Page list
- Home
- INDEX
- Pusatakalaya-Library-Gujarati Book
- Gita
- Gyaneshvari Gita
- Ramayan-Rahasya
- Ram Charit Manas
- Shrimad Bhagvat-Gujarati-As It Is
- Bhagvat Rahsya-Gujarati-ભાગવત રહસ્ય
- Yog-Vaasishth
- RajYog
- Mahabharat
- Darshan Shastro
- Veda
- Santo(Saints)
- Upnishads
- stotro
- Puran
- Yoga Shastro-Darshan-Shastro-Brahma Sutra
- Kunlini Chakro
- Shankaracharya Books
- Vishnu Sahastra Naam & Namavali
- Hindi Section-Sivohm
- Interesting Video
- Contact
May 9, 2024
શું કહેવું?-By અનિલ શુક્લ
Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-511
ઘોષયાત્રા પર્વ
અધ્યાય-૨૩૬-ધૃતરાષ્ટ્રનો પાંડવો માટે ખેદ
II जनमेजय उवाच II
एवं वने वर्तमाना नराग्रया: शीतोष्णवातातपकर्षितांगा: I सरस्तदासाद्य वनं च पुण्यं ततः परं किमकुर्वत पार्थाः II १ II
જન્મેજય બોલ્યા-વનમાં વસેલા અને ટાઢ તડકાથી અંગે સુકાયેલા એ નરશ્રેષ્ઠ પૃથાનંદનોએ,
પુણ્યવનમાં આવેલા એ સરોવરે,પહોંચ્યા પછી શું કર્યું?
વૈશંપાયન બોલ્યા-પાંડવોએ તે સરોવર પર આવીને પોતાનું નિવાસસ્થાન તૈયાર કર્યું,ને તેઓ તે રમણીય વન,પર્વતો
અને નદી પ્રદેશોમાં વિચરવા લાગ્યા હતા.તેમની પાસે વૃદ્ધ,તપોમય,વેદવેત્તા બ્રાહ્મણો આવતા ત્યારે તેઓ તેમનો
સત્કાર કરતા હતા.એક વાર કોઈ કથાકુશળ વિપ્ર,પાંડવોને મળીને ધૃતરાષ્ટ્ર પાસે ગયો અને
સર્વ પાંડવોની પરિસ્થિતિ વર્ણવતાં કહ્યું કે-તે પાંડવોનાં અંગ ટાઢ તડકાથી દુબળાં થઇ ગયા છે,
ને કૃષ્ણા,વીર પતિઓની પત્ની હોવા છતાં અનાથની જેમ પાર વિનાના ક્લેશો ભોગવે છે' (6)
May 8, 2024
વસંતી વાયરો-By અનિલ શુક્લ
Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-510
અધ્યાય-૨૩૪-દ્રૌપદીનો સત્યભામાને ઉપદેશ
II द्रौपदी उवाच II
इमं तु ते मार्गमपेतमोहं वक्ष्यामि चित्तग्रहणाय भर्तुः I अस्मिन्यथावत्सखी वर्तमाना भर्तारमाच्छेत्स्यसि कामिनिभ्यः II १ II
દ્રૌપદી બોલી-હે સખી,સ્વામીના ચિત્તને આકર્ષવા માટે હું તમને આ નિઃસંશય માર્ગ કહું છું,તમે જો એ માર્ગે યથાવત વર્તશો તો તમે તમારા પતિને બીજી કામિનીઓથી છોડાવી શકશો.પતિ જો પ્રસન્ન થાય તો સર્વ મનોરથો ફળે છે
ને જો કોપવશ થાય તો સર્વ નાશ આવે છે.પતિના પ્રસન્ન થવાથી સ્ત્રીઓને સંતાન,વિવિધ ભોગો,
શય્યાઓ,વસ્ત્રો,માળાઓ,સુગંધો,સ્વર્ગલોક ને કીર્તિ મળે છે.આ સંસારમાં સુખ કંઈ સુખપૂર્વક મળતું નથી.
તમે નિત્ય હૃદય,પ્રેમ ને સેવાપૂર્વક કૃષ્ણનું આરાધન કરો,સરળ સૌજન્યથી તેમને પ્રસન્ન કરો
જેથી 'હું આને વહાલો છું' એવું જાણીને કૃષ્ણ તમને જ વળગી રહેશે.
May 7, 2024
મસ્તીની દશા-By અનિલ શુક્લ
Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-509
દ્રૌપદી-સત્યભામા સંવાદ પર્વ
અધ્યાય-૨૩૩-પતિને વશ કરવાનો દ્રૌપદીએ કહેલો મહામંત્ર
II वैशंपायन उवाच II उपासिनेपु विप्रेयु पांडवेपु महात्मसु I द्रौपदी सत्यभामा च विविशाते तदा समम् II १ II
વૈશંપાયન બોલ્યા-મહાત્મા પાંડવો બ્રાહ્મણો સાથે બેઠા હતા,તે વખતર દ્રૌપદી અને સત્યભામાએ સાથે જ એક સ્થાનમાં પ્રવેશ કર્યો.લાંબે સમયે એકમેકને મળીને આનંદ પામીને તે બંને સખીઓ બેઠી અને વાતો કરવા લાગી.
કૃષ્ણની પ્રિય પટ્ટરાણી અને સત્રાજિતની પુત્રી સત્યભામાએ દ્રૌપદીને પૂછ્યું-'હે દ્રૌપદી,તમે આ વીર પાંડવો પર કેમ કરીને સત્તા ચલાવો છો? તેઓ કેમ તમારા પર કોપ કરતા નથી?ને સદા તમારે વશ રહે છે? શું કોઈ વ્રતાચરણ,
તપ,મંત્ર,ઔષધિ,વિદ્યાનો પ્રભાવ,જપ,હોમ કે કોઈ ઓસડ આમાં કારણરૂપ છે?મને આનું રહસ્ય કહો (8)
May 6, 2024
માયા-કાયા-By અનિલ શુક્લ
Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-508
અધ્યાય-૨૩૨-સ્કંદના નામો-કાર્તિકેય સ્તોત્ર
II युधिष्ठिर उवाच II भगवन श्रोतुमिच्छामि नामान्यस्य महात्मनः I त्रिपु लोकेपु यान्यस्य विख्यातानि द्विजोत्तम II १ II
યુધિષ્ઠિર બોલ્યા-'હે ભગવન,હું કાર્તિકેયનાં,ત્રણ લોકમાં પ્રસિદ્ધ થયેલાં નામો સાંભળવા ઈચ્છું છું'
માર્કંડેય બોલ્યા-આગ્નેય,સ્કંદ,દીપ્તકીર્તિ,અનામય,મયુરકેત,ભૂતેશ,મહિષાર્દન,કામજીત,કામદ,કાંત,સત્યવાક,
ભુવનેશ્વર,શિશુ,શીઘ્ર,શુચિ,ચંડ,દીપ્તવર્ણ,શુભાનન,અમોઘ,અનઘ,રૌદ્ર,પ્રિય,ચંદ્રાનન,દીપ્તશક્તિ,પ્રશાંતાત્મા,
ભદ્રકૃત,ફૂટમોહન,ષષ્ઠીપ્રિય,ધર્માત્મા,માતૃવત્સલ,કન્યાભર્તા,વિભક્તિ,સ્વાહેય,રેવતીસુત,પ્રભુ,નેતા,વિશાખ,
નૈગમેય,સુદુશ્વર,સુવ્રત,લલિત,બાલક્રીડનપ્રિય,ખચારી,બ્રહ્મચારી,શૂર,શરવણોદભવ,વિશ્વામિત્રપ્રિય,દેવસેનાપ્રિય,
વાસુદેવપ્રિય,પ્રિય અને પ્રિયકૃત-એ કાર્તિકેયનાં નામો છે.આ નામનો પાઠ કરનાર કીર્તિ ને ધન પામે છે.(9)
May 5, 2024
ફુરસદ નથી-By અનિલ શુક્લ
Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-507
અધ્યાય-૨૩૧-સ્કંદે મહિષાસુરને માર્યો
II मार्कण्डेय उवाच II यदा स्कंदेन मातृणामेवमेतत्प्रियं कृतं I अथैवमव्र्वीत्स्वाहा मम पुत्रस्तवमौरस II १ II
માર્કંડેય બોલ્યા-સ્કંદે,માતૃકાઓનું પ્રિય કર્યું ત્યારે,સ્વાહાએ તેને કહ્યું કે-'તું મારો ઔરસ પુત્ર છે,તું મને પરમ દુર્લભ પ્રીતિ આપે એમ હું ઈચ્છું છું.હું દક્ષ પ્રજાપતિની સ્વાહા નામની કન્યા છું,બાળપણથી મને અગ્નિ વિષે કામના જાગી છે પણ તે અગ્નિ આ વાત જાણતા નથી,હું નિત્ય તે અગ્નિ સાથે વસવા ઈચ્છું છું'
May 4, 2024
કલમથી-By અનિલ શુક્લ
Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-506
અધ્યાય-૨૨૯-સ્કંદ દેવસેનાના પતિ થયા
II मार्कण्डेय उवाच II उपविष्टं तु तं स्कन्दं हिरण्यकवचस्त्रजं I हिरण्यचूडमुकुटं हिरण्याक्षं महाप्रभं II १ II
માર્કંડેય બોલ્યા-પછી,સોના જેવા નેત્રવાળા,મહા કાંતિવાળા અને તીક્ષ્ણ દાઢવાળા તે કાર્તિકેય (સ્કન્દ)એક સ્થાન પર બેઠા.ત્યારે ઇન્દ્રે તેમને ઇન્દ્રપદ સ્વીકારવાનું કહ્યું,પણ તે પદનો તેણે અસ્વીકાર કર્યો,અને છેવટે,દેવોના સેનાપતિ પદે તેમનો અભિષેક થયો.શિવજી,ઉમાદેવી સાથે ત્યાં આવ્યા ને અતિ પ્રસન્ન થઇ તેનું સન્માન કર્યું.
May 3, 2024
અનકહી-By અનિલ શુક્લ
Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-505
અધ્યાય-૨૨૭-સ્કંદનું ઇન્દ્ર સાથે યુદ્ધ
II मार्कण्डेय उवाच II ग्रहाः सोपग्र्हाश्चैव ऋषयो मातरस्तथा I हुताशन मुखाश्चैव दप्ताः पारिपदां गणाः II १ II
માર્કંડેય બોલ્યા-હવે,ગ્રહો,ઉપગ્રહો,ઋષિઓ,માતૃકાઓ,હુતાશન આદિ દેવો,પાર્ષદો ને અનેક સ્વર્ગનિવાસીઓ માતૃગણોની સાથે તે મહાસેન (સ્કંદ)ને વીંટળાઈને રહ્યાં.વિજયનો સંદેહ હોવા છતાં,ઇન્દ્ર,ઐરાવતની પર બેસીને,
ને વજ્ર ધારણ કરીને,તે સ્કંદનો વધ કરવાની ઇચ્છાએ નીકળ્યો.તેની સાથે 'દેવસેના' ચાલી રહી હતી.તે ઉગ્ર હતી ને મહાગર્જના કરતી હતી.ઇન્દ્ર વેગથી તે સ્કંદ (કાર્તિકેય) તરફ ચાલી રહ્યો.






.jpg)







