Oct 18, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-954

 

અધ્યાય-૭૩-પાંચમો દિવસ (ચાલુ)-દ્વંદ્વ યુદ્ધ 


॥ संजय उवाच ॥ विराटोथत्रिभिर्बाणैर्भिष्ममार्च्छन्महारथम् I विव्याध तुर्गाश्वास्य त्रिभिर्बाणैर्महराथः ॥१॥ 

સંજયે કહ્યું-ત્યાર પછી,મહારથી વિરાટ રાજાએ,મહારથી ભીષ્મ પર ત્રણ બાણોનો પ્રહાર કર્યો અને બીજા ત્રણ બાણો મૂકીને તેમના ઘોડાઓને વીંધી નાખ્યા.ભીષ્મે પણ સામે તેને દશ બાણોથી વીંધ્યો.અશ્વત્થામાએ છ બાણોથી અર્જુનની છાતી પર પ્રહાર કર્યો તે જોઈ,અર્જુને તેનું બાણ છેદી નાખીને સામે તીક્ષ્ણ બાણોથી પ્રહાર કર્યો.ત્યારે અશ્વત્થામાએ બીજું ધનુષ્ય ગ્રહણ કર્યું અને નેવું બાણ મૂકીને અર્જુનને અને સિત્તેર બાણો મૂકીને કૃષ્ણને પણ વીંધ્યા.ક્રોધાતુર થયેલા અર્જુને ઘોર બાણો મૂકી,અશ્વત્થામાના કવચને તોડીને તેને લોહીલુહાણ કરી નાખ્યો.ને પછી અર્જુને 'આ બ્રાહ્મણ ગુરુપુત્ર મારે માન્ય છે' એવી બુદ્ધિથી તેના પર દયા કરી અને તેની સામે યુદ્ધ કરવું છોડી દીધું ને બીજાઓ સામે યુદ્ધ કરી સંહાર કરવા લાગ્યો.

Oct 17, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-953

 

અધ્યાય-૭૨-પાંચમો દિવસ (ચાલુ)-સંકુલ યુદ્ધ 


॥ संजय उवाच ॥ शिखंडी सहमत्स्येन विराटेन विशांपते I भीष्ममशु महेष्वासममसद सुदुर्जयम् ॥१॥ 

સંજયે કહ્યું-હે રાજા,મત્સ્યરાજા અને વિરાટરાજાને સાથે લઈને શિખંડી,અતિ દુર્જય મોટા ધનુર્ધારી ભીષ્મ પાસે આવી પહોંચ્યો.અને અર્જુન,દ્રોણાચાર્ય,કૃપાચાર્ય,વિકર્ણ અને બીજા શૂરા રાજાઓની સામો યુદ્ધ કરવા આવ્યો.જયદ્રથ અને દુર્યોધન સામે ભીમસેન ચડી આવ્યો.પિતાપુત્ર શકુનિ અને ઉલૂક સામે સહદેવ ધસી આવ્યો.હાથીસેના સામે યુધિષ્ઠિર અને નકુલ ત્રિગર્તો સામે ધસ્યા.ક્રોધાયમાન થયેલા સાત્યકિ,ચેકિતાન અને મહારથી અભિમન્યુ,શાલ્વ અને કેકેયોની સામ આવી યુદ્ધમાં ઉભા રહ્યા.

અતિ દુર્જય એવા ધૃષ્ટકેતુ અને ઘટોત્કચ એ બંને કૌરવોના રથી યોદ્ધાઓની સેના સામે યુદ્ધ કરવા તૈયાર થયા. સેનાપતિ ધૃષ્ટધુમ્ન,ઉગ્ર પરાક્રમવાળા દ્રોણાચાર્યની સામે યુદ્ધ કરવા આવી ઉભો રહ્યો.આવી રીતે મહાધનુર્ધર એવા શૂરા ધનુર્ધરો સામસામા આવી જઈને પરસ્પર પ્રહાર કરવા મંડ્યા.

Oct 16, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-952

 

અધ્યાય-૭૧-પાંચમો દિવસ-સંકુલ યુદ્ધ (ચાલુ)


॥ संजय उवाच ॥ द्रष्ट्वा भीष्मेण संसक्तान्भ्रात्रुनन्यश्च पार्थिवान I समभ्यधावदांगेययुद्यतास्त्रो धनंजयः ॥१॥ 

સંજયે કહ્યું-ભીષ્મ પિતામહ સામે ધસી ગયેલા પોતાના ભાઈઓને તથા અન્ય રાજાઓને જોઈને અર્જુન પણ ભીષ્મ સામે ધસ્યો.ગાંડીવના ટંકાર ને શંખના નાદને સાંભળીને કૌરવ યોદ્ધાઓમાં ભય ઉતપન્ન થયો.જેમ,પ્રચંડ વાયુવાળો મેઘ વીજળીના ચમકારા અને ગર્જનાઓની સાથે ચારે બાજુ વરસી પડે,તેમ તે અર્જુન પણ બાણોનો વરસાદ વરસાવી સર્વ દિશાઓને છાઈ દેવા લાગ્યો.થાકી ગયેલાં વાહનોવાળા,હણાયેલા ઘોડાઓવાળા,અને ભયભીત થઈને બેભાન થયેલા તમારા યોદ્ધાઓ બધા સાથે મળીને ભીષ્મ પાસે જ ભરાઈ ગયા,કારણકે આ સંગ્રામમાં તેઓને ભીષ્મનું જ શરણ હતું.

Oct 15, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-951

 

અધ્યાય-૭૦-પાંચમો દિવસ (ચાલુ)-સંકુલ યુદ્ધ 


॥ संजय उवाच ॥ अकरोत्तुमुलं युद्धं भीष्मः शांतनवस्तदा I भीमसेनभयादिच्छन्पुत्रास्तारयितुं तव ॥१॥ 

સંજયે કહ્યું-તે દિવસે શાંતનુકુમાર ભીષ્મે,તમારા પુત્રોને ભીમસેનના ભયથી ઉગારાવાની ઈચ્છાથી તુમુલ યુદ્ધ કર્યું.

કૌરવો અને પાંડવોના મુખ્ય મુખ્ય યોદ્ધાઓનો નાશ કરનારું,બંને પક્ષના રાજાઓનું તે ભયંકર યુદ્ધ તે દિવસના પૂર્વભાગમાં શરુ થયું ત્યારે આકાશને ફાડી નાખે તેવો તુમુલ શબ્દ થઇ રહ્યો.વિજય મેળવવા માટે પરાક્રમ કરતા,મહાબળવાન યોદ્ધાઓ મોટા વૃષભની જેમ સામસામા ગર્જનાઓ કરતા હતા.તીક્ષ્ણ બાણોના પ્રહારથી રણભૂમિ પર પડતાં મસ્તકો,આકાશમાંથી પડતી પથ્થરોની વૃષ્ટિ સમાન જણાતાં હતાં.આખી યુદ્ધભૂમિ,કપાયેલાં શરીર ને શરીરના અવયવોથી છવાઈ ગઈ હતી.

Oct 14, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-950

 

અધ્યાય-૬૯-પાંચમો દિવસ-મકર અને શ્યેન વ્યૂહ 


॥ संजय उवाच ॥ व्युषितायां च शर्वर्या उदिते च दिवाकरे I उभे सेने महाराज युद्धायैव समीयतुः ॥१॥ 

સંજયે કહ્યું-રાત્રિ વીતી ગઈ અને પ્રભાતના સૂર્યનો ઉદય થતાં,બે સેનાઓ યુદ્ધ કરવા માટે સજ્જ થઈને ઉભી.તમારા દુષ્ટ વિચારના પરિણામથી તે વેળા પાંડવો ને કૌરવો સામસામા વ્યૂહરચના કરીને એકબીજા પર પ્રહાર કરવા તૈયાર થઇ રહ્યા.

ભીષ્મ,પોતાના મકરવ્યુહનું ચારે બાજુથી રક્ષણ કરતા હતા.ને મોટી રથીઓની સેનાથી વીંટાઇને આગળ નીકળી પડ્યા,યોગ્ય વિભાગમાં ઉભેલા રથીઓ,પાયદળો,હાથીઓ અને ઘોડેસ્વારો એકબીજાને અનુસરવા લાગ્યા.

Oct 13, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-949

 

અધ્યાય-૬૮-વિશ્વોપાખ્યાન-કેશવ સ્તવન 


॥ भीष्म उवाच ॥ शृणु चेदं महाराज ब्रह्मभूतं स्तवं मम I ब्रह्मर्षिमिश्च वेदैश्च यः पुराकणितो भुवि ॥१॥ 

ભીષ્મે કહ્યું-હે દુર્યોધન,એ વાસુદેવની 'બ્રહ્મરૂપ સ્તુતિ' મારી પાસેથી તું સાંભળ.પૂર્વના સમયમાં બ્રહ્મર્ષિઓ અને દેવોએ પૃથ્વી પર આ પ્રમાણે સ્તુતિ કરી હતી.'હે લોકોને ઉત્પન્ન કરનાર,હે ભાવને જાણનાર,તમે સાધ્યદેવોના અને બીજા સર્વ દેવોના પણ દેવ છો અને ઈશ્વર છો'-એમ નારદે કહેલું છે.'તમે ભૂત-ભવિષ્ય અને વર્તમાન સ્વરૂપ છો'-એમ માર્કંડેયે કહેલું છે.

'તમે યજ્ઞના પણ યજ્ઞ છો,તપના પણ તપ છો દેવના પણ દેવ છો'-એમ ભૃગુઋષિ કહે છે.

Oct 12, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-948

 

અધ્યાય-૬૭-વિશ્વોપાખ્યાન (ચાલુ)


॥ दुर्योधन उवाच ॥ वासुदेवो महद्भूतं सर्वलोकेन कथ्यते I तस्यागमं प्रतिष्ठां च ज्ञातमिच्छे पितामह ॥१॥ 

દુર્યોધને કહ્યું-હે ભીષ્મ પિતામહ,વાસુદેવ શ્રીકૃષ્ણ,સર્વલોકમાં મહાન પુરુષ કહેવાય છે 

તો હું તેમની ઉત્પત્તિ સ્થિતિને જાણવા ઈચ્છું છું.


ભીષ્મે કહ્યું-એ વાસુદેવ મહાઅદભુત પુરુષ છે.એ સર્વ દેવના પણ દેવ છે.એ પુંડરીકાક્ષ સિવાય બીજું આ જગતમાં કંઈ જ દેખાતું નથી.માર્કંડેય ઋષિ એ ગોવિંદના સંબંધમાં મહા અદભુત વર્ણન કરે છે-'સર્વ ભૂતોના આધારરૂપ મહાત્મા પુરુષોત્તમ,સર્વ ભૂતોનો આધાર છે.જળ,વાયુ અને તેજને એમણે ઉત્પન્ન કાર્ય છે તથા સર્વ લોકના ઈશ્વર એવા એ પ્રભુએ પૃથ્વીને પણ ઉત્પન્ન કરી છે.એ પુરુષોત્તમે પૂર્વે પોતાના યોગબળ વડે જળની અંદર શયન કર્યું હતું.તેમણે મુખથી અગ્નિને ઉત્પન્ન કર્યો છે,શ્વાસોશ્વાસમાંથી વાયુને ઉત્પન્ન કર્યો છે ને મનથી સરસ્વતી ને વેદોને ઉત્પન્ન કર્યા છે.

Oct 11, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-947

 

અધ્યાય-૬૬-વિશ્વોપાખ્યાન(ચાલુ)


॥ भीष्म उवाच ॥ ततः स भगवान देवो लोकानामीश्वरेश्वर: I ब्रह्माणं प्रत्युवाचेदं स्निग्धगम्भीरया गिरा ॥१॥ 

ભીષ્મએ કહ્યું-હે દુર્યોધન,ત્યાર પછી,લોકોના ઈશ્વરના પણ ઈશ્વરે તે ભગવાને સ્નિગ્ધ અને ગંભીર વાણીથી બ્રહ્માને કહ્યું-

'હે તાત,તારા મનનું ઈચ્છીત મેં યોગબળથી જાણી લીધું હતું.તે તારું વાંછિત પૂર્ણ થશે' આમ કહી ભગવાન ત્યાં જ અંતર્ધાન થયા.પછી,ત્યાં રહેલા દેવો અનેરૂષિઓ ઘણા આતુર થઈને બ્રહ્માને પૂછવા લાગ્યા કે-'આપે કોને વિનયપૂર્વક પ્રણામ કર્યા?ને વરિષ્ઠ વાણીથી કોની સ્તુતિ કરી?તે અમે સાંભળવા ઇચ્છીએ છીએ'ત્યારે પિતામહ બ્રહ્મા તે સર્વને કહેવા લાગ્યા કે-

Oct 10, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-946

 

દુર્યોધને કહ્યું-હે પિતામહ,દ્રોણ,તમે,શલ્ય,કૃપ,અશ્વત્થામા,કૃતવર્મા,શલ્ય,સુદક્ષિણ,ભૂરિશ્રવા,વિકર્ણ,ભગદત્ત આદિ મહારથી તરીકે પ્રસિદ્ધ છો.તમે બધા ત્રણે લોકને પણ પુરા પડી શકો તેમ છો,છતાં પાંડવોની સામે પરાક્રમ કરવામાં કેમ ટકી શકતા નથી?આ બાબતમાં મને મોટી શંકા ઉત્પન્ન થઇ છે.પાંડવોમાં એવું શું રહેલું છે?કે તેઓ ક્ષણેક્ષણે જીતી જાય છે?'

Oct 9, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-945

 

અધ્યાય-૬૫-વિશ્વોપાખ્યાન 


॥ धृतराष्ट्र उवाच ॥ भयं मे अहमहजातं तस्मयश्चैव संजय I श्रुत्वा पांडुरमाणां कर्म दैवेः सुदुष्कर ॥१॥ 

ધૃતરાષ્ટ્ર કહ્યું-હે સંજય,દેવોએ પણ કરવાને અશક્ય,એવું પાંડવોનું કર્મ સાંભળીને મને ઘણો જ ભય ને વિસ્મય થયું છે અને મારા પુત્રોનો પરાજય સાંભળીને 'હવે શું થશે?'તેની મને ચિંતા થયા કરે છે.અવશ્ય વિદુરનાં વાક્યો મારા હૃદયને બાળી નાખશે કારણકે દૈવયોગે બધું તેવું જ દેખાય છે.જ્યાં ભીષ્મ વગેરે શસ્ત્ર જાણનારા ઉત્તમ યોદ્ધાઓ છે,ત્યાં પણ પાંડવોના સૈન્યના યોદ્ધાઓ યુદ્ધમાં સંહાર કરી જાય છે.હે તાત,ક્યા કારણથી મહાબલિષ્ઠ પાંડવોનો નાશ થતો નથી?શું તેઓને કોઈએ વરદાન આપેલું છે?કે તેઓ કોઈ વિદ્યા જાણે છે? વારંવાર પાંડવો મારા સૈન્યને મારી નાખે છે તે મારાથી સહન થતું નથી ખરેખર,દૈવનો જ દારુણ દંડ મારા પર આવી પડ્યો છે.મારા પુત્રો માર્યા જાય છે તેનું ખરું કારણ મારી આગળ તમે કહી સંભળાવો.

મારા સર્વ પુત્રોનો ભીમ સંહાર કરી નાખશે એમાં મને લેશ પણ સંશય નથી.આ યુદ્ધમાં હું કોઈ એવો યોદ્ધો જોતો નથી કે જે મારા પુત્રોને બચાવે.હવે,મારુ સૈન્ય પાછું વળ્યું,પછી મારા પુત્રોએ શો નિશ્ચય કર્યો? તે કહી સંભળાવો.