હે રાજા,સર્વવ્યાપી એ પરમ-તત્વ જ "એક" સાર-રૂપ છે.એ પરમતત્વ ચૈતન્યમાત્ર,આનંદરૂપ અને બીજું કંઈ પણ ના હોવાથી,"એક" સંખ્યા પણ તેમાં ઘટતી નથી.માટે તે અક્ષય-આત્મ-તત્વ જ પૂર્ણ રીતે ચારે તરફ ભરપૂર થઈને સર્વત્ર શોભી રહ્યું છે.બીજી કોઈ પણ કલ્પના તેમાં (પરમતત્વ માટે) છે જ નહિ.
સદા-કાળ એ આત્મતત્વ જ સર્વરૂપ હોવાથી,કેમ જાણે સર્વને આકારે થઇ રહ્યું હોય તેમ ભાસે છે.