Mar 21, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-127

અધ્યાય-૧૩૪-કુમારોની પરીક્ષા 


II वैशंपायन उवाच II कृतास्त्रान धार्तराष्ट्रंश्च पाण्डुपुत्रांश्चभारत I द्रष्ट्वा द्रोणोSश्चविद्राजन धृतराष्ट्रं जनेश्वरम् II १ II

વૈશંપાયન બોલ્યા-હે ભારત,પાંડવો અને ધાર્તરાષ્ટ્રો(કૌરવો)ને અસ્ત્રવિદ્યામાં નિષ્ણાત થયેલા જોઈને,

દ્રોણાચાર્યે, (કૃપ-ગાંગેય-વ્યાસ-આદિની હાજરીમાં) જનેશ્વર ધૃતરાષ્ટ્રને કહ્યું કે-'હે રાજન,તમારા 

કુમારો વિદ્યાસંપન્ન થયા છે,તેથી જો આપની અનુમતિ હોય તો,તેઓ સર્વ સમક્ષ તેમની વિદ્યા બતાવે' 

એટલે હૃદયમાં પ્રસન્ન થયેલા ધૃતરાષ્ટ્રે કહ્યું કે-

Mar 20, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-126

 
અધ્યાય-૧૩૩-અર્જુને નિશાન પાડ્યું ને દ્રોણને મગરના મોંમાંથી છોડાવ્યા 

II वैशंपायन उवाच II ततो धनंजयं द्रोणः स्मयमानोSभ्यमापत I स्वयेदानिं प्रहर्तव्यमेतल्लक्ष्यं विलोक्यताम् II १ II

વૈશંપાયન બોલ્યા-પછી,દ્રોણે હસતાં હસતાં ધનંજય (અર્જુન)ને કહ્યું-'હવે તારે લક્ષ્યને પાડવાનું છે,

તું એ લક્ષ્યને જો,ને હું આજ્ઞા આપું ત્યારે તરતજ તારું બાણ છૂટવું જોઈએ.

હે અર્જુન,પેલા ત્યાં રહેલા ભાસ પક્ષીને,વૃક્ષને અને મને પણ તું જુએ છે ને?'

અર્જુન બોલ્યો-'હું તો એક ભાસ પક્ષીને જ જોઉં છું,ઝાડને કે આપને હું જોતો જ નથી'

Mar 19, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-125


વનમાં,તેઓએ,મેલથી લસોટાયેલા અંગવાળા,જટાવાળા ને ચીરધારી એકલવ્યને સતત બાણ છોડતો જોયો.

એકલવ્યે પણ,ગુરુદ્રોણને જોયા,એટલે દોડતો જઈને પૃથ્વી પર શિર ઢાળીને તેમના ચરણમાં વંદન કર્યા.

ને પછી,પોતાને તેમના શિષ્ય તરીકે ઓળખાવીને બે હાથ જોડીને તેમની સામે ઉભો રહ્યો.

ત્યારે દ્રોણે કહ્યું કે-'હે વીર,જો તું મારો શિષ્ય હો,તો મને મારી ગુરુદક્ષિણા આપ'

તે સાંભળી,એકલવ્ય અતિ પ્રસન્ન થઈને બોલ્યો-'આપને હું શું આપું? આપ ગુરુજી મને આજ્ઞા કરો'

Mar 18, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-124

વૈશંપાયન બોલ્યા-પછી,ગુરુ દ્રોણે,અર્જુનને ઘોડા,હાથી.રથ તેમ જ જમીન પરની રણવિદ્યાઓ શીખવી.

દ્રોણે,સર્વ કુમારોને તોમર,પ્રાસ,શક્તિ,ને સંકીર્ણ યુદ્ધ (એકી વખતે અનેક શસ્ત્રોથી અનેક સાથે યુદ્ધ) શીખવ્યું.

તેમની એ કુશળતા સાંભળીને હજારો રાજાઓને રાજપુત્રો ધનુર્વેદ શીખવા તેમની પાસે આવવા લાગ્યા.(29-31)

Mar 17, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-123

અધ્યાય-૧૩૨-દ્રોણે શિષ્યોની પરીક્ષા લીધી 


II वैशंपायन उवाच II ततः संपूजितो द्रोणो भीष्मेण द्विपदां वरः I विशश्राम महातेजा: पूजितः कुरुवेश्मनि II १ II

વૈશંપાયન બોલ્યા-પછી,ભીષ્મથી સત્કારાયેલા.તે મહાતેજસ્વી ને મનુષ્યોમાં શ્રેષ્ઠ એવા દ્રોણ,કુરુમંદિરમાં,

સન્માનપૂર્વક વિશ્રામ લેવા ગયા.તે વિશ્રાંતિ લઇ રહ્યા,ત્યારે ભીષ્મે,પોતાના પૌત્રોને લાવીને,તેમને શિષ્ય તરીકે સોંપ્યા.અને દ્રોણને વિવિધ ધન,ઘર-આદિ આપ્યું.દ્રોણે પણ,તે કુમારોને શિષ્ય તરીકે સ્વીકાર્યા.

પછી,પ્રસન્નમન દ્રોણ,તે સૌને,પોતાની નિકટ બેસાડીને એકાંતમાં કહેવા લાગ્યા કે-(1-5)

Mar 16, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-122

 દ્રોણ બોલ્યા-હે અચ્યુત,પૂર્વે હું મહર્ષિ અગ્નિવેશ પાસે ધનુર્વિદ્યા શીખવા ગયો હતો,ને ત્યાં બ્રહ્મચારી રહી,ગુરુસેવામાં પરાયણ થઈને ઘણાં વર્ષો રહ્યો હતો.તે વખતે,આશ્રમમાં,પાંચાલપતિનો યજ્ઞસેન(દ્રુપદ) નામનો રાજપુત્ર પણ ત્યાં ધનુર્વેદ શીખવા આવ્યો હતો.અમારી બંને વચ્ચે મૈત્રી થઇ હતી,તે વખતે તેને કહ્યું હતું (વચન આપ્યું હતું) કે-'હે દ્રોણ,હું પાંચાલપતિ પિતાનો પ્રિયતમ પુત્ર છું,અને તે જયારે મારો રાજ્યાભિષેક કરશે,ત્યારે તને પણ તે રાજ્ય ભોગવવા મળશે,તે તને હું શપથપૂર્વક કહું છું.મારા ભોગો,વૈભવો,ધન અને સુખો-એ બધું જ તારે અધીન થશે' ને પછી,અસ્ત્રવિધાની સમાપ્તિ કરીને 

તે ચાલ્યો ગયો હતો,ને તેનું એ વચન હું સદૈવ મનમાં ધારણ કરી રહ્યો હતો.

Mar 15, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-121

અધ્યાય-૧૩૧-દ્રોણ અને ભીષ્મનું મિલન 


II वैशंपायन उवाच II ततो द्रुपदमासाद्य भारद्वाजः प्रतापवान् I अब्रवीत पार्थियं राजन् सखायं विद्विमामिह II १ II

પછી,પ્રતાપી ભરદ્વાજના પુત્ર દ્રોણ,દ્રુપદ રાજા પાસે જઈને બોલ્યા-હે રાજન,હું તમારો મિત્ર અહીં આવ્યો છું 

તેમ જાણો' પણ,ગર્વિષ્ઠ અને ઐશ્વર્યમદથી ઉન્મત્ત પાંચાલપતિ દ્રુપદરાજાએ દ્રોણનો અનાદર કરતાં કહ્યું કે-

હે બ્રાહ્મણ,તારી બુદ્ધિ કાચી ને સમજણ વિનાની જ છે,ને એટલે તું કહી રહ્યો છે કે 'હું તમારો મિત્ર છું'

પણ,ઐશ્વર્યસંપન્ન રાજાને ક્યારેય ઐશ્વર્યહીન,ધનભ્રષ્ટ (ગરીબ) મનુષ્ય સાથે મૈત્રી હોતી જ નથી.

Mar 14, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-120


જન્મેજય બોલ્યા-હે બ્રહ્મન,દ્રોણ કેવી રીતે જન્મ્યા?તેમને વિવિધ અસ્ત્રો કેવી રીતે મળ્યા? તે કુરુઓ પાસે 

ક્યાંથી આવ્યા?તે કોના પુત્ર હતા? ને તેમના અશ્વસ્થામા નામના પુત્ર વિષે વિસ્તારથી કહો (32)

Mar 13, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-119

 
અધ્યાય-૧૩૦-કૃપાચાર્યનો જન્મ-દ્રોણને ભાર્ગવ-અસ્ત્રની પ્રાપ્તિ 

II जनमेजय उवाच II कृपस्यापि मम ब्रह्मन् संभवं वक्तुमर्हसि I शरस्तम्बात कथं जज्ञे कथं वास्त्राण्यवाप्तवान  II १ II

જન્મેજય બોલ્યા-હે બ્રહ્મન,કૃપાચાર્યનો જન્મ કેવી રીતે થયો? તે મને કહો.શર (બાણ)ના ગુચ્છમાં  

તે કેવી રીતે ઉત્પન્ન થયા હતા?ને તેમણે સર્વ અસ્ત્ર-શસ્ત્ર વિદ્યા કેવી રીતે પ્રાપ્ત કરી હતી? (1)

Mar 11, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-118

 
અધ્યાય-૧૨૯-ભીમનું પાછું આવવું 

II वैशंपायन उवाच II ततस्तै कौरवाः सर्वे विनाभीमं च पाण्डवाः I वृतकृद विहारस्तु प्रतस्थुर्गजसाह्रुयम् II १ II

વૈશંપાયન બોલ્યા-ક્રીડા અને વિહારથી પરવારીને,કૌરવો ને પાંડવો રથો,ઘોડાઓ-આદિ વાહનોમાં બેસીને,

હસ્તિનાપુર જવા નીકળ્યા.ભીમસેન દેખાયો નહિ,એટલે દુર્યોધને કહ્યું કે-તે તો આપણી ય આગળ ચાલી ગયો છે.

પાપી દુર્યોધન,આનંદિત થઈને નગરમાં પ્રવેશ્યો,જયારે યુધિષ્ઠિરને તો પોતાનામાં પાપ ન મળે,એટલે પોતાના દાખલાથી બીજાઓને પણ સાધુવૃત્તિવાળા (અપાપી) જ જોતા હતા.(1-4)

Mar 10, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-117

 
અધ્યાય-૧૨૮-ભીમને વિષપાન 

II वैशंपायन उवाच II ततः कुन्ति च राज च भीष्मश सहश्न्भुमि: I ददु:श्राद्धं तदा पाण्डोः स्वधामृतमयंतदा II १ II

વૈશંપાયન બોલ્યા-પછી,કુંતી,ધૃતરાષ્ટ્ર ને ભીષ્મે,બંધુઓની સાથે મળીને,સ્વધાયુક્ત અમૃતમય શ્રાદ્ધ આપ્યું.

હજારો શ્રેષ્ઠ બ્રાહ્મણોને ભોજન આપ્યું તેમ જ રત્ન-ગામો-આદિનું દાન પણ આપ્યું.

શ્રાદ્ધ પૂરું થયા પછી સર્વ જનોને અને માતાને શોકાર્ત ને દુઃખી જોઈને,વ્યાસજી,માતાને કહેવા લાગ્યા કે-

Mar 9, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-116

અધ્યાય-૧૨૭-પાંડુ તથા માદ્રીની ઉત્તરક્રિયા 


II धृतराष्ट्र उवाच II पाण्डोर्विदुर सर्वाणि प्रेतकार्याणि कारय I राजयद्राजसिन्हस्य माद्रयाश्वैव विशेषतः II १ II

ધૃતરાષ્ટ્ર બોલ્યા-હે વિદુર,રાજસિંહ પાંડુની તેમ જ માદ્રીની,સર્વ પ્રેતક્રિયાઓ,ખાસ રાજવિધિએ ઠરાવો.

ને આ નિમિત્તે,જેમને,જેટલાં જોઈએ તેટલાં પશુઓ,વસ્ત્રો,રત્નો ને વિવિધ ધનનું દાન કરો.વળી,

કુંતી કહે તે રીતે માદ્રીનો (માદ્રીના અવશેષોનો) એવો સત્કાર કરો કે-સુંદર ઓઢણ પામેલા 

તે અવશેષોને વાયુ કે સૂર્ય પણ જોઈ શકે નહિ.નિર્દોષ પાંડુ,સ્તુતિપાત્ર છે,શોક કરવા યોગ્ય નથી,

કેમ કે તેને દેવના જેવા પાંચ વીર પુત્રો જન્મ્યા છે.(1-4)

Mar 8, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-115

 
અધ્યાય-૧૨૬-પાંડવો હસ્તિનાપુરમાં 

II वैशंपायन उवाच II पाण्डोरूपमं द्रष्ट्वा देवकल्पा महर्षयः I ततो मंत्रविदः सर्वे मन्त्रायाश्चक्रिरे प्रिथः II १ II

વૈશંપાયન બોલ્યા-પાંડુનું મૃત્યુ થયેલું જોઈને દેવ જેવા મંત્રવેત્તા મહર્ષિઓએ અંદરઅંદર મંત્રણા કરી કે-

'આ મહાયશસ્વી મહાત્મા પાંડુ,રાજ્ય ને રાષ્ટ્ર છોડીને,અહીં શરણ પામ્યા હતા.ને હવે,તે પોતાની પત્ની 

અને પુત્રોને અહીં,થાપણ તરીકે સોંપીને સ્વર્ગે ગયા છે,માટે એ મહાત્માના પુત્રો,પત્ની અને 

તેમના દેહાવશેષને,તેમના રાજ્યમાં પહોંચાડવા એ જ આપણો ધર્મ છે.(1-4)

Mar 7, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-114

 
અધ્યાય-૧૨૫-પાંડુરાજાનું અવસાન 

II वैशंपायन उवाच II दर्शनीयांस्ततः पुत्रान् पाण्डुः पश्च महावने I तानु पश्यन् पर्वते रम्ये स्वबाहुबलमाश्रितः II १ II

વૈશંપાયન બોલ્યા-પોતાના પાંચ દર્શનીય પુત્રોને જોતા,પાંડુરાજા,પોતાના બાહુબલને આશ્રિત રહીને,

તે રમ્ય પર્વતના મહાવનમાં રહેતા હતા.એક વાર,વસંત કાળમાં તે પોતાની પત્ની માદ્રી સાથે તે વનમાં ફરી 

રહ્યા હતા.પુષ્પો,વૃક્ષો,જળાશયો તેમ જ પદ્મિણીઓ આદિથી શોભી રહેલા,વનને જોઈને,પાંડુમાં કામવિકાર 

થયો.ને ત્યારે પ્રસન્ન મનથી પોતાને અનુસરી રહેલી,ને શુભ,સૂક્ષ્મ વસ્ત્રથી ઝગી રહેલી,માદ્રીને જોતાં,

જેમ,ગહન વનમાં દવ ફાટી નીકળે તેમ,રાજાનો કામ ભભૂકી ઉઠ્યો.(1-6)

Mar 6, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-113

 
અધ્યાય-૧૨૪-નકુલ અને સહદેવનો જન્મ 

II वैशंपायन उवाच II कुंतीपुत्रेषु जातेषु धृतराष्ट्रात्मजेषु च I मद्रराजसुता पांडु रहो वचनमव्रवित II १ II

વૈશંપાયન બોલ્યા-કુંતીપુત્રો અને ધૃતરાષ્ટ્રના પુત્રો જન્મતાં,માદ્રીએ,પાંડુને એકાંતમાં આ વચન કહ્યું કે-

હે પરંતપ,તમે પુત્રોત્પાદન માટે અસમર્થ થયા છે,તેનો મને સંતાપ નથી,કે કુંતીથી હું અશ્રેષ્ઠ રહું છું,તેનો 

પણ મને ખેદ નથી,ગાંધારીને સો પુત્રો થયા તેનું પણ મને દુઃખ થતું નથી,તેમ છતાં,મને વાંઝિયાપણું રહ્યું છે,

તેનું મને મહાદુઃખ છે.હવે કુંતીને ય સંતતિ છે,તો તે મને પણ સંતતિ થાય,એવું કરે તો મારા પર કૃપા થશે.

ને તમારું પણ હિત થશે.કુંતી શોક્ય હોવાથી હું તેને કહેતાં અકળાઉં છું,

પણ જો તમે મારા પર પ્રસન્ન હો તો,તમે પોતે જ કુંતીને પ્રેરો (કે જેથી તે મને મંત્રદાન કરે)(1-6)