Page list
- Home
- INDEX
- Pusatakalaya-Library-Gujarati Book
- Gita
- Gyaneshvari Gita
- Ramayan-Rahasya
- Ram Charit Manas
- Shrimad Bhagvat-Gujarati-As It Is
- Bhagvat Rahsya-Gujarati-ભાગવત રહસ્ય
- Yog-Vaasishth
- RajYog
- Mahabharat
- Darshan Shastro
- Veda
- Santo(Saints)
- Upnishads
- stotro
- Puran
- Yoga Shastro-Darshan-Shastro-Brahma Sutra
- Kunlini Chakro
- Shankaracharya Books
- Vishnu Sahastra Naam & Namavali
- Hindi Section-Sivohm
- Interesting Video
- Contact
Mar 4, 2024
સૂરજ-By અનિલ શુક્લ
Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-445
અધ્યાય-૧૫૩-કુબેરનું સરોવર
II वैशंपायन उवाच II स गत्वा रम्यां राक्षसैरभिरक्षिताम् I कैलासशिखराम्याशे ददर्श शुभकाननम् II १ II
વૈશંપાયન બોલ્યા-ત્યાંથી આગળ કૈલાસ શિખર પાસે જઈને,તે ભીમે,શુભ વનવાળું અને રાક્ષસોથી રક્ષાયેલું રમણીય કમળ સરોવર જોયું.કુબેરના ધામની પાસે પર્વતમાંથી આવતાં ઝરણાંથી બનેલું,તે અત્યંત રળિયામણું સરોવર ચોતરફ વૃક્ષોથી ઘેરાયેલું હતું.તે તે સુવર્ણનાં કમળોથી ભરપૂર અને દિવ્ય હતું.તેમાં જાતજાતનાં પક્ષીઓનાં ગુંજન થતાં સંભળાતા હતા.ત્યાં સુંદર ઓવારાઓ હતા,ત્યાં કાદવ નહોતો ને તેનું પાણી સ્વચ્છ ને નિર્મલ હતું.
ભીમે તે અમૃત જેવું મીઠું ને શીતલ જળનું પુષ્કળ પાન કર્યું.
Mar 3, 2024
નાદ-બ્રહ્મ-By અનિલ શુક્લ
દૂરથી થયો બંસીનાદ ને હૃદયેથી પણ નાદ-બ્રહ્મ વાગી રહ્યો.
વધી છે વિરહની વ્યાકુળતા ગોપીની,ભલે કાન્હો હૃદયે વસે,
નથી હોશ તનનો,છે-બેહોશી,તો કાન્હો કાનમાં આવી હસે !
દોડી હતી ગોપી,રમવા જે રાસ અને સુણવા બંસી નાદને,
તન થયાં એક,તો હૈયે જ રાસ અને નાદ દિલમાં જ બજે.
અનિલ
સપ્ટેબર-૨૪-૨૦૨૦
Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-444
અધ્યાય-૧૫૨-ભીમે સૌગન્ધિક વન દીઠું
II वैशंपायन उवाच II गते तस्मिन् हरिवरे भीमोSपि बलिनां वरः I तेन मार्गेण विपुलं व्यचरद गन्धमादनम् II १ II
વૈશંપાયન બોલ્યા-હનુમાનના અંતર્ધાન થયા પછી,તે મહાબળવાન ભીમે તેમણે બતાવેલા માર્ગ પર જવા લાગ્યો.
હનુમાનનું સ્વરૂપ,ને તેમનું માહાત્મ્ય ને તેમનો પ્રભાવ એ બધું મનમાં સંભારતો તે આગળ ચાલ્યો.
સૌગન્ધિક વન જોવાની ઈચ્છાથી તે જતી હતો ત્યારે તેણે રસ્તામાં રમ્ય વનો,ઉપવનો,સરોવરો ને સરિતાઓ જોઈ.રસ્તામાં તેને મદમસ્ત હાથીઓના ઝુંડો,જોયાં ને વાઘો આદિથી સેવાયેલા તે પર્વતમાં ગયો.
Mar 2, 2024
સસ્તી સલાહ-By અનિલ શુક્લ
નર કપડાની ચિંતા કરે નરક પડવાની નહિ
દુઃખ આવી મળવાની ચિંતા કરે મરવાની નહિ.
કોઈ મરે તો ચિંતા કરે- પોતાના મરવાની નહિ
સ્મસાનમાં વૈરાગ્યની વાતો,પણ સંસારમાં નહિ
ટીલાં-ટપકાં કરી,ભક્તિની વાતો કરે આ સંસારમાં,
ભક્તિ શું વધી ગઈ છે કે શું ? એની ખબર પડે નહિ.
માગ્યા વગર દીધી છે,તો મને ય મન થાય છે,આપું,
સસ્તી એ સલાહને કોઈ માંગે ત્યાં સુધી દેશો નહિ.
અનિલ
૧૯,ઓક્ટોબર-૨૦૨૦
Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-443
અધ્યાય-૧૫૦-હનુમાનનું પૂર્વરૂપ
II भीमसेन उवाच II पूर्वरूपंद्रष्टा ते न यास्यामि कथंचन I यदि तेऽहमनुग्राह्यो दर्शयात्मानत्मना II १ II
ભીમસેન બોલ્યા-હું તમારું પૂર્વરૂપ જોયા વિના કોઈ રીતે જવાનો નથી,
તમારી મારા પર કૃપા જ હોય તો મને તમારું પૂર્વસ્વરૂપ બતાવો
વૈશંપાયન બોલ્યા-ભીમે આમ કહ્યું એટલે કપીશ્વર હનુમાને સ્મિત કરીને સાગર ઓળંગતી વખતે તેમણે
જે રૂપ ધારણ કર્યું હતું તે બતાવ્યું,ને તેમણે પોતાના શરીરને વિસ્તાર્યું.ત્યારે તેમનો દેહ અતિ લાંબો,પહોળો
વિસ્તાર પામીને તે રૂપ વડે કદલીવનને ઢાંકી દીધું.અને ઊંચાઈમાં પર્વતને પણ ઢાંકીને ઉભા રહ્યા.(4)
Mar 1, 2024
શરણાગત-By અનિલ શુક્લ
યાદોને કરી વિદાય,'યાદ' શબ્દ પણ નથી રહ્યો,
શ્વાસ હવે તો તારા શ્વાસથી અલગ નથી રહ્યો.
ભૂસકો માર્યો તારા પ્રવાહમાં,પ્રવાહ સંગ વહું,
ભલે અસંગ તું,પણ તુજ સંગે જ હું નાચી રહ્યો.
નથી નામ કોઈ એવા એના રંગમાં રંગાઈ ગયો,
નથી કોઈ વળાંક રહ્યા,રસ્તે સીધા ચાલી રહ્યો
ધડકનનું બંધન ધડકનને,નાદ અનહત ગાજી રહ્યો,
શરણાગત થયો,બન્યો એક,તો કાનમાં ગુંજી રહ્યો.
અનિલ
23,જાન્યુઆરી-2021
Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-442
અધ્યાય-૧૪૯-ચાર યુગોનું વર્ણન
II वैशंपायन उवाच II एवमुक्तो महाबाहुभीमसेनः प्रतापवान I प्रणिपत्य ततः प्रीत्या भ्रातरं हृष्टमानसः II १ II
વૈશંપાયન બોલ્યા-હનુમાને ભીમને આ પ્રમાણે કહ્યું,ત્યારે તે પ્રતાપી મહાબાહુએ પ્રસન્ન મનથી પોતાના ભાઈને પ્રેમપૂર્વક નમસ્કાર કર્યા.ને કહ્યું કે-'હું આજે આપના દર્શન પામીને ધન્ય ને તૃપ્ત થયો છું,તમે મારા પર અત્યંત કૃપા કરી છે.હવે આજે તમારી પાસે મારુ પ્રિય કરાવવા ઈચ્છું છું.હે વીર,સમુદ્રને ઓળંગવા જતાં તમારું જે અનુપમ રૂપ હતું તે હું જોવા ઈચ્છું છું,જેથી હું સંતુષ્ટ થઈશ ને આપનામાં અત્યંત શ્રદ્ધા રાખીશ'
Feb 29, 2024
'ઠાઠડી'નો 'ઠાઠ'-By અનિલ શુક્લ
આવવું હોય તો આવજો તમે,
ગુલાબજળથી નવડાવી,ચંદનનો લેપ કરશું,
કંકુનો ચાંદલો કરી,રેશમી વસ્ત્રમાં લપેટશું,
ગંગાજળ મુખે મૂકી,સોનાની પતરી મુક્શું,
ને ઘણા જ 'ઠાઠથી' મારી 'ઠાઠડી' બાંધશું,
'ઠાઠડી'નો 'ઠાઠ' જોવો હોય,તો આવજો તમે.
અનિલ-માર્ચ-4-2021
Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-441
અધ્યાય-૧૪૮-હનુમાને કહેલી રામકથા
II हनुमान उवाच II हृतदारः सः भ्रात्रा पत्नीं मार्गन्स राघवः I द्रष्टवान शैलशिखरे सुग्रीवं वानरर्पभम् II १ II
હનુમાન બોલ્યા-પત્નીનું હરણ થયું ત્યારે તે રઘુનંદન પોતાના ભાઈ સાથે તેને શોધવા નીકળ્યા હતા ત્યારે ગિરિશિખર પર તેમણે સુગ્રીવને જોયા.રામને સુગ્રીવ સાથે મિત્રતા થઇ અને તેના ભાઈ વાલીને મારીને તેમણે સુગ્રીવને રાજ્યગાદીએ બેસાડ્યો.રાજ્ય પામ્યા પછી તે સુગ્રીવે હજારો વાનરોને સીતાની શોધમાં મોકલ્યા ત્યારે હું પણ તેમની સાથે દક્ષિણ દિશામાં ગયો હતો.તે વખતે સંપાતિ નામના ગીધે ખબર આપી કે સીતાજી,લંકામાં રાવણની પાસે છે.એટલે રામના કાર્યને સિદ્ધ કરવા હું સો જોજન લાંબા સાગરને એકદમ કૂદી ગયો હતો.
Feb 28, 2024
મનહર-By અનિલ શુક્લ
ના ચિતા,ના ચાહના,મન જ નથી તો નાથવું કયા મનને?
ન રહ્યું કોઈ ભાન દેશ-કાળ કે શરીરનું,હરિમાં જ્યાં સમાણાં,
અનંગ ઉન્માદ,પ્રેમ-મસ્ત આનંદમાં,નયનમાં નીર ના સમાણાં.
વ્હાલાને કર્યું વ્હાલ,ચિત્તચોરે ચોર્યું ચિત્તને,પ્રેમ-વહાણાં વાયાં,
સમાઈ હરિમાં ગયા,બેસી ગોદમાં તેની,બન્યા હરિના જાયા.
અનિલ-એપ્રિલ-3-2021
Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-440
અધ્યાય-૧૪૭-ભીમ અને હનુમાનનો સંવાદ
II वैशंपायन उवाच II एतच्छ्रुत्वा वचस्तस्य वानरेन्द्रस्य धीमतः I भीमसेनस्तदा वीरः प्रोवाचामित्रकर्षणः II १ II
વૈશંપાયન બોલ્યા-બુદ્ધિમાન વાનરરાજનાં વચન સાંભળીને શત્રુનો નાશ કરનાર ભીમે ઉત્તર આપ્યો કે-
'તું કોણ છે?અને શા માટે તેં આ વાનરનું રૂપ ધારણ કર્યું છે?હું ક્ષત્રિય વર્ણનો છું,કુરુકુળનો પાંડુપુત્ર છું,
વાયુથી ઉત્પન્ન થયેલો હું ભીમસેન છું' ત્યારે હનુમાને સ્મિત કરીને તેને કહ્યું કે-'હું વાનર છું.
હું તને તારો ઈચ્છીત માર્ગ નહિ આપું,તું અહીંથી ક્ષેમકુશળ પાછો ફરી,નકામો વિરોધ કરીશ નહિ'(5)
Feb 27, 2024
કેવળ હરિ નામ-By અનિલ શુક્લ
જીવન ટૂંકું,કલિમાં,ન થઇ શકે તપ-સાધન,હરિ-કીર્તન જ ઉપાય.
મુશ્કેલ છે ઘણો,તરી જવો,આ સંસાર-રૂપી સાગરને,આ કલિમાં,
હરિનામની હોડી બનાવી,હરિ-કીર્તનથી તરી જવું,એ જ ઉપાય.
મુક્તિ કે ભુક્તિની આશા રહેવા દે જીવ,ઘોર છે આ કલિયુગ,
કેવળ હરિ નામ,કેવળ હરિ-કીર્તન કરી,યાચું માત્ર તને ભગવાન.
અનિલ
એપ્રિલ-7-2021
Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-439
અધ્યાય-૧૪૬-ભીમ અને હનુમાનનો મેળાપ
II वैशंपायन उवाच II तत्र ते पुरुषव्याघ्राः परमं शौचमास्थिताः I पध्रात्रमयसन्विरा धनंजयदिदक्षवः II १ II
વૈશંપાયન બોલ્યા-ત્યાં તે પાંડવો,ધનંજયને જોવાની ઈચ્છાથી પરમ પવિત્ર થઈને છ રાત રહ્યા.
હવે,એકાએક ઈશાન ખૂણામાંથી વાયુ વાવા લાગ્યો અને તે સૂર્ય જેવી કાંતિવાળું એક સહસ્ત્ર પાંખડીવાળું દિવ્ય કમળ ત્યાં ખેંચી લાવ્યો.ત્યારે દ્રૌપદીએ જમીન પર પડેલા તે દિવ્ય ગંધવાળા,સુંદર ને પવિત્ર કમળને જોયું.
અત્યંત આનંદ પામીને તેણે ભીમને કહ્યું કે-'મારા મનને આનંદ આપનારું આ ઉત્તમોત્તમ કમળ જુઓ,એ હું ધર્મરાજને આપીશ.હે પાર્થ તમને જો હું વહાલી હોઉં તો આવા અનેક કમળો તમે લઇ આવજો કેમ કે હું તેમને કામ્યક વનમાં લઇ જવા ઈચ્છું છું' આમ કહી તે તરત જ તે કમળ ધર્મરાજને આપવા ગઈ.(8)
Feb 26, 2024
તરંગ-By અનિલ શુક્લ
પૂછે સર્વ -કે બીજા શું ખબર? તો વિચારું કે જવાબ શું દઉં?
બેખબર છે દિલ,નથી રહયો જ્યાં 'હું' તો જગતની ખબર શું દઉં?
ખબર જ્યાં એ 'એક' ની થઇ,તો પછી 'બીજાની' ખબર તો ક્યાંથી રહે?
તરંગ ને ખબર હતી તેની,પણ બન્યું બેખબર,જ્યાં સાગરમાં સમાઈ ગયું.
--અનિલ મે,21,2021













