Nov 23, 2022

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-024

 

અધ્યાય-૨૨-બંને બહેનોએ ઓળંગેલો મહાસાગર 


II सौतिरुवाच II नागाश्च संविदं कृत्वा कर्तव्यमिति तद्वचः I निःस्नेहा वै दहेन्माता असंग्राप्तमनोरथ II १ II

સૂતજી બોલ્યા-હવે નાગોએ મંત્રણા કરીને ઠરાવ્યું કે-'આપણે માતાના વચન પ્રમાણે જ કરવું,કેમ કે 

તેનો મનોરથ જો પૂર્ણ નહિ થાય તો તે નિર્દય માતા આપણને બાળી મુકશે,અને જો તે પ્રસન્ન થશે તો,

આપણને  શાપમાંથી છોડાવશે,આથી આપણે નિઃસંશય તે ઘોડાનું પૂંછડું કાળું કરવું જ' 

આમ નિશ્ચય કરી તે ઘોડાના પૂંછડે વાળરૂપ થઇ ગયા.

Nov 22, 2022

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-023

 

અધ્યાય-૧૯-અમૃત માટે યુદ્ધ અને દૈત્યોનો પરાજય 


II सौतिरुवाच II अथावरणमुख्यानि नाना प्रहरणानि च I प्रगृह्याम्यद्रवन्देवान सहित दैत्यदानवाः II १ II

સૂતજી બોલ્યા-હવે,ઉત્તમ હથિયારો ને બખ્તરો સજીને,દૈત્યો અને દાનવો એકસાથે દેવોના તરફ ધસ્યા.

મોહિની સ્વરૂપે,ભગવાન નારાયણ દેવોને અમૃત પીવડાવી રહ્યા હતા,ત્યારે રાહુ નામનો દાનવ,દેવનું રૂપ લઈને અમૃતના ઘૂંટડા ભરી ગયો,એ અમૃત,તે દાનવના ગળા સુધી ગયું,ત્યારે દેવોનું હિત કરવાની ઈચ્છાથી,

ચંદ્ર અને સૂર્યે તે વાત,નારાયણને કહી,એટલે નારાયણે,તેનું માથું,તેજસ્વી ચક્રથી ઉડાવી દીધું,

ત્યારથી તે રાહુ-મુખે ચંદ્ર અને સૂર્ય સાથે વેર બાંધ્યું અને આજે પણ તે,તે બંનેનું ગ્રહણ કર્યા કરે છે (1-9)

Nov 21, 2022

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-022

 

અધ્યાય-૧૭-અમૃત માટે સમુદ્ર-મંથનનો નિશ્ચય 


II सौतिरुवाच II एतास्मिन्नेव काले तु भगिन्यौ ते तपोधन I अपश्यतां समायाते उच्चैःश्रवसमंतिकात्  II १ II

સૂતજી બોલ્યા-તે વખતે,બંને બહેનોએ (કદ્રૂ અને વિનતાએ) પોતાની પાસે ઉચ્ચૈશ્રવા નામના ઘોડાને પોતાની પાસે જોયો.કે જે ઘોડો,અમૃતને માટે સમુદ્રમંથન કરતી વખતે ઉપજ્યો (નીકળ્યો) હતો.આ ઘોડો,અશ્વોમાં રત્નરૂપ હતો,

અનુપમ,બળવાળો,શ્રેષ્ઠ,અજર અને દિવ્ય એવા આ ઘોડાને સર્વ દેવગણો પણ સત્કારતા હતા.

Nov 20, 2022

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-021

અધ્યાય-૧૫-સર્પોને,માતાએ આપેલ શાપ 


II सौतिरुवाच II मात्रा हि भुजगाः शप्ताः पूर्व ब्रह्मविदांवर I जनमेजयस्य वो यज्ञे धक्षत्यनिलसारथिः  II १ II

સૂતજી બોલ્યા-પૂર્વે,સર્પોને તેમની માતાએ શાપ આપ્યો હતો કે-'જન્મેજયના યજ્ઞમાં અગ્નિ તમને બાળી નાખશે'

કે જે શાપની શાંતિ માટે જ વાસુકિએ પોતાની બહેન જરુત્કારુને આપી હતી.તે જરુત્કારુ ઋષિએ,તેને વિધિપૂર્વક સ્વીકારી હતી,કે જે બંનેથી,તેમને આસ્તીક નામે પુત્ર થયો હતો.તે તપસ્વી,મહાત્મા,વેદમાં પારંગત,

સર્વ લોકને સમદ્રષ્ટિ રાખનારો અને માતપિતાનાં બંને કુળોના ભયને દૂર કરનારો હતો.

Nov 19, 2022

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-020


આસ્તીક પર્વ

અધ્યાય-૧૩-જરુત્કારૂનો પિતૃઓ સાથે સંવાદ 

(અધ્યાય-1 માં જણાવ્યા મુજબ કેટલાક અહીં (આસ્તીક પર્વ) થી મહાભારતની કથાનો પ્રારંભ કરે છે)

II शौनक उवाच II किमर्तः राजशार्दुलः स राज जनमेजयः I सर्पसत्रेण सर्पाणां गतोSतं तद्वदस्य मे II १ II

શૌનક બોલ્યા-રાજાઓમાં સિંહ સમાન,તે જન્મેજય રાજાએ,શા કારણથી સર્પસત્રથી સર્પોનો અંત આણ્યો?

વળી,દ્વિજવાર આસ્તીકે,શા માટે સર્પોને અગ્નિમાંથી છોડાવ્યા હતા? આસ્તીક હે જન્મેજયના વિષે કહો,

કે તેઓ કોના પુત્ર હતા? આસ્તીકની મનોરમ કથા હું સાંભળવા ઈચ્છું છું.

Nov 18, 2022

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-019

 

અધ્યાય-૧૦-રુરુ અને ડુંડુંભનો સંવાદ 


II रुरु उवाच II मम प्राणसमा भार्या दष्टासिद्मुजगेन ह I तत्र भे समयो घोर आत्मनोरग वै कृतः II १ II

રુરુ બોલ્યો-મારી પ્રાણસમી પત્નીને એક સર્પ કરડ્યો હતો,ત્યારથી મેં એક ભયંકર નિયમ લીધો છે કે-

મારા જોવામાં,જે કોઈ સર્પ આવે તેને હું મારી નાખું છું,એટલે આજે હું પણ તને મારીશ.


ડુંડુંભ બોલ્યો-હે તપોધન,માણસોને જે ડસે છે તે સર્પો જુદા છે,માત્ર સાપના આકાર જેવા (ડેંડવા) અમોને,

મારવા તમોને ઘટતા નથી,અમે સર્પોની જાતિના છીએ,તેથી જ તેમની જેમ,અમે હાનિ પામીએ છીએ,

દુઃખ પામીએ છીએ પણ તેમની જેમ સુખ પામતા નથી,તમે અમને મારવા જોઈએ નહિ 

Nov 17, 2022

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-018

 
અધ્યાય-૮-રુરુનું ચરિત્ર-પ્રમદવરાને સર્પદંશ 

II सौतिरुवाच II स चापि च्यवनो ब्रह्मन् भार्गवोऽजनयत्सुतम् I सुकन्यायां महात्मानं प्रमतिं दीप्ततेजसम् II १ II

સૂતજી બોલ્યા-હે બ્રહ્મન,તે ચ્યવને (ભાર્ગવે) સુકન્યામાં,મહાત્મા ને કાંતિવાળો પ્રમતિ-નામે પુત્ર ઉત્પન્ન કર્યો,

પ્રમતિએ,ધૃતાચીમાં રુરુ નામે પુત્ર પેદા કર્યો,રુરુએ પ્રમદવરામાં શુનકને જન્મ આપ્યો.

અત્યંત તેજસ્વી,રુરુનું ચરિત્ર,હવે હું વિસ્તારથી કહીશ તે તમે સાંભળો.

Nov 16, 2022

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-017

 

અધ્યાય-૬-ચ્યવન જન્મ-રાક્ષસ પુલોમાનું ભસ્મ થવું-ભૃગુનો અગ્નિને શાપ 


II सौतिरुवाच II अग्नेरथ वचः श्रुत्वा तद् रक्षः प्रजहार ताम् I ब्रह्मन् वराहरूपेण मनोमारुतरंहसा II १  II 

સૂતજી કહે છે કે-અગ્નિનું આવું વાચા સાંભળોને,તે રાક્ષસે,વરાહનું રૂપ ધારણ કરીને,મનને વાયુના સમાન વેગથી

તે ભુગુપત્નીનું અપહરણ કર્યું,તે વખતે માતાના પેટમાં નિવાસ કરતો ગર્ભ,અત્યંત રોષને લીધે,

માતાના પેટથી ચ્યુત (છૂટો) થઈને બહાર આવ્યો,તેથી તેનું નામ 'ચ્યવન' થયું  

સૂર્યના સમાન તેજસ્વી એવા તેને જોતાં જ.તે રાક્ષસ,બળીને ભસ્મ થઇ ગયો.(1-3) 

Nov 15, 2022

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-016

 પૌલોમ-પર્વ 

અધ્યાય-૪-કથા પ્રવેશ

-गद्य-

लोह्मर्षणपुत्र उग्रश्रवाः सौतिः पौराणिको नैमिषारण्ये शौनकस्य कुलपतेर्द्वाद्वशवार्षिके सत्रे ऋषीनभ्यागतानुपतस्थे II १ II 

લોમહર્ષણ સૂતના પુત્ર (સૂતજી),પૌરાણિક ઉગ્રશ્રવા,નૈમિષારણ્યમાં,કુલપતિ શૌનકના બાર વર્ષના સત્રમાં પધારેલા ઋષિઓની સેવા કરતા હતા,તેમણે ઋષિઓને પૂછ્યું કે-'આપ શું સાંભળવા ઈચ્છો છો?હું શી વાત કહું?'

Nov 14, 2022

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-015

ત્યારે ઇન્દ્રે,તેને ક્લેશને પામતો જોઈને પોતાના વજ્રને કહ્યું કે-'જા આ બ્રાહ્મણને મદદ કર'

વજ્ર લાકડીમાં પ્રવેશ થવાથી,તે દર ફાટી ગયું,ને ઉત્તંકે તે દરમાં (નાગલોકમાં) પ્રવેશ કર્યો,ત્યાં તેણે,

વિવિધ દેવમંદિરો,રાજમહેલો,ઘરોને વસ્ત્રશાળાઓ જોયાં,ને ત્યારે તેણે,નાગોની સ્તુતિ કરી,(127-133)

Nov 13, 2022

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-014

હવે ધૌમ્યનો ત્રીજો,વેદ નામે જે શિષ્ય હતો,તેને ગુરુએ આજ્ઞા આપી,કે 'તું અહીં થોડો વખત મારા ઘરમાં રહે અને સેવા કર,તારું કલ્યાણ થશે' 'બહુ સારું' એમ કહીને તે વેદ,લાંબા વખત સુધી ગુરુની સેવામાં રહ્યો,ગુરુએ તેને બળદની જેમ કામમાં જોતરી રાખ્યો,પણ ટાઢ-તડકો,ભૂખ-તરસ-આદિ સર્વ દુઃખો સહન કરીને તે સેવા કરતો રહ્યો,એટલે ગુરુ તેના પર પ્રસન્ન થયા અને તેનું કલ્યાણ થયું ને  તેને સર્વજ્ઞતા મળી.ગુરુ દ્વારા,આ શિષ્ય 'વેદ'ની કસોટી હતી.પછી,ગુરુની આજ્ઞાથી તેણે ગૃહસ્થાશ્રમ સ્વીકાર્યો (74-80)

Nov 12, 2022

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-013

પૌષ્ય-પર્વ 

અધ્યાય-૩-જન્મેજયને સરમાનો શાપ-ધૌમ્યના શિષ્યોની કથા-ઉત્તંક તથા પૌષ્યનું ચરિત્ર 

II सौतिरुवाच II जनमेजयः पारिक्षितः सहभ्रात्रुभि: कुरुक्षेत्रे दीर्घसत्रमुपास्ते II 

तस्य भ्रातरस्त्रः श्रुतसेन उग्र्सेनो भीमसेन इति II तेषु तत्सत्रमुपासीनेष्वागच्छ्त्सारमेयः II १ II 

સૂતજી (સૌતિ કે સૂતપુત્ર) બોલ્યા-પરીક્ષિતપુત્ર જન્મેજયે પોતાના ભાઈઓની સાથે,

કુરુક્ષેત્રમાં દીર્ઘ સત્રનું અનુષ્ઠાન કર્યું.તેમાં શ્રુતસેન,ઉગ્રસેન અને ભીમસેન એ ત્રણ ભાઈઓ બેઠા હતા,

ત્યારે એક કૂતરો ત્યાં આવી પહોંચ્યો,જન્મેજયના ભાઈઓએ તેને મારીને ત્યાંથી હટાવ્યો,

એટલે તે કૂતરો રડતો રડતો તેની માતા (સરમા) પાસે ગયો.માતાએ તેને રોવાનું કારણ પૂછ્યું,

તો તેણે કહ્યું કે-'જન્મેજયના ભાઈઓએ તેને માર્યો છે' માતાએ કહ્યું કે-'તેં કંઈ અપરાધ કર્યો હશે' 

ત્યારે કૂતરાએ કહ્યું કે-મેં કશો દોષ કર્યો નથી,યજ્ઞના પદાર્થોને મેં જોયા સરખોયે નથી કે તેને ચાટ્યા પણ નથી'

Nov 11, 2022

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-012

 (12) શાંતિ પર્વ (નોંધ-આ શાંતિપર્વમાં -329-અધ્યાયો અને -14729-શ્લોકોનું કીર્તન કર્યું છે)

જ્ઞાની વૃદ્ધિ કરનારું,જ્ઞાનીઓને પ્રિય આ શાંતિ પર્વ છે,જેમાં,યુધિષ્ઠિરને,સગાં-સંબંધીઓનો ઘાત કરવાને લીધે,ગ્લાનિ થાય છે,ત્યારે બાણ-શૈયા પાર સુતેલા ભીષ્મ,તેમને રાજધર્મ કહી સંભળાવે છે,વળી આપદધર્મ અને મોક્ષધર્મ વિષે પણ બહુ વિસ્તૃતતાથી 329-અધ્યાયોમાં વર્ણન કરવાં આવ્યું છે.(325-330)

Nov 10, 2022

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-011


(6) ભીષ્મ પર્વ- (નોંધ-ભીષ્મ-પર્વમાં -117-અધ્યાયો અને -5884-શ્લોકોનું કીર્તન કર્યું છે)

આ પર્વમાં સંજયે જંબુખંડની કથા કહી છે,શ્રીકૃષ્ણ,યુદ્ધની શરૂઆતમાં થયેલો અર્જુનનો મોહ દૂર કરવા 

ગીતાનું જ્ઞાન તેને આપે છે.ભીષ્મના આકરા યુદ્ધથી,ને અર્જુનની તેમને નહિ મારવાની ઈચ્છાથી,કંટાળીને,

શ્રીકૃષ્ણે પોતે હથિયાર હાથમાં નહિ લેવાની પ્રતિજ્ઞા તોડીને,ભીષ્મને મારવા જાય છે,તે અહીં વર્ણવ્યું છે.

પછી શિખંડીને યુદ્ધમાં આગળ કરીને,ભીષ્મ પર,અર્જુન બાણોની વર્ષા કરે છે,ને ભીષ્મને રથમાંથી નીચે પાડે છે,

ને ભીષ્મ બાણ-પથારીએ સુએ છે,આ પર્વમાં 117-અધ્યાયો કહ્યા છે.

(નોંધ-શ્રીમદ્દ ભગવદ્ ગીતા,આ ભીષ્મપર્વમાંથી લેવામાં આવેલી છે-અનિલ)

Nov 9, 2022

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-010

 

પછી,સુકન્યા,ચ્યવન મુનિ,માંધાતા,જનતું,સોમક,શ્યેન કપોત,શિબિરાજા વગેરેનાં આખ્યાનો કહ્યાં છે,

ત્યાર બાદ,અષ્ટાવક્રનું ઉપાખ્યાન આવે છે,તેમાં નૈયાયિકોમાં મુખ્ય વરુણપુત્ર બંદી સાથે,જનકરાજાના દરબારમાં,

અષ્ટાવક્ર વિવાદ કરે છે,જેમાં બંદી ની હાર થાય છે,વિજય પછી,અષ્ટાવક્ર,સાગરમાં ડૂબેલા પિતાને પાછા મેળવે છે.

પછી,પાંડવોની ગંધમાદન પર્વત યાત્ર અને નારાયણાશ્રમમાં તેમના વાસ વિષે કહેલ છે.

ગંધમાદન પર્વત ઉપર દ્રૌપદી ભીમસેનને સૌગન્ધિક કમળ લાવી આપવા કહે છે,ત્યારે તે લેવા જતાં,

ભીમને હનુમાનનાં દર્શન થાય છે,તેનું વર્ણન કરેલ છે.(170-178)