Oct 5, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-941

 

અધ્યાય-૬૨-ભીમનું યુદ્ધ 


॥ धृतराष्ट्र उवाच ॥ दैवमेय परं मन्ये पौरुषादपि संजय I यत्सैन्यं मम पुत्रस्य पांडुसैन्येन बाध्यते ॥१॥ 

ધૃતરાષ્ટ્ર કહ્યું-હે સંજય,પુરુષાર્થ કરતાં દૈવ જ બળવાન છે,એમ મારે કહેવું પડે છે.કારણકે મારા પુત્રના સૈન્યને પાંડવોનું સૈન્ય જીતી જાય છે.તું પણ,'મારા પુત્રો જ હંમેશાં માર ખાય છે અને પાંડવો હર્ષિત થાય છે'તેમ કહ્યા કરે છે.યથાશક્તિ લડતા અને જય મેળવવા માટે મથતા મારા પુત્રોનો,તું હંમેશા પરાજય જ કહે છે ને પાંડવોના જયનું વર્ણન કરે છે.મને એવો એકપણ ઉપાય દેખાતો નથી કે જેથી પાંડવોનો પરાજય થાય અને મારા પુત્રોનો વિજય થાય.

Oct 4, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-940

 

અધ્યાય-૬૧-સાંયમનિના (શલના) પુત્રનો વધ 


॥ संजय उवाच ॥ द्रौणिभूरिश्रवाः शल्यचित्रसेनश्वमारिषः I पुत्रः सांयमनेश्वैव सौभद्रं पर्यवारयन ॥१॥ 

સંજયે કહ્યું-અશ્વત્થામા,ભૂરિશ્રવા,શલ્ય,ચિત્રસેન તથા સાંયમનિનો પુત્ર-વગેરે યોદ્ધાઓએ,સુભદ્રાપુત્ર અભિમન્યુને ચારે બાજુથી ઘેરી લીધો.તે પાંચ મહારથીઓની સામે એકલા લડતા અભિમન્યુને સર્વ જોઈ રહ્યા.તે પાંચે યોદ્ધાઓમાં,અભિમન્યુ સમાન,લક્ષ્યને વીંધનારો,શૌર્યવાન,પરાક્રમી,અસ્ત્ર વાપરવામાં કુશળ એવો એક પણ નહોતો.અભિમન્યુનું ધનુષ્ય,અનેક પ્રકારનાં યુદ્ધચાતુર્ય ખેલતું,સૂર્યની કાંતિસમાન દેખાતું હતું.તે અભિમન્યુએ અશ્વત્થામાને એક બાણથી,શલ્યને પાંચ બાણોથી વીંધ્યા ને શલરાજાના પુત્રની ધ્વજાને આઠ બાણોથી છેદી નાખી.

Oct 3, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-939

 

અધ્યાય-૬૦-ચોથો દિવસ-ભીષ્મ ને અર્જુનનું દ્વંદ્વયુદ્ધ 


॥ संजय उवाच ॥ वयुष्टां निशां भारत भारतानामनिकिनांप्रमुखे महात्मा ययौ सपतान्प्रतिजातनापो वृतः समरेण बलेन भीष्मः ॥१॥ 

 સંજયે કહ્યું-હે ભારત,તે રાત્રિ વીત્યા પછી,પ્રભાતમાં કોપાયમાન થયેલા મહાત્મા ભીષ્મ,સમગ્ર સૈન્યથી યુક્ત થઈને કૌરવોની સેનામાં મોખરામાં રહીને શત્રુઓની સામે ગયા.ત્યારે તેની પાછળ,દ્રોણાચાર્ય,દુર્યોધન,બાહલીક,દુર્મર્ષણ,ચિત્રસેન એ જયદ્રથ વગેરે રાજાઓ પોતપોતાના સૈન્યો સાથે જવા લાગ્યા.ત્યારે તેમણે સામે કપિરાજના ચિહ્નિત ધ્વજવાળા રથમાં અર્જુને,વ્યાલ નામના વ્યૂહથી રચિત સેનાને જોઈ.પછી,અર્જુન શ્વેત ઘોડાઓથી જોડાયેલા રથમાં બેસીને સૈન્યના અગ્રભાગમાં,શત્રુઓના વધનો સંકલ્પ કરીને આગળ ધસી આવ્યો.રથ પર વિરાજમાન શ્રીકૃષ્ણ અને અર્જુનને જોઈને,તમારા પુત્રો ને તેમના પક્ષના યોદ્ધાઓ ખિન્ન થયા.તેમણે અર્જુનના રક્ષણ તળે ચારે દિશામાં ચારચાર હાથીઓની ગોઠવણી વાળા પાંડવોના સૈન્યને જોયું.

Oct 2, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-938

 

શ્રીકૃષ્ણે પોતાના હાથમાં ઘોડાની લગામ લીધી અને પાંચજન્ય નામનો શંખ વગાડીને તેના નાદથી સર્વ દિશાઓને ગજવી મૂકી.સર્વ સેનામાં સિંહનાદો થવા લાગ્યા.ને ત્યારે અર્જુને ગાંડીવનો ટંકાર કરીને સર્વ દિશામાં તીવ્ર બાણો છોડવા માંડ્યાં.

તે વખતે દુર્યોધન,હાથમાં ધનુષ્ય લઈને,ઘણા વેગપૂર્વક ભીષ્મ અને ભૂરિશ્રવા સાથે અર્જુનની સામે ધસી આવ્યો.

દુર્યોધને ઉગ્ર વેગવાળાં તોમરથી,શલ્યરાજાએ ગદાથી અને ભીષ્મે શક્તિથી અર્જુન પર પ્રહાર કર્યો.કે જેને અર્જુને અધવચ્ચે જ તોડી નાખ્યા ને ગાંડીવથી અનેક બાણો છોડીને દિશાઓને ઢાંકી દીધી.ગાંડીવના ટંકાર માત્રથી દુશ્મન સૈન્યના સૈનિકોના ગાત્રો શિથિલ થઇ જતા હતા.અને કોઈ પણ યોદ્ધો અર્જુન સામે આગળ ધસી શકતો નહોતો.અર્જુને અસંખ્ય-અગણિત યોદ્ધાઓનો સંહાર કરી નાખ્યો ત્યારે તે અને શ્રીકૃષ્ણ આનંદમાં આવી જઈને સિંહનાદો કરવા લાગ્યા.


ત્યાર પછી,કિરણોને સમેટી લેતા સૂર્યને જોઈને,હવે રાત્રિ થવા આવી છે એમ માનીને શસ્ત્રોના પ્રહારથી અત્યંત ઘાયલ થયેલા શરીરવાળા ભીષ્મ,દ્રોણ ને દુર્યોધન આદિએ પોતાની સેનાને છાવણી તરફ પછી વળી.અર્જુન પણ પોતાના શત્રુઓનો પરાજય કરીને,કીર્તિ ને યશ મેળવીને,યુદ્ધ કર્મ સમાપ્ત કરીને,રાત્રિનો સમય થતાં પોતાની છાવણી તરફ પાછો ફર્યો.તે રાત્રિના આરંભમાં કૌરવોની છાવણીમાં તુમુલ કોલાહલ થઇ રહ્યો કે-'આજે તો રણસંગ્રામમાં અર્જુને દશ હજાર રથીઓ,સાતસો હાથીઓ અને અગણિત યોદ્ધાઓને મારીને ઘણું મોટું પરાક્રમ કરી બતાવ્યું છે.કે જે કરવાને બીજો કોઈ યોગ્ય નથી.આજના યુદ્ધમાં તો અર્જુને દ્રોણ,ભીષ્મ,જયદ્રથ,ભૂરિશ્રવા,શલ્ય આદિ અનેક યોદ્ધાઓને જીત્યા છે' આ પ્રમાણે વાતો કરતા કરતા ને અર્જુને ત્રાસ પમાડેલા કૌરવ સેનાના યોદ્ધાઓએ હજારો મશાલોથી પ્રકાશિત પોતપોતાની છાવણીમાં પ્રવેશ કર્યો.(139)

અધ્યાય-59-સમાપ્ત

Sep 27, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-937

 

સાત્યકિએ ભાગતા યોદ્ધાઓને વાર્યા.ત્યારે શ્રીકૃષ્ણ તેને કહેવા લાગ્યા કે-'હે સાત્યકિ,જે યોદ્ધાઓ નાસી જતા હોય તેમને સુખેથી નાસી જવા દે.જે ઉભેલા છે તેમને પણ જવું હોય તો જવા દે.આજે હું પોતે જ ભીષ્મ,દ્રોણનો-સૈન્ય સહીત નાશ કરીશ.કૌરવોમાં કોઈ પણ એવો યોદ્ધો નથી કે જે મારી પાસથી છૂટી શકે.માટે હું પોતે જ સુદર્શન ચક્ર લઈને ભીષ્મના પ્રાણ લઈશ.તેમના મુખ્ય રાજાઓનો પણ હું નાશ કરીશ અને યુધિષ્ઠિરને રાજ્ય આપાવીશ.'આમ કહીને શ્રીકૃષ્ણે ઘોડાઓની લગામ હાથમાંથી છોડી દીધી અને એક હાથે,સુંદર આરાઓ વાળું,સૂર્યસમા કાંતિવાળું,વજ્ર સમાન પ્રભાવવાળું ને તીવ્ર ધારવાળું સુદર્શન ચક્ર હાથમાં લીધું અને ઘણા વેગથી ભીષ્મની સામે દોડ્યા.

Sep 26, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-936

 

ત્યારે શ્રીકૃષ્ણે રથને ભીષ્મ સામે લીધો.ભીષ્મની સામે યુદ્ધ કરવા તત્પર થયેલો જોઈને સૈન્ય પાછું ફર્યું.

પછી સિંહની જેમ ગર્જના કરતા ભીષ્મે,અર્જુનના રથને બાણો વડે ઢાંકી દીધો.શ્રીકૃષ્ણ સહીત તે રથ જરા પણ દેખાતો નહોતો છતાં પણ વાસુદેવે ગભરાયા વિના ઘોડાઓને ભીષ્મ પ્રતિ હંકાર્યા કર્યા.અર્જુને પોતાનું ગાંડીવ હાથમાં લીધું અને તેમાં ત્રણ બાણ સાંધીને ભીષ્મના ધનુષ્યના ત્રણ કકડા કરી નાખ્યા.ભીષ્મે તરત જ બીજું ધનુષ્ય હાથમાં લીધું,કે જેને પણ અર્જુને તોડી નાખ્યું.

અર્જુનની ચતુરાઈના વખાણ કરતા ભીષ્મ કહેવા લાગ્યા કે-'હે અર્જુન,ધન્ય છે તને,હું તારા પર પ્રસન્ન છું આવ,ખુશીથી મારી સાથે યુદ્ધ કર' એમ કહીને ત્રીજું ધનુષ્ય હાથમાં લઈને તેમણે અર્જુનના રથ પર બાણો છોડવા માંડ્યાં .

Sep 25, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-935

 

અધ્યાય-૫૯-ભીષ્મનું ભયંકર યુદ્ધ-ત્રીજો દિવસ પૂર્ણ 


॥ धृतराष्ट्र उवाच ॥ प्रतिज्ञाते ततस्मिन्यद्वे भीष्मेण दारुणे I क्रोधिते मम पुत्रेण दुःखितेन विशेषतः ॥१॥ 

ધૃતરાષ્ટ્રે પૂછ્યું-હે સંજય,વિશેષે કરીને દુઃખી થયેલા મારા પુત્રે,ભીષ્મ પાસે દારુણ યુદ્ધ કરવાની પ્રતિજ્ઞા લેવરાવી 

પછી,તેમણે પાંડવોની સામે કેવીરીતે યુદ્ધ કર્યું?તથા પાંચાલોએ ભીષ્મની સામે કેવી રીતે યુદ્ધ કર્યું?

સંજયે કહ્યું-હે ભારત,તે દિવસનો પ્રથમ ભાગ લગભગ વીતી ગયો હતો ને સૂર્ય પશ્ચિમમાં આવી રહ્યો હતો ને જય મેળવીને પાંડવો હર્ષિત થઇ રહ્યા હતા ત્યારે ભીષ્મ,ચારે બાજુ તમારા પુત્રો વડે રક્ષિત થઈને પાંડવોની સેનામાં ધસી ગયા.અને તુમુલ યુદ્ધ શરુ થયું.સેંકડો ને હજારો તાજાં કપાયેલાં મસ્તકો અને આભૂષણોથી શોભતા બાહુઓ રણભૂમિ પર પડીને તરફડતા હતા.

માંસ અને લોહીરૂપ કાદવવાળી મોટા વેગવાળી લોહીની નદી વહેવા લાગી.

Sep 24, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-934

 

અધ્યાય-૫૮-ભીષ્મ અને દુર્યોધનનો સંવાદ 


॥ संजय उवाच ॥ ततस्ते पार्थिवाः कृद्वाः फ़ाल्गुनं वीक्ष्य संयुगे I रथैरनेकसाहस्त्रैः समंतात्पर्यवारयन्  ॥१॥ 

સંજયે કહ્યું-બધા રાજાઓ સામે અર્જુનને રણસંગ્રામમાં આવેલો જોઈને તે રાજાઓ એકદમ કોપાયમાન થઈને હજારો બાણો છોડીને અર્જુનને આગળ વધતો અટકાવવા લાગ્યા.તે રાજાઓએ અર્જુનના રથ પર દેદીપ્યમાન શક્તિઓ,ગદાઓ,ભાલાઓ,

ફરસીઓ,મુદ્દગરો-આદિ અનેક પ્રકારનાં અસ્ત્રો ફેંકવા માંડ્યાં ત્યારે અર્જુને તે સર્વને પોતાના બાણોથી અટકાવી દીધા.

અર્જુનની ચતુરાઈ જોઈને ત્યાં રહેલા દેવો,દાનવો,ગંધર્વો-આદિ સર્વેએ ધન્યવાદના પોકાર કરીને તેના વખાણ કર્યા.

Sep 23, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-933

 

અધ્યાય-૫૭-ત્રીજો દિવસ-પ્રાતઃકાળનું યુદ્ધ 


॥ संजय उवाच ॥ ततो व्युढेष्वनिकेषु तावकेषु परेषु च I धनन्जयो रथानिकमवधीत्तवभारत ॥१॥ 

સંજયે કહ્યું-હે ભારત,ઉપર પ્રમાણે જયારે બંને પક્ષોના સૈન્યની રચના થઇ ગઈ,ને યુદ્ધ શરુ  થયું ત્યારે અર્જુને તમારા રથીઓનાં સૈન્યને હણવા માંડ્યું.કૌરવો પણ 'મરણ થાય તો પણ પાછા હટવું નહિ'એવો દૃઢ નિશ્ચય કરીને પાંડવો સામે લડવા લાગ્યા ને એકચિત્ત થઈને તેમણે પાંડવોની સેના સામે ધસારો કર્યો ને તેમની સેનામાં ભંગાણ પાડ્યું.પૃથ્વીની રજ એટલી ઊડતી હતી કે તે સૂર્યને પણ ઢાંકી દેતી હતી,દિશાઓ પણ ઓળખાતી નહોતી યોદ્ધાઓ માત્ર ધ્વજ વગેરેના ચિહનથી ને સંકેત ઉપરથી લડી રહ્યા હતા.તેમ છતાં દ્રોણાચાર્યથી રક્ષાયેલો કૌરવોનો વ્યુહ અને ભીમથી રક્ષાયેલો પાંડવોનો વ્યૂહ તૂટી શક્યો નહિ.

Sep 22, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-932

 

અધ્યાય-૫૬-ત્રીજો દિવસ-ગરુડ વ્યૂહ અને અર્ધચંદ્રવ્યૂહ 


॥ संजय उवाच ॥ प्रभातायां च शर्वर्या भीष्मः शान्तनवस्तदा I अनीकान्यनुसंयाने व्यादिदेशाय भारत ॥१॥ 

સંજયે કહ્યું-હે ભારત,જયારે રાત્રી વીતી ગઈ ને સવાર થયું,ત્યારે શાન્તનુકુમાર ભીષ્મે,સર્વ સૈન્યને યુદ્ધને માટે તૈયાર થવાની આજ્ઞા આપી.ભીષ્મે તમારા પુત્રોનો જય થાય તેવું ઇચ્છીને તે દિવસે ગરુડ નામના મોટા વ્યુહની રચના કરી.જેના મુખના સ્થાનમાં તે પોતે જ રહ્યા અને ચક્ષુના સ્થાનમાં દ્રોણાચાર્ય ને કૃતવર્મા રહ્યા.ત્રિગર્ત દેશના,કૈકેય દેશના અને વાટઘાનના યોદ્ધાઓની સાથે અશ્વત્થામા અને કૃપાચાર્ય તેના શિરસ્થાનમાં રહ્યા.ભૂરિશ્રવા,શલ,શલ્ય,ભગદત્ત અને જયદ્રથ એ બધા રાજાઓ એ વ્યુહની ગ્રીવાના સ્થાનમાં રહ્યા.

Sep 21, 2025

Devi-Bhagvat-Gujarati Book-દેવી ભાગવત

This book is for Archive and online reading only-not downloadable

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-931

 

અધ્યાય-૫૫-અભિમન્યુ સામે લક્ષ્મણ-બીજો દિવસ પૂર્ણ 


॥ संजय उवाच ॥ गतगर्वाह्नभूयिष्ठे तस्मिन्नहनि भारत I रथनगाश्चपत्तीनां सानिनांच महाक्षये ॥१॥ 

સંજયે કહ્યું-તે દિવસનો પૂર્વભાગ લગભગ ચાલ્યો ગયો અને રથો,હાથીઓ,ઘોડાઓ,પાળાઓ અને ઘોડેસ્વારોનો મોટો સંહાર થઇ ગયો.પછી,અશ્વત્થામા,શલ્ય અને કૃપાચાર્ય સામે ધૃષ્ટદ્યુમ્ન યુદ્ધ કરવા માટે તૈયાર થયો.ધૃષ્ટદ્યુમ્ને દશ બાણો મારીને અશ્વત્થામાના રથના ઘોડાઓનો નાશ કર્યો એટલે તે એકદમ શલ્યના રથ પર બેસી ગયો.અને ધૃષ્ટદ્યુમ્ન પર બાણોનો વરસાદ વરસાવવા લાગ્યો.તેટલામાં તો તીક્ષ્ણ બાણો છોડતો અભિમન્યુ ત્યાં આવી પહોંચ્યો અને તેણે પચીસ પણોથી શલ્યને,નવ બાણોથી કૃપાચાર્યને અને અઠાવીશ બાણોથી અશ્વત્થામાને વીંધી નાખ્યા.તે સામે તેમણે પણ અભિમન્યુને વીંધ્યો.

Sep 20, 2025

Chandipath-Durga sapt shati-Devi Mahatmya-Audio-and Gujarati book


Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-930

 

પછી,કલિંગસેનાના મોખરા પર રહેલા શ્રુતાયુષને જોઈ ભીમ તેની સામે ધસ્યો ત્યારે,કલિંગરાજાએ તેના પર બાણો વડે પ્રહાર કર્યો.ક્રોધાયમાન ભીમ 'ઉભો રહે' કહી તેની સામે ધસ્યો.એ વેળાએ ભીમનો સારથી રથ લઈને આવી પહોંચ્યો ને તેને રથમાં બેસાડ્યો.ત્યારે ભીમસેને,સાત બાણોનો પ્રહાર કરીને કલિંગરાજને હણી નાખ્યો ને બે ક્ષુર નામનાં બાણો મારીને કલિંગરાજના રક્ષણ કરનારા સત્યદેવ અને સત્યને મારી નાખ્યા.વળી,નારાચ નામના ત્રણ તીક્ષ્ણ બાણ છોડીને કેતુમાનને પણ યમપુરીમાં વળાવી દીધો.કલિંગના ક્ષત્રિયોએ ભીમની સામે ધસારો કર્યો ત્યારે તેમના શસ્ત્રોનું વારણ કરીને ભીમે ગદા હાથમાં લીધી ને એકદમ આગળ ધસી જઈને બે હજાર યોદ્ધાઓને ને ઘણા કલિંગસૈન્યને મૃત્યુલોકમાં વિદાય કરી દીધા.આ ઘણું નવાઈ જેવું બન્યું.આખું સૈન્ય ભીમસેનના ભયથી ખળભળી ઉઠ્યું.