હું તને,જ્ઞેય-પદાર્થ-રૂપ અને અહંતા-રૂપ-આદિ દુઃખોના કારણ-રૂપ જાણું છું.
માટે હવે હું -આવા-વિવેકથી ઉત્પન્ન થયેલા,બોધ-રૂપી શસ્ત્રનું ગ્રહણ કરીને તને મારી નાખું છું.
જે ગતિ-રૂપ અંશ છે તે પ્રાણોનો છે,જે બોધ-રૂપ (જ્ઞાન-રૂપ) અંશ છે તે મહા-ચૈતન્ય નો છે,તો-જે જરા અને મરણ-રૂપ અંશો છે તે શરીર ના છે,તો તેઓમાં "હું" એમ માની બેસનાર કોણ હશે?
જે માંસ છે,જે રુધિર છે,જે અસ્થિ છે,જે બોધ છે,કે જે ગતિ છે-તે કોઈ પણ અહં-પદ નો અર્થ નથી,તો-અહં-પદ ના અર્થ-રૂપ તે કોણ હશે?
આ જ્ઞાનેન્દ્રિયો (નાક-કાન-વગેરે)છે તેમાં "હું" ને માની બેસનાર તે કોણ છે?