Feb 2, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-084

અધ્યાય-૯૨-યયાતિને માટે પુનઃ સ્વર્ગગમનની પ્રાર્થના 


II अष्टक उवाच II कतरस्त्वनयो: पूर्व देवानामेति सात्मताम् I उभ्योर्धावतो राजन् सूर्याचन्द्रमसोरिव II १ II

અષ્ટક બોલ્યો-હે રાજન,સૂર્ય અને ચંદ્રની જેમ દોડતા યોગી અને જ્ઞાની-એ બેમાંથી કોણ પહેલાં દેવત્વને પામે છે?

યયાતિ બોલ્યો-યથેચ્છ વર્તનારા ગૃહસ્થોવાળા ગામમાં રહેવા છતાં,જે નિષ્કામ ને જિતેન્દ્રિય છે,

તે જ્ઞાની,પહેલો દેવરૂપને પામે છે.જે,યોગીને દીર્ઘ આયુષ્ય મળ્યું હોય છતાં સિદ્ધિ ન મળી હોય,

ને તે જો કોઈ પાપ કરી નાખે તો તેના પ્રાયશ્ચિત અર્થે તે બીજું તપ કરે.પણ,

જે જ્ઞાની(નિષ્કામ) પુરુષે સાક્ષાત્કારની સિદ્ધિ મેળવી છે,તે કદાચ પાપ કરે તો પણ,તેને મુક્તિલાભ મળે છે.

Feb 1, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-083

 
અધ્યાય-૯૧-યયાતિ ચરિત્ર-આશ્રમધર્મો 

II अष्टक उवाच II चरन् गृहस्थः कथमेति धर्मान कथं भिक्षुः कथमाचार्यकर्मा I 

वानप्रस्थः सत्यथे सन्निविष्टो यहुन्यस्मिन् संप्रति वेदयंति II १ II

અષ્ટક બોલ્યો-બ્રહ્મચારી,ગૃહસ્થી,વાનપ્રસ્થી અને સંન્યાસી-(એ ચાર આશ્રમોવાળા) કયા ધર્મો આચરે,

તો તે ઉત્તમ લોકને પામે? અત્યારે તો આ ધર્મો સંબંધમાં વેદવેત્તાઓ જુદીજુદી રીતે કહે છે.(1)

Jan 31, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-082

 
અધ્યાય-૯૦-યયાતિ ચરિત્ર-પુનર્જન્માદિ વિચાર 

II अष्टक उवाच II यदाSवसो नन्दने कामरूपी संवत्सराणांयुतं शतानाम I 

किं कारणं कार्तयुग प्रधान हित्वा च त्वं वसुधामन्वपद्यः  II १ II

અષ્ટક બોલ્યો-હે સત્વયુગપ્રધાન,તમે યથેચ્છરૂપે નંદનવનમાં દશલાખ વર્ષ રહ્યા,

તો શા કારણે તે છોડીને તમે  પૃથ્વીને પામ્યા? (1)

યયાતિ બોલ્યો-જેમ,આ લોકમાં,ધનમાં ક્ષીણ થાય છે ત્યારે,સગો,મિત્ર,સ્વજન તેને છોડી દે છે,

તેમ ત્યાં એ મનુષ્ય પુણ્યથી ક્ષીણ થાય ત્યારે ઐશ્વર્યવાન દેવો તેને તરત જ ત્યજી દે છે (2)

Jan 30, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-081

 
અધ્યાય-૮૮-યયાતિનું સ્વર્ગમાંથી પતન 

II इन्द्र उवाच II सर्वाणि कर्माणि समाप्य राजन गृहं परित्यज्य वनं गतोSसी I 

तस्यां पृच्छामि नहुसष्य पुत्र केनासि तुल्यस्तपसा ययाते  II १ II

ઇન્દ્ર બોલ્યો-તમે સર્વ કર્મો સમાપ્ત કરીને,અને ઘર ત્યજીને વનમાં ગયા હતા,

તો હે નહુષપુત્ર યયાતિ,હું તમને પૂછું છું કે-તમે તપસ્યામાં કોને તોલે હતા?

યયાતિ બોલ્યો કે-હે ઇન્દ્ર,દેવો,મનુષ્યઉ,ગંધર્વો અને મહર્ષિઓમાં.કોઈને પણ હું તપમાં મારા તુલ્ય જોતો નથી.

Jan 28, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-080

 
અધ્યાય-૮૬-યયાતિનું સ્વર્ગગમન 

II वैशंपायन उवाच II एवं स नाहुषो राजा ययातिः पुत्रभिप्सितं I राज्येSभिपेध्य मुदितो वानप्रस्थोSभवन्मुनि  II १ II

વૈશંપાયન બોલ્યા-આ પ્રમાણે (નાહુષ રાજા) યયાતિએ પોતાના પ્રિય પુત્રને રાજ્યગાદીએ બેસાડીને,

પોતે પ્રસન્નતાપૂર્વક વાનપ્રસ્થી મુનિ થયો.જિતેન્દ્રિય ને વ્રતી થઈને,ફળ-મૂળ ખાઈને,બ્રાહ્મણો સાથે તે વનમાં રહ્યો.

ને પછી અહીંથી તે સ્વર્ગલોકમાં ગયો.ને ત્યાં સુખ ને આનંદમાં રહ્યો,

પણ થોડા જ વખતમાં,ઇન્દ્રે તેને સ્વર્ગમાંથી નીચે પાડ્યો,સ્વર્ગમાંથી પડતાં તે પૃથ્વીના તળે ન પડ્યો,પણ આકાશમાં અધ્ધર જ રહ્યો.એમ મેં સાંભળ્યું છે.વળી,મેં સાંભળ્યું છે કે-વસુમાન,અશતક,પ્રતર્દન અને શિબિરાજ સાથે

તે એક થઈને,તે વીર્યવાન રાજા ફરીથી પાછો સ્વર્ગે ગયો હતો (1-6)

Jan 27, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-079

 
અધ્યાય-૮૫-પૂરૃનો રાજ્યાભિષેક અને યયાતિનું વનગમન 

II वैशंपायन उवाच II पौरवेणाय वयसा ययातिर्नहुमात्मजः I प्रितियुक्तो नृपश्रेष्ठश्चचर विषयान प्रियान्  II १ II

વૈશંપાયન બોલ્યા-પૂરુની યુવાની મેળવીને,તે યયાતિ વિષયભોગો ભોગવવા લાગ્યો.

યચેચ્છાએ,યોગ્ય ઉત્સાહે,કાળાનુસાર,સુખપૂર્વક અને ધર્મના અવિરોધે,ઉચિત રીતે તે વિષયસેવન કરવા માંડ્યો.

યજ્ઞોથી દેવોને,શ્રાદ્ધથી પિતૃઓને,દાનથી દીનોને,મનોરથપુર્તિથી બ્રાહ્મણોને,ખાનપાનથી અતિથિઓને,

પરિપાલનથી વૈશ્યોને,દયાથી શુદ્રોને,ઝાપટાથી ચોરડાકૂઓને અને ધર્મથી સર્વ પ્રજાને,પ્રસન્ન કર્યા (1-4)

Jan 26, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-078

 
અધ્યાય-૮૪-પુરુએ યયાતિની વૃદ્ધતા સ્વીકારી 

II वैशंपायन उवाच II जरां प्राप्य ययातिस्तु स्वपुरं प्राप्य चैव हि I पुत्रं ज्येष्ठं वरिष्ठं च यदुमित्यब्रविद्वाच  II १ II

વૈશંપાયન બોલ્યા-વૃદ્ધત્વને પામીને પછી,તે યયાતિ પોતાના નગરે પાછો ગયો,

અને પોતાના મોટા અને શ્રેષ્ઠ પુત્ર યદુને બોલાવીને તેને તે કહેવા લાગ્યો કે-

બેટા,કવિપુત્ર ઉશના (શુક્રાચાર્ય)ના શાપે,મને ઘડપણ લાગ્યું છે,પણ યૌવનથી હું હજી તૃપ્ત થયો નથી,

તું જો મારા ઘડપણ ને પાપને સ્વીકારી લે,તો તારી યુવાનીથી હું વિષયભોગો ભોગવું.હજાર વર્ષ પૂરાં થતાં,

હું તને તારી યુવાની પાછી આપી દઈને મારુ ઘડપણ અને પાપો પાછાં લઇ લઈશ (1-4)

Jan 25, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-077

અધ્યાય-૮૩-યયાતિ રાજા શાપથી વૃદ્ધ થયો 


II वैशंपायन उवाच II श्रुत्या कुमारं जातं तु देवयानि शुचिस्मिता I चिन्तयामास दुःखार्तो शर्मिष्ठां भारत  II १ II

વૈશંપાયન બોલ્યા-હે ભારત,શર્મિષ્ઠાને ત્યાં પુત્રજન્મ થયેલો સાંભળીને,

શુદ્ધ-સ્મિત દેવયાની,દુઃખ પામી,તેણે શર્મિષ્ઠા વિષે વિચાર કર્યો,ને પછી તેની પાસે જઈને 

તે બોલી કે-હે શર્મિષ્ઠા,કામથી લોભાઈને તેં આ કેવું પાપ કર્યું છે?

Jan 24, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-076

 
અધ્યાય-૮૨-દેવયાની અને શર્મિષ્ઠાને સંતાન પ્રાપ્તિ 

II वैशंपायन उवाच II ययातिः स्वपुरं प्राप्य महेन्द्रपुरसन्निभम् I प्रविष्यांत:पुरं तत्र देवयानीं न्यवेशयत्  II १ II

વૈશંપાયન બોલ્યા-ઇન્દ્રપુરી જેવી,પોતાની નગરીમાં આવીને રાજા યયાતિએ,દેવયાનીને પોતાના અંતઃપુરમાં નિવાસ આપ્યો અને દેવયાનીની સંમતિ પ્રમાણે શર્મિષ્ઠાને,અશોકવનની પાસે ઘર કરાવીને તેમાં વાસ આપ્યો.

વળી,સહસ્ત્ર દાસીઓથી ઘેરાયેલી શર્મિષ્ઠાને,વસ્ત્ર-ખાનપાન આદિની વ્યયવસ્થાથી સત્કારવામાં આવી.

યયાતિએ અનેક વર્ષ સુધી દેવયાની સાથે સુખ ને આનંદમાં વિહાર કર્યો.

ઋતુકાળ આવતાં,દેવયાનીએ ગર્ભ ધારણ કર્યો,ને પહલે ખોળે એક કુમાર (પુત્ર)નો જન્મ આપ્યો.(1-5) 

Jan 23, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-075

અધ્યાય-૮૧-યયાતિ રાજા સાથે દેવયાનીનાં લગ્ન 

II वैशंपायन उवाच II अथ दीर्घस्य कालस्य देवयानि नृपोत्तम I चनं तदेव निर्याता क्रीडार्थ वरवर्णिनी  II १ II

વૈશંપાયન બોલ્યા-પછી,લાંબા સમય બાદ,તે દેવયાની,હજાર દાસીઓ ને શર્મિષ્ઠા સાથે,તે જ વનમાં ક્રીડા કરવા માટે ગઈ.જયારે,તે વનમાં તે,સર્વ સખીઓ સાથે ક્રીડાઓ કરતી ને વિવિધ ભોજન આરોગતી હતી,તેવામાં,

મૃગયા માટે નીકળેલો,ને થાકથી પીડાયેલો,રાજા યયાતિ ફરી,તે જ વનમાં પાણીની શોધમાં આવી ચડ્યો.

ત્યારે,રાજાએ,સુંદર આભૂષણોથી વિભૂષિત,દેવયાની ને શર્મિષ્ઠા-એ બે યુવતીઓને જોઈ.

Jan 22, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-074

 
અધ્યાય-૮૦-શર્મિષ્ઠા દેવયાનીની દાસી થઇ 

II वैशंपायन उवाच II ततः काव्यो भृगु श्रेष्ठ: समन्पुरुषगम्य ह I वृषपर्वाणमासीनमित्युवाचाविचारन  II १ II

વૈશંપાયન બોલ્યા-તે પછી,ભૃગુશ્રેષ્ઠ કવિપુત્ર શુક્ર,વૃષપર્વા પાસે ગયા,ને  સહસતાથી જ તેને કહેવા લાગ્યા કે-

હે રાજન,અધર્મ કર્યો હોય,તો તે ગાયની જેમ તરત જ ફળતો નથી,તે તો આવર્તન પામીને (વધીને) ધીરેધીરે અધર્મ કરનારનો મૂળથી નાશ કરે છે.જેમ,ઠાંસીને ખાવાથી પેટને પીડા થાય જ છે,તેમ,પાપ પણ ચોક્કસ ફળ આપે જ છે.

કદાચ પોતે,પોતાના કરેલ પાપને જોઈ શકે નહિ,પણ તે પાપનું ફળ તો મળે જ છે ને દેખાય છે.

Jan 21, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-073

 
અધ્યાય-૭૯-શુક્રાચાર્ય અને દેવયાનીનો સંવાદ 

II शुक्र उवाच II यः परेपां नित्यमतिवादां स्तितिक्षते I देवयानि विजानीहि तेन सर्वमिदं जितम् II १ II

શુક્ર બોલ્યા-હે દેવયાની,જે મનુષ્ય,નિત્ય,પરકાઓની નિંદા સહી લે છે તેણે,આખું જગત જીત્યું છે એમ જાણ.

જે ઉછળતા ક્રોધને,ઘોડાની જેમ કાબુમાં રાખે છે,તેને જ સંતો સાચો સારથી કહે છે,નહી કે માત્ર લગામોને 

ઝાલી રાખનારને.ઉછળેલા ક્રોધને,અક્રોધથી જે કાબુમાં રાખે છે,તેણે આ જગત જીત્યું છે એમ જાણજે.

Jan 20, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-072

અધ્યાય-૭૮-દેવયાની અને શર્મિષ્ઠા વચ્ચે વિરોધ 


II वैशंपायन उवाच II कृतविद्ये कचे प्राप्ते हृष्टरूपा दिवौकसः I कचादधीत्य तां विद्यां कृतार्था भरतर्षम  II १ II

વૈશંપાયન બોલ્યા-હે ભરતોત્તમ,કચ વિદ્યાસંપન્ન થઈને આવ્યો તેથી દેવો હર્ષિત થયા અને તેની પાસેથી વિદ્યા શીખીને કૃતાર્થ થયા.પછી,તે બધા દેવો,(શતક્રતુ) ઇન્દ્ર પાસે જઈને બોલ્યા-'તમારા પરાક્રમનો આ વખત છે,તમે શત્રુઓને હણી નાખો' ત્યારે ઇન્દ્રે કહ્યું કે-'ભલે તેમ હો' ને પછી તેણે પૃથ્વી તરફ પ્રયાણ કર્યું.ત્યાં તેણે વનમાં સ્ત્રીઓને જોઈ કે જે

જળક્રીડા કરતી હતી,ત્યારે ઇન્દ્રે વાયુરૂપ થઈને તે સ્ત્રીઓના વસ્ત્રોને સેળભેળ કરી દીધાં.(1-4)

Jan 19, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-071

 
અધ્યાય-૭૭-કચ અને દેવયાનીના પરસ્પર શાપ 

II वैशंपायन उवाच II समावृतव्रतं तं तु विसृष्ट गुरुणा सदा I प्रस्थितं त्रिदशावासं देवयान्यव्रविददम् II १ II

વૈશંપાયન બોલ્યા-જેનું વ્રત પૂરું થયું છે ને જેણે ગુરુથી વિદાય લીધી છે,તે કચ,દેવધામ જવા નીકળ્યો ત્યારે,

દેવયાનીએ તેને કહ્યું કે-હે કચ,જેમ,અંગિરા ઋષિ,મારા પિતાને માન્ય છે તેમ,બૃહસ્પતિ પણ મને માન્ય ને પૂજ્ય છે.

હવે,હું જે કહું છું તે વિષે તું વિચાર.તું નિયમપરાયણ ને (બ્રહ્મચર્ય) વ્રતમાં હતો,ત્યારે જેમ હું તને ભજતી હતી,

તેમ,વિદ્યાનું સમાપન કરીને વ્રતથી મુક્ત થયેલો તું મને ભજવા યોગ્ય છે,

માટે હવે તું,મંત્રપૂર્વક ને વિધિસર મારા હાથનો સ્વીકાર કર.

Jan 18, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-070


ત્યાર બાદ,ત્રીજીવાર,તે અસુરોએ કચને મારી નાખ્યો ને તેને બાળીને તેનું ચૂર્ણ કરીને,મદિરામાં ભેળવીને,

શુક્રાચાર્યને પાઈ દીધું.દેવયાનીએ કચને ન જોઈને પિતાને ફરિયાદ કરી કે-'ક્યાંય કચ દેખાતો નથી'

ત્યારે શુક્રાચાર્ય બોલ્યા કે-હે પુત્રી,કચ,મરણ પામ્યો છે.તેને(બે વખત) મેં સંજીવની વિદ્યાર્થી તેને સજીવન કર્યો,

પણ અસુરો તેને મારી નાખે છે.તેને માટે શોક કરવો ઘટતો નથી,કેમ કે તેને ફરીથી જીવતો રાખવો અશક્ય છે,

કેમ કે તે ફરીથી જીવતો થાય તો,અસુરોથી,તેનો ફરીથી વધ થવાનો જ છે (33-48)