Mar 31, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-137

 
જતુગૃહ પર્વ 

અધ્યાય-૧૪૧-પાંડવો પ્રત્યે દુર્યોધનની ઈર્ષા 

II वैशंपायन उवाच II ततः सुबलपुत्रस्तु राजा दुर्योधनश्चह् I दुःशासनश्च कर्णश्च दुष्टं मंत्रममंत्रयन् II १ II

વૈશંપાયન બોલ્યા-પછી,સુબલપુત્ર શકુનિ,દુર્યોધન,દુઃશાસન અને કર્ણ મળીને દુષ્ટ મંત્રણા કરવા લાગ્યા.

ધૃતરાષ્ટ્રની અનુમતિ લઈને,તેમણે કુંતીના પાંચે પુત્રોને લાક્ષાગૃહમાં બાળી મુકવાનો નિર્ણય કર્યો.

કૌરવોની ચેષ્ટાઓથી,તેમનો ભાવ જાણી જનારા તત્વદર્શી વિદુર,કૌરવોનો વિચાર જાણી ગયા,ને બીજું 

જાણવા જેવું જાણીને,પાંડવોના હિતમાં રહેનારા તે વિદુરે,કુંતીને પુત્રો સાથે નસાડી મુકવાનો વિચાર કર્યો.

Mar 30, 2023

Ram-Charit-Manas-Gujarati-રામચરિત-માનસ- Index Page

Ram-Charit-Maanas-As It Is (With Gujarati Translation)
રામચરિત માનસ -તેના મૂળ રૂપે-ચોપાઈ અને તેના ગુજરાતીમાં સરળ શબ્દાર્થ સાથે


...........................................................................................................................
..........................................................................................................................
(5) સુંદરકાંડ-રામચરિતમાનસ(ગુજરાતી શબ્દાર્થ સાથે) 

Ram Charit Manas-Full Gujarati Book By Tulsidasji

This book is for Archive and online reading only-not downloadable


Rama-Raksha-Stotra -With Gujarati Font-Shloka & Gujarati Translation-રામરક્ષા સ્તોત્ર-ગુજરાતી અનુવાદ સાથે

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-136

 
અર્થવાળો,અર્થવાળા પાસે જતો નથી,અને ગરજ પુરી થાયે માણસ મૈત્રી રાખતો નથી,તેથી,બીજાને માટે કરવાનાં સર્વ કાર્ય થોડાં અધૂરાં રહે તેમ જ કરવાં.ઐશ્વર્ય ઇચ્છનારે,ઈર્ષારહિત રહીને,(મિત્રતામાં)સંગ્રહ અને શત્રુ સાથે વિગ્રહ કરવામાં યત્ન કરવો અને ઉત્સાહ રાખવો.નીતિયુક્ત મનુષ્ય એવું કરે કે-પોતાનાં કાર્યોને મિત્રો તેમજ શત્રુઓ જાણી જાય નહિ,તેઓ તે જો જાણે,તો કાર્ય આરંભ્યા પછી જ કે તે પુરી રીતે પર પડ્યા પછી જ જાણે.

Mar 29, 2023

9-Millions Views of Sivohm-Thanks everybody


 

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-135


 પુત્ર,મિત્ર,ભાઈ,પિતા અને ગુરુ પણ જો શત્રુની જેમ વર્તતા હોય તો સ્વહિત ઇચ્છનારે તેમને હણી નાખવા.

સોગન ખાઈને,ધન આપીને,વિષ દઈને અથવા કપટજાળ ફેલાવીને રિપુને મારી જ નાખવો.ને ક્યારે ય તેની 

ઉપેક્ષા કરવી નહિ.જેઓ સંશયમાં હશે,તેઓ જેઓને મારી (કણિકની) નીતિ પર શ્રદ્ધા હશે તે જ વિજયને વરશે.

Mar 28, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-134


કણિક બોલ્યો- જેમ,ફળેલી ડાળીને નમાવીને,પાકાં ફળ તોડી લેવાય છે,તેમ,શત્રુ-રૂપી-ફળ તોડવાનો એવો જ
ઉપાય છે.સમય ન આવ્યો હોય ત્યાં સુધી,શત્રુને ખભે બેસાડી ફેરવવો,ને સમય આવ્યે તેનો નાશ કરવો.

શત્રુ,દીન થઈને ઘણુંઘણું કહે તો પણ,તેના પર કૃપા કરવી નહિ,અપકારીઓને તો હણી જ નાખવા.

આમ શત્રુને સાંત્વન,દાન,સામ,દામ,દંડ ભેદ-આદિ ઉપાયોથી ઉખેડી જ નાખવો (21-24)

Mar 27, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-133

 
અધ્યાય-૧૪૦-કણિકની રાજનીતિ 

 II वैशंपायन उवाच II श्रुत्वा पाण्डुसुतान् वीरान बलोद्रिक्तान महौजसः I धृतराष्ट्रो महिपालश्चिताम गमदातुर:II १ II

વૈશંપાયન બોલ્યા-પાંડુપુત્રોને વીર,બળસંપન્ન ને મહાઓજસ્વી થયેલા સાંભળીને ધૃતરાષ્ટ્ર ચિંતા કરવા લાગ્યો,

પછી,મંત્રવેત્તા,રાજશાસ્ત્રના રહસ્યના પાર્મવિદ્વાન અને મંત્રીઓમાં શ્રેષ્ઠ એવા કણિકને બોલાવી,

ધૃતરાષ્ટ્ર તેને કહેવા લાગ્યો કે-પાંડવોના ઉત્કર્ષથી મને,તેમના પ્રત્યે અદેખાઈ થાય છે,તો હે કણિક,

મારે તેમની સાથે સંધિ રાખવી કે વિગ્રહ કરવો,તે તું મને નિશ્ચિત રીતે કહે,હું તેમ કરીશ (1-3)

Mar 26, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-132

 
અધ્યાય-૧૩૯-પાંડવોના પરાક્રમથી ધૃતરાષ્ટ્રને ચિંતા 

II वैशंपायन उवाच II ततः संवत्सरस्यानते यौवराज्याय पार्थिव I स्थापितो धृतराष्ट्रेण पाण्डुपुत्रो युधिष्ठिरः II १ II

વૈશંપાયન બોલ્યા-હે રાજા,આ વાતને એક વર્ષ વીત્યા પછી,ધૃતરાષ્ટ્રે યુધિષ્ટિરની,ધીરતા,અકઠોરતા,

સરળતા,દયાળુતા ને સ્થિર મિત્રતા-આદિ ગુનો જોઈને તેમને યુવરાજપદે સ્થાપ્યા.

ને ટૂંક સમયમાં જ યુધિષ્ઠિરે,પોતાના સદગુણોથી,પિતાની કીર્તિને પણ પાછળ પાડી દીધી.(1-3)

Mar 25, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-131

અધ્યાય-૧૩૮-દ્રુપદનો પરાજય ને અર્જુને આપેલી ગુરુદક્ષિણા 


II वैशंपायन उवाच II पाण्डवान धार्तराष्ट्राश्च कृतास्त्रान्प्रसमीक्ष्य सः I गुर्वर्थ दक्षिणाकाले प्राप्तेSमन्यत वै गुरुः II १ II

વૈશંપાયન બોલ્યા-પાંડવો ને ધાર્તરાષ્ટ્રો (કૌરવો)ને અસ્ત્રવિદ્યામાં નિપુણ થયેલા જોઈને,દ્રોણે 'ગુરુદક્ષિણાનો સમય હવે આવ્યો છે' તેમ વિચાર્યું,એટલે તેમણે સર્વ શિષ્યોને ભેગા કરીને કહ્યું કે-'હે કુમારો,તમારું કલ્યાણ થાઓ,

તમારી પાસેથી ગુરુદક્ષિણામાં હું એટલું જ ઈચ્છું છું કે-તમે પાંચાલરાજ દ્રુપદને,રણમાં જીતીને પકડી લાવો'(1-3)

Mar 24, 2023

Learn AI-Artificial Intelligence

 1) click to go to chat gpt 


2) log into google or microsoft account 

3) in the bottom squre yo can ask anything 
more word is better

like 
1) tell me the mahabharat as I am 6 year old kid
2) tell me gita in short 
3)write a apology letter or any kind of letter to my boss
4) wtite letter to chase ceo for my creditcard issue
5) give me 7 days  iternary  to europe possibaly suggesting indian restaurant

and it will start writing in front of you.

you can create image too.
they will paint in front of you !!!

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-130

અધ્યાય-૧૩૭-કર્ણ પર આક્ષેપ 


II वैशंपायन उवाच II ततः स्त्रस्तोत्तरपटः सप्रस्वेद: सवेपथुः I विवेशाधिरथो रंगं यष्टिप्राणोह्ययग्रिव II १ II

વૈશંપાયન બોલ્યા-પછી,જેનું ઉપરણું ખસી ગયું છે,જે પરસેવે નાહી રહ્યો છે,અને જે કંપી રહ્યો છે,એવો 

અધિરથ (કર્ણનો સારથી પાલક પિતા) ત્યાં કર્ણને હાક દેતો લાકડીના ટેકે રંગભૂમિમાં પ્રવેશ્યો.

ત્યારે કર્ણે,ધનુષ્ય બાજુ મૂકીને,તેને શિર નમાવી વંદન કર્યું.ને પિતાને સ્નેહથી ભેટ્યો,અધિરથ પણ,

અભિષેકથી ભીના થયેલા કર્ણના માથાને,ફરીથી આંસુઓથી ભીંજવવા લાગ્યો (1-4)

Mar 23, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-129

 
અધ્યાય-૧૩૬-કર્ણનો રાજ્યાભિષેક 

II वैशंपायन उवाच II दत्तेSवकाशे पुरुषैर्विस्मयोत्फ़ुल्ललोचनै:I विवेश रंगं विस्तीर्ण कर्णः परपुरंजयः II १ II

વૈશંપાયન બોલ્યા-પછી,વિસ્મયથી વિકસી ઉઠેલાં નયનવાળા લોકોએ,માર્ગ આપ્યો,એટલે શત્રુજિત કર્ણ,

તે વિશાળ રંગમંડપમાં આવ્યો.જન્મથી જ સાથે આવેલા કવચ અને કુંડળથી તે શોભતો હતો.તેણે,

ધનુષ્ય-તલવાર બાંઘ્યા હતા,ને તે પગે ચાલતા પર્વત જેવો જણાતો હતો.વિશાળ લોચનવાળો,સૂર્યના અંશવાળો 

તે કર્ણ,પૃથાને કન્યાવસ્થામાં થયેલો પુત્ર હતો,સિંહ અને ગજેન્દ્ર સમાન તેનાં બળ,વીર્ય ને પરાક્રમ હતા,તો સૂર્ય અને 

અગ્નિ સમાન તે પ્રકાશમાન,કાંતિવાન ને તેજસ્વી જણાતો હતો.સ્વયં સૂર્યથી જન્મેલ તે યુવાન સુવર્ણના તાડ 

જેવો ઊંચો હતો,સિંહના જેવો વજ્રઅંગ વાળો તે અસંખ્ય ગુણોથી સંપન્ન હતો.તે મહાબાહુએ રંગમંડપને 

સર્વ બાજુએથી જોયું,અને દ્રોણાચાર્ય તથા કૃપાચાર્યને જાણે સાધારણ આદરથી પ્રણામ કર્યા.(1-6)

Mar 22, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-128

 
અધ્યાય-૧૩૫-અર્જુનની પરીક્ષા 

II वैशंपायन उवाच II कुरुराजे हि रंगस्थे भीमे च बलिनां वरे I पक्षपातकृतस्नेहः स द्विधेवाभवज्जनः II १ II

વૈશંપાયન બોલ્યા-કુરુરાજ દુર્યોધન અને મહાબળવાન ભીમ,જયારે રંગભૂમિમાં ઉતર્યા,ત્યારે,પક્ષપાતી સ્નેહને લીધે લોકો બે ભાગમાં વહેંચાઈ ગયા.કેટલાક 'વાહ કુરુરાજ' તો કેટલાક 'વાહ ભીમ' એમ મોટેથી બોલી રહ્યા ને તેને લીધે રંગભૂમિ પર એક જબરદસ્ત શોર થયો.મંડપને આમ ઉકળેલો જોઈને દ્રોણાચાર્ય,અશ્વસ્થામાને કહેવા લાગ્યા કે-

આ બેઉ સિદ્ધ વિદ્યાવાળાને તું વાર,તેમને કારણે રંગમંડપમાં પ્રકોપ ન થવો જોઈએ.(1-4)