ભગવાન બ્રાહ્મણનું રૂપ ધરી એકનાથને ત્યાં આવ્યા છે.
Page list
- Home
- INDEX
- Pusatakalaya-Library-Gujarati Book
- Gita
- Gyaneshvari Gita
- Ramayan-Rahasya
- Ram Charit Manas
- Shrimad Bhagvat-Gujarati-As It Is
- Bhagvat Rahsya-Gujarati-ભાગવત રહસ્ય
- Yog-Vaasishth
- RajYog
- Mahabharat
- Darshan Shastro
- Veda
- Santo(Saints)
- Upnishads
- stotro
- Puran
- Yoga Shastro-Darshan-Shastro-Brahma Sutra
- Kunlini Chakro
- Shankaracharya Books
- Vishnu Sahastra Naam & Namavali
- Hindi Section-Sivohm
- Interesting Video
- Contact
Jun 15, 2026
ભાગવત રહસ્ય-૧૬૯-Bhgavat Rahasya-169
ભગવાન બ્રાહ્મણનું રૂપ ધરી એકનાથને ત્યાં આવ્યા છે.
Home Page
Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-1151
અધ્યાય-૧૫૪-રાત્રિયુદ્ધની ભયંકરતા
II धृतराष्ट्र उवाच II यत्तदा प्राविशत्पांडुनाचार्यः कुपितो बली I उक्त्वा दुर्योधनं मंदं मम शास्त्रातिगं सुतम् II १ II
ધૃતરાષ્ટ્ર બોલ્યા-જયારે કોપેલ બળવાન આચાર્ય,શાસ્ત્રોનું ઉલ્લંઘન કરનારા મારા મંદબુદ્ધિ પુત્ર દુર્યોધનને કેટલાંક હિતવચનો કહીને સૈન્યમાં દાખલ થઈને સૈન્યમાં ઘૂમવા લાગ્યા ત્યારે પાંડવોએ તે મહાધનુર્ધરને કેવી રીતે અટકાવ્યા હતા? તે વખતે દ્રોણના જમણા ને ડાબા ચક્રનું તથા પૃષ્ઠ ભાગનું કોણ રક્ષણ કરતા હતા? કયા રથીઓ તેમની સામે થયા હતા? કોપાયમાન દ્રોણ પાંચાલોની સેનાનો સંહાર કરી રહ્યા હતા એમ છતાં તે મૃત્યુ કેમ પામ્યા ?
Jun 4, 2026
ભાગવત રહસ્ય-૧૬૮-Bhgavat Rahasya-168
Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-1150
ઘટોત્કચ-વધ પર્વ
અધ્યાય-૧૫૩-ચૌદમો દિવસ-યુધિષ્ઠિરથી દુર્યોધનનો પરાજય
II संजय उवाच II तदुदीर्ण गजानीकं बलं तव जनाधिप I पांडुसेनामतिक्रम्य योधयामास सर्वतः II १ II
સંજય બોલ્યો-હે ધૃતરાષ્ટ્રરાજ,તે સમયે પ્રથમ હાથીઓનું સૈન્ય એકદમ ધસી આવ્યું અને ચોતરફથી યુદ્ધ કરવા મંડી પડ્યું.પાંચાલો ને કુરુઓ યમરાજના રાજ્યમાં મોટો વધારો કરવા માટે પરસ્પર યુદ્ધ કરવા લાગ્યા અને પરલોકમાં પ્રયાણ કરવા માટે દીક્ષા લઇ બેઠા.શૂરાઓ શૂરાઓ સામે ભેટીને બાણ,તોમર,શકિતઓથી અન્યોન્યને વીંધવા લાગ્યા,ને એકબીજાને યમસદન મોકલી દેવા લાગ્યા.દારુણ રુધિરસ્ત્રાવ થતો હતો.ત્યારે 'હવે તો મરવું જ' એવો વિચાર કરીને દુર્યોધન તે સૈન્યમાં દાખલ થયો ને સર્વ દિશાઓને ગજાવી મૂકતો તે પાંડવોની સેના સામે ચઢી આવ્યો,ને મહાવિનાશનો સમય ચાલુ થયો.
Jun 3, 2026
ભાગવત રહસ્ય-૧૬૭-Bhgavat Rahasya-167
જ્ઞાની કહે છે-કે-જે દેખાય છે (દૃશ્ય-સંસાર) તેની સાથે પ્રેમ કરીશ નહિ,પણ દ્રષ્ટા –પરમાત્મામાં જ પ્રેમ કર.ઈશ્વર એ દ્રષ્ટા છે-તે દૃશ્ય નથી. ઈશ્વરમાં દ્રશ્યત્વનો આરોપ માયાથી થાય છે.જે સર્વનો દ્રષ્ટા-સાક્ષી છે-તેને જાણવો સહેલો તો નથી જ. જેને પૂર્ણ વૈરાગ્ય નથી તેને આ “જ્ઞાન”નો અનુભવ થવો અઘરો છે.માટે આપણા જેવા માટે ભક્તિ માર્ગ સારો છે. જે બધું દેખાય છે-તે સર્વ ઈશ્વરમય છે.
Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-1149
અધ્યાય-૧૫૨-પુનઃ યુદ્ધારંભ
II संजय उवाच II ततो द्दुर्योधनो राजा द्रोणेनेयं प्रचोदित I अमर्षवर्षवशमापश्वो युद्धावैव मनोदधे II १ II
સંજય બોલ્યો-દ્રોણની આ પ્રમાણે આજ્ઞા થતાં,રાજા દુર્યોધને ક્રોધવશ થઈને યુદ્ધ કરવાનું જ મન કર્યું ને કર્ણ પાસે જઈને તેને કહેવા લાગ્યો કે-'અરે ઓ કર્ણ,જરા જો તો ખરો,અર્જુને અશક્ય એવા દ્રોણના વ્યુહને તોડીને,અનેક યોદ્ધાઓનો સંહાર કરીને જયદ્રથને મારી નાખ્યો.એ અર્જુને મારુ થોડુંક જ સૈન્ય બાકી રહેવા દીધું છે.હે વીર,જો દ્રોણાચાર્યની ઈચ્છા હોય તો જ તેમના દુર્ભેદ્ય વ્યુહને તોડીને અર્જુન આગળ વધી શક્યો હતો.
Jun 2, 2026
ભાગવત રહસ્ય-૧૬૬-Bhgavat Rahasya-166
Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-1148
અધ્યાય-૧૫૧-દ્રોણાચાર્યનાં વચનો
II धृतराष्ट्र उवाच II सिन्धुराजे हते तात समरे सव्यसाचिना I तथैव भूरिश्रवसि किमासीद वो मनस्तदा II १ II
ધૃતરાષ્ટ્ર બોલ્યા-'હે તાત,એ રણમાં અર્જુને જયારે સિંધુરાજને મારી નાખ્યો ને ભૂરિશ્રવાનું મરણ થયું ત્યારે તારા મનમાં શું થયું હતું?વળી,દુર્યોધને દ્રોણાચાર્યને જયારે એ રીતે કહ્યું હતું,ત્યારે તેમણે તેને શું કહ્યું હતું? તે તું મને કહે.'
સંજય બોલ્યો-'હે ભારત,સિંધુરાજ અને ભૂરિશ્રવાને મરણ પામેલા જોઈને તમારા સૈન્યમાં મહાન ગભરાટનો કોલાહલ થઇ રહ્યો હતો.સર્વ સૈનિકો તમારા પુત્રના વિચારોની અવગણના કરવા લાગ્યા હતા,કારણકે તેના ભ્રષ્ટ વિચારના પરિણામે જ મોટા મોટા ક્ષત્રિયોનો સંહાર વળી ગયો હતો.વળી,તમારા એ પુત્રનાં વચનો સાંભળીને દ્રોણાચાર્યનું મન ઘણું જ દુભાયું હતું.ને ઘણી જ વ્યથા પામ્યા હતા છતાં,એક મુહૂર્ત વિચાર કરીને તે બોલ્યા હતા કે-
Jun 1, 2026
ભાગવત રહસ્ય-૧૬૫-Bhgavat Rahasya-165
એક મહાત્માના બે શિષ્યો.બન્ને ખુબ ભણેલા.કથા વાર્તા પણ કરતા.મહાત્માનો અંત સમય આવ્યો. મહાત્મા એ વિચાર્યું-કે –ગાદી કોને આપું ?મહાત્માએ બે ફળ મંગાવ્યા. અને બન્ને શિષ્યોને બોલાવી –બન્નેને એકએક ફળ આપ્યું.અને કહ્યું-એવી જગ્યાએ આ ફળ ખાજો કે કોઈ તમને ફળ ખાતાં જુએ નહિ.
Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-1147
અધ્યાય-૧૫૦-દુર્યોધનનો પશ્ચાતાપ
II संजय उवाच II सिन्धवे निहते राजन पुत्रम्तव सुयोधनः I अश्रुपुर्णमुखो दीनो निरुत्साहो द्विप्ज्जये II १ II
સંજય બોલ્યો-હે રાજન,સિંધુરાજનું મરણ થતાં તમારો પુત્ર દુર્યોધન અશ્રુપૂર્ણ મુખવાળો,દીન અને શત્રુઓને પરાજય કરવામાં તદ્દન નિરુત્સાહ બની ગયો હતો.તેનું મન અતિ ઉદાસ થઇ ગયું.તે સર્પની જેમ નિશ્વાસ મુકતો હતો.તમારો એ પુત્ર લોકોનો અપરાધી થઈને પરમ દુઃખમાં આવી પડ્યો હતો.અર્જુન,ભીમ અને સાત્યકિએ કરેલા પોતાના સૈન્યના મહાઘોર સંહારને જોઈને તેના શરીરનો વર્ણ ફીક્કો પડી ગયો હતો,શરીર કૃશ થઇ ગયું હતું ને નેત્રો અશ્રુથી ભરાઈ ગયા હતાં.હે રાજન,આખરે તેને માનવું પડ્યું કે અર્જુન સરખો બીજો કોઈ યોદ્ધો નથી.અર્જુનની સામે ટકવાને દ્રોણ,કૃપ,અશ્વત્થામા કે કર્ણ પણ સમર્થ નથી.
May 31, 2026
ભાગવત રહસ્ય-૧૬૪-Bhgavat Rahasya-164
પરમાત્માને પ્રસન્ન કરવા માટે શુદ્ધ પ્રેમ જ મહત્વનો છે. જ્ઞાન વગેરેની મહત્તા ઓછી છે.શબ્દ-જ્ઞાનની બહુ જરૂર નથી.અનેકવાર એવું પણ બને કે શબ્દ-જ્ઞાન પ્રભુનું ભજન કરવામાં વિઘ્ન-રૂપ થાય. પ્રેમભક્તિ વગરનું જ્ઞાન નકામું છે.હિરણ્યકશિપુ જેવા માટે ભગવાન ભયંકર અને કઠોર છે-પ્રહલાદ જેવા માટે તે કમળ જેવા કોમળ છે.
એટલે જ -વિષ્ણુસહસ્ત્રનામમાં –પણ ભગવાનને ભયરૂપ,ભયકારક અને સાથે સાથે ભયનો નાશ કરનાર પણ કહ્યા છે.
Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-1146
અધ્યાય-૧૪૯-યુધિષ્ઠિરનો આનંદ
II संजय उवाच II ततो राजानमभ्येत्य धर्मपुत्र युधिष्ठिरम् I वयंदे स प्रह्रष्टात्मा हते पार्थेन सैन्धवे II १ II
સંજય બોલ્યો-આમ અર્જુને સિંધુરાજનો વધ કર્યો,તે પછી,મનમાં આનંદ પામેલા શ્રીકૃષ્ણ ધર્મપુત્ર યુધિષ્ઠિર પાસે આવ્યા ને તેમને વંદન કરીને બોલ્યા કે-'હે રાજેન્દ્ર,હું તમને સુદૈવની વધામણી આપું છું કે આપણો શત્રુ રાજા જયદ્રથ મરાયો છે.અર્જુન પ્રતિજ્ઞાને તરી ગયો છે એ આપણું અહોભાગ્ય છે' આ સાંભળી યુધિષ્ઠિર હર્ષમાં આવી ગયા અને શ્રીકૃષ્ણ અને અર્જુનને ભેટી પડ્યા અને શ્રીકૃષ્ણ અને અર્જુનને કહેવા લાગ્યા કે-'હે શ્રીકૃષ્ણ,તમારી પાસેથી આ પ્રિય વધામણી સાંભળી મને એટલો બધો હર્ષ થાય છે કે તે હર્ષના પારને હું પામી શકતો નથી.અર્જુને આ અદભુત કર્મ કર્યું છે.
May 30, 2026
Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-1145
અધ્યાય-૧૪૮-શ્રીકૃષ્ણે અર્જુનની કરેલી પ્રશંસા
II धृतराष्ट्र उवाच II तथा गतेषु शूरेषु तेषां मम च संजय I किं चै भीमस्तदाकार्पित्तन्ममाचक्ष्य संजय II १ II
ધૃતરાષ્ટ્ર બોલ્યા-હે સંજય,પાંડવ ને મારા પક્ષના સર્વ શૂરા યોદ્ધાઓ,જયારે જય-પરાજયના
વાતાવરણમાં આવી પહોંચ્યા હતા ત્યારે વીર ભીમસેને શું કર્યું હતું?તે તું મને કહે.
સંજય બોલ્યો-તે સમયે રથરહિત થયેલો ભીમ,કર્ણના વાણીરૂપ વિષથી ક્રોધવશ થઇ ગયો હતો ને તેણે અર્જુનને કહ્યું હતું કે-'હે ધનંજય,તારી સમક્ષ કર્ણે મને,'હે મૂઢ,હે ખાઉધરા,દાઢીમૂછ વિનાના,અકુશળ,બાળક,રણકાયર ને યુદ્ધ કરવાનું રહેવા દે' વગેરે વિષ વચનો કહ્યાં છે.'આમ બોલનારને મારે મારી જ નાખવો' એવું મેં પ્રથમથી જ કહ્યું છે.પણ,કર્ણનો વધ કરવાની તારી પ્રતિજ્ઞા છે તેને ધ્યાનમાં રાખીને મેં તેનો વધ કર્યો નથી.તો હવે તારી પ્રતિજ્ઞા સત્ય કરી બતાવ.'
May 29, 2026
ભાગવત રહસ્ય-૧૬૨-Bhgavat Rahasya-162
પ્રહલાદ કહે છે-કે-એક જ પરમાત્મા સર્વમાં રહેલા છે તેવી દૃષ્ટિ કેળવો.આ માટે તમે તમારા દૈત્ય-પણાનો તેમજ આસુરી-ભાવનો ત્યાગ કરી સર્વ પ્રાણીઓ ઉપર દયા કરો.પ્રેમથી ભલાઈ કરો.આથી ભગવાન પ્રસન્ન થાય છે.ભગવાન જયારે કૃપા કરે છે-ત્યારે મનુષ્યોની પાશવી બુદ્ધિ નષ્ટ થાય છે.ભગવાનને પ્રસન્ન કરવાની બીજું સાધન છે-કિર્તન. પરમાત્માનું નામ એ જ બ્રહ્મ છે.માટે નામનું કિર્તન કરો.
Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-1144
અધ્યાય-૧૪૭-કર્ણ અને સાત્યકિનું યુદ્ધ
II धृतराष्ट्र उवाच II तस्मिन्न विनिहते विरे सैन्धवे सव्यसाचिना I मामक यदकुर्वन्त तन्ममाचक्ष्य संजय II १ II
ધૃતરાષ્ટ્ર બોલ્યા-હે સંજય,સવ્યસાચી અર્જુને જયારે વીર સિંધુરાજને મારી નાખ્યો પછી મારા પુત્રોએ શું કર્યું?તે તું મને કહે.
સંજય બોલ્યો-હે ભારત,સિંધુરાજને અર્જુને રણમાં મારી નાખેલો જોઈને કૃપાચાર્યે ક્રોધવશ થઈને અર્જુન પર મોટી બાણવૃષ્ટિ કરી.તે વખતે અશ્વત્થામા પણ અર્જુન સામે ધસી આવ્યો.તે બંને અર્જુનને પીડવા લાગ્યા હતા છતાં અર્જુને પોતાના ગુરુને ને ગુરુપુત્રને મારવાની ઈચ્છા ન કરી પરંતુ એ યુદ્ધમાં ગુરુનું સન્માન કરીને મંદ વેગવાળાં બાણો જ ફેંક્યા હતાં ને તે બાણોના પ્રહારથી કૃપાચાર્યને મૂર્છા આવી ગઈ ને તેઓ રથની બેસણી પર બેસી ગયા.
May 28, 2026
ભાગવત રહસ્ય-૧૬૧-Bhgavat Rahasya-161
Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-1143
અધ્યાય-૧૪૬-જયદ્રથનો વધ
II संजय उवाच II श्रुत्वा निनादं धनुषश्व तस्य विष्पष्टमुत्कृष्टभिवान्तकस्य I शक्राशनिस्फ़ोटसमं सुघोरं विकृष्णमाणस्य धनंजयेन II १ II
સંજય બોલ્યો-અર્જુને જયારે પોતાના ધનુષ્યને ખેંચ્યું હતું,ત્યારે તેનો ટંકારાવ,કાળની સ્પષ્ટ ગર્જના સરખો તથા ઇન્દ્રના વજ્રના સ્ફોટ સમો અતિઘોર સંભળાયો હતો.હે રાજન,ત્યારે તમારું સૈન્ય ત્રાસથી ઉદ્વિગ્ન થઇ ગયું હતું.એ સમયે અર્જુન સર્વ દિશાઓમાં એકી સાથે સર્વ અસ્ત્રોનો પ્રયોગ કરી દેખાડતો હતો.ને રણમાં ઘૂમતો હતો.પછી,તેણે એકદમ ક્રોધે ભરાઈને દુરાસદ ઐન્દ્રાસ્ત્ર પ્રગટ કર્યું.એટલે તરત જ ત્યાં દિવ્ય અસ્ત્રોથી મંત્રેલાં સેંકડો બાણો પ્રગટ થવા લાગ્યાં.અર્જુન સામે જે જે યોદ્ધાઓ આવતા હતા તેઓ સર્વે બળબળતા અગ્નિ સામે જતા પતંગિયાંની જેમ નાશ પામતા હતા.એ વેળા સંગ્રામમાં અર્જુને ચાલુ કરેલા મહાસ્ત્રોના અતિ દુસ્તર અને મહાઘોર પ્રવાહમાં મોટામોટા યોદ્ધાઓ ડૂબી મરતા હતા.એ મહાન સમરાંગણ મૃત્યુની સંહારભૂમિ જેવું જણાતું હતું.મૂર્તિમાન કાળની જેમ રણમાં ઘૂમી રહેલા એ અર્જુનના પરાક્રમને જોઈને,કૌરવો પૂર્વે કદી નહિ જોયેલા એવા મોટા ભયમાં આવી પડ્યા.સર્વે મહારથીઓનું ઉલ્લંઘન કરીને તે જયદ્રથની સામે પહોંચી ગયો ને ચોસઠ બાણો મારીને તેને વીંધી નાખ્યો.અર્જુનને જયદ્રથ સામે આવેલો જોઈને યોદ્ધાઓ પોતાના જીવિતને માટે,નિરાશ થઇ રણમાંથી નિવૃત્ત થઇ ગયા.
May 26, 2026
ભાગવત રહસ્ય-૧૬૦-Bhgavat Rahasya-160
પતિના પર પત્નીનો અધિક પ્રેમ હોય છે,તે પતિની કામના પૂર્ણ કરવા માટે નહિ પણ પોતાની કામના પૂરી કરવા માટે હોય છે,પતિને પત્ની અધિક પ્રિય લાગે છે, પણ તે પત્નીની કામના પૂર્ણ કરવા માટે નહિ,પણ પોતાની કામના પૂર્ણ કરવા માટે હોય છે.

















