Showing posts with label રામાયણ-રહસ્ય. Show all posts
Showing posts with label રામાયણ-રહસ્ય. Show all posts

Feb 25, 2022

Gujarati-Ramayan-Rahasya--ગુજરાતી-રામાયણ-રહસ્ય-૨૦૮

તુલસીદાસજી કહે છે કે-પરશુરામનું ચરિત્ર નદી જેવું છે,તે નદીમાં જયારે ‘અહંકાર’ની રેલ આવી ત્યારે શ્રીરામ તેના પર બંધ બનીને પધાર્યા.પરશુરામજી “પ્રકાશ” સ્વરૂપ છે,
પ્રકાશ આંખને સહ્ય (સહી શકાય તેવો) હોય ત્યાં સુધી વાંધો નહિ,પણ જો પ્રકાશ અતિ તીવ્ર બની જાય તો,તે આંખોને આંજી નાખે ને કશું જોઈ શકાય નહિ,(અંધારું થાય) અંધકાર જેમ કામનો નથી,તેમ તીવ્ર પ્રકાશથી થતો પણ અંધકાર –એ પણ અંધકાર જ છે,તે કશા કામનો નથી.શ્રીરામે રાવણનો દુષ્ટતા-રૂપી અંધકાર હટાવ્યો ને પરશુરામનો તીવ્ર પ્રકાશનો અંધકાર પણ હટાવ્યો.

Feb 24, 2022

Gujarati-Ramayan-Rahasya--ગુજરાતી-રામાયણ-રહસ્ય-૨૦૭

રાવણના વધથી દેવો ભલે ખુશ થયા હોય,અને ભલે દેવોને એમ લાગતું હોય કે –અમારું કામ પતી ગયું છે.પણ રામજીને તેમ લાગતું નથી.તેમનું કાર્ય ત્યારે પૂર્ણ થાય.કે જયારે “દુષ્ટો” સાથે “દુષ્ટતાની વૃત્તિ” પણ નાશ પામે.ને રામરાજ્ય સ્થપાય.દેવતાઓની ભોગવૃત્તિ છે,અને આ ભોગ-વૃત્તિ એ સ્વાર્થ-વૃત્તિની બહેન છે.દેવોને તો તેમના રસ્તા પર આવતા કંટકોને દૂર કર્યા સિવાય,તે વિષયમાં બહુ ઊંડા ઉતારવાની ટેવ નથી,કારણકે બહુ ઊંડા ઉતરે તો તેમના ભોગો કેમ ભોગવાય?(સ્વાર્થ) એટલે તો,રાવણ નામનો કાંટો હટી ગયો, એટલે દેવો સમજે છે કે તેમનું કામ પૂર્ણ થઇ ગયું!!!

Feb 23, 2022

Gujarati-Ramayan-Rahasya--ગુજરાતી-રામાયણ-રહસ્ય-૨૦૬

વેદવતીની કથાનું રહસ્ય એવું છે કે-વેદવતી એટલે વેદને જાણનારી,વેદને ગ્રહણ કરનારી.
વેદવતી એ સાક્ષાત વેદની વાણી છે,વેદની વિદ્યા છે.રાવણ પોતે વેદ-વિદ હતો,વેદ ભણેલો હતો પણ વેદની વિદ્યા (જ્ઞાન)થી તે દૂર હતો.જ્ઞાનની  સાથે,વિવેક,નમ્રતા,નિર્લોભીપણું,
નિષ્કામતા-વગેરે ન હોય તો તે જ્ઞાન ભાર-રૂપ થઇ પડે છે,રાવણ એવા ભાર-રૂપ જ્ઞાનને લઈને ફૂલ્યો હતો,એટલે વેદ-વિધા (જ્ઞાન) તેનાથી દૂર હતી.

Feb 22, 2022

Gujarati-Ramayan-Rahasya--ગુજરાતી-રામાયણ-રહસ્ય-૨૦૫

સંત-મહાત્માઓ કહે છે કે-સૌ પ્રથમ જીવનનું લક્ષ્ય (એક સત્ય-પરમાત્મા) નક્કી કરો.ને પછી,
નક્કી કરો કે-આજથી મારું જીવન ભોગ માટે નથી,ધન ભેગું કરવા માટે નથી,પણ પરમાત્મા માટે જ છે.આટલું જ જો સમજી લેવામાં આવે તો આગળનો રસ્તો આપોઆપ સરળ થઇ જશે.પરમાત્માને સ્વામી માનો કે પિતા માનો.જો પિતા કહેતાં શરમ આવતી હોય તો-પરમાત્મા તમારો બેટો (પુત્ર) થવા પણ તૈયાર છે.પણ કોઈ પણ રીતે તેમની સાથે સંબંધ જોડો.

Feb 21, 2022

Gujarati-Ramayan-Rahasya--ગુજરાતી-રામાયણ-રહસ્ય-૨૦૪

આ બાજુ પતિનાં મસ્તકો અને ભુજાઓ જોઈને મંદોદરી વિલાપ કરે છે.
“હે,નાથ,તમારી જે ભુજાઓએ કાળ અને યમરાજને પણ જીત્યા હતા,તે આજે અનાથની જેમ અહીં પડી છે! વિધાતાની આખી સૃષ્ટિ જે તમારા મસ્તકોને મસ્તક નમાવતી હતી,તે મસ્તકો અહીં ધૂળમાં રગદોળાય છે! અહંકારમાં તમે કોઈનું યે માન્યું નહિ,અને શ્રીરામ સાથે વેર બાંધ્યું,તો આજે તમારા કુળમાં કોઈ રડનારું યે ના રહ્યું,કે ના તમને અગ્નિસંસ્કાર કરનાર પુત્ર પણ રહ્યો.શિવ અને બ્રહ્મા-આદિ દેવો જેમને ભજે છે,તે કરુણાળુ ભગવાનને તમે ભજ્યા નહિ,છતાં તેમણે તમારા પર કૃપા કરી,તમને નિજ-ધામ આપ્યું.ખરેખર,શ્રીરામ કૃપાના સાગર છે.

Feb 19, 2022

Gujarati-Ramayan-Rahasya--ગુજરાતી-રામાયણ-રહસ્ય-૨૦૩

સવારમાં જ રાવણને યુદ્ધ કરવા આવેલો જોઈને શ્રીરામ જરા ચિંતાતુર થયા,હજુ ગઈકાલનો થાક પણ ઉતર્યો નહોતો.એ વખતે અગસ્ત્યમુનિ પણ ત્યાં યુદ્ધ જોવા આવેલા હતા તેમણે રામજીને ચિંતાતુર થયેલા જોઈને કહ્યું કે-હે રામ,તમે “આદિત્ય હૃદય” સ્તોત્ર (સૂર્યનું સ્તોત્ર)નો ત્રણ વાર પાઠ કરો તો સર્વ શત્રુઓને જીતી શકશો.સૂર્ય એ બુદ્ધિના માલિક દેવ છે અને રાવણ કાળનું સ્વરૂપ છે.સૂર્યદેવની સ્તુતિ વગર કાળ મરતો નથી.
યજુર્વેદમાં કહ્યું છે કે-સૂર્ય,એ સ્થાવર-જંગમ-તમામ પદાર્થોનો આત્મા છે.ને જગતને પ્રકાશિત કરે છે.

Feb 18, 2022

Gujarati-Ramayan-Rahasya--ગુજરાતી-રામાયણ-રહસ્ય-૨૦૨

પોતે ખાલી બોલે છે ને કશું કરતો નથી,એવી-રામની વાત સાંભળી રાવણે તરત જ બાણોનો મારો ચલાવ્યો.રાવણને જોઈને શ્રીરામના ભાથામાં તેમના બાણો,જાણે ક્યારનાં યે ઊંચાં-નીચાં થઇ રહ્યાં હતાં,પણ ધૈર્ય-શીલ શ્રીરામ,પોતે ધીરજ ધરીને જાણે, તેમને પણ ધીરજ રાખવાનું કહેતા હતા,પરંતુ,હવે જ્યાં રાવણનાં બાણ છૂટ્યા,એટલે શ્રીરામે પણ પોતાનાં બાણો સામે છોડીને તે રાવણના બાણોનો કચ્ચરઘાણ કરી દીધો.

Feb 17, 2022

Gujarati-Ramayan-Rahasya--ગુજરાતી-રામાયણ-રહસ્ય-૨૦૧

ત્યારે વિભીષણની આગળ “વિજયરથ” નું વર્ણન કરતાં શ્રીરામ કહે છે કે-
“શૌર્ય” અને “ધૈર્ય” એ આ વિજયરથનાં “બે પૈડાં” છે,જેમ,એક પૈડાથી રથ ના ચાલે,
તેમ,એકલું શૌર્ય પણ ના ચાલે,સાથે સાથે ધૈર્ય પણ જોઈએ.અને તે બંને સાથો-સાથ ચાલવાં જોઈએ.“સત્ય અને શીલ”-એ વિજયરથની “ધજા-પતાકા” છે,
“બળ,વિવેક,સંયમ અને પરોપકાર”-એ ચાર એના “ઘોડા” છે,
કે જે-“ક્ષમા,દયા,અને સમતા” ની “લગામ” થી રથમાં જોતરેલા છે.

Feb 16, 2022

Gujarati-Ramayan-Rahasya--ગુજરાતી-રામાયણ-રહસ્ય-૨૦૦

પછી રામે પ્રસન્ન થઇ સુલોચનાને કહ્યું કે-કહો તો તમારા પતિને સજીવન કરું,ને હજારો વર્ષનું આયુષ્ય આપું.રામની આવી વાત સાંભળી સુલોચનાને ખાતરી થઇ ગઈ કે-લોકો શ્રીરામનાં વખાણ કરે છે,તે સાચાં જ છે.શ્રી રામ એ સામાન્ય માનવી નહિ,પરંતુ અવતારી પુરુષ છે,ખુદ પરમાત્મા જ છે.તેણે કહ્યું કે-ના, મારા પતિ તમારા ચરણમાં સદગતિને પામ્યા છે,તેમને જીવતા થઇ,ફરીથી આનાથી વધારે સારું મૃત્યુ કેમ કરીને મળવાનું?આપનાં દર્શન એ જ મારે માટે મોટું વરદાન છે,મારે બીજું કશું જોઈતું નથી,આપનાં દર્શનથી મારું પણ મૃત્યુ મંગલમય થશે.અને તે પછી સુલોચના પતિનું મસ્તક ખોળામાં લઇને સતી થઇ.

Feb 15, 2022

Gujarati-Ramayan-Rahasya--ગુજરાતી-રામાયણ-રહસ્ય-૧૯૯

ઇન્દ્રજીતના મરણ સંબંધી એક બીજી પ્રચલિત કથા એવી છે કે-લક્ષ્મણજીએ જયારે ઇન્દ્રજીતનો વધ કર્યો ત્યારે તેનું માથું રામજીની પાસે જઈ પડ્યું ને તેનો એક હાથ એના મહેલમાં જઈને પડ્યો.ઇન્દ્રજીતની પત્ની સુલોચના સાધ્વી-સ્ત્રી હતી,તે શેષ-નાગની કન્યા હતી.અને પૂર્ણ સતી-ધર્મ પાળતી હતી.મહેલમાં જયારે સુલોચનાની સામે પતિનો કપાયેલો હાથ આવીને પડ્યો,ત્યારે પતિનો હાથ ઓળખતાં જ સતીને સત્ ચડ્યું,તેણે પતિના કપાયેલા હાથ આગળ કાગળ અને કલમ મૂકી પ્રાર્થના કરી કે-આપનું મરણ શાથી થયું ને આપનું મસ્તક ક્યાં છે તે કહો.!!કપાયેલા હાથે કલમ પકડીને લખ્યું કે-મને લક્ષ્મણે માર્યો છે ને મારું મસ્તક શ્રીરામ પાસે છે.

Feb 14, 2022

Gujarati-Ramayan-Rahasya--ગુજરાતી-રામાયણ-રહસ્ય-૧૯૮

માયામય રથમાં બેસીને ઇન્દ્રજીત રણે ચડ્યો.આ માયામય રથ એવો હતો કે-તેને કોઈ દેખી 
શકે નહિ,પણ તે સર્વને દેખી શકે.આકાશમાં અદૃશ્ય રહીને શ્રીરામની સેના પર મારો ચલાવ્યો.
વાનરો ભયભીત થઇ ગયા,સુગ્રીવ,અંગદ,હનુમાન,નલ,નીલ-વગેરે સર્વ યોદ્ધાઓ પણ ઘાયલ થયા.ત્યારે ઇન્દ્રજીત પ્રગટ થયો,તેને જોતાં જ જાંબવાન તેની સામે ધસ્યો.
ઇન્દ્ર્જીતે તેની સામે ત્રિશુલ ફેંક્યું,તે ત્રિશુલને આવતું જ પકડીને,તે જ ત્રિશુલ તેણે 
ઇન્દ્ર્જીતની જ છાતીમાં માર્યું.ઇન્દ્રજીત મૂર્છિત થઇને પડ્યો, પણ તે મર્યો નહિ.

Feb 12, 2022

Gujarati-Ramayan-Rahasya--ગુજરાતી-રામાયણ-રહસ્ય-૧૯૭

તુલસીદાસજી કહે છે કે-અહંકાર –એ કુંભકર્ણ છે.તે ઊંઘતો પડ્યો હતો,અડધી સેના 
ખલાસ થઇ ગઈ,ત્યારે રાવણ તેને જગાડે છે.એનો અર્થ એ કે-અડધું જોર ખલાસ થઇ 
જાય ત્યારે,અહંકારી જાગે છે.કુંભકર્ણ એટલે ઘડા જેવા કાન-વાળો.
અહંકારી મનુષ્યના કાન ઘડા જેવા,એટલે કે,ઘડા જેવા મોટા કાન સદા ખડા,
રાખીને પોતાની પ્રશંસા સાંભળવા માટે ફરે છે.

Feb 11, 2022

Gujarati-Ramayan-Rahasya--ગુજરાતી-રામાયણ-રહસ્ય-૧૯૬

રાવણને ખબર પડી કે-કાલનેમિને મારી હનુમાન ઔષધિ લઇ આવ્યા કે જેનાથી લક્ષ્મણ મૂર્છામાંથી ઉઠયા છે એટલે તેને પોતાને મૂર્છા આવી ગયા જેવું જ થયું.
રાક્ષસોની મોટાભાગની સેના ખતમ થઇ ગઈ હતી,હવે શું કરવું?વિચાર કરતાં તેને પોતાનો ભાઈ કુંભકર્ણ યાદ આવ્યો.કુંભકર્ણને બે વાનાં પ્રિય હતાં-ખાવું અને ઊંઘવું.ખાઈને ઊંઘવા માંડે ને ઊંઘમાંથી ઉઠે ત્યારે ખાવા લાગે.રાવણે વિચાર કર્યો કે કુંભકર્ણને ઉઠાડું.પણ તેને ઉઠાડવાનું એટલું સહેલું નહોતું.

Feb 10, 2022

Gujarati-Ramayan-Rahasya--ગુજરાતી-રામાયણ-રહસ્ય-૧૯૫

હનુમાનજી સરોવરમાં પાણી પીવા ગયા,ત્યાં જેવો પાણીમાં પગ મૂક્યો કે એક મગરીએ તેમનો પગ પકડ્યો,હનુમાનજી એ તેને બહાર ખેંચીને મારી નાખી.ત્યારે મગરી દિવ્ય-અપ્સરા રૂપે પ્રગટ થઈને બોલી-દુર્વાસાના શાપે હું મગરી બની હતી પણ આજે તમારા હાથે મારો ઉદ્ધાર થયો.પછી પ્રણામ કરી તે બોલી કે-તમે જેને ઋષિ સમજો છો તે ઋષિ નથી પણ કાલનેમિ નામે રાક્ષસ છે ને તમને દ્રોણાચલ પર જતાં રોકવાનો પ્રયાસ કરવા રાવણના કહેવાથી આવ્યો છે.માટે તેમાં ફસાતા નહિ.

Feb 9, 2022

Gujarati-Ramayan-Rahasya--ગુજરાતી-રામાયણ-રહસ્ય-૧૯૪

હવે લક્ષ્મણજી મેઘનાદની સામે યુદ્ધ કરવા આવી ગયા.લક્ષ્મણજીએ બાણોનો મારો કરીને મેઘનાદને અધમૂઓ કરી નાખ્યો.મેઘનાદને બીક લાગી કે- હવે હું મરવાનો...એટલે,એણે સર્પના જેવી ઝેરી-શક્તિનો લક્ષ્મણજીની છાતીમાં પ્રહાર કર્યો,અને લક્ષ્મણજી મૂર્છા ખાઈને પડ્યા.મેઘનાદે વિચાર કર્યો કે -આને ઉપાડી જઈને કેદ કરું.તે લક્ષ્મણજીને ઉપાડવા આવ્યો,પણ તેનાથી તે ઉપડાયા નહિ,બીજા અનેક રાક્ષસો ભેગા થઈને ઉપાડવાનો પ્રયત્ન કર્યો પણ તેમાં તે સર્વે નિષ્ફળ રહ્યા.

Feb 8, 2022

Gujarati-Ramayan-Rahasya--ગુજરાતી-રામાયણ-રહસ્ય-૧૯૩

હનુમાનજીએ તરત જ લક્ષ્મણજીને ફુલની જેમ ઉપાડ્યા,ને રામજીની પાસે લઇ ગયા.
રામજીની પાસે જતાં જ લક્ષ્મણજીના દેહમાંથી રાવણે મારેલી શક્તિની અસર નીકળી ગઈ.
અને લક્ષ્મણજી ભાનમાં આવી ગયા.રાવણની સામે હવે રામજી યુદ્ધે ચડ્યા.
શ્રીરામ પાસે તો કોઈ વાહન નહોતું,તેઓ પગે ચાલીને ઉઘાડા પગે રાવણની સામે જતા હતા,
તે જોઈ હનુમાનજીએ કહ્યું કે-રથમાં બેઠેલા રાવણની સામે તમે પગે ચાલીને જાઓ તે ઠીક નથી,વિષ્ણુ ભગવાન ગરુડ પર બેસીને જાય તેમ આપ મારા ખભે બિરાજો.

Feb 7, 2022

Gujarati-Ramayan-Rahasya--ગુજરાતી-રામાયણ-રહસ્ય-૧૯૨

તે પછી તો યુદ્ધના વ્યૂહ નક્કી થયા, અને છેવટે,”રામજીનો જય હો” ના પોકાર સાથે,વાનરો અને રીંછોએ,લંકાના ચારે દરવાજાઓ પર એક સાથે આક્રમણ કર્યું.
તેમની પાસે અસ્ત્ર-શસ્ત્ર નથી,પણ શિલાઓ અને વૃક્ષો ઉખાડીને લડે છે.ને મુખેથી જ વિચિત્ર અવાજો કરીને રણભેરી વગાડે છે.સામે રાવણે પોતાની સેના સામે મોકલી કહ્યું કે-જાઓ ઘેર બેઠાં વાનરોનું ભોજન આવ્યું છે,તેમણે પકડી પકડીને ખાઓ.રાવણ હજુ પણ,અહમમાં પોતાને જ કર્તા-હર્તા સમજે છે.

Feb 4, 2022

Gujarati-Ramayan-Rahasya--ગુજરાતી-રામાયણ-રહસ્ય-૧૯૧

શ્રીરામ તો પ્રાણી-માત્રના હિતકર અને વણમાગી દયાના કરનારા છે.તો જે દયા માગે 
તેના પર દયા કર્યા વિના એ કેમ રહે? તેમણે હસીને સારણને કહ્યું કે-જે જોવા આવ્યા હતા,
તે જોઈ લીધું હોય તો જાવ,અને હજુ જો જોવા તપાસવાનું કંઈ બાકી હોય તો,ખુશીથી જુઓ,
હું વિભીષણને આજ્ઞા કરું છું કે જે તમને મારી આખી સેના બતાવશે.
દુશ્મનથી પણ જેમને કશું છુપાવવાનું નથી,એમનું નામ શ્રીરામ.

Feb 3, 2022

Gujarati-Ramayan-Rahasya--ગુજરાતી-રામાયણ-રહસ્ય-૧૯૦

શંકર ભગવાન પાર્વતીને કહે છે કે-શ્રીરામ તણખલાને વજ્ર જેવા બનાવે છે,
ને વજ્રને તણખલું બનાવે છે,તે એમના દૂત (અંગદ) ની પ્રતિજ્ઞા કેમ ખોટી પડવા દે? 
અંગદે,વાણીથી,બળથી,ભયથી-વગેરે અનેક રીતે રાવણને સમજાવ્યો,પણ રાવણ સમજ્યો નહિ,
ત્યારે તેણે રાવણને કહ્યું કે-“રણક્ષેત્રમાં તને રમાડી રમાડીને મારું નહિ તો મારું નામ અંગદ નહીં” આમ કહી એ પાછો ફરી ગયો,ને રાવણ અને તેના યોદ્ધાઓ તેને જોતા જ રહી ગયા....

Feb 2, 2022

Gujarati-Ramayan-Rahasya--ગુજરાતી-રામાયણ-રહસ્ય-૧૮૯

રાવણ કહે છે કે-વાનરોની મદદથી પુલ બાંધ્યો એ જ તારા રામની તાકાત ને?સમુદ્ર તો ચકલાં યે ઓળંગે છે.એમાં એણે શું ધાડ મારી? બીજાની મદદ લેવી પડે,અને સમુદ્રને પાર કરવા પુલની જરૂર પડે તે મનુષ્ય નહિ તો બીજું શું છે? જયારે મારા ભુજબળમાં તો દેવો યે ડૂબી ગયા છે તો તારો રામ શી વિસાતમાં છે? એ લડાઈમાં બીએ છે,એટલે તો તને દૂત બનાવી મોકલે છે.શત્રુને કરગરવા દૂત મોકલતાં એણે લાજ પણ નથી.