Feb 7, 2024

ઍંધાણ-By-અનિલ શુક્લ

 

હર શ્વાસે,દિલની ધડકન વધી રહી,

શું તારા આગમનના એ ઍંધાણ છે?


થડકાટ દિલનો શાંત થતો,અનિલ,

શું ખરેખર તે,સન્મુખ તો નથી થયો?


કંઠથી ના પુકારી શકું,રોમાંચ થયો ઘણો,

નથી નેત્ર સામે.તે પણ નેત્રો અશ્રુસભર થયાં.


(ભક્તિ-સૂત્રો લખતી વખતે થયેલ પ્રેરણા)

અનિલ 

8-25-2022



comments? OR you want to publish your poetery? or any article?

email me-anamiyogi@gmail.com

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-419

 

અધ્યાય-૧૨૬-માંધાતાનું ચરિત્ર 


II युधिष्ठिर उवाच II मांधाता राजशार्दूलस्रिपु लोकेषु विश्रुतः I कथं जातो महाब्रह्मन् यौवनाश्वो नृपोत्तमः II १ II

યુધિષ્ઠિર બોલ્યા-'હે મહાબ્રાહ્મણ,ત્રણે લોકોમાં વિખ્યાત અને રાજાઓમાં સિંહ સમાન એ રાજેન્દ્ર માંધાતા,કેવી રીતે યુવનાશ્વનો પુત્ર થયો? વળી,જે મહાત્માને વિષ્ણુની જેમ ત્રણે લોક વશ હતા,તે કેવી રીતે જન્મ પામ્યો હતો?

તેનું નામ માંધાતા શાથી પડ્યું હતું? તેનું ચરિત્ર હું સાંભળવા ઈચ્છું છું,તમે આ કહેવામાં કુશળ છો.

Feb 6, 2024

Meditation-Simple Explaination in Hindi

 
Very simple information of Meditation in Hindi.Yo will sure find it very interesting !!Hear ....it...

લેખકોને આમંત્રણ-Invitation to writers

આપના આધ્યાત્મિક લેખો,બુક,ચિત્ર,ઓડીઓ કે વિડિઓ વગેરે 
અહીં શિવોહમ પર પોસ્ટ કરવા માટે આપ સૌને આમંત્રણ છે.
પ્લીઝ ઈમેલ કરો-anamiyogi@gmail.com

બાલા જોગણ-By-અનિલ શુક્લ

 


માધવની મૂર્તિ પર મોહી,મીરા સજળ નયને રોઈ,

રે ફકીરા,તડપાવે શાને? માધવ મારો મને દઈ દેઈ.


માન્યો નહિ ને ચાલી ગયો ફકીરો,મૂર્તિ સંગમાં લેઇ,

અન્ન જળ છોડ્યા મીરાંએ,રોઈરોઈ માધવ વિરહી થેઇ.


આવ્યા માધવ સ્વપ્નમાં,રે ફકીરા,શાની રાખે છે ઠેસ?

સાચવનાર તું હતો મૂર્તિનો,જા,જઈને મીરાને જ દઈ દેઈ.


દોડ્યો ફકીરો,પડ્યો પગે મીરાંને,મોહન મૂર્તિ દેઇ,

હૃદયે ચાંપી,બની બાવરી મીરાં,બાલા જોગણ થેઈ 


અનિલ 

જૂન-16-2023



comments? OR you want to publish your poetery? or any article?

email me-anamiyogi@gmail.com

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-418

 

અધ્યાય-૧૨૫-અશ્વિનીકુમારોને સોમપ્રાપ્તિ 


II लोमश उवाच II ते द्रष्टा घोरवदनं मदं देवः शतक्रतुः I आयांतं भक्षयिष्यंतं व्याताननमिवांतकम् II १ II

લોમશ બોલ્યા-કાળની જેમ ખાવાને ધસી આવતા એ ભયંકર મોં વાળા રાક્ષસને જોઈને સ્થિર થયેલા હાથવાળો ઇન્દ્ર ભયથી વારંવાર પોતાનાં ગલોફાં ચાટવા લાગ્યો ને પછી ભયથી પીડાયેલા એ (શતક્રતુ)દેવરાજે ચ્યવનને કહ્યું કે-'હે ભાર્ગવ,આ મારુ સત્ય વચન છે કે આજથી આ અશ્વિનીકુમારો સોમપાનના અધિકારી ગણાશે,તમે મારા પર પ્રસન્ન થાઓ.તમે કૃપા કરો અને ઇચ્છામાં આવે તે કરો' ત્યારે તે ચ્યવનનો કોપ એકદમ ઓસરી ગયો અને તેમણે ઇન્દ્રને એકદમ મુક્ત કર્યો.અને મદ રાક્ષસને,મદ્યપાન,સ્ત્રી,જુગાર ને મૃગયામાં વહેંચીને તેનો નિકાલ કર્યો.

Feb 5, 2024

રહ્યું બાકી-By-અનિલ શુક્લ

 


કૃપા થઇ 'તે'ની,બતાવી દીધો છે સત્યનો સીધો મારગ જેણે,

તો હવે તે જ મારગે મારે પગલું ભરવું રહ્યું બાકી.


'હું' 'મારું' નો કરાવી ત્યાગ કરાવી,વૈરાગ્યના ભણાવ્યા પાઠ જેણે,

તે ગીતાના જ મારગે પગલું ભરવું રહ્યું બાકી.


આ ભવમાં ભટકતાં,પાસે રહી કરાવ્યું છે,આત્માનું જ્ઞાન જેણે,

તેના જ શરણે જ માત્ર રહેવું રહ્યું બાકી.


સંસાર સાગરના તોફાનમાં,નાવ આપીને બેસાડ્યા જેણે,

એ નાવમાં બેસીને જ હવે તરવું રહ્યું બાકી.


ઈડા-પિંગલાની રમતો તો ઘણી રમી જાણી આ જીવનમાં,

હવે સુષુમ્ણામાં જ ઠરીને રહેવું જ રહ્યું બાકી.


અનિલ 

ઓગસ્ટ-8-2023


comments? OR you want to publish your poetery? or any article?
email me-anamiyogi@gmail.com

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-417

 

અધ્યાય-૧૨૪-શર્યાતિનો યજ્ઞ 


II लोमश उवाच II ततः शुश्राव शर्यातिर्वयस्यं च्यवनं कृतं I सुद्रष्टः सेनया सार्धमुपायाद्भर्गवाश्रमम् II १ II

લોમશ બોલ્યા-'હવે,શર્યાતિ રાજાએ સાંભળ્યું કે-ચ્યવનને ફરીથી યૌવન મળ્યું છે એટલે તે હર્ષ પામ્યો ને સેના સાથે

એ ભાર્ગવના આશ્રમે આવ્યો.ચ્યવન ને સુકન્યાને જોઈને શર્યાતિ ને તેની પત્નીને અતિ આનંદ થયો.

ચ્યવન ભાર્ગવે રાજાને કહ્યું કે-'હે મહારાજ,હું તમને યજ્ઞ કરાવીશ,તમે સામગ્રીઓ એકઠી કરો' શર્યાતિએ,ચ્યવનના

વચનને માન આપીને એમની પાસે યજ્ઞ કરાવ્યો.તે યજ્ઞ વખતે આશ્ચર્યકારક બનાવો બન્યા હતા,તે સાંભળો.

Feb 4, 2024

Mera dil ye pukare-Video

Music has no boundary !! 


તારું સરનામું--By-અનિલ શુક્લ

 

ખોળી રહ્યો હતો તને,તારું સરનામું મળે ક્યાંથી?
અનિલ બનાવ્યો મને તો મારું ય સરનામું ક્યાંથી?

ન તું મને મળે કે ન હું  તને મળું,સમસ્યા હતી માઠી,
મંદિરોના સરનામાં ખોટા પડ્યા,સર્વ બુદ્ધિ ગઈ નાઠી.

ભટક્યો જગ મહી,ને અંતે પહોંચી ગયો તુજ દ્વારે
હસ્તિ નથી રહી મારી,ભૂલ્યો સર્વ,મળ્યો તું જયારે

થયો હતો અસંગ આ જગતથી,તારું સ્વરૂપ પણ અસંગ.
અસંગ અસંગમાં મળ્યો,પાછો ક્યાં ફરું? રહેવા દે તુજ સંગ.

અનિલ
ઓક્ટોબર 10,2023
ઉત્તરકાશી


comments? OR you want to publish your poetery? or any article?
email me-anamiyogi@gmail.com



Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-416

 

અધ્યાય-૧૨૩-ચ્યવન મુનિને નવયૌવન 


II लोमश उवाच II कस्यचित्वथ कालस्य त्रिदशावश्विनौ नृप I कृताभिषेकां विचुतां सुकन्यां तामपश्यताम् II १ II

લોમશ બોલ્યા-'હે રાજા,એક વખત,કોઈ સંજોગોવશાત અશ્વિનીકુમાર દેવોએ,નાહીને ખુલ્લે અંગે ઉભેલી તે સુકન્યાને જોઈ.કે જેને જોઈને તેઓ એકદમ તેની પાસે દોડ્યા ને કહેવા લાગ્યા કે-'હે સુંદરી,તું કોની છે? 

ને આ વનમાં તું શું કરે છે? તે મેં જાણવા ઇચ્છીએ છીએ' ત્યારે સુકન્યાએ શરમાઈને કહ્યું કે-

'હે દેવવરો,હું શર્યાતિ રાજાની પુત્રી અને ચ્યવનની પત્ની છું' (4)

Feb 3, 2024

ધ્યેય અનંતનું-By-અનિલ શુક્લ

 

ધ્યેય અનંતનું હતું,ને પ્રવાસ પણ લાંબો હતો ઘણો,

અંત આવ્યો પ્રવાસનો,ને પ્રવાસ જ અનંત બની ગયો.


ના કોઈ ડર,ના ચિંતા રહી ને સંશય પણ કોઈ રહ્યો નથી,

નાવિક બન્યો છે 'તે' તો હવે સફર જ મંજિલ બની ગઈ.


કરી હતી ઊંચી ઉડાણ અનિલે,તો અનંતે પહોંચી ગયો,

નથી ફડફડાવી પડતી પાંખ,એ અનંતમાં સમાઈ ગયો.


યાદ,કર અનિલ,એ નિર્ધનતાની એ મોજ ઘણી હતી,

ત્યાગી દીધો વૈભવને તો ફરી એ મોજને પામી ગયો.


અનિલ-જાન્યુઆરી-15-2024


Click here to Go to Index Page For More


comments? OR you want to publish your poetery? or any article?

email me-anamiyogi@gmail.com

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-415

 

અધ્યાય-૧૨૨-મહર્ષિ ચ્યવનને સુકન્યાની પ્રાપ્તિ 


II लोमश उवाच II भृगोर्महर्षे पुत्रोSभुच्चवनो नाम भारत I समीपे सरसस्तस्य तपस्तेपे महाध्युति: II १ II

લોમશ બોલ્યા-હે ભારત,મહર્ષિ ભૃગુના પુત્ર ચ્યવન કે જે મહાતપસ્વી હતા,તેમણે સરોવરની સમીપ તપસ્યા પ્રારંભ કરી હતી.તે એક સ્થાન પર લાંબો સમય અવિચલ ભાવથી વીરાસનમાં બેઠા રહ્યા હતા ને તેથી તે એક ઠૂંઠા લાકડાના જેવા દેખાતા હતા.ધીરે ધીરે સમયની સાથે તેમનું શરીર કીડીઓથી વ્યાપ્ત થઇ ગયું ને વેલોથી આચ્છાદિત થઇ ગયું.ને તે કેવળ એક માટીના લૉંદા જેવા જ દેખાવા લાગ્યા.હતા.(4)

Feb 2, 2024

Hanuman Chalisa-in gujarati-હનુમાન ચાલીસા-ગુજરાતી


શ્રી  ગુરુ  ચરણ  સરોજ  રજ , નિજ  મનુ મુકર  સુધારી,
બરનઉં  રઘુબર  બિમલ  જસુ,  જો  દાયક  ફલ  ચારી.
બુદ્ધિહીન  તનુ    જાનકાઈ,    સુમિરૌ     પવનકુમાર,
બલ  બુદ્ધિ   વિદ્યા  દેહુ  મોહી ,  હરાઉં   કલેશ  વિકાર .

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-414

 

અધ્યાય-૧૨૧-ગયરાજાના યજ્ઞનું વર્ણન 


II लोमश उवाच II नृगेण यजमानेन सोमेनेह पुरन्दरः I तर्पितः श्रयते राजन्स तृप्तो मुदमम्ययात II १ II

લોમશ બોલ્યા-હે રાજન,સાંભળ્યું છે કે યજ્ઞ કરતા નૃગે આ સ્થળે ઇન્દ્રને સોમપાનથી તૃપ્ત કર્યો હતો,કે જેથી તે આનંદ પામ્યો હતો.વળી,આ સ્થળે ઇન્દ્ર સહિત સર્વ દેવોએ ને પ્રજાપતિઓએ અનેકવિધ યજ્ઞો કર્યા હતા.

અહીં જ અમૂર્તરયસ ના પુત્ર ગયરાજાએ,સાત અશ્વમેઘ યજ્ઞોમાં સોમપાનથી ઇન્દ્રને તૃપ્ત કર્યા હતા.