Showing posts with label રાજયોગ. Show all posts
Showing posts with label રાજયોગ. Show all posts

Aug 13, 2022

RajYog-Gujarati-Swami Vivekanand-રાજયોગ-સ્વામી વિવેકાનંદ-12

આ "પ્રાણ" શક્તિ પરનો કાબૂ -એ આપણી સામે લગભગ "અનંત- શક્તિ"નો દરવાજો ખુલ્લો કરી દે છે.
એટલે કે-જો કોઈ મનુષ્યે આ પ્રાણ વિશેનું પૂરેપૂરું "જ્ઞાન" મેળવ્યું અને તે "પ્રાણ" પર "કાબૂ" મેળવ્યો,
તો સૃષ્ટિમાં  અસ્તિત્વ ધરાવતી કઈ શક્તિ તેના તાબામાં ના હોય?

Aug 12, 2022

RajYog-Gujarati-Swami Vivekanand-રાજયોગ-સ્વામી વિવેકાનંદ-11

પ્રાણાયામ વિશે ઘણા બધા લોકો એમ ધારે છે
(વિચારે છે) કે -પ્રાણાયામ એટલે "શ્વાસ વિશે કંઈક"
પણ,ખરી રીતે તો તેમ નથી,શ્વાસને તો પ્રાણાયામ સાથે ઘણી જ થોડી નિસ્બત છે.અને તે જે કંઈ પણ થોડી નિસ્બત છે -તે એ છે કે-"શ્વાસ-ક્રિયા" એ -જે અનેક "ક્રિયા"ઓ દ્વારા આપણે ખરો પ્રાણાયામ કરીએ છીએ-તેમાંની એક "ક્રિયા" છે.પ્રાણાયામનો ખરો અર્થ છે-"પ્રાણ" પર નો કાબૂ.

Aug 11, 2022

RajYog-Gujarati-Swami Vivekanand-રાજયોગ-સ્વામી વિવેકાનંદ-10

વિવેકાનંદ કહે છે કે-"સાધનાની દરેક પ્રક્રિયા અને તેનાથી શરીરમાં કયાં બળો ગતિમાં આવે છે ?
તે આપણે ક્રમે ક્રમે જોઈશું.
સાધના ની આ પ્રક્રિયાઓ જ્યાં સુધી તમે પોતે તેનો પ્રયોગ ના કરો,ત્યાં સુધી હું ગમે તેટલી બુદ્ધિ-પૂર્વકની દલીલો કરું,પણ તમને તે ખાતરી નહિ કરાવી શકે.

Aug 10, 2022

RajYog-Gujarati-Swami Vivekanand-રાજયોગ-સ્વામી વિવેકાનંદ-09

હવે પાછા મૂળ વિષય પર જઈએ-તો-યોગના અંગોમાં યમ-નિયમ અને આસન પછી,નાડીશુદ્ધિ વિષે આપણે વિચાર્યું. હવે આવે છે "પ્રાણાયામ"

Aug 9, 2022

RajYog-Gujarati-Swami Vivekanand-રાજયોગ-સ્વામી વિવેકાનંદ-08

રાજયોગ તો આસન વિષે કહે છે કે-સ્થિર અને ટટ્ટાર થઈને આસન પર તમને અનુકૂળ આવે તેમ બેસો.એકવાર આસન પર બેસતાં આવડ્યું એટલે કેટલાકના મત પ્રમાણે નાડી-શુદ્ધિ નામની ક્રિયા કરવી પડે છે.જો કે આ ભાગ એ રાજયોગનું અંગ નથી.પણ ભાષ્યકાર શંકરાચાર્ય જેવી મહાન પ્રમાણભૂત વ્યક્તિ તે કરવાની સલાહ આપે છે,એટલે તેનો ઉલ્લેખ કરવો ઉચિત છે.

Aug 8, 2022

RajYog-Gujarati-Swami Vivekanand-રાજયોગ-સ્વામી વિવેકાનંદ-07

સૌ પ્રથમ યમ-નિયમનાં પગથિયાં એ નૈતિક શિક્ષણ છે.પાયામાં તે નૈતિક શિક્ષણ લીધા વિના યોગની કોઈ પણ સાધનામાં સફળતા મળી શકે નહિ.આ બે સાધનામાં પાકો થયા પછી જ યોગી પોતાની સાધનાનાં ફળ અનુભવવા લાગે છે.યોગી કદી-કોઈને પણ મન-વચન-કર્મ થી-પણ- હાનિ કરવાનો વિચાર કરતો નથી અને તેની કરુણાનું ક્ષેત્ર કેવળ મનુષ્યો પૂરતું જ મર્યાદિત ના રાખતાં,આગળ  વધારીને સમસ્ત જગતને -તે આવરી લે છે.

Aug 6, 2022

RajYog-Gujarati-Swami Vivekanand-રાજયોગ-સ્વામી વિવેકાનંદ-06

રાજયોગની શરૂઆત કરતાં પહેલાં તેની તૈયારી પેઠે આહારના અમુક નિયમો પાળવા આવશ્યક છે.
અને યોગી કહે છે કે-મન શુદ્ધમાં શુદ્ધ બને તેવો ખોરાક લેવો જોઈએ.

Aug 5, 2022

RajYog-Gujarati-Swami Vivekanand-રાજયોગ-સ્વામી વિવેકાનંદ-05

યોગની આ સાધનાની પદ્ધતિઓમાં જે કંઈ "રહસ્ય-મય કે ગુહ્ય" કહેવામાં આવે છે તેનો સત્વરે ત્યાગ કરવો જોઈએ.જીવન નો ઉત્તમ માં ઉત્તમ માર્ગ-દર્શક (ભોમિયો) છે -સામર્થ્ય (તાકાત) "રહસ્યમયતા" નો શોખ મનુષ્યના મગજ ને નબળું બનાવે છે,માટે તેની સાથે સંબંધ ના રાખવો જોઈએ.

Aug 4, 2022

RajYog-Gujarati-Swami Vivekanand-રાજયોગ-સ્વામી વિવેકાનંદ-04

આ રાજયોગની સાધના માટે લાંબો સમય અને નિરંતર સાધના જરૂરી છે.આ સાધનાનો અમુક અંશ શરીરના સંયમને લગતો છે,પણ મુખ્યત્વે-મનના સંયમ લગતો છે.સાધનામાં જેમ જેમ આગળ વધાય છે તેમતેમ સાધકને જણાય છે કે-મનનો શરીર સાથે કેટલો નિકટનો સંબંધ છે.મન એ કેવળ શરીરનો જ સૂક્ષ્મ વિભાગ છે.અને મન એ શરીર પર અસર પણ કરે છે.
અને શરીર પણ મનની પર વળતી અસર કરે જ છે.

Aug 3, 2022

RajYog-Gujarati-Swami Vivekanand-રાજયોગ-સ્વામી વિવેકાનંદ-03

બચપણથી માંડીને આપણને બાહ્ય વસ્તુઓ પર જ ધ્યાન દેતાં શીખવવામાં આવ્યું છે,પણ અંદરની બાબતો પર નહિ.અને તેથી આપણે અંદરની
"યંત્ર-રચના" નું નિરીક્ષણ કરવાની શક્તિ લગભગ ખોઈ બેઠા છીએ.
મન ને જાણે કે અંદરની તરફ વાળવું,તેને બહાર જતું અટકાવવું-અને પછી-સઘળી શક્તિઓ એકાગ્ર કરી,
તેને ખુદ "મન" પર જ લગાડવી,જેથી તે પોતાના સ્વભાવને (આત્મને) જાણી શકે,તેનું પૃથક્કરણ કરી શકે.
અને આ ઘણું કઠણ કામ છે,છતાં આ વિષયમાં -"વૈજ્ઞાનિક પ્રવેશ" જેવું જો કંઈ હોય તો-
તેનો રસ્તો "આ એક જ છે"

Aug 2, 2022

RajYog-Gujarati-Swami Vivekanand-રાજયોગ-સ્વામી વિવેકાનંદ-02

પણ કોઈ એક સમયે,મનુષ્ય 'સત્ય' ને જાણવા કે પામવા-કે તેનો અનુભવ લેવા ઈચ્છે છે,અને જયારે એ કોઈ પ્રયત્ન કરીને સત્યને સમજશે,અને તેનો અનુભવ કરશે,ત્યારે તે "સત્ય" નાં ઊંડાં-ઊંડાણ ને પામશે,અને ત્યારે -કેવળ-ત્યારે જ-વેદો જે બૂમો મારી ને કહે છે-તેમ-"સર્વ સંશયો છેદાઈ જાય છે,સઘળો અંધકાર ઉડી જાય છે,સઘળી વક્રતા સીધી થઇ જાય છે." અને કહેશે-કે-"હે અમૃતત્વના પુત્રો,હે,દિવ્ય ધામના વાસીઓ,સાંભળો,મને અંધકારમાંથી નીકળવાનો માર્ગ મળી ગયો છે"

Aug 1, 2022

RajYog-Gujarati-Swami Vivekanand-રાજયોગ-સ્વામી વિવેકાનંદ-01

રાજયોગ એ એક વિજ્ઞાન છે.
આ વિજ્ઞાનના આચાર્યો ઘોષણા કરે છે -કે-
આધ્યાત્મિકતા (કે યોગ કે ધર્મ)નું આ વિજ્ઞાન એ પ્રાચીન કાળના મહાન યોગીઓએ પોતાની જાત પર કરેલા પ્રયોગો ના "અનુભવ" પરથી  મેળવેલા "જ્ઞાન" રચાયેલું છે,અને જ્યાં સુધી કોઈ પણ મનુષ્ય એ "અનુભવો"ને "પોતે" પ્રાપ્ત કરે નહિ,ત્યાં સુધી,તે આધ્યાત્મિક (કે-યોગી,કે ધાર્મિક) બની શકે નહિ.અને,આ અનુભવો કેવી રીતે મેળવવા,તે શીખવનારું "વિજ્ઞાન" છે "રાજયોગ"

Nov 30, 2014

RajYog-Gujarati-Swami Vivekanand-રાજયોગ-સ્વામી વિવેકાનંદ-Index Page

જે તે પાન પર જવા માટે વાદળી (બ્લ્યુ)લીંક પર ક્લિક કરો 


રાજયોગ  (સ્વામી વિવેકાનંદની "રાજયોગ" બુક પર આધારિત) 
26272829303132END

















To view OR Download 
the same book here as PDF Online Free-click here



રાજયોગ અને યોગસુત્રો-સ્વામી વિવેકાનંદ ની "રાજયોગ" પુસ્તક પર આધારિત-બુક-


Book Published On Amazon-Click here to view



To view OR Download 
the same book here as PDF Online Free-click here