ત્યાર પછી-જે પદ (બ્રહ્મ)ને પ્રાપ્ત થાય પછી,તે
મહાત્માઓ ફરીથી પાછા આવતા નથી,તે પદ (બ્રહ્મ) ને શોધી કાઢવું. (કેવી રીતે
શોધવું?તો કહે છે-કે)
જે-બ્રહ્મમાંથી અનાદિ પ્રવૃત્તિ ચાલી આવી છે
-તે
જ આદ્ય પુરુષ (પરમાત્માને)-“ હું શરણે છું” –
એવી ભાવના મનમાં રાખી-તે (બ્રહ્મ) પદની (ચરમ
સ્થાનની) શોધ કરવી (૪)