી આવે છે.

Gujarati-Ramayan-Rahasya--ગુજરાતી-રામાયણ-રહસ્ય-૨૦૯

રાવણ દુર્ગુણોનો પ્રતિનિધિ છે.અને દુર્ગુણોનો સ્વભાવ છે સંગઠિત થવાનો.સદગુણો સંગઠિત થઇ શકતા નથી.જેમકે-વિશ્વામિત્ર અને વશિષ્ઠ વચ્ચે કે રાજાઓ-રાજાઓ વચ્ચે સંગઠન નથી.એટલે કે આ સદગુણ વચ્ચે વિરોધ ચાલે છે.સદગુણોવાળાનો ઉદ્દેશ –આ લોકમાં પ્રતિષ્ઠા પ્રાપ્ત કરવાનો હોય છે,તેમને પોતાની,અને પોતાના સદગુણોની જાહેરાત કરવી ગમે છે,અને ગુણગાન કરાવતી વ્યક્તિઓ સામસામી ટકરાય છે.વિરોધ થાય છે.તેમની વચ્ચે-સંગઠન થઇ શકતું નથી,દરેક પોતપોતાના વાડા -“વાદ” –મંદિરો ને આશ્રમો બનાવીને બેસી જાય છે.

Feb 25, 2022

Gujarati-Ramayan-Rahasya--ગુજરાતી-રામાયણ-રહસ્ય-૨૦૮

તુલસીદાસજી કહે છે કે-પરશુરામનું ચરિત્ર નદી જેવું છે,તે નદીમાં જયારે ‘અહંકાર’ની રેલ આવી ત્યારે શ્રીરામ તેના પર બંધ બનીને પધાર્યા.પરશુરામજી “પ્રકાશ” સ્વરૂપ છે,
પ્રકાશ આંખને સહ્ય (સહી શકાય તેવો) હોય ત્યાં સુધી વાંધો નહિ,પણ જો પ્રકાશ અતિ તીવ્ર બની જાય તો,તે આંખોને આંજી નાખે ને કશું જોઈ શકાય નહિ,(અંધારું થાય) અંધકાર જેમ કામનો નથી,તેમ તીવ્ર પ્રકાશથી થતો પણ અંધકાર –એ પણ અંધકાર જ છે,તે કશા કામનો નથી.શ્રીરામે રાવણનો દુષ્ટતા-રૂપી અંધકાર હટાવ્યો ને પરશુરામનો તીવ્ર પ્રકાશનો અંધકાર પણ હટાવ્યો.

Feb 24, 2022

Rudraashtaadhyayi-Gujarati Translation-રુદ્રાષ્ટાધ્યાયી


Thanks to Kunal Bhatt for providing this book


Gujarati-Ramayan-Rahasya--ગુજરાતી-રામાયણ-રહસ્ય-૨૦૭

રાવણના વધથી દેવો ભલે ખુશ થયા હોય,અને ભલે દેવોને એમ લાગતું હોય કે –અમારું કામ પતી ગયું છે.પણ રામજીને તેમ લાગતું નથી.તેમનું કાર્ય ત્યારે પૂર્ણ થાય.કે જયારે “દુષ્ટો” સાથે “દુષ્ટતાની વૃત્તિ” પણ નાશ પામે.ને રામરાજ્ય સ્થપાય.દેવતાઓની ભોગવૃત્તિ છે,અને આ ભોગ-વૃત્તિ એ સ્વાર્થ-વૃત્તિની બહેન છે.દેવોને તો તેમના રસ્તા પર આવતા કંટકોને દૂર કર્યા સિવાય,તે વિષયમાં બહુ ઊંડા ઉતારવાની ટેવ નથી,કારણકે બહુ ઊંડા ઉતરે તો તેમના ભોગો કેમ ભોગવાય?(સ્વાર્થ) એટલે તો,રાવણ નામનો કાંટો હટી ગયો, એટલે દેવો સમજે છે કે તેમનું કામ પૂર્ણ થઇ ગયું!!!

Feb 23, 2022

Gujarati-Ramayan-Rahasya--ગુજરાતી-રામાયણ-રહસ્ય-૨૦૬

વેદવતીની કથાનું રહસ્ય એવું છે કે-વેદવતી એટલે વેદને જાણનારી,વેદને ગ્રહણ કરનારી.
વેદવતી એ સાક્ષાત વેદની વાણી છે,વેદની વિદ્યા છે.રાવણ પોતે વેદ-વિદ હતો,વેદ ભણેલો હતો પણ વેદની વિદ્યા (જ્ઞાન)થી તે દૂર હતો.જ્ઞાનની  સાથે,વિવેક,નમ્રતા,નિર્લોભીપણું,
નિષ્કામતા-વગેરે ન હોય તો તે જ્ઞાન ભાર-રૂપ થઇ પડે છે,રાવણ એવા ભાર-રૂપ જ્ઞાનને લઈને ફૂલ્યો હતો,એટલે વેદ-વિધા (જ્ઞાન) તેનાથી દૂર હતી.

Feb 22, 2022

Gujarati-Ramayan-Rahasya--ગુજરાતી-રામાયણ-રહસ્ય-૨૦૫

સંત-મહાત્માઓ કહે છે કે-સૌ પ્રથમ જીવનનું લક્ષ્ય (એક સત્ય-પરમાત્મા) નક્કી કરો.ને પછી,
નક્કી કરો કે-આજથી મારું જીવન ભોગ માટે નથી,ધન ભેગું કરવા માટે નથી,પણ પરમાત્મા માટે જ છે.આટલું જ જો સમજી લેવામાં આવે તો આગળનો રસ્તો આપોઆપ સરળ થઇ જશે.પરમાત્માને સ્વામી માનો કે પિતા માનો.જો પિતા કહેતાં શરમ આવતી હોય તો-પરમાત્મા તમારો બેટો (પુત્ર) થવા પણ તૈયાર છે.પણ કોઈ પણ રીતે તેમની સાથે સંબંધ જોડો.

Feb 21, 2022

Gujarati-Ramayan-Rahasya--ગુજરાતી-રામાયણ-રહસ્ય-૨૦૪

આ બાજુ પતિનાં મસ્તકો અને ભુજાઓ જોઈને મંદોદરી વિલાપ કરે છે.
“હે,નાથ,તમારી જે ભુજાઓએ કાળ અને યમરાજને પણ જીત્યા હતા,તે આજે અનાથની જેમ અહીં પડી છે! વિધાતાની આખી સૃષ્ટિ જે તમારા મસ્તકોને મસ્તક નમાવતી હતી,તે મસ્તકો અહીં ધૂળમાં રગદોળાય છે! અહંકારમાં તમે કોઈનું યે માન્યું નહિ,અને શ્રીરામ સાથે વેર બાંધ્યું,તો આજે તમારા કુળમાં કોઈ રડનારું યે ના રહ્યું,કે ના તમને અગ્નિસંસ્કાર કરનાર પુત્ર પણ રહ્યો.શિવ અને બ્રહ્મા-આદિ દેવો જેમને ભજે છે,તે કરુણાળુ ભગવાનને તમે ભજ્યા નહિ,છતાં તેમણે તમારા પર કૃપા કરી,તમને નિજ-ધામ આપ્યું.ખરેખર,શ્રીરામ કૃપાના સાગર છે.

Feb 19, 2022

Gujarati-Ramayan-Rahasya--ગુજરાતી-રામાયણ-રહસ્ય-૨૦૩

સવારમાં જ રાવણને યુદ્ધ કરવા આવેલો જોઈને શ્રીરામ જરા ચિંતાતુર થયા,હજુ ગઈકાલનો થાક પણ ઉતર્યો નહોતો.એ વખતે અગસ્ત્યમુનિ પણ ત્યાં યુદ્ધ જોવા આવેલા હતા તેમણે રામજીને ચિંતાતુર થયેલા જોઈને કહ્યું કે-હે રામ,તમે “આદિત્ય હૃદય” સ્તોત્ર (સૂર્યનું સ્તોત્ર)નો ત્રણ વાર પાઠ કરો તો સર્વ શત્રુઓને જીતી શકશો.સૂર્ય એ બુદ્ધિના માલિક દેવ છે અને રાવણ કાળનું સ્વરૂપ છે.સૂર્યદેવની સ્તુતિ વગર કાળ મરતો નથી.
યજુર્વેદમાં કહ્યું છે કે-સૂર્ય,એ સ્થાવર-જંગમ-તમામ પદાર્થોનો આત્મા છે.ને જગતને પ્રકાશિત કરે છે.

Feb 18, 2022

Gujarati-Ramayan-Rahasya--ગુજરાતી-રામાયણ-રહસ્ય-૨૦૨

પોતે ખાલી બોલે છે ને કશું કરતો નથી,એવી-રામની વાત સાંભળી રાવણે તરત જ બાણોનો મારો ચલાવ્યો.રાવણને જોઈને શ્રીરામના ભાથામાં તેમના બાણો,જાણે ક્યારનાં યે ઊંચાં-નીચાં થઇ રહ્યાં હતાં,પણ ધૈર્ય-શીલ શ્રીરામ,પોતે ધીરજ ધરીને જાણે, તેમને પણ ધીરજ રાખવાનું કહેતા હતા,પરંતુ,હવે જ્યાં રાવણનાં બાણ છૂટ્યા,એટલે શ્રીરામે પણ પોતાનાં બાણો સામે છોડીને તે રાવણના બાણોનો કચ્ચરઘાણ કરી દીધો.