May 24, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-826

 

અધ્યાય-૧૭૨-પાંડવોના રથી-અતિરથી (ચાલુ)


II भीष्म उवाच II रोचमानो महाराज पांडवाना महारथः I योत्स्यते भरव्त्संख्ये परसैन्येषु भारत II १ II

ભીષ્મે કહ્યું-હે ભારત,પાંડવોના પક્ષમાં રોચમાન રાજા મહારથી છે.ભીમસેનનો મામો પુરુજિત મહાબળવાન છે ને તેને હું અતિરથી માનું છું.ભીમસેનનો હિડિમ્બામાં ઉત્પન્ન થયેલો માયાવી ઘટોત્કચ અતિરથી છે.બીજા અનેક દેશના રાજાઓ પાંડવોને માટે એકત્રિત થયા છે તેમાં આ મુખ્ય મુખ્ય રથી-અતિરથી ને અર્ધ રથીઓ તને મેં કહ્યા.અર્જુને રક્ષણ કરેલી આ ભયંકર સેના સંગ્રામમાં આવશે તેની સામે રણમાં જયની અથવા મૃત્યુની આકાંક્ષા રાખતો હું તે રાજાઓની સામે યુદ્ધ કરીશ,

May 23, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-825

 

અધ્યાય-૧૭૧-પાંડવોના રથી-અતિરથી (ચાલુ)


II भीष्म उवाच II पंचालराजस्य सुतो राजनार पुरंजयः I शिखण्डी रथमुख्यो मे मतः पार्थस्य भारत II १ II

ભીષ્મે કહ્યું-હે ભારતરાજ,પાંડવોના પક્ષમાં પાંચાલરાજના પુત્ર શિખંડીને હું મુખ્ય રથી માનું છું.એ શિખંડી પોતાનો પ્રાચીન સ્ત્રીભાવ ત્યજીને,અર્થાંત પુરુષાર્થ દેખાડીને,સંગ્રામમાં ઉત્તમ યશનો વિસ્તાર કરતો તારી સેના સાથે યુદ્ધ કરશે.

દ્રોણનો મહારથી શિષ્ય અને પાંડવ સેનાનો સેનાપતિ ધૃષ્ટદ્યુમ્ન અતિરથી છે,એમ હું માનું છું.એની રથસેના,દેવોની રથસેના જેવડી મોટી અને સાગર સમાન છે.યુદ્ધમાં તે શત્રુઓનો સંહાર વાળશે.ધૃષ્ટદ્યુમ્નના પુત્ર ક્ષત્રધર્માને હું અર્ધરથી માનું છું,કારણકે તેણે બાલ્યાવસ્થાને લીધે યુદ્ધકળામાં બહુ પરિશ્રમ કર્યો નથી.

May 22, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-824

 

અધ્યાય-૧૬૯-પાંડવોના રથીઓ અને અતિરથીઓ 


II भीष्म उवाच II एते रथास्तवाख्यातास्तथैवातिरथा नृप I ये चाप्यर्द्वरथा राजन पांडवानामतः शृणु II १ II

ભીષ્મે કહ્યું-હે દુર્યોધન,તારા રથીઓ,અતિરથીઓ ને અર્ધરથીઓ મેં તને કહ્યા હવે તું પાંડવોના રથી વગેરેને સાંભળ.

યુધિષ્ઠિર ઉત્તમ રથી છે ને સંગ્રામમાં અગ્નિની જેમ ફરી વળશે,એમાં સંદેહ નથી.ભીમસેન આઠગણો રથી છે,ગદાયુદ્ધ અને બાણયુદ્ધમાં તેના સમાન કોઈ નથી.તે દશ હજાર હાથીનું બળ ધરાવે છે.બંને માદ્રીપુત્રો રથી છે.પૂર્વનાં દુઃખો સંભારીને તે પાંડવો રુદ્રની જેમ સંહાર કરતા રણમાં ઘૂમશે તેમાં મને સંદેહ લાગતો નથી.

May 21, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-823

 

અધ્યાય-૧૬૮-અતિરથીની ગણનામાં ભીષ્મ ને કર્ણનો વિવાદ 


II भीष्म उवाच II अचलो वृषकश्वैव सहितौ भ्रात्ररावुभौ I रथौ तव दुराधार्षौ शत्रुन्विध्वंसयिश्यतः II १ II

ભીષ્મે કહ્યું-હે દુર્યોધન,મહાપરાક્રમી અને ગાંધારોમાં મુખ્ય અચલ તથા વૃષક નામના બે જોડીદાર ભાઈઓ રથીઓ છે.

હવે તારો મિત્ર,મંત્રી,ને વહાલો સૂર્યપુત્ર કર્ણ,કઠોર,આત્મશ્લાઘી,અત્યંત ચઢાઉ,રણમાં નિત્ય તીક્ષ્ણ,અભિમાની અને નીચ છે અને તને પાંડવોની સાથે નિત્ય વૈર કરવામાં ઉત્તેજન આપ્યા કરે છે,તે કર્ણ રથી કે અતિરથી નથી,કેમ કે નિત્ય નિંદક તથા મૂર્ખ તે જન્મસિદ્ધ કવચ ને કુંડળોથી રહિત થયો છે.પરશુરામના શાપને લીધે અને કવચ-કુંડળ રહિત થવાને લીધે હું તેને અર્ધરથી માનું છું.અર્જુનની સામે રણમાં જતા તે પાછો જીવતો છૂટશે નહિ.(7)

May 20, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-822

 

અધ્યાય-૧૬૬-રથી-અતિરથીની ગણના 


II भीष्म उवाच II सुदक्षिणस्तु काम्बोजो रथ एकगुणो मतः I तवार्थसिध्धिमाकांक्ष्न्योत्स्यते समरे परैः II १ II

ભીષ્મે કહ્યું-કામ્બોજરાજ સુદક્ષિણ એકગણો રથી મનાય છે,માહિષ્મતીવાસી નીલરાજા રથી છે,કે જેને સહદેવની સાથે વૈર થયેલું છે,એ તારે માટે સતત યુદ્ધ કરશે.અવંતીરાજ વિંદ અને અતિવિન્દ રથીઓમાં શ્રેષ્ઠ ગણાય છે.ત્રિગર્ત દેશના અધિપતિ પાંચ બંધુઓ ઉત્તમ રથીઓ છે.તારો પુત્ર લક્ષ્મણ અને દુઃશાસનનો પુત્ર એ બંને ઉત્તમ રથીઓ  છે.કે જેઓ મહાન કર્મ કરશે.

May 19, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-821

 

રથાતિરથ સંખ્યાન પર્વ 

અધ્યાય-૧૬૫-ભીષ્મે દુર્યોધનને ધીરજ આપી 


II धृतराष्ट्र उवाच II प्रतिज्ञाते फ़ाल्गुनेन वधे भीष्मस्य संयुगे I किमकुर्वत मे मंदाः पुत्रा दुर्योधनादयः II १ II

ધૃતરાષ્ટ્રે પૂછ્યું-અર્જુને સંગ્રામમાં ભીષ્મને મારવાની પ્રતિજ્ઞા કરી,પછી મારા દુર્યોધન આદિ મૂર્ખ પુત્રોએ શું કર્યું? હું તો વાસુદેવની સહાયતાવાળા અર્જુને,સંગ્રામમાં ભીષ્મને મારી નાખ્યા હોય તેમ જ જોઉં છું.ભીષ્મે અર્જુનનું ભાષણ સાંભળીને શું કહ્યું?અને સેનાપતિપદ ગ્રહણ કર્યા પછી ભીષ્મે શું કર્યું?તે સર્વ મને કહે.

May 18, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-820

 

અધ્યાય-૧૬૪-સેનાપતિની યોજના 


II संजय उवाच II उलूकस्य वचः श्रुत्वा कुन्तीपुत्रो युधिष्ठिरः I सेनां निर्यापमासाय धृष्टध्युम्नपुरोगमाम II १ II

સંજયે કહ્યું-ઉલૂકનું કહેવું સાંભળ્યા પછી,કુંતીપુત્ર યુધિષ્ઠિરે,ધૃષ્ટદ્યુમ્નની આગેવાની હેઠળ,હાથી,ઘોડા,રથ અને પાળાવાળી ચતુરંગિણી,ભયંકર અને પૃથ્વીના જેવી અકંપ્ય સેનાને રણભૂમિ તરફ રવાના કરી.અર્જુન સહિત ભીમસેન વગેરે તે સેનાનું રક્ષણ કરતા હતા.તે સેના,નિશ્ચળ સમુદ્રના જેવી ગંભીર દેખાતી હતી.ધૃષ્ટદ્યુમ્ન આગળ રહીને તે સેનાને દોરતો હતો.તેણે પોતાના રથીઓનાં બળાબળનો તથા યુદ્ધોત્સાહનો વિચાર કરીને,તેઓની દ્વંદ્વ યુદ્ધમાં યોજના કરતાં કહ્યું કે-

May 17, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-819

 

અધ્યાય-૧૬૩-ઉલૂક દુર્યોધન પાસે આવ્યો 


II संजय उवाच II दुर्योधनस्य तद्वाक्यं निशम्य भरतर्षंम I नेत्राभ्यामति ताम्राभ्यां कैतव्यं समुदैक्षत  II १ II

સંજયે કહ્યું-હે ભરતશ્રેષ્ઠ ધૃતરાષ્ટ્ર,અર્જુન,દુર્યોધનનાં વચન સાંભળીને અત્યંત લાલ નેત્રથી ઉલૂક તરફ જોવા લાગ્યો અને પછી,કેશવ તરફ દ્રષ્ટિ કરી,પોતાનો વિશાલ બહુ ઊંચો કરીને ઉલૂકને કહેવા લાગ્યો કે-જે મનુષ્ય,પોતાના બળનો આશ્રય કરીને શત્રુને યુદ્ધ માટે બોલાવે હે અને નિર્ભય થઈને શત્રુ સાથે યુદ્ધ કરે છે તે જ પુરુષ કહેવાય છે.હે દુર્યોધન,તું પારકાના બળ વડે પોતાને બળવાન માને છે અને પોતે કાયર હોવા છતાં બીજાઓને ધિક્કારવા ઈચ્છે છે.સર્વ રાજાઓમાં વૃદ્ધ,બુદ્ધિમાન,જિતેન્દ્રિય અને મહાજ્ઞાની ભીષ્મને મરણની દીક્ષા આપીને,તું મિથ્યા બડાઈ શા માટે મારે છે?


ઓ કુળને કલંક લગાડનારા દુર્બુદ્ધિમાન,અમે તારો અભિપ્રાય સમજી ગયા છીએ.પાંડવો દયાને લીધે ભીષ્મને મારશે નહિ,એમ સમજીને તું જેમના બળ પર આધાર રાખે છે,તે ભીષ્મને હું સર્વ ધનુર્ધારીઓના દેખતાં જ પ્રથમ મારીશ.આવતી કાલે સવારે સંગ્રામ શરુ થશે.ભીષ્મના,'અમારી સેનાના સંહારના' વચન પરથી તું માને છે કે 'મને સંપૂર્ણ રાજ્ય મળ્યું છે ને પાંડવો આપત્તિમાં છે' પણ તું પોતાના પર ઝઝૂમી રહેલા અનર્થને જોતો નથી,હું ભીષ્મનો તારા દેખતાં જ વધ કરીશ.માટે તેમનું રક્ષણ કરજો.

ભીમે કરેલી પ્રતિજ્ઞાને પણ તું થોડા સમયમાં જ સત્ય થયેલી જાણીશ.તારા અભિમાન અને અપરાધનું ફળ તું થોડા સમયમાં જ જોઇશ.ને તું જયારે ભાઈઓ,પુત્રો સાથે,ભીમસેનની ગદાથી હણાઈ પડીશ,ત્યારે જ તું તારા દુષ્કૃત્યોને સંભારીશ.(23)


પછી,યુધિષ્ઠિરે કહ્યું-હે ઉલૂક,તેને કહેજે કે-તારે પોતાના આચરણ ઉપરથી મારા આચરણનો ન્યાય કરવો યોગ્ય નથી,હું સત્ય અને અસત્ય એ બંનેના અંતરને જાણું છું.હું કીડીઓનું પણ અનિષ્ટ ન ઈચ્છું તો સંબંધીઓના વધની ઈચ્છા કેમ કરું?મારે તારું પ્રાણસંકટ જોવું ન પડે તે ઈચ્છાથી જ મેં તારી પાસે પાંચ ગામોની માગણી કરી હતી.પણ તારું અંતઃકરણ કામનાઓથી ભરેલું છે,તેથી તું કેશવનાં વચનોને પણ ગ્રહણ કરતો  નથી.તારું કહેવું અમે સાંભળ્યું,તારા મત પ્રમાણે ભલે થાઓ.


ભીમસેને કહ્યું-'હે ઉલૂક ,તે પાપીને કહેજે કે-હવે કાં તો હસ્તિનાપુરમાં વાસ કરવો કે મરીને ગીધના પેટમાં વાસ કરવો-એજ નિર્ણય છે.સભામાં મેં જે પ્રતિજ્ઞા કરી હતી,તેને હું સત્ય કરીશ.દુઃશાસનનું રુધિર પીશ ને તારી સાથળો ભાગી નાખી તારા બંધુઓને મારીશ.હું ધૃતરાષ્ટ્ર પુત્રોનો કાળ છું ને અભિમન્યુ સર્વ રાજપુત્રોનો કાળ છે એમાં સંદેહ નથી.'

નકુલે કહ્યું-હે ઉલૂક,તેને કહેજે કે તેં જે પ્રમાણે મને ઉપદેશ કર્યો છે તે પ્રમાણે જ હું કરીશ'

સહદેવે કહ્યું-તેને કહેજે કે-તારી જે માન્યતા છે તે છેવટે નિષ્ફળ થશે,તારે પુત્ર,સંબંધીઓ ને બાંધવો માટે શોક કરવો પડશે'


વિરાટે અને દ્રુપદે કહ્યું-અમે સત્પુરુષોના દાસ થઈએ એવી અમારી નિત્ય બુદ્ધિ છે.

અમે દાસ છીએ કે પ્રભુ છીએ અને તારો પુરુષાર્થ કેવો છે તે અમે કાલે સવારે જોઈશું.

શિખંડીએ કહ્યું-તેને કહેજે કે-તું સંગ્રામમાં મને દારુણ કર્મ કરતો જોઇશ.ભીષ્મને હું રથમાંથી ઉથલાવી પાડીશ.

વિધાતાએ મને ભીષ્મના વધ માટે જ ઉત્પન્ન કર્યો છે,માટે હું સર્વના દેખતાં તે ભીષ્મનો નાશ કરીશ.

ધૃષ્ટદ્યુમ્ને કહ્યું-તેને કહેજે કે-હું સેનાગણ અને બાંધવોની સાથે દ્રોણને મારીશ.રણમાં મારા જેવું કર્મ બીજો કોઈ કરશે નહિ.


છેવટે,યુધિષ્ઠિરે કહ્યું કે-'તેને કહેજે કે-હું કોઈ પણ રીતે જ્ઞાતિવધની ઈચ્છા રાખતો નથી પણ,આ સર્વ તારા દોષને લીધે જ થાય છે.હે ઉલૂક,હવે તારી ઈચ્છા હોય તો તું સત્વરે અહીંથી ચાલ્યો જા કે અહીં રહે.અમે પણ તારા બાંધવો છીએ.'

તે પછી,ઉલૂક યુધિષ્ઠિરની આજ્ઞા લઈને દુર્યોધન પાસે ગયો અને તેને સર્વ લોકોએ કહેલા સંદેશ કહ્યા.ત્યારે દુર્યોધને કર્ણ,શકુનિ અને દુઃશાસનને કહ્યું કે-'તમે રાજાઓના સૈન્યને આજ્ઞા કરો કે-કાલે સૂર્યોદય થતાં પહેલાં,પોતપોતાનાં સૈન્યોસહિત રણભૂમિ પર સજ્જ થઈને ઉભા રહે.' તે પછી,તેની આજ્ઞાથી દૂતો ઘોડાઓ પર બેસીને આખી સેનામાં ફરી વળ્યા ને સર્વ સેનાને દુર્યોધનની આજ્ઞા કહી કે-કાલે સૂર્યોદય પહેલાં યુદ્ધ માટે સજ્જ થઈને રણભૂમિ પર ઉભા રહેવું' (57)

અધ્યાય-163-સમાપ્ત


May 16, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-818

 

અધ્યાય-૧૬૨-પાંડવોએ સામો સંદેશો કહાવ્યો


II संजय उवाच II उलूकस्त्वर्जुनं भूयो यथोक्तं वाक्यमब्रवीत I आशीविषमिव कृद्वं तुद्न्वाक्यशलाकया II १ II

સંજયે કહ્યું-ઉલૂકે,પ્રથમથી જ ઝેરી સર્પની જેમ ક્રોધાયમાન થયેલા અર્જુનને વાકયરૂપી શૂળીથી ટાંચતાં દુર્યોધને કહેલાં વાક્યો ફરીથી પણ કહ્યાં.એટલે સર્વ પાંડવો ક્રોધમાં આવી ગયા ને આસન પર ઉભા થઈને એકબીજાની સામે જોવા લાગ્યા.

પાંડવોને ક્રોધથી લાલ થયેલા જોઈને શ્રીકૃષ્ણે ઉલૂકને કહ્યું-'ઓ કેતવ્ય,તું ઝટ અહીંથી જા અને દુર્યોધનને કહેજે કે-તારું કહેવું અમે સાંભળ્યું છે અને તેનો અર્થ પણ સમજ્યા છીએ,તો તારું જે માનવું છે તે પ્રમાણે ભલે થાય' 

May 15, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-817

 

અધ્યાય-૧૬૧-ઉલૂકે દુર્યોધનનો સંદેશો પાંડવોને કહ્યો 


II संजय उवाच II सेनानिवेशं संप्राप्तं: केतव्यः पाण्डवस्य ह I सभागत: पाण्डवेयैर्युधिष्ठिरमभाषत  II १ II

સંજયે કહ્યું-'દુર્યોધનનો સંદેશો લઈને,કૈતવ્ય ઉલૂક,પાંડવોની છાવણીમાં આવ્યો અને પાંડવોને મળીને યુધિષ્ઠિરને કહેવા લાગ્યો કે-તમે દૂતના કર્મને જાણનારા છો,માટે દુર્યોધને જે પ્રમાણે સંદેશો કહાવ્યો છે તે પ્રમાણે હું તમને કહું છું,તે સાંભળીને તમારે મારા પર ક્રોધ કરવો યોગ્ય નથી.' યુધિષ્ટિરે તેને અભયવચન આપ્યું.ત્યારે કૃષ્ણ,આદિ સર્વની વચ્ચે તે સંદેશો કહેવા લાગ્યો.

May 14, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-816

 

દુર્યોધને,(ઉલૂકને સંદેશો આપતાં)કહ્યું કે-હે ઉલૂક,તારે પાંડવોની સમીપમાં જ વાસુદેવને કહેવું કે-તમે પોતાના માટે કે પાંડવોની માટે સજ્જ થઈને મારી સાથે યુદ્ધ કરો.તમે કૌરવોની સભામાં માયા વડે જે રૂપ ધારણ કર્યું હતું તેવું જ રૂપ લઈને અર્જુન સાથે મારી સામે યુદ્ધ કરવા દોડી આવો.ઇંદ્રજાળ,માયા કે કૃત્યા વગેરે સામાન્ય મનુષ્યોમાં જ ભય ઉત્પન્ન  કરે છે,શસ્ત્રધારી પુરુષોને તો તે સંગ્રામમાં વીરશ્રી ઉત્પન્ન કરે છે,અમને તમારી માયાનો ભય નથી,ભયદર્શનથી કાર્યની સિદ્ધિ થતી નથી.ખરી રીતે તો એક વિધાતા જ પોતાની ઈચ્છા વડે પ્રાણીઓને તાબે કરે છે.તમે જે સંજય સામે બોલ્યા હતા કે-'હું સંગ્રામમાં ધૃતરાષ્ટ્ર પુત્રોને મારી પાંડવોને ઉત્તમ રાજ્ય આપીશ' તો તે વચન સત્ય કરવા સજ્જ થઈને રણભૂમિમાં યુદ્ધ કરો.

May 13, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-815

 

ઉલૂક દૂતાગમન પર્વ 

અધ્યાય-૧૬૦-દુર્યોધને ઉલૂક દૂતની સાથે સંદેશો કહાવ્યો 

II संजय उवाच II हिरण्वत्यां निविष्टेषु पांडवेषु महात्मसु I न्यविशंत महाराज कौरवेया यथाविधि II १ II

સંજયે કહ્યું-મહાત્મા પાંડવોએ હિરણ્યવતી નદીના તીર પર પડાવ નાખ્યો,ત્યારે કૌરવોએ પણ વિધિ પ્રમાણે છાવણીમાં નિવાસ કર્યો.યુદ્ધની સર્વ વ્યવસ્થા કર્યા પછી,દુર્યોધને કર્ણ,દુઃશાસન ને શકુનિને બોલાવી એકાંતમાં મસલત કરીને,(શકુનિ પુત્ર)ઉલૂકને તેડાવી,તેને કહ્યું કે-'હે જુગારીના પુત્ર ઉલૂક,તું સોમકોની સાથે રહેનારા પાંડવોની પાસે જા અને ત્યાં જઈને શ્રીકૃષ્ણના સાંભળતા મારો સંદેશો પ્રથમ ભીમને કહેજે કે-'વાસુદેવની સહાયતાવાળા તેં,તારા ભાઈઓની વચ્ચે,પોતાની પ્રશંસાનાં જે મોટાં વચનો, ગર્જના કરીને ઉચ્ચાર્યા છે તે વચનો,સંજયે અમને કહ્યાં છે એટલે,હવે તે વચનોને સફળ કરવાનો સમય હવે આવી ગયો છે.તેં જે પ્રતિજ્ઞાઓ કરી છે તે હવે સત્ય કરી દેખાડ.'

May 12, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-814

 

અધ્યાય-૧૫૯-ધૃતરાષ્ટ્ર અને સંજયનો સંવાદ 


II जनमेजय उवाच II तथा व्युढेष्वनिकेषु कुरुक्षेत्रे द्विजर्षभ I किमकुर्वश्च कुरवः कालेनाभिप्रचोदिताः II १ II

જન્મેજયે પૂછ્યું-હે દ્વિજશ્રેષ્ઠ,કુરુક્ષેત્રમાં સેનાઓ તે પ્રમાણે વ્યૂહરચનામાં ગોઠવાઈ ગયા પછી 

કાળવડે પ્રેરાયેલા કૌરવોએ શું કર્યું?

વૈશંપાયને કહ્યું-ત્યારે ધૃતરાષ્ટ્રે સંજયને કહ્યું કે-'હે સંજય,તું અહીં આવ,અને કૌરવ-પાંડવની છાવણીમાં જે વૃતાંત બન્યો હોય,તેમાંથી કંઈ પણ બાકી ન રાખીને સર્વ મને કહે.હું દૈવને જ શ્રેષ્ઠ માનું છું ને પુરુષાર્થને નિરર્થક માનું છું,કારણકે હું પરિણામે વિનાશ ઉત્પન્ન કરનારા યુદ્ધના દોષોને જાણું છું,તો પણ કપટબુદ્ધિવાળા મારા પુત્રને કબ્જે રાખવામાં સમર્થ થતો નથી.મારી બુદ્ધિ મારા કાર્યના દોષોને અવશ્ય જુએ છે પણ દુર્યોધનને મળતાં જ પાછી ફરી જાય છે.આવી વસ્તુસ્થિતિ છે માટે જે થવાનું હશે તે થશે.ક્ષત્રિયોએ રણમાં દેહનો ત્યાગ કરવો,એ તેઓનો માન્ય ધર્મ જ છે'(7)

May 11, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-813

 

અધ્યાય-૧૫૮-રૂક્મી ને પાછો કાઢ્યો 


II वैशंपायन उवाच II एतास्मिन्नेव काले तु भीष्मकस्य महात्मनः I हिरण्यरोम्णो नृपते साक्षादिंद्रसखस्य वै II १ II

વૈશંપાયને કહ્યું-'એ જ સમયે ઇન્દ્રના મિત્ર ને હિરણ્યરોમા નામથી પ્રસિદ્ધ,દક્ષિણદેશના અધિપતિ,ભોજવંશી ભીષ્મકરાજાનો રુક્મી નામનો પુત્ર પાંડવો પાસે આવ્યો.તે ગંધમાદન પર્વત પર રહેનારા ગંધર્વ દ્રુમનો શિષ્ય હતો ને સંપૂર્ણ ધનુર્વેદ શીખ્યો હતો.જે રૂક્મીને,મહેન્દ્રનું 'વિજય' નામનું દિવ્ય ધનુષ્ય મળ્યું હતું.સ્વર્ગમાં રહેનારા દેવોનાં ત્રણ ધનુષ્યો જ દિવ્ય કહેવાય છે.તેમાંનું એક વરુણનું 'ગાંડીવ' (જે અર્જુન પાસે હતું) બીજું મહેન્દ્રનું આ 'વિજય' અને ત્રીજું વિષ્ણુનું 'સારંગ' (કે શ્રીકૃષ્ણ ધારણ કરે છે).ગાંડીવ ધનુષ્ય અર્જુનને ખાંડવવનમાં અગ્નિ પાસેથી મળ્યું હતું.મેઘના જેવા શબ્દવાળા 'વિજય' ધનુષ્યને મેળવી,જાણે આખા જગતને ભય પમાડતો હોય તેમ તે રૂક્મી,પાંડવોની પાસે આવ્યો હતો.

May 10, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-812

 

અધ્યાય-૧૫૭-બલરામ તીર્થયાત્રા કરવા ગયા 


II जनमेजय उवाच II आपगेयं महात्मानं भीष्मं शस्त्रभृतांवरम् I पितामहं भारतानां धवजं सर्वमहिक्षिताम् II १ II

જન્મેજયે પૂછ્યું-'ગંગાપુત્ર,ભીષ્મપિતામહને,આ વિશાળ રણયજ્ઞમાં લાંબા કાળને માટે 

દીક્ષિત થયેલા સાંભળીને,યુધિષ્ઠિર,અર્જુન અને શ્રીકૃષ્ણે શું કહ્યું?'

વૈશંપાયને કહ્યું-'મહાબુદ્ધિમાન યુધિષ્ઠિરે,પોતાના સર્વ ભાઈઓ અને શ્રીકૃષ્ણને પોતાની પાસે બોલાવીને તેઓને સાંત્વનપૂર્વક કહ્યું કે-'તમે સર્વ સૈન્યમાં ફરીને તેની તપાસ રાખો ને બખ્તરો ચડાવીને સજ્જ રહો કેમ કે તમારે પ્રથમ ભીષ્મ પિતામહની સામે યુદ્ધ કરવું પડશે.એટલા માટે તમે સાત અક્ષૌહિણી સેનાના સાત સેનાપતિ પ્રથમ યોજના કરો.'

શ્રીકૃષ્ણે કહ્યું-'હે ભરતશ્રેષ્ઠ,આવે સમયે તમારે જેવું કહેવું જોઈએ તેવું જ અર્થયુક્ત વાક્ય તમે એ બોલ્યા છો'