Showing posts with label રામાયણ-રહસ્ય. Show all posts
Showing posts with label રામાયણ-રહસ્ય. Show all posts

Feb 1, 2022

Gujarati-Ramayan-Rahasya--ગુજરાતી-રામાયણ-રહસ્ય-૧૮૮

અંગદે સીધા જ રાવણને કહ્યું કે-હે,રાવણ,હું રઘુવીરનો દૂત છું,મારા પિતાને ને તમારે મિત્રતા હતી તે સંબંધે હું તને સલાહ આપવા આવ્યો છું કે-દાંતમાં તરણું લઇ તું શ્રીરામને શરણે આવ,અને સીતાજીને પાછા સોંપી દે,તેમાં જ તારું કલ્યાણ છે.
રાવણે કહ્યું કે-અરે,મૂઢ,કયા સંબંધે તું મને તારા બાપનો મિત્ર કહે છે?કોણ છે તું?
અંગદે કહ્યું કે-મારું નામ અંગદ,હું કિષ્કિંધા-પતિ વાલીનો પુત્ર છું.

Jan 31, 2022

Gujarati-Ramayan-Rahasya--ગુજરાતી-રામાયણ-રહસ્ય-૧૮૭

વિભીષણની વાત સાંભળીને રામે ધીરેથી એક બાણ છોડ્યું,કે જે રાવણના દશે મુગટ પાડી,અને માથાના છત્રને કાપીને –જમીનદોસ્ત કરીને -એમની પાસે પાછું આવી ગયું.
રાવણના રંગમાં ભંગ પડ્યો,નથી વાવાઝોડું,નથી ભૂકંપ,તો આ દશ મુગટને છત્ર શાથી પડી ગયાં? બધા કહે કે “અપશુકન-અપશુકન” રાવણ પણ મનમાં તો અપશુકન સમજીને ડર્યો,
પણ તરત જ બહારથી હિંમત દેખાડી એણે કહ્યું કે-

Jan 28, 2022

Gujarati-Ramayan-Rahasya--ગુજરાતી-રામાયણ-રહસ્ય-૧૮૬

લંકા સુધીનો સેતુ (પુલ) બંધાઈ ગયા પછી,શ્રીરામની વિશાળ વાનર-સેના પુલ પર થઈને ચાલવા લાગી.વાનરોના હર્ષનો પાર નથી,બધા રામ-રામ કરતા જાય છે ને નાચતા-કૂદતા પુલ પર ચાલે છે.શ્રીરામ-લક્ષ્મણ, જ્યાં જ્યાં પુલ પર થઈને પસાર થાય છે-ત્યારે સમુદ્રના જળચળ પ્રાણીઓ-માછલાં,પાણીમાંથી બહાર મોં બહાર કાઢે છે,અને એકવાર જુએ છે,એટલે જોઈ જ રહે છે.વાનરો પણ આ જોઈ રહેલા પ્રાણીઓને જોઈને ખુશ થાય છે.

Jan 27, 2022

Gujarati-Ramayan-Rahasya--ગુજરાતી-રામાયણ-રહસ્ય-૧૮૫

આ શરીર પંચ-તત્વનું (આકાશ.અગ્નિ,પૃથ્વી,જળ,વાયુ) બનેલું છે.
પંચ-તત્વો ભેગા મળી શરીર તો “એક” જ બનેલું છે.અને પંચતત્વો પણ 
“એક” જ તત્વના બનેલા છે.એક એક તત્વના એક એક દેવ છે-પણ 
તે બધા –પણ-એક જ તત્વ માંથી બનેલા હોઈ ને- એક જ છે.

Jan 26, 2022

Gujarati-Ramayan-Rahasya--ગુજરાતી-રામાયણ-રહસ્ય-૧૮૪

રામજીએ સમુદ્રને સુકવી નાખ્યો હોત તો તેમનું ઐશ્વર્ય દેખાઈ જાત,પણ “મનુષ્ય દેહ ધારણ કરીને મનુષ્યની જેમ જ વર્તવું છે”-એમ સમજીને તેમણે મધ્યમ-માર્ગ લીધો,ને આગેવાનોને બોલાવી કહ્યું કે –ઝટપટ પુલ બાંધવાની તૈયારી કરો.
નલ અને નીલને આ કામ સોંપવામાં આવ્યું.જાંબવાને બધા વાનરોને અને રીંછોને હુકમ કર્યો કે-જાઓ વૃક્ષોને શિલાઓ ઉપાડી લાવો.

Jan 25, 2022

Gujarati-Ramayan-Rahasya--ગુજરાતી-રામાયણ-રહસ્ય-૧૮૩

શ્રીરામે હજુ લંકાનું રાજ્ય જીત્યું પણ નહોતું અને તે રાજ્ય વિભીષણને આપી દીધું,
ત્યારે,સુગ્રીવથી ના રહેવાણું એટલે તેણે ધીરેથી રામજી ને કહ્યું કે-પ્રભુ,આપે જરી ઉતાવળ કરી નાખી! આજે આપે વિભીષણને લંકાનું રાજ્ય આપી દીધું,પણ હવે કદાચ કાલે રાવણ જો આપને શરણે આવી સીતાજીને પાછા સોંપી દે તો રાવણને શું આપશો? 

Jan 24, 2022

Gujarati-Ramayan-Rahasya--ગુજરાતી-રામાયણ-રહસ્ય-૧૮૨

વિભીષણ ધર્માત્મા હતો.સંત પુરુષોનું એક લક્ષણ એ પણ છે કે-તે બુરું કરનારનું પણ ભલું કરે છે.રાવણે લાત મારી છે છતાં વિભીષણે રાવણના ચરણમાં પ્રણામ કરીને કહ્યું કે-મોટાભાઈ,આપ મારા પિતા સમાન છો.આપની આજ્ઞા હું માથે ચડાવું છું,ને રઘુવીરને શરણે જાઉં છું.આપને અણગમતી સલાહ આપવા માટે આપની ક્ષમા માગું છું.આપ સર્વેનું કલ્યાણ થાઓ.

Jan 21, 2022

Gujarati-Ramayan-Rahasya--ગુજરાતી-રામાયણ-રહસ્ય-લંકાકાંડ-૧૮૧

લંકાકાંડ
તુલસીદાસજી કહે છે કે-રામની કૃપાથી શું નથી થતું? તુચ્છ ગણાતો વાનર,જે “રાક્ષસ” એવા નામનો ઉચ્ચાર થતાં બી ને ભાગે,અને જે રાક્ષસનો ખોરાક ગણાય,તે આજે રાક્ષસોના રાજા રાવણની સામે લડવા નીકળે છે.વાનરોના ઉત્સાહનો પાર નથી,તેમની બધી ચંચળતા રણ-મેદાનમાં જવા અધીરી બની ગઈ છે.કોઈ કોઈ તો એવા કુદકા ને છલાંગો મારતા ચાલે છે કે-જાણે આકાશ-માર્ગે ઉડતા જતા હોય.વૃક્ષો અને પથ્થરો તેમનાં શસ્ત્રો બની ગયા છે ને બધા એક સાથે પોકાર પાડતા જાય છે કે-સિયાવર રામચંદ્રકી જય.અને કૂચકદમ કરતી રામજીની વિરાટ વાનર સેના સમુદ્ર કિનારે પહોંચી.

Jan 20, 2022

Gujarati-Ramayan-Rahasya--ગુજરાતી-રામાયણ-રહસ્ય-૧૮૦

સ્વામી (માલિક) અને સેવકનો વ્યવહાર કેવો હોય? તે શ્રીરામ અને હનુમાનજી આપણને સમજાવે છે.હનુમાનજીનો આદર્શ અને ધર્મ છે-નિષ્કામ સેવાનો.માત્ર કર્મ કરવા પર અધિકાર રાખ્યો છે,કર્મના ફળ પર કોઈ અધિકાર રાખ્યો નથી,”મેં કશું કર્યું નથી-પ્રભુએ કરાવ્યું ને બધું ફળ પ્રભુનું છે” તો પછી સ્વામીનો ધર્મ શું? સ્વામીનો ધર્મ છે- સેવકની કદર કરવાનો.
શ્રીરામ ફરી ફરી હનુમાનજીને છાતી સરસા લગાવે છે,ને આંખમાં હર્ષના આંસુ સાથે કહે છે કે-“હું તારા ઉપકાર હેઠળ છું,હું તારું ઋણ કોઈ રીતે વાળી શકું તેમ નથી.”

Jan 19, 2022

Gujarati-Ramayan-Rahasya--ગુજરાતી-રામાયણ-રહસ્ય-૧૭૯

સુરસા,સિંહીકા,અને લંકિની-એ આ સંસારની ત્રિગુણી (ત્રણ-ગુણ વાળી) માયાનું સ્વરૂપ છે.એને વશ કર્યા વગર કે તેનો નાશ કર્યા વગર લક્ષ્ય (સત્ય) ની સિદ્ધિ થતી નથી.જીવનમાં સાત્વિક,રાજસિક અને તામસિક –એ ત્રણે ગુણો-રૂપી માયાનાં પ્રલોભનો,સામે આવીને ઉભાં થઇ જાય છે,ત્યારે તેમાંથી કોઈને વિવેકથી ને ચતુરાઈથી વશ કરવાં પડે, કોઈનો નિર્મૂળ નાશ કરવો પડે છે,તો કોઈના પર પોતાની શક્તિનો પ્રયોગ કરી,નિર્બળ બનાવી, તેની મદદ પણ લેવી પડે છે.
અહીં હનુમાનજી,સુરસાને ચતુરાઈ અને વિવેકથી વશ કરે છે,સિંહીકાનો નાશ કરી માર્ગ નિષ્કંટક કરે છે,
તો લંકિની પર મુષ્ટિ-પ્રહાર કરી અધમુઇ કરી તેને પોતાની મદદમાં લે છે.

Jan 18, 2022

Gujarati-Ramayan-Rahasya--ગુજરાતી-રામાયણ-રહસ્ય-૧૭૮

મનુષ્યના જીવનના કર્તા-હર્તા પરમાત્મા છે,અને જીવને આ સત્યની પ્રતીતિ ત્યારે જ થાય જયારે પરમાત્મામાં પ્રીતિ થાય.બાકી જ્ઞાનની (કર્તા-હર્તા પરમાત્મા છે-એવી) મોટી-મોટી વાતોથી કશું વળતું નથી.આપણે તો કોઈનું નાનું શું પણ કામ કર્યું હોય,તો મોટો વાઘ માર્યો હોય તેવી બડાઈઓ હાંકીએ છીએ.અને “મેં કર્યું” એવો ખોટો ખોટો જશ લેવા દોડી પણ જઈએ છીએ.
એ વખતે જીવ ભૂલી જાય છે કે-“કર્તા-હર્તા ભગવાન છે,ને મેં કશું કર્યું નથી”
ગીતાજીમાં પ્રભુએ બૂમો પાડીને કહ્યું –કે-“ફળ પર તારો અધિકાર નથી”.
પણ તેને સાચી રીતે ગીતાના એ “કર્મણ્યેવાધિકારસ્તે” ને સમજવાની જીવ ને ફુરસદ ક્યાં છે?

Jan 17, 2022

Gujarati-Ramayan-Rahasya--ગુજરાતી-રામાયણ-રહસ્ય-૧૭૭

હનુમાનજી,શ્રીરામને કહે છે કે-આપનું નામ,રક્ષક બની રાત-દિવસ પહેરો ભરે છે,આપનું ધ્યાન –તે બીડેલાં દ્વાર-રૂપ છે,અને નેત્રો નિરંતર આપનાં ચરણમાં લાગેલાં રહે છે.પછી પ્રાણ જાય કયા માર્ગે? પ્રાણ તો બહાર નીકળવા તરફડે છે,પણ બહાર નીકળવાનો કોઈ રસ્તો જ તેને જડતો નથી.આપનું નામ અને આપનું ધ્યાન છૂટે તો તરત પ્રાણ નીકળી જાય,પણ સીતાજી તો આપના-મય છે,આપનાં નામ-અને ધ્યાન,તો કેમ કરી ને છૂટે?

Jan 14, 2022

Gujarati-Ramayan-Rahasya--ગુજરાતી-રામાયણ-રહસ્ય-૧૭૬

હનુમાનજી અતિ ભાવ-પૂર્ણ થઇ સીતાજી સામે હાથ જોડીને ઉભા છે,ને સીતાજીનો રામજીને કહેવાનો સંદેશો સાંભળી રહ્યા છે.સીતાજી કહે છે કે-રામજીને મારા વતી કહેજો કે-તમે જો એક મહિનામાં નહિ આવો તો મને જીવતી નહીં ભાળો.હે,પવનપુત્ર, હનુમાન,તમને જોઈને મારા મનને ટાઢક થઇ હતી,જીવવાનો ઉત્સાહ આવ્યો હતો,પણ તમે તો ચાલ્યા,ને પાછાં મારા નસીબે તો તે જ દિવસ અને તે જ રાત રહ્યાં.“પૂનિ મો કહું,સોઈ દિનુ,સો રાતી”

Jan 13, 2022

Gujarati-Ramayan-Rahasya--ગુજરાતી-રામાયણ-રહસ્ય-૧૭૫

નાગપાશમાં બંધાયેલા હનુમાનજીએ,જેવી પૂંછડે આગ લાગી કે તરત જ,સૂક્ષ્મ રૂપ ધારણ કર્યું, એટલે નાગપાશનું બંધન એકદમ સરી પડ્યું,ને હનુમાનજી મુક્ત થયા.તેમણે ફરી વિશાળ સ્વરૂપ ધારણ કર્યું,ને જોરથી અટ્ટહાસ્ય કરીને ગર્જના કરી.અને ગઢના દરવાજા પર ચડી ગયા.સળગતા પૂંછડા સાથે દરવાજા પર ઉભેલા હનુમાનજી મધ્યાહ્નના સૂરજની જેમ શોભતા હતા.

Jan 12, 2022

Gujarati-Ramayan-Rahasya--ગુજરાતી-રામાયણ-રહસ્ય-૧૭૪

ભરી સભામાં,હનુમાનજીની વાતથી,રાવણનો ગુસ્સો સાતમા આસમાને પહોંચ્યો,
તેણે ત્રાડ પાડી કહ્યું-કે ચુપ,મર બંદર,હું તારો હમણાં જ વધ કરી નાખું છું.
આમ કહી તેણે રાક્ષસોને હુકમ કર્યો કે –આનું માથું કાપી નાખો.
ત્યાં વિભીષણે ઉભા થઇ કહ્યું કે-મહારાજ,આ વાનર દૂત તરીકે આવ્યો છે,
અને દૂતનો વધ કરવો એ રાજનીતિ નથી,વળી તમે સિંહ થઈને શું દેડકાને મારશો?

Jan 11, 2022

Gujarati-Ramayan-Rahasya--ગુજરાતી-રામાયણ-રહસ્ય-૧૭૩

પોતાના મોટા મોટા યોદ્ધાઓનો નાશ થયેલો સાંભળી,રાવણને ભયંકર ગુસ્સો ચડ્યો અને તેણે,પોતાના સેનાપતિ,જંબુમાલીને હુકમ કર્યો કે-જાઓ એ બંદરને પકડીને મારી આગળ લઇ આવો.સેનાપતિ રથમાં બેસી ઉપડ્યો,હનુમાનજી દરવાજા આગળ તૈયાર ઉભા હતા,
સેનાપતિના મારા સામે હનુમાનજી એ એવો પ્રતિકાર કર્યો કે,ઘડીકમાં તો તે સેનાપતિ ધૂળ ચાટતો થઇ ગયો.

Jan 10, 2022

Gujarati-Ramayan-Rahasya--ગુજરાતી-રામાયણ-રહસ્ય-૧૭૨

હનુમાનજીએ સીતાજીને,સીતાહરણ પછી બનેલા બધા બનાવોનું અને પોતે કેવી રીતે લંકામાં પ્રવેશ કર્યો,તે બધું સવિસ્તર કહી સંભળાવ્યું.અને રામજીનો સંદેશો પણ કહ્યો.કે તેમને પણ સીતાજીનો વિરહ સાલે છે.આ સાંભળી સીતાજી,રામજીના પ્રેમમાં મગ્ન બની ગયાં.તેમણે કહ્યું કે-હે હનુમાન,તારા વચન મને અમૃત સમાન લાગે છે,શ્રીરામનું મન મારામાં છે,તે જાણી આનંદ થાય છે,પણ શ્રીરામ શોક-મગ્ન રહે છે તે જાણી સાથોસાથ દુઃખ પણ થાય છે.મારા જીવનની માત્ર બે મહિનાની મુદત રહી છે,તેટલા સમયમાં શ્રીરામ અહીં કેવી રીતે આવી શકશે? 

Jan 9, 2022

Gujarati-Ramayan-Rahasya--ગુજરાતી-રામાયણ-રહસ્ય-૧૭૧

રાવણનો ગુસ્સો આસમાને પહોંચ્યો ,તેણે તલવાર કાઢી,કહ્યું કે –ગુસ્સો તો એવો આવે છે કે તારો હમણાં જ વધ કરી નાખું,પણ શું થાય? મેં તને બાર મહિનાની મહેતલ આપી હતી તેમાં બે મહિના હજુ બાકી છે,એટલે ત્યાં સુધી હું રાહ જોઇશ,ત્યાં સુધીમાં જો માની જશે તો રાજ-રાણી થશે,નહિતર મારી આ તલવાર તારા ગળામાં પડશે તે તું નક્કી જ જાણજે.

Jan 8, 2022

Gujarati-Ramayan-Rahasya--ગુજરાતી-રામાયણ-રહસ્ય-૧૭૦

બ્રાહ્મણનું રૂપ લઇ હનુમાનજી વિભીષણની સામે જઈ ઉભા રહ્યા.વિભીષણે આંગણે બ્રાહ્મણને આવેલો જોઈ પ્રણામ કર્યા,ને પછી પૂછ્યું કે-આપ કોણ છો ? આપ શ્રીરામ તો નથી ને? સવારના પહોરમાં આપનાં દર્શન થયા તેથી મને અત્યંત હર્ષ થયો છે,મારું જરૂર કલ્યાણ થશે.

Jan 7, 2022

Gujarati-Ramayan-Rahasya--ગુજરાતી-રામાયણ-રહસ્ય-૧૬૯

હનુમાનજી હજુ લંકામાં પ્રવેશ કરે જ છે ત્યાં-લંકિની નામની રાક્ષસીએ તેમને રોક્યા-'એઈ,વનચર,મારી રજા વગર ક્યાં જાય છે ચાલ,મારો કોળિયો થઇ જા'
હનુમાનજીએ પૂછ્યું કે-કોણ છે તું વળી?
લંકિની કહે-હું લંકાની અધિષ્ઠાત્રી દેવી છું,લંકાનું રક્ષણ કરવાની જવાદારી મારી છે,
હું કોઈ ચોરને લંકામાં ઘુસવા દેતી નથી,ચોરને પકડીને ખાઈ જવાનો મારો નિયમ છે.